________________
તા. ૧-૧૧-૮૦
એક વિનંતી કરું ? સમય મળે તો દાગ હેમરશીલ્ડનું ‘માર્કિ’ગ્સ’ ામનું પુસ્તક વાંચી જોજો. એના મરણ પછી પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ફિલસૂફી છે, કવિતા છે, એક જીવંત હૃદયના ધબકારા છે, જિંદગીના ટુકડા છે, શમણાંની રાખ છે. પણ મને જે સ્પર્શી ગયું છે એ તો એનુ ભાવતંત્ર. એમાં એક એવા સૂર સતત વહ્યા કરે છે જે તમારા સમગ્ર ચિત્તતંત્રને રણઝણાવી નાખશે. એમાં ભારા ભાર વિષાદ છે જ. પણ દાગની ખૂબી એ છે કે એ વિષાદ દ્વારા જ તમને જીવનની આનંદમય ઉપાસનાના માર્ગ મળી રહેશે. એની છેલ્લી વાત:
થાક, ભયંકર થાક.
અને એકલતાના આ ઓથાર...
હૈયામાં અસહ્ય વેદના...
અને જટિંબદ્ તા યં જાય છે. આંગળીઓ ઠીંગરાઈ ગઈ છે. પગ લથડે છે.
પણ અત્યારે જ, આ પળે જ તુ મીણા ના ભણી જાય, નું મેદાન ના છેાડી જાય... બીજાઓના રાજપથને કિનારે તા મનહર વિશ્રામશાળાઓ છે. ધગધગતા સૂરજતાપથી બચવા ને સ્વજનોને મળવા માટેનાં સુરમ્ય સ્થાન છે એમના માટે. પણ આ તો તારી કેડી છે. હવે તારે પાછા હઠવાનું હોય નહીં, રડી શકે તા રહે.
પણ હવે ફરિયાદ ના કરીશ.
કેડીએ તને પસંદ કર્યો છે.
તારે આભાર માનવા જોઈએ.
તમને કોઈ મનહર વિશ્રામશાળાઓ મળી હોય તે આનંદ માનજો. તે એટલું સ્મરણમાં રાખજો કે પુલ પરથી પસાર થવાનું હેાય છે. એના ઉપર ચિરંતન નિવાસ કરવાનો ના હોય! પેલા કવિએ ગાયેલું :
“આપણે તે દેશ કેવા,
પ્રબુદ્ધ જીવન
આપણે વિદેશ કેવા !
આણે પ્રવાસી પારાવારના હે! જી.”
– પ્રકાશ ગજ્જર
પ્રેમળ
ચેાતિ
પ્રેમળ જ્યોતિના ઉપક્રમે કુટુંબ રાહત યોજના આકાર લઈ રહી છે-મધ્યમ વર્ગના કુટુંબને આર્થિક મદદ કરવા માટે.
કાંદાવાડી જૈન કિનિકમાં એક દરદી બેન સાથેની વાતચીતમાં જણાયું કે તેઓ. કુટુંબમાં એકલાં જ છે. ઉપર આભ અને નીચે ધરતી કોઈ સગુંવહાલું સ્નેહી નથી. પાડોશીને પેાતાની મુશ્કેલી જણાવી ચલીમાંથી કોઈ પાડોશી તેમને હોસ્પિટલમાં દાખલ કરી ગયું, શ્વાસના-દમના વ્યાધિ છે. ફિર તેમને એ વાતની છે કે ઘેર જઈને પેાતે શું કરશે. તેઓ શારીરિક શ્રામ કરીને પેટ પૂરનું રળી લેતા હતા. હવે શું કરીશ એની ચિંતામાં એમના વ્યાધિ વધતા હતા. પ્રેસ્પિટલમાં થોડા દિવસ વધુ ખેંચાય તે! ઘેડી શકિત મળે, પરંતુ એમના સમય પૂરો થતા હતા. પચીશ રૂપિયાનું દેવું કરીને દવા લીધેલી અને એ પૈસા કેમ ભરાશે અને ભરણપાષણ કેમ થશે એ વિચારે હતાશ થઈ ગયેલા.
આવી એક જ વ્યકિતના ઘણા કુટુંો છે જેમને માત્રસહાનુભુતિની નહી પણ પોષણની જરૂરિયાત છે. આવા દર્દીઓને દર્દીની રાહત બાદ પાષણ આપીને ઉભા કરવાની અને પેાતાના જીવન વ્યવહારમાં પુન: સ્થાપિત કરવાની જરૂર છે. પ્રેમળ જયોતિ દ્રારા આવી પ્રવૃત્તિનું આયોજન વિચારાઈ રહ્યું છે.
નીરૂમેન શાહ કન્વીનર, પ્રેમળ જયોતિ
AV
૧૧૩
સાહિત્યવાચનની અસર [ ૨ ]
આચાર્ય અત્રેએ ‘મરાઠા’..‘બમ્બે ડક’ વિશે લખ્યું અને કોલેજના પ્રિન્સિપાલ તેમ જ સામયિકના તંત્રીઓ અને લેખકો સામે કોર્ટમઃ કામ ચલાવવાનું જાહેર કર્યું, તેથી મારા મનમાં તે ખળભળાટ મચ્યો, પણ તેના તંત્રીએ તેમ જ પ્રા. એઝિયિલ વગેરેના મનમાં અમ્ભય પ્રગટ યો. ખરી જવાબદારી તંત્રીઓ તેમ જ લેખક ઉપર આવી પડી હતી, કારણ આ કઈ કોલેજનું સામયિક નહાનું. કોલેજે પરવાનગી આપી હતી એટલે તાંત્રિક દષ્ટિએ જ જવાબદારી મારી ગણાય. સામિયકના લખાણા છપાય તે મેં વચ્યા નહતાં, મને વંચાવ્યા નહોતા અને તેમ કરવાની જરૂર નહોતી. આચાર્ય અત્રેની ધારદાર ક્લમે લખાયેલી ચેતવણીથી તેઓ ધ્રુજી ઊઠયા હતા. તેઓ પોતાની ભૂલ હવે સમજી શકયા હતા. કોલેજમાં ભણતાં મુગ્ધ હૈયા અને ચિત્તવાળા વિદ્યાર્થીઆનાં મન ઉપર આ લખાણની કેવી અસર થાય તેને ખ્યાલ આચાર્ય અત્રેએ આપી દીધા હતા.‘હવે શું થશે?” એવી બીક તેમને ધ્રુજાવી રહી હતી, મે' તેમને સાંત્વન આપતાં કહ્યું, “તમને તમારી ભૂલ સમજાઈ એથી હું રાજી થયો છું. કોર્ટમાં જશે તે તે સ્થિતિ હું સંભાળી લઈશ. બીજો ઉપાય પણ શું છે? પણ તમે કરેલી ભૂલ માટે મને માફીપત્ર લખી આપો. તમારી સ્થિતિ હું સમજી શકું છું. હું જલ્દી આચાર્ય અત્રેને મળવા ઈચ્છું છું અને આ બાબતનો પ્રચાર થતાં અટકે તેમ કરવા વિનંતિ કરીશ ... હવે સામાયિક । પાછું ખેંચી લઈને અગ્નિને સ્વાધીન કર્યું છે.
અધ્યાપકોએ મારી વાત માની અને તરત માંફીપત્ર લખી આપ્યા. પ્રા. પ્રધાન મરાઠીભાષી હતા. એટલે ‘મરાઠા’નું લખાણ વાંચીને તેમને કેટલાકે જાહેરમાં હડધૂત કર્યા એમ જાણ્યું. હું પણ મનમાં સમસમી રહ્યો હતો. કારણકે જાહેર ઉહાપાહ થાય તે કોલેજને અનિવાર્ય નુકસાન થાય. આચાર્ય અન્ને સાથે મારે સહેજ પરિચય હતા, પણ મારા મિત્ર પ્રા. ડો. જગદીશચંદ્ર જૈન સાથે તેમના નિકટના સંબંધ હતા, મે ડૉ. જૈનને ટેલિફોન કર્યો, પરિસ્થિતિ જણાવી અને જલ્દી આચાર્ય અત્રેને મળવાનું નક્કી કર્યું. ડૉ. જૈન અને હું આચાર્ય અત્રેને ઘેર ગયા. મેં તેમને કહ્યું: “તમે ‘મરાઠા’માં લખ્યું તેમાં હું તમારું દૃષ્ટિબિન્દુ અને ક્રોધ સમજી શકું છું...” પછી મેં બધી વાત કરીને કહ્યું, “અમે બધી પ્રતા પાછી મેળવી છે અને બાળી નાખી છે. તમારો ઉદ્દેશ હતા તેને મે જ પરિપૂર્ણ કર્યો છે. હવે આગળ વાત વધારવાથી કોને ફાયદો થવાના છે?’ અધ્યાપકોએ પ્રગતિશીલ બનવાની ધૂનમાંથી હેનરી મીલરન અવતરણા અને અન્ય લેખા સામયિકમાં લખ્યાં. તેમને ભૂલ સમજાઈ. ‘મરાઠા’એ તે માટે અનન્ય સેવા કરી છે. તમારો અર્થ સર્પી છે....'
י
:
આચાર્ય અત્રે હસી પડયા. મને કહ્યું, “તો હું શું કરે તેવી તમારી ઈચ્છા છે?” જવાબમાં મેં કહ્યું, “એ સામાયિકની કોઈક રડીખડી કર્યોક નકલ રહી ગઈ હોય તે જુદી વાત છે. તમારા જેવા જ વિચાર મને આવ્યો કે તરત ‘મરાઠા’ માં પ્રસિદ્ધ થયા પહેલાં જ મે પગલાં લીધાં છે. . હવે નાહક વિદ્યાસંસ્થાને નુક્સાન થાય તેવું તમે શિક્ષાણહિતચિંતક છે. એટલે કશું ન કરો એવી મારી અપીલ છે. તમારા હાથમાં એ સામાયિકની નક્લ કેવી રીતે આવી તેનું મને આશ્ચર્ય થાય છે. ‘મરાઠા’ માં પરિસ્થિતિની વિચારણા બાદ આ પ્રકરણ બંધ થાય છે એવું સંપાદક તરીકે . તમે લખી...'
જ
આચાર્ય · અત્રેને મારી વાત ગળે ઉતરી. તેમણે કહ્યું, “ભલે હવે કાલ એ વિશે‘મરાઠા’ માં પ્રકરણ બંધ કર્યાની નોંધ લખીશ પણ મને એ સામાયિકની નકલ આપનાર તમારી કોલેજના અધ્યાપક હતા.!..” એમ બાલી હસ્યા. હું થોડાક શાન્ત થયો અને તેમના અંત:કરણપૂર્વક આભાર માન્યો. બીજે દિવસે તેમણે મારી સાથેની વાતચીતના ઉલ્લેખ . કરી એ વાત ઉપર પડદો પાડયાની જાહેરાત કરી. પછી બીજા કોઈ વર્તમાનપત્રમાં એ વિશે કશું ન આવ્યું તેથી મને શાન્તિ મળી. આચાર્ય અત્રેના અંત:કરણપૂર્વક આભાર મનથી માન્યા વિના હું ન રહી શકયા. મારો ભાર હળવો બન્યો,