SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રાદ્ધ જીવન આવા પણ છે 卐 કહેવાય છે કે every man has his price કોઈનું માં નાનું કોઈનું મોટું, કોઈ થોડામાં રીઝે, કાઈ ઘણામાં, અને જ્યાં સુધી Greasing the palm ન થાય ત્યાં સુધી કશું કામ થતું નથી, અને કશું કરાવવા માટે અંડર ધી ટેબલ કે ઉપર આપવું જ પડે છે, અર્થાત્ ગ્રીઝ લાગે ત્યારે જ પલા ચક્રો ગતીમાન થાય છે—તે સિવાય નહિ. આવું આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, અનુભવ પણ કરીએ છીએ ત્યારે મનમાં પ્રશ્ન ઉઠે છે કે ખરેખર દરેક પૈસાથી જીતાઈ જ જાય છે, કોઈ એના પ્રલાભનથી દૂર નથી જ શું? પરન્તુ આ ધરતી પર પાપ છે, વધતા જાય છે તોયે પૂણ્ય હજી પરવાર્યુ નથી, ખૂણેખાંચરે એવા પણ છે જે આ કાદવમાં ખરડાયા નથી, જે આપણે એવી જ એક નારીની વાત કરવી છે, વાત આ છે. તમે સૌ આ વાત તો જાણેા છે જ કે એક વર્ષે બ્રિટનમાં ખોડખાંપણવાળા લગભગ ૪૦૦ બાળકો જન્મ્યા, કારણમાં એમની માતાઓએ ડાક્ટરોના કહેવાથી થાલીડામાઈડ નામની નવી દવા લીધેલી અને એ દવા બનાવનારને નેશનલ હેલ્થ સર્વીસ ખાતાએ હાનિકારક નથી જ, તેનું સર્ટિફિકેટ પણ આપેલું. આ દવા અમેરિકામાં કોઈ પણમાતાએ લીધેલી નહિ, કારણમાં ત્યાંની સ્ત્રી - અમલદાર ડૉકટરે, એ દવા વિષે સંપૂર્ણ ખાત્રી ન થાય ત્યાં સુધી All clear -નું સર્ટિફિકેટ આપવાની સ્પષ્ટ ના સુણાવી દીધી હતી. આ દવાના ઉપયોગ બ્રિટન ઉપરાંત પશ્ચિમ જર્મનીમાં પણ થઈ રહ્યો હતો, એનાથી ગર્ભવતી માતાને આરામ મળતો, મજાની ઊંઘ આવતી, અને એની કોઈ ખરાબ અસર થતી દેખાતી નહોતી. આ દવા બનાવનારે પેલી બાઈને રીઝવવા જાતજાતના સૂચન કર્યા, થોડા નહિ પણ ઘર ભરાઈ જાય એટલા નાણાંની ઓફર કરી, પરન્તુ એમણે મચક આપી નહિ, ડૉકટર ઓલ્ડહામ જે અમેરિકાના ફૂડ ડ્રગ્ઝના એડમીનીસ્ટ્રેશનના મેડીકલ ઓફિસર હતા એમણે જાહેર કર્યું કે પૂરી ખાત્રી થયા વીના એનું વેચાણ થવા દેવાય નહિ. સ્થાપિત હિતવાળાઓએ અમેરિકામાં આ દવા દાખલ કરવા માટે અનહદ પ્રયત્નો કર્યા, જ્યાં લાખોનો ફાયદો થવાના હોય ત્યાં માલિકો હજારો તા શું લાખોની લાંચ આપવા તૈયાર થાય, એક વર્ષ ફાયદા નહાતો થયો માની લે, પછી તો ધી-કેળાં જ ને ? પરતુ પેલી ડૉક્ટર બાઈએ તે એક જ જવાબ આપ્યા કર્યો કે જનતાની સુખાકારી જોવી એ મારી ફરજ છે અને એ દવાની કોઈ ખરાબ અસર થાય છે કે કેમ તે જાણ્યા વિના એ વેચવાની પરવાનગી હું આપી શકું નહિ. આ દવા ૧૯૫૭માં પશ્ચિમ જર્મનીમાં શેાધાઈ હતી, અને જ્યારે ડૉક્ટર બહેને એના વપરાશ ન થવા દીધા ત્યાં સુધો એની કોઈ ખરાબ અસર પણ દેખાણી નહોતી, છતાં એ મક્કમ હતી. આ દવા એક જ જાતની, નામ જુદા જુદા, બ્રિટનમાં ટીસ્ટાવાલ તરીકે વેચાતી, બીજી ફમે એ જ દવા ‘ટાલીમેલ”ના નામે બનાવા, ત્રીજીએ “કેવાડન”ના નામે બનાવી, ટૂંકમાં નામરૂપ જૂજવા અંતે તે તેમનું તેમજ!! બે વર્ષના વપરાશ પછી એની માઠી અસર કોઈ જગ્યાએ દેખાણી. ત્યાંના ડૉકટરોએ કંપનીનું એ વાત પર ધ્યાન દોર્યું, તો જવાબ મળ્યું કે એમાં દવાના દોષ નથી, કદાચ એકલદોકલ વ્યકિતને અનુકુળ ન આવે તે બની શકે. ૧૯૬૧માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં એક ડોકટરે લેખ લખ્યો કે એ દવાથી મગજની અસ્થિરતા, હાથપગનું ધ્રુજવું, ગળાનું ખોટું પડી જવું, થાય છે, અને આ બધાનું કારણ પેલી થાલીમાઈડ દવા જ લાગે છે. તા. ૧૬-૧૧-૮૦ 卐 આવી અસર પ્રતિ દવા બનાવનાર કંપનીને જાણ કરી. કંપનીને બે વૈજ્ઞાનિકોને માઢ્યા તપાસ કરવા, એમણે રિપાટ આપ્યા કે દવામાં કશી ખરાબી નથી જ. દવા તે। લગભગ ત્રણથી ચાર લાખ લોકો વાપરે છે, એમાં બે પાંચને એવું થાય તેનું કારણ દવાને કેમ અપાય ? (આથી જુદા રિપાર્ટ એ થોડા જ આપવાના હતા ?) ૧૯૬૧માં જ પશ્ચિમ જર્મનીમાં એટલે કે જ્યાં દવા બનાવવી શરૂ થઈ હતી, ત્યાં ખૂબ જ ખોડખાંપણવાળા બાળકો જમવા લાગ્યા, રાને ૉકટરો ચિન્તામાં પડી ગયા. કોઈ બાળકને આખા હાથ જ ન હોય, કોઈને આંગળા જ નહિ, કોઈને ખભા નીચે કશું જ નહિ, કેટલાને પગ જ નહિ, કેટલાક કાવિનાના, કેટલા શાંખ વિનાના, કેટલાને અંદર આંતરડા જ નહિ, કેટલાને શ્વાસનળી નહિ અને આવા લગભગ ૩૫૦ થી ૪૦૦ બાળકો જન્મ્યા, અને ડોક્ટોએ એમની માતાને પૂછતા જાણ્યું કે એવા બાળકને જન્મ દેનારી દરેક માતાએ એ દવા લીધી હતી. ખૂબ ખળભળાટ મચી ગયા, એ દવા બજારમાંથી પાછી ખેચી લેવામાં આવી, કેનેડા વગેરે જગ્યાએ તે ખુદ ડૉકટરોની પત્નીઓએ પણ એ દવા લીધી હતી, જેને કારણે એવા બાળકોને જન્મ આપ્યો હતો, પરિણામેં જબ્બર વંટોળ જાગ્યો. એ ડૉકટર બહેને અમેરિકાને બચાવી લીધું, કશાયે પ્રાભનને તાબે થયા નહિ, એ જાણ્યા પછી પણ આપણે શું એમ કહીશું કે દરેક લલચાય જ છે? એમના વિષે લખતા વીન્ટન રેકીન લખ છે કે મેરીકાની જનતા અને ખાસકરીને અમેરીકાની સ્રી, માતાએ એમની સદાને માટે રૂણી રહેશે. ૧૯૬૨નાં ઓગસ્ટમાં વ્હાઈટ હાઉસમાં એ ડોકટરને પ્રમુખ કેનેડીના હાથે એમના એ પ્રશંસનીય કાર્ય માટે પ્રેસીડન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. આ લેખનો અનુવાદ કરવાની ઈચ્છા થવાનું કારણ એ કે ભારતમાં જાતજાતની દવાઓ બને છે, હમણાં જડોકટરોની કોનફરન્સ થઈ, તેમાં નિષ્ણાતોના મત પ્રમાણે જ્યાં ૩૦૦ ડ્રગ્ઝથી ચાલે એવું છે ત્યાં ત્રણ હજાર, જુદા જુદા નામે બને છે, અને જાહેરાત કરીને વેચાય છે. આની પાછળ પૂરતી ચકાસણી થાય છે ખરી? પ્રલાભનથી પર થઈને પેલી અમેરિકન ડોકટર બાઈની જેમ અડગ રહેનારા છે. ખરા? પેનીસીલીન ચાલ્યું, ખૂબ ચાલ્યુ, બ્રોકેઈનના વખાણ થયા, અંતે અમુક જાન ગયા, ત્યારે ઉપયોગ અટકયા, ડી. ડી. ટી. માટે કારખાના થયા, સ્થાપિત હિત શરૂ થયા, પછી ભલેને ડી. ડી. ટી.થી નુકશાન થાય, એના વપરાશ ઘટે છે ખરો? અગર સાવચેતીપૂર્વક વપરાય છે? ગરીબ દેશમાં આટલી દવાની જરૂર છે ખરી! જો નિષ્ણાતો કહે છે કે ૩૦૦ થી ચાલે તો ૩૦૦૦ શા માટે ? કેટલી જાહેરાત એમાં ડોકટરોનો સાથ, આ બધાનો ભાગ તા વાપરનાર જ બને ને? ધન જાય ને સાથે જ સાઈડ ઈફેકટથી નુકશાન થાય છતાં કેમ આ ચાલ્યા જ કરે છે? શું કોઈ પ્રલોભનથી પર નથી? આશા રાખીએ કે થોડાને તો આત્માના પેલે still small voice સંભળાશે અને એ દિશામાં ધાળેદાર્ડ ચાલતી લૂંટ અને થવું નુકશાન અટકાવશે. લેખક: મેઈન મિન્ટઝ અનુ રભાબેન ગાંધી * ફાધર વાલેસના પુસ્તકે સસ્તી કિંમતે ફાધર વાલેસના હેતુલક્ષી તેમજ જીવનોપયોગી લખાણવાળા ૨૦ પુસ્તકોના સેટ, જેની છાપેલી કિંમત રૂા. ૧૫૭, છે તે સેટ જ્ઞ. ૮૦માં આપવામાં આવે છે. નીચેના સ્થળાએ સંપર્ક સાધેા. (૧) શાંતિલાલ ટી. શેઠ. C/o. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬ (૨) ૨૫, સુન્દરમ એપાર્ટમેન્ટ, ૭ માળે, રામચન્દ્ર લેન, મલાડ-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૬૪.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy