________________
૧૧૪
ખુબ જીવન
પરંતુ છૂટેલું બાણ ક્યાંક પણ વાગ્યા વિના રહે? મુનિવર્સિટીમાંથી આ અંગે પૂછપરછ થઈ તેના મે ઘટતા જવાબ આપ્યો. અનેક મિત્રો, આચાર્યો અને પ્રાધ્યાપકો પૂછપરછ કરવા લાગ્યા તેમને પણ મે' સમજાવ્યા. પાલિસ ખાતાની તપાસ થઈ તેમને પણ હકીકત કહી અને નિવેદન આપ્યું. છેવટે ધારાસભાર્માં આ પ્રશ્ન પૂછાવાને હાવાથી પેાલીસ કૉલેજમાં તપાસ કરવા આવી અને મે" વિગતો આપી અને નિવેદન કર્યું. અમારી કોલેજમાં પણ શરૂઆતમાં થયેલા ઉહાપોહ શમી ગયો. પણ અમારા સંચાલકમંડળમાં એક સભ્યને સંતોષ ન થયા. અમારી મીટીંગ થઈ ત્યારે તેમણે આ મતબલનું કહ્યું: ‘આપણે બધાં ગાંધીજીનાં જીવનમૂલ્યાને સ્વીકારનારા છીએ. આપણી કોલેજમાં જે સામાયિક નીકળ્યું. તેના ‘મરાઠા’ માં અહેવાલ આવ્યો. આપણી કોલેજ બદનામ થઈ. એ સામયિક ભલે પાછું ખેંચ્યું અને તેની બધી નકલા બાળી દીધી, પણ આવા અશ્લીલ લેખો લખનાર પ્રોફેસરોને આપણી કોલેજમાં કેમ રખાય? આપણે ત્યાં જુવાન છેકરા છેકરીઓ ભણે ત્યાં આવા પ્રોફેસરોનું સ્થાન હોય? એ સામયિકના તંત્રીને કે પ્રોફેસરોને કોલેજમાંથી છૂટા કરવા જોઈએ. આ વાત ઉપર ઢાંકપછેડો ન થાય. ..
મે બધી હકીકત કહી. પછી મે... મારા અભિપ્રાય કહ્યો; “આવું સામયિક અને આવાં લખાણો આપણી કોલેજના અધ્યાપકોએ ર્યાં તે કમનસીબ ઘટના છે. પ્રોફેસરોએ લેખિત માફી માગી છે. પશ્ચિમી સાહિત્યની અસરથી દેરવાઈને કશુંક નવું કે પ્રગતિશીલ કરવાના ઉત્સાહમાં તેઓ ભાન ભૂલી ગયા અને આંચકો આપીને કશીક બહાદુરી કર્યાની ખુમારીમાં આવા લેખા લખ્યા. પરંતુ આ અધ્યાપકો બહુ જ સારા શિક્ષકો છે. તેમનું વર્તન કે શારિત્ર્ય નિર્ણાંક છે. આપણા વિદ્યાર્થીઓમાં વિદ્યારસ ઉત્પન્ન કરવાની તેમનામાં શકિત છે. પણ દુનિયામાં કાંઈક નવું કરી બતાવવાના તેમને ચેપ લાગ્યો અને ભૂલ કરી બેઠા! હવે માફી માગે છે. તેમના વિશે ક્દી કી ફરિયાદ નથી આવી. રાવા સારા શિક્ષકો આપણી કોલેજનાં પ્રતિષ્ઠાૌરવ વધારે છે એટલે હવે તેમની સામે પગલાં ન લેવાં ... છતાં તેમને છૂટા કરવા હોય તે મને પણ છૂટા કરવા જોઈએ. તેમને પરવાનગી મે` આપી હતી. મે પણ અજાણતાં ભૂલ કરી કહેવાય .” સમિતિમાં ડી ચર્ચા વિચારણા પછી એ પ્રકરણ બંધ કરવું. અને બીજું કશું ન કરવું એમ નક્કી કર્યું. તેમને શિક્ષા કરવી હાય તે પહેલી શિક્ષા મને કરવી જોઈએ, કારણ કે એ સામયિક પ્રગઢ કરવાની મે` રજા આપી હોવાથી હું. જવાબદારીમાંથી મુકત ન થઈ શકું.' એ મારી દલીલે શિક્ષકોને છૂટા કરવાની વાત બંધ કરી. એ પ્રકરણ બંધ થયું, પણ એ અંગેના મારા વિચારો વિશેષ ગતિમાન થયા.
આ આખાય પ્રસંગ શ્રી ચીમનભાઈના લેખે મારા ચિત્તમાં સજીવ બનાવ્યા. હેનરી મીલરની ‘ટ્રાપીક ઓફ કેન્સર ’ કૃતિ ઉપર પ્રતિબંધ હોવાથી ક્યાંયે તેની નકલ મળતી ન હતી. પણ આવું ઉહાપાહ કરનારું અને પ્રતિબંધ થયેલું પુસ્તક કેવું હશે તે વાંચવાની જિજ્ઞાસા મારા મનમાં થઈ. એક મિત્રે એ પુસ્તક મેળવી આપ્યું. પચાસેક પાનાં વાંચ્યા પછી વધુ વાંચવાનું મને મન ન થયું. આપણે છાપીએ નહિ એવી અશ્લીલ ગાળા અને કામુકતાનુ વર્ણન વાંચીને મારા મનમાં ઉદ્ગગ થયો, વાંચવાની જિજ્ઞાસા અને રસ ચાલ્યાં ગયાં. એ વખતે મને થયું કે, સાહિત્યનું કલા - સૌંદર્ય રસાત્મક સત્ય પ્રગટ કરવામાં રહ્યું છે; માત્ર વાસ્તવિકતાને નામે અશ્લીલ જુગુપ્સા ચિત્રા દોરાય તેમાં સૌંદર્ય કયાથી હાય? ખરાબ વસ્તુને ખરાબ ચીતરવામાં કલાદ્નારા ખરાબ પ્રત્યે જુગુપ્સા ઉપજે તે સત્ય છે, પણ ખરાબને સુંદર તરીકે ચીતરવામાં કસબ હશે પણ કલાત્મક સૌ દર્ય અસત્યમાં કેમ પ્રગટે? ‘ટ્રાપિક એફ કેન્સર'માં મને જરા પણ રસ નહોત પડયો તે મને બરાબર યાદ છે. ‘સાહિત્યની અસરમાં ચીમનભાઈએ વગર પુસ્તક વાંચ્યું જે હેનરી મીલર જેવાનાં પુસ્તકો વિશે લખ્યું છે, તેવા જ પ્રતિભાવ એ પુસ્તક વાંચીને મને થયો હતો. એ પુસ્તક વાંચ્યા પછી મારા મનમાં જે વિચારો ઉત્પન્ન થયા હતા, તેવાજ વિચારો વગર પુસ્તક વાંચ્યું શ્રી ચીમનભાઈના મનમાં કઈ રીતે જાગ્યા હશે તેનું આશ્ચર્ય હજી પણ શમતું નથી. શ્રી ચીમનભાઈએ લખ્યું છે:
તા. ૧-૧૧-૮૦
“કેટલાક લોકો એમ માને છે કે આવા લેખકી સમાજને અને આપણા દંભ ઉઘાડા પાડે છે માટે મહાન છે. આપણા જીવનમાં અને સમાજમાં કેટલે દરજજે દ ભ છે તે હકીકત છે. પણ દભ ઉઘાડા પાડતા, સંયમને સ્વચ્છંદમાં પલટાવ અને મુકિતના નામે દુરાચાર પાષવા એમાં સર્જકતા છે? દંભ ઉઘાડા પાડયા પછી પણ, જીવનનાં સાચાં મૂલ્યાની પ્રતિષ્ઠા કરવી, જીવનને ઉદાત્ત અને નૈતિક ભાવનાઓથી પાપવી એ
સાચી સર્જકતાની નિશાની છે. · ‘વાસ્તવિકતાને નામે જીવનમાં માત્ર ઉકરડો જ છે એમ માની બેસવું અને તેનું જ નિરૂપણ કરવું એમાં સર્જકતા આવે છે? જીવનમાં વાસનાઓ છે, અસવૃત્તિઓ છે, તે સાથે સવ્રુતિઓ છે અને અંતે સવ્રુત્તિસ્માને વિજ્ય થાય તેમાં જ જીવનની ધન્યતા છે એવુ મંગલમય દર્શન નથી તેને મહાન સર્જક કેમ ગણવા? ભાષા ઉપર પ્રભુત્વ હોય તે ખોટી વસ્તુને લલચામણી રીતે રજૂ કરી વાચકને અવળે માર્ગે લઈ જાય.” ( ‘સાહિત્યની અસર’ : ‘પ્રબુદ્ધ જીવન: તા. ૧-૭-’૮૮)
શ્રી ચીમનભાઈએ છેલ્લું વાકય લખ્યું તેમાં ઉમેરો અને ફેરફાર કરીને મને પણ કહેવાનું મન થાય છે: ‘બુદ્ધિશકિત, સંવેદનરીલ કલ્પનાસમૃદ્ધિ અને ભાષા ઉપર પ્રભુત્વ હોય તેથી અસત્ય વસ્તુને સુંદર વસ્ત્રો પહેરાવવાથી સત્યનું કલાસૌ દર્ય ઝાંખું પડે છે, સાચા પ્રકાશ પડતા નથી કલાની અંતિમ કસોટી તો સત્યનાતે જ ઉપરથી સૌ દર્યનું મૂલ્યાંકન થાય તે છે. સર્જક કલ્પના સંવેદનશીલ ભાષા, બુદ્ધિ તેજના ચમકારા એકરૂપ બની જ્યારે સત્યમૂલક વસ્તુને નિરૂપતા સૌ દર્ય પ્રકટાવે છે તેમાં જ કલાની સાર્થકતા છે. જગતની મહાન સાહિત્યકૃતિઓમાં સત્યઆધારિત સૌંદર્ય જ ચિત્તાકર્ષક બન્યું છે. રસવિશ્વમાં લઈ વાનું સામર્થ્ય ધરાવે છે અને માનવીને પ્રકાશપંથે દોરે છે. (સંપૂર્ણ) અમૃતલાલ યાજ્ઞિક
蛮
મિત્ર બનાવવાને સૌથી સારો સમય તેમની જરૂર પડે એ પહેલાંના છે. * એથેલ બેરીમાર
પ્રાણનો નાશ કરવાની ઈચ્છા ખોટી ઈચ્છા કર્યા પછી શરીર બચશે નહિ અને શરીર નહિ થઈ શકશે.
મને લાગે છે કે વૃા જેવું સુંદર કાવ્ય બીજું કદી મને જોવા મળવાનું નથી.
કવિતા તો મારા જેવા મૂર્ખાઓ પણ રચી માત્ર ઈશ્વર જ રચી જાણે.
ત્રણ કલાક વહેલા હોવું વધું સારું, પણ એક
છે-પ્રાણનો નાશ હોય તો સાધના - શ્રી અરવિંદ
શકે; પણ વૃક્ષ તે – જોઈસ કિલ્ચર
મિનિટ મેાડા પડવું -શેકરા પિયર પેટને પૂજારી કદી ભગવાનના પૂજારી ન બની શકે. સાદી
ખરાબ.
સ્વ. દીપચંદ ત્રિભાવનદાસ શાહ ટ્રસ્ટ ગ્રંથશ્રેણી – ગ્રંથ ખો “નિદ્ભવવા”
લેખકઃ ડૉ. રમણુલાલ ચી. શાહ
પ્રકાશક શ્રી સુખ જૈન યુવક સધ ૩૮૫, સરદાર વી. પી. રાડ, સુઈ-૪૦૦ ૦૦૪.
મુખ્ય વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર
મુંબઇ-૨
અમદાવાદ-૧
મૂલ્ય ઃ રૂા. ૭-૦૦