________________
૧૩૬
ખુબ જીવન
બળવું કરવાની ધમકી આપી. પોલીસમાં આટલી ‘હિંમત’ ક્યાંથી આવી? કારણકે કાના ટેકો મળ્યો. પોલીસે ભાગલપુર બંધની હાકલ કરી, સફળતા મળી. લોકોએ સાથ આપ્યો. ભદ્ર કહેવાય એવા લેાકા - વકીલેશ, ડોક્ટરો, વેપારીઓ - એ' સાથ આપ્યો. મીટિંગા ભરી, પોલીસની સામે લીધેલાં પગલાંઆના વિરોધ કરતા ઠરાવો કર્યા, વકીલ મંડળાએ ઠરાવો કર્યા. ન માની શકાય એવી વાત છે. પણ સાચી હકીકત છે. લોકો કહેવા લાગ્યા કે આ ડાકુઓને વીર બનાવશો નહિ. રાજકીય પક્ષોએ–શાસક પક્ષા, જનતા, યુવા પરિષદો - પોલીસને ટેકો આપ્યો. સરકાર મૂંઝવણમાં મુકાણી, સરકાર હવે શું કરે છે તે જોવાનું રહે છે. ૧૫ પોલીસ સામેના લીધેલ પગલા પાછા ખેંચવા દબાણ આવી રહ્યું છે. પણ સરકાર કાંઈ કરે કે નહિ, આ સમગ્ર બનાવ અતિ મહત્ત્વના પ્રશ્નો ખડા કરે છે. આપણા સમાજના શું હાલ છે તેની ચેતવણી આપે છે. આપણા આત્મા મરી ગયો છે કે જાગ્રત છે તેના જવાબ આપવાનો છે. પોલીસે જે ઘાતકી કૃત્ય કર્યું તેને ટેકો મળશે એવી હૈયાધારણ પેાલીસને ન હોત તે આવું બને જ નહિ, જે પોલીસે આ નિર્દય કામ કર્યું અને જે અમલદારોએ તેને ટેકો આપ્યો તે તે ગુનેગાર છે પણ સાચા ગુનેગાર આપણે સૌ છીએ, સમગ્ર સમાજ છે. જે સમાજમાં આવાં અમાનુષી કૃત્યો થઈ શકે, જેને ઉઘાડે ગે ટેકા મળે તે સમાજ મરીપરવાર્યો છે, તેને ઘડો ભરાઈ ચૂકયો છે.
જે કેદીઓની આંખો ફોડવામાં આવી તે હજી ગુનેગાર ઠર્યા ન હતા, તપાસ હેઠળ હતા. અંગ્રેજી ન્યાયની એક કહેવત છે કે નવ ગુનેગાર છૂટી જાય તે સારુ પણ એક નિર્દોષ દંડાવા ન જોઈએ. આપણે હવે એમ માનતા લાગીએ છીએ કે નવ નિર્દેષિ દંડાય તે સાર પણ એક ગુનેગાર છૂટવા ન જોઈએ. એક ગુનેગારને પકડવા કે દડવા આપણે નવ નિર્દોષને સજા કરવા તૈયાર થયા છીએ.
ગુનાઓનું પ્રમાણ ઘણુ વધી ગયું છે તે સાચું, તેને માટે કાણ જવાબદાર છે? વ્યકિત કે સમાજ? મોટા 'ભાગના ગુનાઓ ગરીબાઈને કારણે થાય છે. પછી ગુનેગાર રીઢો બની જાય છે, તેને દંડવા સિવાય સમાજ પાસે કોઈ ઉપાય નથી. બીજા કોઈ ઉપાયના વિચાર કરવામાં આવતો નથી. આપણને સૌને ગમે તે ભાગે જાનમાલની સલામતી જેઈએ છીએ. એ સલામતીનો આધાર આપણે માટે માત્ર પાલીસ છે. તેથી પોલીસના ગમે તેવા દુષ્કૃત્યો, નીભાવી લઈએ છીએ, તેને આવકારીએ છીએ. જે કેદીઓની આંખે! ફાડી નાખી તેમાં એક ૧૭ વર્ષના છોકરી છે. સાઈકલ ઉપર બેસી જતો હતો તેને પક્ડયા, કેટલા નિર્દોષને આપણે આપણી સલામતી માટે જૂલમના ભાગ બનાવીએ છીએ? પછી તેઓ રીઢા ગુનેગાર થાય તેમાં શું આશ્ચર્ય સાચા ગુનેગાર પકડાતા નથી, તેમને પકડવાની હિંમત કે તાકાત નથી. નિર્દેનેિ, ગરીબને, પકડી અત્યાચારો થાય છે અને ગુનાઓને કાબૂમાં લેવાનો સંતોષ મેળવે છે. પેાલીસ, માણસ મટી જાય છે. તેમના અત્યાચારોની આપણને આર્થાત નથી. આપણે સંવેદનશકિત ગુમાવી બેઠા છીએ. પોલીસની ક્રૂરતા એ આપણી ક્રૂરતાનો પડઘો છે. આપણું હૃદય પથ્થર જેવું થયું ન હોય તે આવા બનાવ બને જ નહિ. ગુનાઓના કારણેા શેાધી તેનો ઉપાય કરવાને બદલે, આપણે તેને દાબી છે દેવા કરી, ગુના વધારીએ છીએ. ગુનગારાની માનસચિકિત્સા કે સહાનુભૂતિપૂર્વકનું વલણ અપનાવવાને બદલે તેમને વધારે ગુના કરતા કરીએ છીએ. કેટલીક વ્યકિતએ ગુનાહિત માનસ ધરાવતી હોય છે, તેમને સજા પણ કરવી પડે. પણ મોટા ભાગના ગુનાઓ ગરીબાઈ અથવા બીજી સામાજિક પરિસ્થિતિમાંથી જન્મે છે.
આ બનાવ આપણને કંઈક 'અંતનિરીક્ષણ કરતાં કરે તે અનિષ્ટમાંથી પણ કોઈક ઈષ્ટ પરિણામ આવે.
૧૦-૧૨-૮૦
ચીમનલાલ ચકુભાઈ શાહ
તા. ૧૬-૧૨-૮૦
પુરુષાર્થનું ભવ્ય શિખર પંડિતજી
પંડિત સુખલાલજીનું જીવન કોઈ ચમત્કારોથી રંગાયેલું જીવન નહોતું, તેમ કોઈ તકદીરના પ્રભાવે સમૃદ્ધ બની ગયેલું જીવન પણ નહાતું. [ડિતજીનું જીવન ક્ષણેક્ષણ અદમ્ય પુરુષાર્થથી ભરેલું જીવન હતું.
એમના જીવનના કોઈ ચમત્કાર કહા તે તે તેમનામાં રહેલી જ્ઞાનસમુદ્ધ જીવન જીવવાની ઈચ્છા. ચમત્કાર એટલા માટે કે મનુષ્યના ચિત્તમાં રહેલી વૃત્તિઓ, વાસનાઓ, ઈચ્છાઓ ક્યાંથી આવે છે તે કોઈ જાણતું નથી. ખુદ એ ચિત્તનો માલિક પોતે પણ જાણતો હોતો નથી.
તકદીરે તો એમની વિરુદ્ધમાં જ કામ કર્યું. સેાળ વર્ષની થનગનતી યુવાની પર અંધાપા જેવો મોટો ફટકો બીજો કયો હોય?
પંડિતજીએ આખા ખાયા બાદ થોડા સમય સુધી જે ઊંડી હતાશા અનુભવેલી તે આપણે એમના શબ્દોમાં વાંચી છે. તેમાંથી એમને બહાર કાઢનારી શકિતને તો આપણે જિજીવિષા જ કહીએ. કોઈ પણ મનુષ્યની એ સહજ વૃત્તિ છે. પ્રત્યેક મનુષ્ય એ વૃત્તિને આધારે જ અત્યંત દુ:ખદાયક પરિસ્થિતિમાં પણ જીવન સાથે સમાધાન કરી લે છે.
એ જજીવિષાએ એમને આડેધડ જ્ઞાનપ્રાપ્તિ તરફ વાળ્યા. એમણે અનેક સૂત્રેા, અનેક ગ્રંથો, સમયે વગર સમજ્યું કંઠસ્થ કર્યા. પણ આ પછીનાં જે સાતેક વર્ષ એમણે એમના વતનમાં રહી અભ્યાસ કર્યો, તે દરમિયાન એમના જીવનકાર્યના કેટલાંક નિર્ણાયક તત્ત્વો બહાર આવ્યાં જણાય છે.
પંડિતજીની પેલી જન્મજાત જ્ઞાનપિપાસા અને એની સાથે વિવેકબુદ્ધિ આ સમયમાં પરિપક્વ થઈ એમ જણાય છે. જૈનશાસ્ત્રો માટે પાકૃત તો ભણવું પણ સઁસ્કૃતના શાનના પાયેા તે માટે હોવા જ જોઈએ. જૈન શાસ્ત્રો ભણવાં ખરાં પણ જૈન દર્શનની ખરી સમજણ મેળવવા અન્ય દર્શનોનું શાન પણ આવશ્યક છે. આ બધો ખ્યાલ આ સાત વર્ષ દરમિયાન ભણતાં ભણતાં એમના મનમાં ઊગ્યા જણાય છે.
અભ્યાસ દરમિયાન કોઈએ એમના મનમાં આ ખ્યાલ રાપ્ય કે એમના ચિત્તમાંથી જ એ સ્વયંભૂપણે પ્રગટયો એ આપણે જાણતા નથી. અભ્યાસના અનુભવે અને મર્યાદિત અભ્યાસથી સર્જાતી મુશ્કેલીઓએ પણ એમને આ આવશ્યકતા સમજાવી
હાય.
આ આવશ્યકતા સંતોષવા વતનના સાંકડા ક્ષેત્રની બહાર નીકળ્યા વિના છૂટકો નહોતા. કુટુંબીઓના મનની ચિન્તા જોયા છતાં અને એમની લાગણીને લગભગ વેખીને પંડિતજી કાશી ભણવા ગયાએમાં કોઈ વિશાળ શાનવિશ્વમાં વિહરવાની તાલાવેલી જ કામ કરતી હશે. કાશી-મિથિલાનો નિવાસ અને ત્યાં અભ્યાસ માટે પંડિતજીને કરવી પડેલી ભગીરથ મથામણ એમના જીવનનું ઉત્કૃષ્ટ પ્રકરણ છે. તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ સામેના પંડિતજીના અવિરત સંઘર્ષની એ કહાણી કોઈ મહાથાનો વિષય બને એવી છે. ૧૯૦૪ થી ૧૯૧૩ સુધીના એક દાયકાનું પંડિતજીનું જીવન માનવ પુરુષાર્થનું એક ઉત્તુંગ શિખર છે. એની સ્થૂળ હકીકતો પણ એને ભવ્યતા આપી શકે એવી છે અને પંડિતજીની એ સમયની મન:સ્થિતિની કલ્પના કોઈ મહાકવિની પ્રતિભા માગી લે.
૧૯૧૩ પછી પંડિતજીએ પાતાના અભ્યાસનો ઉપયોગ કરવા માંડયા. સાધુ-સાધ્વીએ અને બીજાઓને ભણાવવા માંડયું. પોતે માત્ર ભણાવવાનું જ કામ કરી શકે પણ સંશોધન કરી