________________
તા. ૧૬-૧૧-૮૦
પ્રભુત્વ જીવન
તા સામાજિક સેવાઓ-ક્લ્યાણ રાજયની કલ્પના ઘટાડવી જ પડે. ગરીબો પ્રત્યે રેગનને બહુ હમદર્દી ન હોય. દુનિયાના ગરીબ-અણવિકસિત અને વિક્સતા-દેશોને સહાય કરવાની રુચિ ન હોય. પોતાનું આર્થિક હિત હોય ત્યાં જ મદદ કરે. જે દેશેામાંથી લાભ ઉઠાવી શકાય તેમને સ્વાર્થ ખાતર મદદ કરે,
અમેરિકામાં conservatism નું મોજું ફરી વળ્યું છે તેમ કહેવાય. ઈરાનના મુલ્લાં જેવા ચોક પાદરી વર્ગ ત્યાં ઉભા થયા છે અને આ ચૂંટણીમાં રેગનને તેમણે સારી પેઠે મદદ કરી છે. આ વર્ગ નીતિ અને ધર્મને નામે, પ્રગતિશીલ વિચારોને સુધવા કરે છે. Conservative forces always speakin the name of religion and morality. Priesthood is always on the side of establisher order.
રેગન શું અને કેટલું કરે છે અથવા કરી શકશે તે જોવાનું રહે છે. તેમને ભૂતકાળ બહુ આશા પ્રેરે તેવા નથી. કોઈ ભવ્ય દર્શ સેવતા હોય તેવું જણાતું નથી. એમને કદાચ typical american કહી શકાય.Self confident, aggressive with a simplistic approach, અત્યારની નવી દુનિયાની તેમને બહુ ઝાંખી હોય તેમ માનવા કારણ નથી. સંભવ છે. અનુભવે વાસ્તવિકતાનું ભાન થાય. અત્યારે ચિન્તાનો વિષય રહે છે.
૭-૧૧-૮૦
ચીમનલાલ ચકુભાઈ
એક મૂડ, એક પાતીકા રંગ
[સંઘ કે જિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી સુરેશ દલાલે આપેલ વ્યાખ્યાનના ટૂંક સાર.]
હરમાનની માતાની ડાયરીમાંથી એકનેોંધ મળે છે કે હરમાને અંજીર કરેલા ને એ પકડાયા હતા. એના માબાપને મન આ પ્રસંગનું કોઈ ઝાઝું મહત્ત્વ નહીં હોય, છતાં એની માતા ડાયરીમાં નેધ્યા વગર રહેતી નથી, એ સૂચક છે. બાળકના મન પર પણ અપરાધના એક ડાઘ લાગી જાય છે. એક નાનકડો પ્રસંગ એના જીવનમાં જડાઈને પડયા છે. આ બન્યું ત્યારે એ બાર વર્ષના હતા. સ્કૂલમાંથી પાછા આવ્યો. દિવસ ખૂબ કંટાળાજનક હતા, કાંઈ પણ બની શકે એવા દિવસ હતા અને એ આ શૅરી કરી બેઠો. અનેહરમાનને હંમેશા એમ લાગતું કે મેટેરાઓ, માબાપ હોય કે શિક્ષક હોય બધા જ જાણે કે પૂર્ણ હોય, ભગવાનના અવતાર હોય, ને અમે જાણે કશું જ નથી એ રીતે જ વર્તે છે. હરમાન નોંધે છે કે એ દિવસ જ એવા હતા કે હાથ કશુંક ખોટું કર્યા વગર ન જ રહે. એક ચારના હાથની જેમ એના હાથ ગરમ થઈ ગયા હતા. તે દિવસે શાળાના એક છેકરા સાથે મારામારી પણ કરેલી અને એ ખમીશ ફાડીને, શરીરને ઈજા પહે[ચાડીને આવ્યો તો. પકડાયો ત્યારે એને એવું લાગ્યું કે કોઈ યુદ્ધભૂમિથી છવાયેલા સૈનિકની જેમ પોતે નથી આવ્યા, પાતે ચાર છે, ગુનેગાર છે, અપરાધી છે. એનાં પુસ્તકો પાછળથી અંજીર ક ડાર્યા; તે મેં એ જૂઠ્ઠું બોલ્યો. શા માટે એ જૂઠ્ઠું બાલ્યા? એના જવાબ મળી શકે, જો એ જાણી શકે કે શા માટે પોતે એંજીર ચાર્યા એની આખ સામે દેખાતી હતી દીવાલ, દીવાલમાંથી દેખાતા પિતા, પિતાની પાછળ દેખાતા હતા એક ન્યાયાધોશ... ઘરનુ જાણે કે અદાલતમાં પરિવર્તન થયું હતું. રવિવારે એને ખંડમાં ગધિી રાખવામાં આવ્યા કુટુંબમાં બધાને પ્રતીતિ હતી કે હરમાન હેાશિયાર છે. કુદરતનું વરદાન પામેલા છે. પ્રતિભાશાળી છે, ગાઈ શકે છે,ચિત્રા દોરી શકે છે, ઝીણી નજરવાળા છે, પણ ભાંકર જિદ્દી છે. એક્વાર માતાએ ભાઈસાહેબને અતિથિઓના ઓરડામાં સૂર્યા; તે એણે કહ્યું કે આમાં તારો કંઈ ભલીવા૨ નહીં થાય, તારું કશું વળશે નહીં, કારણ કે તું મને ઓરડામાં પૂરી શકે છે, પણ એરાડાની બારીઓમાંથી જોવાની મજા હું લઈ શકું છું ને મારો સમય બહુ અચ્છી રીતે પસાર થાય છે. જયારે આ કહ્યું ત્યારે તેની ઉમ્મર ફકત ૪ વર્ષની હતી. તેની માતાએ આ બધું ચિંતા અને ભય સાથે પોતાની ડાયરીમાં નેબ્યુ છે.
૧૨૧
સ્વપ્નિલ હતા. સંકલ્પ કરતાં એની ઉત્તેજિત કલ્પના અને હંમેશા દોરતી. એની વેદના એવી હતી કે નાનપણથી જ એને લાગતું કે એક બાજ પોતે છે અને સામે પક્ષે ૬ નિયા છે. સત્તા સામે એણે ૐમેશા પ્રતિકાર કર્યું. અને વ્યકિતની મહત્તાનો હંમેશા સ્વીકાર કર્યો છે. શાળામાંથી ભાગી છૂટેલા, અને એ ગાળામાં પણ આઠ કિત લખી'તી એ કેટલી સૂચક છે! એમની કેટલીક જોઈએ:
પાંચમા જન્મદિવસે હરમાને કોઈ જુદી જ વ્યથા અનુભવી. એને પેાતાનું નામ નહાતું ગમતું. એને તે જોઈતું હતું આદમ અને ઈવના પુત્રનું નામ. માબાપે આપેલા નામ સાથે, ન ગમતાં નામ સાથે પાતાને જીવવું પડશે એની વ્યથા એણે અનુભવી. આ એક ઘટનામાં હરમાનની સંવેદનશકિત અને એનીવિદ્રોહની વૃત્તિ હતી.
પ્રકૃતિમાં દંભ નથી, પ્રાણીઓમાં દંભ નથી. ભષકર અને ક્રૂર હાવા છતાં તેઓ સરળ અને પ્રેમાળ છે. પથ્થર અને વૃક્ષમાં જે વાસ્તવિકતા છે એ મનુષ્યમાં નથી, એવી એની પ્રતીતિ છે. એને ખેતરોમાં ઘૂમનું ગમતું. કવિતાઓ લખવી ગમતી. બિનજવાબદાર રીતે જવાબદારી લેવી ગમતી. તે લહેરી લાલા હતા, તરંગી હતા,
સરોવર આકાશ જેટલું જ ભૂરું છે.
મારી ભીતર, મને લાગ્યું કે રાત સિવાય કશું જ નથી.. જાણે કે જળમાં મારે મરવાનું છે. અને પછી બધું બરાબર થઈ જશે.
(હરમ નની નવલકથા ‘સિદ્ધાર્થ’ના નાયક આ રીતે જ મરવાનો પ્રયાસ કરે છે.)
એનું મન હંમેશા વિપરીત અસર અને તાણ હેઠળ રહેતું હતું. શરીર અને મનની માંદગી, પરિણામે એ ભાગવત રહ્યો. યાતના અંદરની હોય છે અને બહારનુંદુ:ખ એ અંદરની યાતનાના આવિષ્કાર હોય છે.
સંગીત-કવિતાના છાયલ હરમાન વાયોલિન વગાડતાં પણ શીખ્યો હતો, પણ વાયોલિન વગાડત વગાડતાં એ અટકી જતા અને સ્વપ્નના પ્રદેશમાં ખાવાઈ જતા.
હરમાન પર એવા પણ એક આરોપ છે કે એ એમેન્ટિક ડ્રીમર છે, જેણે જીવનની વાસ્તવિકતાની અવગણના કરી છે, વાસ્તવિકતા પ્રત્યે એને જુગપ્સા છે.
માંદાઓની સારસંભાળ લેતા Pastor Schall – એમણે હરમાનના પિતાને લખ્યું હતું કે કેવળ વાલિન વગાડીને અને કવિતા લખીને માણસ જીવનમાં ટકી ન શકે. જો કે હરમાનના જીવન અને ક્વને પાસ્ટરને ખાટા પાડયા.
હેસે નોંધ્યું છે કે મને પ્રત્યેક દિવસ પાસેથી જોઈએ છે શું? માત્ર આટલું જ—એક મુડ, એક પોતીકો રંગ અને જો ખુશનસીબ હાઇ તા એક ગીત.
હેસને માટે સંગીત એ એની દૈનિક અનિવાર્યતા અને છટકબારી હતી. હેસ અને સંગીતને જુદા ક઼લ્પી શકાતા નથી, હેસની માએ નેાિં છે કે ચાર વર્ષના હતા ત્યારથી એ એકલા એકલા પોતે બનાવેલાં ગીતાને, પથારીમાં પડયા પડયા મનમાં સૂઝે એવા શીઘ્ર ગીતાને કલાકો સુધી ગાયા કરતા. નવ વરસની વયથી વાયોલિન વગાડતા, પછી સિળી પણ વગાડી શકતા. હેસના પિતાને કવિતા અને દશ્યમાન કલાના શાખ; પણ સંગીત તેની માતા સાથે સંકળાયેલું. બે વ્યકિતઓ વચ્ચે સમજણનો સેતુ બનવાની તાકાત સંગીતમાં છે. જીવનને ગીત અને શુદ્ધ સંગીત બનાવવું એ એનું અંતિમ ધ્યેય હતું, એને મન ઊર્મિકવિતા એ કેવળ પદ્ય નથી, પણ સંગીતનું સર્જન છે. સંગીત કેવળ લાગણીપ્રધાન છે, ચિત્રકળા કેવળ લાગણીપ્રધાન નથી. હરમાને સંગીત અને ચિત્રકળા બંનેના સહાદર થઈને લાગણી અને બુદ્ધિની સમતુલા જાળવી છે.
-સુરેશ ઢલાલ
અભ્યાસ વર્તુળ આગામી કાર્ય ક્રમ
(૧) વકતા: શ્રી ચીનુભાઈ ગી. શાહ,
તંત્રી: ‘‘સ્વસ્થમાનવ” (અમદાવાદ) વિષય: “FOR FIGURE & FITNESS" સમય: તા. ૨૪-૧૧-૮૦, મંગળવાર સાંજે ૬-૧૫. સ્થળ: પરમાનંદ કાપડિયા હાલ, વનિતા વિશ્રામ સામે,
પ્રાર્થના સમાજ. સૌ મિત્રાને સમયસર ઉપરિથત થવા પ્રેમાદરભર્યુ નિમંત્રણ.
લિ. સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસવર્તુળ