________________
તા. ૧-૧૧-૮૦
પ્રાદ્ધ જીવન
EST: એક અનુભવ
[ભ્યાસ વર્તુળના ઉપક્રમે E S T[વષે આપેલા ત્યાખ્યાનનો સાર]
તમારા કુતુહલ અને જ્ઞાન મેળવવાની ઈચ્છાથી સર્જી એલા તમારા અવકાશમાં પ્રવૅશતા આનંદ અનુભવું છું. E S T ની તાલીમ લેવાની અમારી તૈયારીથી અને તાલીમ લીધા પછી સર્જાએલા અમારા નાનકડા અવકાશમાં તમને સૌને પ્રેમપૂર્વક આવકારું છું.
‘અવકાશ’ એ ESTની પરિભાષા છે પણ એની વિશિષ્ટતા નથી. આપણા કવિએ પણ કર્યાં નથી કહ્યું. ‘નાનકડાં ફલને ઊગવા માટે કેટલા મોટા અવકાશ (આકાશ)ની જરૂર પડે છે??
સામાજિક સંસ્થાએ યોજેલા સેમીનારમાં (કે સમારંભમાં) અને E STના તાલીમ-સેમીનારમાં એક પાયાનો ભેદ છે. સંસ્થાની કે સમાજની પ્રતિષ્ઠિત, પૂજ્ય કે આદરણીય વ્યકિત ચાલુ સમારંભે સભાખંડમાં પ્રવેશ કરે કે તરત જ વ્યાખ્યાનકારના વ્યાખ્યાનને અવગણીને પણ સંસ્થાના કાર્યકર્તાઓ એ પૂજ્ય વ્યકિતને આવકારશે, મેાભાના સ્થાને બેસાડશે. પૂજયભાવ પ્રગટ કરશે. ESTમાં સામાજિક માભાન, આદરા અવાજ, છડેચાક પ્રદર્શનના ભાવ તરત જ દેખાઈ આવે છે. સામાજિક માભાના આદરનાં આઠા નીચે, આપણે અન્યોન્યનું આવું ગેરવર્તનવગર વિરોધે ચલાવી લેતા હોઈએ છીએ. ‘તેરી બી ચૂપ, મેરી બી ચૂપ'ની પરસ્પર સંમતિ આપણા સામાજિક વ્યવહારનું લક્ષણ બની ગયું છે. ‘સતિ’ કે agreement ના પાયા પર વિશ્વ ચાલી રહ્યું છે અને ચાલી શકે એE S T ના એક પાયાને વિચાર છે અને તાલીમની શરૂઆત agreement ને જવાબદારીપૂર્વક પાળવાના મહત્ત્વ વિશે તાલીમ લેનારને સજાગ કરવાથી થતી હોય છે.
E S T સાઈઠ કલાકમાં જીવન પરિવર્તન કરવાના દાવા કરે છે અથવા EST ની તાલીમ લેવાથી બધી ગ્રંથિઓ ખરી પડે છે એવું નિતાંત વિધાન કોઈ કરે તો એ યોગ્ય નથી. EST આવે કશા દાવો કરતું નથી. આપણે ઈશ્વર છીએ, જે સ્વરૂપે આપણે છીએ તે સ્વરૂપે આપણે સંપૂર્ણ છીએ. EST આ વાતની આપણને ફરી ફરીને યાદ દેવડાવે છે. પરંતુ આપણા આ સ્વરૂપને આપણે ઓળખતા નથી. આપણા સમાજે, વ્યવહાર, વર્તને, આપણે માની લીધેલા મને આપણી સજાગતા અને આપણા ‘સ્વ’રૂપની આડે અનેક અવરોધો (barriers) સર્યા છે. આપણી ઈશ્વરદત્ત (એટલે કે માનવી હોવા પણાનેલઈને સાહિજક રીતે આપણામાં રહેલી) બક્ષીસાને આપણે માણી શકતા નથી. પિછાની શકતા નથી. આપણે સર્જેલા અવરોધોના કારણે તાલીમની શરૂઆતમાં અને તાલીમ દરમિયાન સતત આપણને સ્વર્જિત અવરોધોને ઓળખવા
માટે ઉદ્યત કરે છે.
ભૌતિક વિજ્ઞાનમાં એક નાનકડું દૃષ્ટાન્ત રજૂ થાય છે: કાચના ટુકડા પર વેરિવખેર લોખંડના વ્હેર (ભૂકો) વેરવામાં આવ્યા છે. એની નીચે લાહચુંબક ટૂકડો મૂકવાથી એ વ્હેરમાં એક ભાત ( Pattern) પડી જાય છે. એમાં એક નવી વ્યવસ્થા આવી જાય છે. E S T ની તાલીમમાં મને કશાક આ પ્રકારને અનુભવ થયો. જીવન દરમિયાન અનુભવના જ્ઞાનનાં અનેક નાના મેાાં કણ એકઠા કર્યા હતા. કર્યાંક એ બધાનું અભિમાન હતું. કર્યાંક ગૌરવ હતું. કર્યાંક એ વિશે મુસ્તાકી હતી, કદિક કોઈ ચોક્કસ વિચારસરણીની તાર્કિક નક્કરતા વિશેની ખાત્રી હતી. કર્યાંક અનેક બૌદ્ધિક વિરોધા વિશે મૂંઝવણ હતી. કર્યાંક એ કારણે નમ્રતા હતી. કર્યાંક ઉન્નતભૂ ની પરિસ્થિતિ પણ હતી. EST ની તાલીમના અનુભવે લાહચુંબકની અસર સારી અને પેલાં બધાં અનુભવ કણા અને જ્ઞાન-અજ્ઞાનનાં કણાને એક વિશિષ્ટ ભાત પ્રાપ્ત થઈ. સામાન્ય રીતે આપણા અનુભવની અથવા એના અભાવની અને એના પરિણામેાની જવાબદારી આપણે માબાપ પર, પરિચિત-અપરિચિત વ્યકિત પર, ભૂતકાળ પર, ઈતિહાસ પર, સમાજ પર, રાજકીય વ્યવસ્થા કે પરિસ્થિતિ પર ઢાળી દેતા હોઈએ છીએ અને આપણી જરૂરિયાતમાંથી ઊભું કરેલું મનોવિજ્ઞાન Psycho - therapy મનોચિકિત્સાના નામે આ વિચારને દઢ કરતું હોય છે. ESTની તાલીમ દરમિયાન આપણને પ્રતીતિ થાય છે કે આપણે જીવન દરમ્યાન કેટલાંક દષ્ટિબિન્દુ (Points of view)ને અપનાવી લઈએ છીએ, એ વિશે સાચા હોવાના દાવા કરીએ છીએ. સાચા ઠરવાને મરણતોલ પ્રયત્ન કર્યા
૧૧૫
*
જ કરતા હોઈએ એ અને ‘સ્વરૂપની અનુભૂતિને દૂરની દૂર ઠેલ્યા કરતા હાઈએ છીએ. E ST માં આપણને પ્રતીતિ થાય છેકે આપણે સાચા હતા કે ખોટા હતા એનું મહત્ત્વ એટલું નથી જેટલું આપણે જે કંઈ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ એ જાણવાનું, એ શેાધી કાઢવાનું હોય છે. E S T enables you to mow the truth aboutyourself. તમારા વિશેનું સત્ય જાણવા E S T તમને શકિતમાન કર્યું છે. આ જાગૃતિ આવી એટલે આપણાં કાર્યની, વર્તનની વ્યવહારની સપૂર્ણ જવાબદારી આપણી છે એની પ્રતીતિ થાય છે. EST ની તાલીમ સતત આ દિશામાં પ્રવૃત્ત થયેલી તાલીમ છે.
આવી પ્રતીતિ થવા માટે ESTની તાલીમની કોઈને જરૂર નથી. EST થી એઆવી શકે એવા એના દાવા પણ નથી. Creative Arts સર્જનાત્મક કલાઓ આ જ કરતી હોય છે. સંપ્રજ્ઞતા ( Consciousness ) ના વિકાસની કોઈપણ પ્રવૃત્તિ સર્જનની જીવનની વિશાળતાની દિશાની બારી ખોલી આપે છે. આપણને સંકુચિત જીવનના બંધિયારપણામાં એક છિદ્ર પાડી આપે છે. તાલીમ આપણાં જીવનની ભવ્યતાનું દ્વાર ખોલી આપવામાં આપણને પ્રવૃત્ત કરે છે. એ દ્વાર હંમેશ માટે ખોલવું કે નહિ, એને ઓળંગીને આગળ જવું કે નહિ એના નિર્ભય ત્યાર પછી આપણે કરવાને હાય છે. F S T આપણને સુખી જીવનની, પુણ્યની કશી લાલચ નથી આપતું. આપણા હાથ પકડીને આગળ નથી ખેંચવું, ધક્કો નથી મારતું. જ્ઞાનનાં માર્ગે પણ કોઈક જીવનનાં દ્વાર ખોલવા સુધી આવી પહોંચે છે. પરંતુ શાનનાં ઘણાં પુસ્તકામાં, બૌદ્ધિક દલીલા કરતાં કરતાં લેખક કે વિચારક ઉપદેશક બની જતા હોય છે, એની ભેદરેખા બહુ સૂક્ષ્મ હોય છે. ઉપદેશ વિધેયાત્મક સ્વરૂપના (Positive) હાઈ શકે અને બીજાનાં દષ્ટિબિન્દુ વિશે ખંડનાત્મક સ્વરૂપની નકારાત્મક (Negative) પણ હોઈ શકે.EST આ બન્ને પ્રલાભનાથી દૂર રહી બહુ તટસ્થ રીતે આપણને પેલાં દ્વાર પાસે લાવી મૂકે છે. જવાબદારીનું પ્રબળ ભાન કદાચ જીવનમાં પહેલી જ વાર આપણને એ પળે અને એ પળથી થાય છે.
E S T વ્યકિતની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું માથે નથી. લેતું, એવી ચેષ્ટા પણ નથી કરતું. અનુભૂતિને કશાય અવરોધ વગર અનુભવા એટલે એને અંગે કશી સમસ્યા રહેતી નથી. જે રહે છે એની સંપૂર્ણ જ્વાબદારી તમારી છે. આ વિશેની સતત જાગૃતિ એજ E ST ની તાલીમની સાચી ઓળખ છે અને FST ના ટ્રેનર તાટસ્થ્યનું જીવતું જાગતું દષ્ટાન્ત છે. સતત જાગૃતિની તાલીમ એણે એવી રીતે આત્મસાત કરી હાય છે કે તમારી રમતમાં એકદિ ફસાતા નથી, કિંદ ઉપદેશક બનતા નથી. તમારી સમસ્યાને ઉકેલ આપતા નથી, તમારી દયા ખાતા નથી, તમારી વહારે ધાતા નથી. એણે ગુરુપદનો કાઈ ઝંડો ઉપાડયા નથી અને છતાંય તમારી મદદથી તમારી જાગૃતિની વાટને સતત સંકોરવાના પુરુષાર્થ એ કર્યા કરે છે અને તમારી અનુભૂતિના ઉદ્ગમ સુધી પહોંચવાની તમારી સૂઝને અને ક્ષમતાને વધારે વિશદ અને પ્રબળ કરવા તત્પર રહે છે.
સામાન્યત: આપણે જેને અનુભવસમુદ્ધિ કહીને કદિક ગૌરવ અનુભવીએ છીએ એ વિશ્વના બાહ્ય ઘટકોના કારણે થતી અસરરૂપ સંવેદનાની સમૃદ્ધિ હાય છે. સાચી અનુભૂતિ ભીતરમાંથી આવતી હાય છે અને ‘સ્વ’ જ એનું કેન્દ્ર હાય છે, એનું ઉગમસ્થાન હાય છે. અનુભૂતિ સ્વયં કારણ હોય છે, કશાની અસર નહિ. પોતાનું ‘સ્વ’રૂપ સમજવાની પામવાની મથામણ એજ માનવની મેાટી ગૌરવગાથા છે. એ ‘સ્વ’રૂપની આગળ રહેલા અવરાધાને હું ન ઓળખી શકું તો મારું જીવન વ્યર્થ છે. ESTની તાલીમના આવી પ્રતીતિ કરાવવાનો અનુભવ છે.
જીવનમાં મેં બે ધરતીકંપો અનુભવ્યા છે. માતાના ગર્ભમાં સહીસલામતીથી ઉછર્યા પછી, અંદરના ધરતીકંપથી થયેલા જન્મના અનુભવ મહદંશે એ અનુભવ અજાગ્રત મનમાં ઢબુરાઈ ગયા છે. બીજો ધરતીકંપ બૌદ્ધિક હતા. એ મેં અનુભવ્યા ESTની તાલીમ દરમિયાન આપણા શાન અને અનુભવના પ્રેર્યા આપણે જે વર્તનવ્યહવાર કરતા હોઈએ છીએ એ મહદંશે કશીક માન્યતાના સંદર્ભના માળખામાં રહીને કર્યા કરતા હાઈએ છીએ એ વાત ESTની તાલીમની શરૂઆતના કલાકો દરમિયાન થઈ ત્યારે કશુંક હલી ઊઠયું. એ આવનાર ધરતીકંપનો અણસાર હતા. છેલ્લા દિવસે ‘મન’ એટલે શું એનું સતત આઠથી દસ કલાક વિવરણ ચાલે છે. પ્રશ્નાારી થાય