________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૦
- ૧૦૮ ઉપવાસની આરાધના :
અસાધારણ ઘટના
છે. શંકાઓને દૂર કરવાના પ્રયત્નો થાય છે, આપણા અનુભવે ઓળખીને સમૂહની હાજરીના સંકોચને સહેજે અતિક્રમી જઈ રજૂ કરવાના હિંમતભર્યા સાહસિક પ્રયત્નો થાય છે અને આપણને પ્રતીતિ થાય છે કે જે મન સાથે આપણે ‘વ’નું સમીકરણ માંડતા હતા અને જેને અકબંધ જાળવી રાખવાને આનંદ અને વેદના માણતા હતા એ મન કેટલું મોટું યંત્ર છે. મનની યાંત્રિકતાની ESTની તાલીમ દરમ્યાન થતી પ્રતીતિ એ મેં અનુભવેલે બીજો ધરતીકંપ ભીતરમાં દષ્ટિ કરવાની તક મળ્યા પછી, અંદર દષ્ટિ કરવાથી પાછા પડતા હોઈએ તો એ અવરોધથી પણ આપણે પરિચિત થઈએ છીએ. સતત જાગૃતિ એ મારું લક્ષણ નથી એટલે અનેક વિરોધના ભારને ઢસડતા આપણે ખેડંગાતા ખેડંગાતા ચાલ્યા જતા હોઈએ છીએ. ‘સ્વરૂપની સમૃદ્ધિને પરિચય પામીને સતત જાગૃતિની અવસ્થા પર આવવું એ ESTની તાલીમની ફલ શુતિ છે.
માનવી ‘સ્વરૂપને કેવી રીતે પામી શકે એને કોઈ રાજમાર્ગ નથી. કોઈ જ્ઞાનના માર્ગે, કોઈ ભકિતના માર્ગે કઈ કર્મના માર્ગે, કોઈ દેખીતી નરી નિષ્ક્રિયતાના માર્ગો, કઈ ધર્મના માર્ગે એ પામી શકે છે. જીવનનું મોટામાં મોટું સાકય છે. ‘સ્વરૂપની અનુભૂતિને પામવું. ૨૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધ પણ આ જ વાત કરી હતી. તીર્થકરો અને પયગંબરોએ આવી જ વાત કરી છે. વાત નવી નથી. આજની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંસ્કૃતિના સદમાં, વગર ઉપદેશે આ વાત આધુનિક માનવ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય, આજની Consciousness expansion પ્રવાહાએ ઉપાડયું છે. છેલ્લા નવ-દસ વર્ષથી અસ્તિત્વમાં આવેલા E ST એ એની તાલીમ વડે આ દિશામાં ગણના યોગ્ય કાર્ય કર્યું છે. એની તાલીમના ભિન ભિન્ન અંશેને તપાસીએ તે વિદ્વાન તરત કહેશે. આટલું ESTએ ફ્રોઈડના મનોવિશ્લેષણમાંથી લીધું છે, આટલુંએણે બુદ્ધમાંથી લીધું છે. આટલું એણે સૂફીવાદમાંથી, અમુક એણે જૈનમાંથી, અમુક એણે Scientology માંથી અમુક એણે Mind Dynamicsમાંથી અને અમુક એણે Maslow માંથી અને અચુક Gestalt Therapy માંથી લીધું છે. વાત તદ્દન સાચી છે. E ST ના પ્રણેતા વનર હાર્ડે આવી અનેક વિધાઓને અયાસ કરીને, પ્રાપ્ય હતી એની તાલીમ લઈ દરેકના પિતાને લાગેલા અગત્યના અંશને અપનાવી લઈને પિતાની EST ની તાલીમને ઉપજાવી છે. વર્નરની મૌલિકતા ભિન્ન ભિન્ન અંશેની મૌલિક્તા નથી. એ અંશને એક અનન્ય ભાત (Pattern) માં ઢાળવાની સમગ્રતાની સર્જક મૌલિકતા છે. એનું મૂલ્ય આજે આંકી બતાવવાની ધૃષ્ટતા કવેળાની ગણાય. વળી E ST કોઈ પ્રદેશ નથી કે એની Guided Tour પર કોઈને લઈ જઈને એના જોવાલાયક સ્થળોનું કે તબક્કાનું દર્શન કરાવાય. ESTની તાલીમ ખુદ એક સાહસિક અનુભવ છે.
કોઈક કહેશે, આચાર્ય રજનીશ, ગુફ, કૃણમૂર્તિ પણ આ જ વાત કહે છે. વાત સાચી છે. EST ની તાલીમને અને જે પ્રાપ્તિ થાય છે તે Nothing ની છે. તાલીમ દરમિયાન આ વાત દેહરાવાતી હોય છે અને ધીમે ધીમે જેમ જેમ ઉઘાડ થતે આવે છે એમ એમ Nothing સમસ્ત વિશ્વને સમાવી લેવું અનુભવાય છે. Doing Nothing અને પ્રવૃત્તિા વચ્ચે પછી કશો વિરોધ રહેતો નથી દોરડા પર સમતુલા જાળવીને ઊભા રહેલો નટ દેખીનું કશું કરતો નથી, એક ડગ પણ માંડતો નથી. He is apparently doing nothing. પરંતુ સમતુલા જાળવીને ઊભા રહેવા માટે કરવી પડતી પ્રવૃત્તિ આપણને દેખાતી નથી. એ ભીતરની પ્રવૃત્તિ છે. EST ભીતરમાં અનુભવાતી Nothingness તરફ દોરી જવાની તાલીમ છે.
મહાન સર્જક કાફડાએ આવા અનું જે કહ્યું છે એ રાંકીને મારી વાત અહીં પૂરી કરીશ. Just sit in a room and think. Do not even think. Be quiet and do nothing. The world has no option but to roll in ectasy before your feet. એક ઓરડામાં બેસીને વિચારી વિચાર પણ ન કરો. શાન્ત રહો અને કશું જ ન કરો. વિશ્વને એના આનંદની ઉત્કૃષ્ટતામાં તમારા પગ આગળ આળોટયા વગર છૂટકા
પૂ. મુનિશ્રી રત્નાકવિજયજી મહારાજ [ બ્લેક: “ઘોઘારી જૈન દર્શન”ના સૌજન્યથી] મહુવા ખાતે (જિલ્લા ભાવનગર) શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટ શિષ્ય આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુનિશ્રી રત્નાકર વિજયજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજય મેરપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અષાડ સુદ - ૧ને રાવવાર, તા. ૧૩-૭-૧૯૮૦ના શુભ દિને સતત ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાને પ્રારંભ કર્યો અને આ વદ ૫, ને મંગળવાર, તા. ૨૮-૧૦-૮૦ ના રોજ ૧૦૮ ઉપવાસની આરાધના નિર્વિદને પાર પડી. આ એક અસાધારણ ઘટના લેખાય. છેવટ સુધી સાધુ ધર્મની આવશ્યક ક્રિયાઓ પોતે જાતે જ કરે એટલી એમની શારીરિક ફ પ્તિ અને કામતા તેમ જ સંપૂર્ણપણે સમતા રહે એ તો તે જ શક્ય બને, જો એમના બાહ્યતપની સાથે અંતરૂપ – ધર્મધ્યાન અને શુકલ ધ્યાન નિરંતર ચાલુ હોય. મેગલ સમ્રાટ અકબર બાદશાહના સમયમાં આચાર્ય શી હીરવિજયસૂરિની સુશ્રાવિકા શ્રી ચંપાબહેને ૬ માસ પર્યંત ઉપવાસ કર્યાનું ઇતિહાસ નોંધે છે. વર્તમાનમાં પણ ૬૧ ઉપવાસ કે એથી વધુ ઉપવાસની નાની મોટી તપશ્ચર્યા થઈ છે ખરી, પરંતુ ૧૦૮ ઉપવાસની આરાધના, નજીકના ભૂતકાળમાં કોઈએ કરી નથી એ દષ્ટિએ, અનન્ય ગણાય.
પૂ. મુનિશ્રી રત્નાકર વિજયજી મહારાજની આરાધનાના સમય દરમિયાન, મહુવામાં ૨ શ્રેણી તપ, ૮ માસ ક્ષમણ, ૬૦ સિદ્ધિતપ આદિ તપશ્ચર્યા થઈ છે. એ તપશ્ચર્યાની ઉજવણી નિમિત્તે શ્રી ભકતામર પૂજન, શ્રી નમિઊણ પૂજન, શ્રી સિદ્ધચક્ર પૂજન શ્રી અોરારીસ્નાત્રાદિ વિધિવિધાન દ્વારા મંત્ર સ્તોત્રની સાધના થઈ છે. સ્વ૫ર કલ્યાણની દષ્ટિએ આવકાર્ય છે. આ નિમિત્તે સાર્વજનિક હોસ્પિટલને શ્રી મહુવા જૈન સંઘ દ્વારા રૂા. ૧૧,૧૦૮] આપવામાં આવ્યા છે. તપશ્ચર્યાની ઉજવણીની વાત કરતાં બીજી એક વાત યાદ આવે છે. પૂ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય મુનિશી અનેકાન્ત વિજયજી મહારાજશ્રીએ ઈ. સ. ૧૯૬૮ માં બિકાનેર ખાતે મૌન વ્રત સાથે ૬૧ ઉપવાસની આરાધના કરી. એ તપશ્ચર્યાની ઉજવણી માટે એકત્રિત થયેલ ૩. સાઠ હજારની રકમ ધામધૂમ પાછળ ખર્ચવાને બદલે શ્રાવક શ્રાવિકાના ઉત્કર્ષમાં વાપરવાની વિલક્ષણ દીર્ઘદષ્ટિ તપસ્વી મુનિશ્રી અને તેમના ગુરુ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરી વરજા મહારાજે દાખવી હતી. આ અંગે “પ્રબુદ્ધ જીવન” ના તા. ૧-૧૨-૧૯૬૮ ના અંકમાં મેં વિગતે નોંધ લખી હતી.
પૂ. મુનિશ્રી રત્નાકરવિજયજી મહારાજને અનેકશ: વંદના. ધન્ય મુનિરાય !
* પુનાલાલ રસિકલાલ શાહ
EST ની તાલીમ અને પ્રવૃત્તિ આ સાહસ યાત્રાનું ઈજન છે.
-રસિક શાહ