________________
૧૧૨
બુદ્ધ જીવન
૮. ૧-૧૧-૮૦.
સ ત્ય ને સ્વપ્ન સ્ટાર
ઘણીવાર આવતી કાલની ઘટનાના પડઘા માણસને આજે જ સંભળાઈ જતા હોય છે. કદાચ આવા પડઘા સાંભળીને જ એક સંવેદનશીલ આભાએ લખ્યું હતું:
“કાલે અમે મળીશુંમૃત્યુ અને હું. ને મારામાં જે જાગતો બેઠા છે એના ઉપર મતની તલવાર ઝીંકાશે. પણ એ પહેલાં અગાઉ વહી ગયેલી ક્ષણોની આ કેવી વિષાદમ સ્મરણય ખંજરી !
સંવેદનાના સાગર સમા આ જાતા જીવ ઉપર થોડા જ સમયમાં મોતની તલવાર વીંઝાણી ને એક ભયંકર વિમાની અકસ્માતમાં એ માર્યો ગયો. મતની લટકતી તલવાર વચ્ચે પણ એની સંવેદના તો જાગૃત જ હતી. લગભગ આ જ સમયમાં એણે લખ્યું હતું:
હજ, પણ પેલે પ્રશ્ન તે ઊભે જ છે: શું હું મારા લક્ષ્ય શિખરે પહોંચી શકીશ?
જયાં જિંદગીના પડઘા પડે છે, જયાં મૌનમાં વિશુદ્ધ સરગમ જાગે છે,
એ મારું લક્ષ્ય-”
આવા જાગૃત સંવેદનતંત્રના માલિકનું નામ દાગ. હેમરશીલડ. યુનાની ભૂકંપૂર્વ મહામંત્રી રાજકારણના ગંદવાડમાં અનેક પથરાએ પૂજાઈને હાલતા હોય છે ત્યારે પુષ્પ જેવા કોમળ હૃદયવાળા
આ માણસે એક ન જ માપદંડ ઊભું કરી આપેલ. વંઠી પેલા વાતાવરણ વચ્ચે વસીને એણે એક નવા ચીલે પાડેલે. કોઈ પણ વાદનાં ગાણાં ગયા વ૨ એણે ઊંચા આદર્શવાળું જીવન જીવી બનાવ્યું. રાજનીતિને નિષ્ણાત હોવા છતાં એ પોતાને માનવતાને સેવક માન. એના આચારવિચાર એકરૂપ હતા. એની ચિંતનધારા સતત વહે જતી :
“નિયતિને આપણે પોતાની અંદર જ ગોઠવીને ભમતા હોઈએ છીએ.
ગઈકાલે આત્મપ્રશંસા કરેલી ને? આજે અંતર ડંખે છે,
એ એનું જ પરિણામ ન હોય?” પિતાના વ્યવહારો અને ખાસ તો જેમ ભીતરના પ્રવાહોનું આવું જલ પૃથક્કરણ કેઈ ભાગ્યે જ કરતું હશે. પૈસા અને પ્રતિઠાની વિરુદ્ધમાં બેલીને એ બેયના ઢગલા પિતાને આંગણે કરવો માટે હોડ લગાવનારા માણસેને પાર નથી ત્યારે આ માણસે એ બેમાંથી કશાનીય ખેવના રાખ્યાવિના પોતાને મળેલી કામગીરી બજાવશે રાખી. આંતરરાષ્ટ્રીય રાજકારણનાં વહેમી ને વરવાં વમળ વચ્ચે એણે શકય એટલી ઝીંક ઝીલી. અનેક સંઘર્ષોમાં એ ટટ્ટાર ઊભે રહ્યો. એ કહે છે જ:
“તમારી પાસે છે એના કરતાં વધારે તાકાતની અપેક્ષા જિંદગી તમારી પાસેથી નથી રાખતી. આપણા માટે હદમાં લંદ આ જ શકય છે: મેદાન છોડીને આપણે નાસી ના જઈએ.”
એની આ સાચી વાત આપણે સહેજે માની શકતાં નથી. જયારે પણ કોઈ તફાન આવે ત્યારે આપણે જાતને બાજુમાં તારવી લઈએ છીએ અથવા પારોઠનાં પગલાં ભરીએ છીએ. એ સારું છે કે આપણને સર્વત્ર વિજય ના મળે. સંજોગો આપણા કરતાં બળિયા ભાસે. આપણે એકલાએ જ અનેક રચે લડવાનું હોય એવું અનુભવ આપણે બધા જ કયાં નથી કરતા? પણ એથી ડરીને કાંઈ ભાગી જવાનું હોય? દાગ આ મક્કમતાથી જ મરતાં સુધી ઝૂઝત રહેલ. એ પેતાને કહેતો :
પગલું ભર્યા પહેલાં જ રસ્તાની નક્કરતા ચકાસશે નહીં. જેની નજર દૂરની ક્ષિતિજે નોંધાયેલી છે , એને જ સારો રસ્તો જડવાને.”
કુદરતે ભાવિને આપણે ત્યાં રે નથી ચૂકયું કે જિંદગીની જ નહીં, આખા જગતની પાટ આપણી ઈચ્છા મુજબ ગોઠવાય. દૂધનો દાઝેલાને છાશ ફકીને પીવાનું મન થાય એ સારું છે. ગણતરીઓ કરવાના લાભ પણ છે. ધસીને જોખમમાં ના દોડી જવું જોઈએ
એ પણ સારું. પણ બધા જ માણસે એમ ગણતરીમાં જ સાવચેતી શોધ્યા કરે તે પેલા સાહસની વરમાળા કોના કંઠમાં આરપાશે? કદીક સાવ અજાણી કેડીએ ચાલવાને આનંદ પણ લેવો જોઈએ. પગ સામેના પહેલા કાંટાને જોઈને જે ખમચાઈ જાય એને ક્ષિતિજેને સાદ શી રીતે સંભળાવાને હતા? જે ઘરના ઊંબરની ઊંચાઈ માપવા માગે એ દૂરના ડુંગરે કેમ ચઢી શકે? દાગને એવાં શિખરોનો સાદ સંભળાયેલે :
મને નિરંતર, કોઈ અદશ્ય ભોમકા તરફ
ધકેલી રહ્યું છે. ચઢાણને ઢોળાવ વધારેને વધારે કઠીન થતો જાય છે..
મારી અદશ મંઝિલમાંથી આવતા વાયરે મારી ઝંખનાના તારને રણઝણાવે છે.”
દાગ બહુ નસીબદાર. અહીં તો જે સાવ નજર સામે છે એ પણ દેખાતું નથી, પોતાના હૃદય ધબકાર પણ અજાણ્યા રહી જાય છે, જિદગીની ધડકને વણસાંભળી જ વહે જાય છે. મનના માનેલ મૃગજળની પાછળ ભમવામાં આપણે એટલા બધા વ્યસ્ત અને ત્ર પણ હોઈએ છીએ કે ઘરઆંગણનાં ઝરણાં, જીવનની ગુપ્તગંગા કાળની રણમાં એમ જ અટવાયા કરે છે. - દાગ નસીબદાર હતો કે એ ઈન્દ્રધનુષના રંગેય ઓળખી શકો ને પોતાની બારીમાંથી ડોમ્િ કરતાં ગુલાબને પણ માણી શકો. વિશ્વના ઉપવનમાં એણે પોતાના જીવન છોડને ભાઈચારો જે ને પોતાના જીવનમાં એણે વિશ્વચેતનાનું પ્રતિનિધિત્વ પારખ્યું. એની પાસે એ દષ્ટિ હતી જે ઘરના ઊંબર ઉપર ઊભીને દૂરના ડુંગરનાં દર્શન કરાવે ને શિખરાનાં આરોહણ પછી પણ પેલા ઊંબરને પિતાનાથી ઓઝલ ના થવા દે.
આર્ય અને ઈર્ષ્યા થાય છે કે દાગના સંઘર્ષો જેમ વધતા ગયા તેમ એ વધારે સંવેદનશીલ, જાગૃત અને કૃતનિશ્ચય બનતે ગયેલ. જુએ, એણે દોરેલું એક સ્વપ્નશિલ્પીનું ચિત્ર:
પતાની નિષ્ફળતાઓને એણે જાતદયા ખાધા વગર ઝીલી લીધી, * * અને સફળતાઓને એણે આત્મપ્રશંસા વગર પચાવી દીધી.”
એ વિશ્વશાન્તિને ઉપાસક હતા. યુનેના મહામંત્રી જેવી જવાબદાર જગાએ નિમાયા પછી એ સ્વપ્ન દષ્ટા પૂરી ગંભીરતાથી માનતા હતા કે આગની જવાળાઓમાં ભૂંજાઈ રહેલા વિશ્વને પોતે બહાર કાઢી શકશે. યુદ્ધ ને અશાન્તિથી ત્રાસેલી માનવજાતને વિશ્વ શાન્તિમાં લહેરાતી કરવાને એને કોડ હતા. પણ મઠી વિશ્વ સત્તાઓએ શરૂ કરેલી શેતરંજની આંટીઘૂંટીઓ ઉકેલવામાં એ નિષ્ફળ ગયે. અલબત્ત, તે પણ એના પ્રયત્નો ચાલુ જ રહ્યા. ને જયારે પણ સફળતા મળી ત્યારે કૃતજ્ઞતાના આનંદની વરમાળા એણે કોઈના જ કંઠમાં શોભતી કરી. જમાના ખાલ રાજકારણીઓએ એને સદંતર નિષ્ફળ જાહેર કરેલ. પણ એ માનતા કે:
“પ્રત્યેક બાબતનું આખરી મૂલ્ય પોતે ચૂકવ્યું છે એની પ્રતીતિ જો પોતાને બરાબર હોય છે, બીજા માણસે શું ધારે છે.
એને કઈ અર્થ રહે છે ખરે?” - આ કાંઈ આત્મસંતોષની વાત નથી. એમાં પિતે દિલથી કાંઈક કર્યાની વૃપ્તિને ઓડકાર છે. પોતાના જ ત્રાજવે તોળવામાં ખેધ પડી ગયેલા આ જગતને તમે તમારા તમામ વ્યવહાર શી રીતે સમજાવી શકવાના હતા? આરંભથી જ શંકાશીલ બની રહેવાને ટેવાયેલા જગતને તમે માંડીને બધુ સમજાવીને ધારો કે એ બધું એના ગળે ઉતરે તે પણ શું? એવા નપાવટ જગતની બનાવટી ફલમાળાઓની સુગંધી શા કામની? ઉપહેલા મનથી એણે કરેલ ન્યાય અને પ્રશંસાના પોલા શબ્દોનું મૂલ્ય પણ કેટલું?