________________
૧૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૯
-
-
-
3-
ઉચ્ચ શિક્ષણ : એક સમસ્યા?!
શુદ્ધ, સમૃદ્ધ અને સુગ્રથિત બનાવીને, શિઠાણની આ બુનિયાદને સુદઢ કરવા તરફ રહ્યો છે, તેથી પાયાની ઉપેક્ષા કરીને મકાનના શિખરને સુશોભિત કરવાની પેલી માગણી અને દર ખાસ્ત તેમને હાસ્યાસ્પદ જણાઈ, અને એમના અંતરાત્માને સતત અકળાવી રહેલી પેલી વ્યગ્રતા અને વેદના આ શબ્દોમાં ફરી એકવાર ઠલવાઈ રહીં:
આપણા દેશનું વર્તમાન ઉચ્ચ શિક્ષણ એક સમસ્યા છે? એ પ્રશ્નને ઉરાર હકારમાં નિશ્ચિતરૂપે અને નિર્ણાયક રીતે આપવાનું મુશ્કેલ છે અને એટલે જ—એ અંગે નિર્ણયા ભાવ દર્શાવવા માટે જે લેખના શીર્ષકને અંતે પ્રશ્નાર્થ સૂચક તથા આશ્ચર્યસૂચક એવાં બંને વિરામચિન્હો એકીસાથે મૂક્યાં છે. પરંતુ આ વિષય અંગે સામાન્ય માહિતી ધરાવનાર વ્યકિત માટે પણ “ઉચ્ચ શિક્ષણ એ સમસ્યા નથી. એવું વિધાન સુનિશ્ચિત રીતે કરવાનું અને એને અંતે પૂર્ણવિરામ ચિન્હ મૂકવાનું તે શકય જ નથી, એ હકીકત હવે નિર્વિવાદ બની ચૂકી છે. દેશની મોટા ભાગની યુનિવસિટીઓ અને કોલેજોનાં સંચાલનની વસ્તુ સ્થિતિ પર માત્ર અછડતો દષ્ટિપાત જ આ હકીકતના સમન માટે પર્યાપ્ત નીવડશે.
“ક, ખ, ગ શીખનાર બાળક વધારે મહત્ત્વનું છે કે પોપટની જેમ કેઈકનું શીખવ્યો પટ પટ બેલી જનાર પીએચ.ડી. એ વારે. મહત્ત્વના છે: ‘ક’ શી બનારને ઓછામાં ઓછું કરે આવડે, એમ જોઈ શકાય છે; પીએચ.ડી. વાળાને એણે જે લખ્યું છે તે એને અવિડે છે કે નહીં, તેની શંકા રહે છે!”
આમ તે, માત્ર ઉચ્ચ શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણનું સાદ્યન્ત સમગ્ર માળખું જે ઉત્તરોત્તર અધ:પતનની એવી નિકૃષ્ટ કક્ષાએ જઈ પહોંચ્યું છે કે એ હવે માત્ર સમસ્યાના પ્રશ્નાર્થ સ્વરૂપમાં જ નથી રહ્યું, પરંતુ પ્રજાના સ્વસ્થ, શુભચિંતક, વિચારશીલ અને વિવેકબુદ્ધિયુકત વર્ગ સમક્ષ એક અદમ્ય આહાન (Challenge) તરીકે પડકારી રહ્યાં છે, એ પણ હવે તે લગભગ સર્વવિદિત છે. પરંતુ અહીં આ લેખને તો ઉચ્ચ શિક્ષણ પૂરતો જ મર્યાદિત રાખ્યો છે.
શ્રી સભ્યતન યાત્રીના આ પ્રકારના ઉદગાર, ઉપર કહાં તેમ, કટાક્ષ અને વક્રોકિત વડે સાંગોપાંગ અનુસ્મૃત છે, એ સ્પષ્ટ છે; એમાં અતિરેક અને અનુકિતનું પ્રમાણ પણ ઠીક ઠીક માત્રામાં છે, એમ સ્વીકારવામાં પણ વાંધો નથી. કોલેજના અધ્યાપક તથા આચાર્ય તરીકેના મારા પોતાના સુદાઈ (“આજીવન” કહું તો પણ અરથાર્થ નથી!) અનુભવને આધારે હું એ કહેવાની સ્થિતિમાં છે કે અશાન્ત વિદ્યા-વ્યાસંગ અને સ્વાધ્યાય-સંશોધનને જેમણે પોતાના અધ્યાપન
જીવનની એકમાત્ર ઈતિકતા અને આરાધ્ય દેવતા તરીકે સંસ્થાપી છે એ, ભલે બહુ નાનો છતાં સંપૂર્ણત: સરસ્વતીપરાયણ, અધ્યાપક-વર્ગ આપણી પ્રવર્તમાન યુનિવર્સિટીઓમાં અસ્તિત્વ ધરાવે છે; અને સનાતન યાત્રીના ઉદગારો આ વર્ગના અધ્યાપકોને અન્યાય કરે છે, એ પણ સાચું. પરંતુ એમના આ સર્વ ઉદગારોમાંથી કટાણા-વક્રોકિત-અતિરેક-અત્યુકિત વગેરે તન સદંતર ગાળી-ચાળીકાઢી નાખવામાં આવે તો પણ, અવશિષ્ટ રહેલી શુદ્ધ અને નિર્ભ ળ હકીકતો એટલી સઘન અને સંગીન છે કે સ્વસ્થ બુદ્ધિ અને સ્વચ્છ હૃદયના કોઈ પણ શિક્ષણપ્રેમી સજજન માટે આઘાત તથા ઉદ્દે ગ સર્જનારી નીવડી શકે, એવી પર્યાપ્તતા એમાં છે.
આરંભમાં જ એ વાતની સ્પષ્ટતા કરી લઉં કે ‘ગુજરાત સમાચાર (અમદાવાદ)ના તા. ૨૩ ૫-૮૦ને અંકમાં- શ્રી સનાતન યાત્રીના“ઉચ્ચશિક્ષણ પાછળનો ખર્ચસ્થગિત કરે.”—એ શીર્ષક હેઠળના લેખ વાંચીને આ લેખ લખવા હું પ્રેમ છે. આમ તે શ્રી સનાતન યાત્રી છેલ્લા દોઢ-બે વર્ષથી ગુજરાત સમાચારમાં “મારી નજરે– નામક સાપ્તાહિક કટારમાં શિક્ષણ-વિષયક પોતાનાં સૂક્ષમ નિરીક્ષણો અને સુદી-ઘનિષ્ઠ અનુભવનો નિષ્કર્ષરજૂ કરતાં રહ્યા છે. હાડોહાડ શિક્ષણના જીવ જેવા શ્રી સનાતન યાત્રી શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિથી અત્યંત સંતપ્ત જણાય છે અને તેથી સ્વાભાવિક રીતે જ એમના અંત:કરણમાં એ ઉકળાટ અને અજંપ મહદંશે કટાક્ષ અને વક્રોકિતના સ્વરૂપમાં અભિવ્યકિત થાય છે. એમની તીવ્ર સંવેદનશીલતા કયારેક તે શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ-જેમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી, સરકાર, સંચાલકો, શિક્ષણશાસ્ત્રી, શિક્ષકો, પ્રાધ્યાપકો, આચાર્યો, અયાસક્રમે વગેર સર્વનો સમાવેશ થઈ જાય છે, તેને ઉપહાસ કરવા સુધીની અનિરછનીય છતાં જામ્ય ગણી શકાય તેવી કક્ષાએ પહોંચી જાય છે. આમ છતાં, એકંદરે એમ અવશ્ય કહી શકાય કે શિક્ષણ ના સ્વાસ્થયની સાવિક અને સંનિષ્ઠ ચિતા સેવનાર કોઈ પણ શિક્ષણપ્રેમી સજજનને શ્રી સનાતન યાત્રીના કથયિતવ્યના હાર્દ સાથે મતભેદ ન હોઈ શકે.
શ્રી સનાતન યાત્રીને ઉપર્યુકત ઉદગારમાંના હાર્દને અનુદન માળ રહે એવા, જુદી દિશામાંથી સાંપડેલા એક પ્રવચનનો સંદર્ભ નહીં પ્રસ્તુત અને સમુચિત હોવાથી ઢાંકું છું: ભારતના ઉપરાષ્ટ્રપતિ ન્યાયમૂર્તિ શ્રી એમ. હિદાયતુલ્લાએ “આધુનિક શિક્ષણ” એ વિષય પર ગુજરાત વિદ્યારાભા (અમદાવાદ) ૧૯૭૯નું વાર્ષિક વ્યાખ્યાન તા. ૭-૪-૮૦ના રોજ આપ્યું હતું. મૂળ અંગ્રેજીમાં અપાયેલા એમના એ મનનીય પ્રવચનનું ગુજરાતી ભાષાન્તર ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ શિક્ષણશાસ્ત્રી આચાર્યશ્રી યશવંતભાઈ શુકલે “સંદેશ” દૈનિકપત્રના વાંચકોને પૂર્ણપણે બે હતે (૧૦-૫-૮૦ અને ૧૭-૫-૮૦) સુલભ કરી આપ્યું હતું. શ્રી હિદાયતુલ્લા તે ભારતના ઉપરાષ્ટ્રપતિને ઉચ્ચ અને ઉત્તરદાયિત્વપૂર્ણ હોદ્દો શોભાવી રહ્યા છે અને એક આજીવન ન્યાયમૂર્તિ તરીકે મુદ્દાસર મિત ભાષણનું મહત્ત્વ તેમણે આત્મસાત કઈ હોય; અને છતાં આશ્ચર્ય સાથે આંચકો આપે એવી હકીકતે એ છે કે તેમના એ વ્યાખ્યાનના બીજા હપ્તા (સંદેશ, તા. ૧૭-૫-૮૦)નાં પે' - શીર્ષક કાળા મેટા ટાઈપમાં આ રીતે મુદ્રિત કરવામાં આવ્યાં હતાં:
હમણાં થોડા દિવસ પહેલાં નવ દિલહીમાં “Association of Indian Universities.” ની સામાન્ય સભાની બેઠક મળી હતી અને એ બેઠકમાં એવી માગણી કરવામાં આવી હતી કે પાંચમી યોજનામાં ઉચ્ચ શિક્ષણ માટે જે નાણાં ફાળવવામાં આવ્યાં હતાં, તેના કરતાં બેવડી રકમ છડી જનામાં કાળવવીબસ. સમાચરે શ્રી સનાતન યાત્રીના અંત:કરણમાં અનવરત ઊકળી રહેલા પેલા પુણ્યપ્રકાપ માટે ઉદીપન વિભાવની ગરજ સારી અને . એમને સ્વયં રૌદ્ર રસ આ પ્રકારે અભિવ્યકત થયો :
“(૧) વિદ્યાર્થીઓને અભ્યાસ વિના ડિગ્રી જોઈએ; (૨) શિક્ષકોને ભણાવ્યા વિમા પગાર જોઈએ;
(૩) અધ્યાપકોને વિદેશની પરિષદમાં જવું હોય છે.”
ઉચ્ચ શિક્ષણ પાછી વધારે પૈસા ખરચો એટલે મેટા પગારોવાળ! પ્રોફેસરો, જે માટે ભાગે કોન્ફરન્સ અને વર્કશોપને આ કે તે મિટિંગમાં ફર્યા કરતા હોય ! નહીં ભણવાની ઈચ્છાવાળ ને યુનિવસિટીઓનાં મકાને-રેકોર્પોમાં આગ ચાંપવાવાળા વિદ્યાર્થીઓ !! સમાજના હોય માટે વાહનવ્યવહાર વગેરેની ઊભી કરેલી વ્યવસ્થાની બને બાળીને, હાઈજેક કરીને, ઊધી-ચ કરવામાં પોતાના ભણતરનું અતિ છે, એમ સમજ નારી અભિનવ વિદ્યાર્થી વર્ગ! વરસમાં માંડ થોડા દિવસે સમ ખાવા પૂરતું જ તો !) ચાલતી યુધિવસિટીઓ!”
અલબત્ત, એમના આ ખપે લેખને ઝોક પ્રાથમિક શિક્ષણસમગ્ર શિક્ષણની આ ખી યે ઇમારતની જે આધારશિલા છે, તે-ને
રાષ્ટ્રમાંની ઉચ્ચ શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિનું સ્વરૂપ જો આવું જ હોય તો એ શિક્ષણ પાછળ ખર્ચ સ્થગિત કરવા વિશે શ્રી સનાતન યાત્રીને વ્યથાપૂર્ણ આક્રોશ સમુકિતક અને સમયસર નથી બની જતો? ઉચ્ચ શિક્ષણ એ સમસ્યા નથી? અને છેલ્લે પ્રશ્ન : આ સમોનું નિરાકરણ કે નિરસન શું?
- જયાનન્દ દવે