________________
૧૦૪
તાસીરને વડીલે આરપાર જોઈ શકયા નથી સમજી શકયા નથી, તો યુવાનીની મનોવૃત્તિમાં પણ અવશ્ય ફરક પડયો છે. સનાતન મૂલ્યોના જતનની બાબતમાં તે બન્ને પેઢી નિરાશ કરે છે. યુધિષ્ઠિરની વાત યુદ્ધથી થયેલી ભર્યંકર ખાનાખરાબી બાદ જ યથાસ્વરૂપે સમજાય છે એ મુદ્દો, એ હકીકત વર્તમાનના સંદર્ભમાં, ખાસ નોંધવા જેવા છે!
પ્રાદ્ધ જીવન
ભગવાન શ્રીકૃષ્ણ તો આર્ષદષ્ટા અને યુગદષ્ટા હતાં, સામાન્ય રીતે એમની પ્રત્યેક વાતો વિરોધાભાસી જણાય. પણ વિશાળ દષ્ટિએ જોતાં, એ વાતો પણ, ન્યાયપુર :સર અને તર્કસંગત જણાતી. યુદ્ધને નિવારવાના એમના પ્રયત્ના અને વેરવૃત્તિના વિનાશ માટે શોના ત્યાગની એમની વાત પ્રેરણાદાયી હતી. પરંતુ એ માટે સમય પરિપકવ થયા ન હતા. એ આદર્શને લોકો પચાવી શકશે નહિ એ એમણે પારખી લીધું હતું. એટલે તો અર્જુનને મહાભારત યુદ્ધ માટે પ્રેર્યા. વેરવૃત્તિના નાશ માટે ઊલટું એ જમાનામાં યુદ્ધ અનિવાર્ય ગણ્યું; તે એ અર્થમાં કે યુદ્ધના ભયાનક પરિણામેા નજરોનજર નિહાળ્યા વિના, પ્રજા શાંતિની વાત સમજી શકે નહિ, એમના પછીના પાંચ હજાર વર્ષના ગાળામાં ઈતિહાસમાં નોંધાયેલ હિંસક અને ભીષણ યુદ્ધો અને રમખાણા દ્વારા એની ભયાનકતા સ્પષ્ટપણે લોકમાનસમાં અંકિત થઈ ત્યારે પૂ. ગાંધીજીના અહિંસક સત્યાગ્રહને સફળતા મળી. એક વિચાર-એક દષ્ટિ ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં ઉદ્ભવી પણ એ લગભગ અંતર્ગત જ રહી. એ વિચારનું વહેણ સમાજમાં પ્રર્વન્યુ અને અનુભવના આધારે એ બાબત આત્મસાત થઈ. એ પ્રયાગમાંથી હજુ સમસ્ત વિશ્વને એ દિશા તરફ વાળવાનું છે.
આ રીતે મહાભારતના પાત્રાના મનોવ્યાપાર ચકાસવાથી, એના આંતરપ્રવાહના અભ્યાસથી તુલસીના કથનાનુસાર, ‘ભાત ભાતને જોળ’ ની પ્રતીતિ થાય છે એટલું જ નહિ પરંતુ મહર્ષિ વેદ વ્યાસે, આર્ષદા લેખે, એમના પછીના આવી રહેલાં સમયના માનવીના માનસનો ચિતાર આપી, મહાભારતના ગ્રંથ દ્વારા, વ્યકિતની વિશિષ્ટતા અને મર્યાદા, શક્તિ અને નબળાઈ, આંતર અને બાહ્ય ભૂમિકાની ભિન્નતા અને એ બન્ને ભિન્ન ભૂમિકા વચ્ચેના સંઘર્ષ અને વ્યકિતત્વના અમર્યાદ વિકાસ-પૂર્ણત્વની પ્રાપ્તિ સુધીના—ની તાત્ત્વિક બાબત પણ “મા જેવુ વાવ'ના મંત્ર દ્વારા, યુદ્ધભૂમિ પર, આપણને ગજબ કૌશલ્યથી વારસામાં આપી છે, આવા સમૃદ્ધ અને વૈભવી વારસાનું યુગે યુગે પરિમાર્જન અને પરિશીલન થાય એ અત્યંત જરૂરી છે.
પન્નાલાલ ૨. શાહ
પ્રાચશ્ચિતની પાવન ગંગાનું અવતરણુ
’૭૯ની નવેમ્બરની ૧૧મી તારીખના એ ગાઝારો દિવસ, “બચાવા, બચાવા”ની બૂમા સાથે વાડજના ઘરમાંથી ભડકા ઉઠ્યા ને દેવયાની ભડથું થઈ ગઈ. મૃત્યુ સમયના નિવેદનમાં એણે જાહેર કર્યું “રાજુએ મને સળગાવી દીધી છે.”
વિવેકબુદ્ધિની પકડ ઢીલી થતાં જ માનવ પરિસ્થિતિનો કેવા ગુલામ બની જાય છે એના જીવતા જાગતા કરૂણ દાખલો એટલે ગજુ
એક
માનભર્યાં ાંગ ખેડતા ને આશાસ્પદ ભાવિનાં સાણલાં જોતા યુવાન વિવેકબુદ્ધિ ગુમાવી બેસતાં એવાં સંયોગામાં મૂકાઈ ગયો કે હાલ સાબરમતી મધ્યવર્તી તુરંગમાં નીચલી કોર્ટના ચૂકાદાથી ખૂન અને જન્મટીપની સજા ભોગવી રહ્યો છે, તે ઉના નિ:શ્વાસ નાંખી રહ્યો છે, “રે નંદનવન જેવું જીવન કેવું રોળાઈ ગયું?”
રાજુના ઉછેર મુંબઈમાં જ થએલ. લગ્ન અમદાવાદની સુર્સસ્કારી અને સુશીલ રેણુકા સાથે થયાં. રેણુકા પરણીને સાસરે ગઈ. સંસાર રંગે-ચંગે ચાલવા લાગ્યો. સુખની જાણે પરાકાષ્ટા આવી ને રણકા સિમંતીની બની. સુવાવડ માટે પિયર, અદામવાદ આવીને સાહામણા દિકરાને જન્મ આપ્યો.
ત્યારે એના આનંદ આસમાને પહોંચ્યા હતા. · પણ ના, એનો આનંદ ઝાઝો ટકવાનો ન હતો.
તા. ૧૬-૧૦-૮૦
લાગ્યાં... પણ સાંઓને સમાજની ઈતરાજી સહી ન શકતાં મુંબઈ છેાડી અમદાવાદ રહેવા આવ્યાં ને નિરંકુશ જીવન જીવવા લાગ્યાં,
પત્ની પિયર જતાં રાજની તેનાં બહેન-બનેવીને ત્યાંની બેઠકઉઠક વધી ગઈ. ને બેનની નણંદ દેવયાની સાથે મેાહમાં અટવાયો. દેહનું આકર્ષણ એટલું બધું વધી ગયું કે બેય ઉઘાડે છેગે સાથે રહેવા
રાજુની પત્ની રેણુકા બાળકને લઈ મુંબઈ સાસરે ગઈ ત્યાં આઠેક મહિના વીતાવ્યા પણ પતિની બેવફાઈથી સ્તબ્ધ બની હતાશા સેવતી રેણુકાને પતિ-વિહાણુ.. સાસર હૂંફ્ આપનારૂં ન જણાતાં પિત્રુગૃહે અમદાવાદ પાછી ફરી.
પેલાં રાજુ-દેવયાની પણ અમદાવાદમાં જ રહેતાં હતાં. રાજનાં માત-પિતાની ઈચ્છા હતી કે રાજુ ભલે દેવયાનીને લઈને પણ તેમની પાસે જ રહે રાજને પણ ત્યાં જવાની ઈચ્છા થતી હતી. પણ દેવયાનીને તે મંજર નહાતું.
આ અને આવાં બીજા કારણેાસર બેયની વચ્ચે બાલાચાલી થવા માંડી ને મન જુદાં પડવા માંડયાં. એક દિવસ સિનેમા જોવા જવાનું નક્કી થયું, એક મિત્ર પણ સાથે આવવાનેા હતે. મિત્ર આવ્યા એની હાજરીમાં જ રાજુ-દેવયાની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ને રાજુએ ગુસ્સામાં દેવયાનીને તમાચો મારી દીધો.
પરિસ્થિતિ શાંત પડે તે માટે સૌ પડોશમાં બેસવા ગયાં. પણ થોડીવારે ઘેર પાછા ફરતાં વેંત જ દેવયાની અગનઝાળમાં લપેટાઈ ગઈ. “રાજુએ મને સળગાવી મારી” એવું મૃત્યુ નિવેદન કરો દેવયાની અનંતની સફે ઉપડી ગઈ.
ને એના ખૂનમાં સંડોવાઈને રાજુ જન્મટીપની સજા ભાગવવા જેલમાં આવ્યા.
જેલમાં પૂરાયા પછી રાજનું મન ચિંતનના ચકરાવે ચઢયું... “રે કેવું થઈ ગયું? દેવ, બ્રાહ્મણ ને અગ્નિની સાક્ષીએ જેની સાથે જીવન જોડયું હતું એ રેણુકાને છેહ દીધા ન હોત તો આ હાલત થાત?!... ને, રેણુકાની ઉદારતા કેટલી બધી છે? મે તેને રઝળાવી મારી તેાયે એણે મારા પ્રત્યે તિરસ્કાર રોવ્યા નથી. કોર્ટમાં કેરા વખતે ને જેલમાં મારી મુલાકાત લઈને મને હિંમત ને હૂંફ આપ્યાં છે. એણે ધાર્યું હોત તો મારી નાલાયકી માટે મારી પાસેથી છૂટાછેડા મેળવી બીજા સાથે સુખી જીવન જોડવાનો પ્રયત્ન કર્યો હોત પણ તેના બદલે મે મૂકેલી નિરાધાર દશામાં રહીને પણ મારા બાળકને ઉછેરવા મથતી. એ હું વીસ વરસની સજા ભાગવીને પાછા ફર' ત્યારે પણ મારી સાથે જ જીવવા ઝંખે છે. રે રેણુકા, તું તેા દેવી છે. તારી સાથે જીવવા જેટલી મારી લાયકાત નથી છતાં તું મારી જેવા ને અપનાવવા ચાહે છે એ તારી ઉદારતા છે.”
આવા માનસિક પરિતાપ ચાલતો હતો ત્યાં રક્ષાબંધનનું પાવન પર્વ આવ્યું. રક્ષાબંધન નિમિત્તે સવિચાર પરિવારના કાર્યકરો સાથે મેળાપ થયો. એમના સદ્દભાવ પ્રયોગની વાત જાણી એના દિલ જેના ભયંકર દ્રોહ કર્યો છે એ પેાતાની ધર્મપત્નીની ઉદારતાને વંદ કરવાની અને પોતે કરેલા અન્યાય માટે જાહેરમાં માફી માગવાની ઝંખના જાગી ને તે કામમાં મદદ કરવાની એણે સદ્વિચાર પરિવારને વિનંતિ કરી.
સવિચારે રેણુકાબહેનનો સંપર્ક સાધ્યો. રતનપાળની એક નાનકડી ઓરડીમાં ભાઈઓ, બહેનો ને વિધવા મા સાથે રહેતી ને સુખી સંસારના સંભારણા જેવા દિકરાને ઉછેરતી મહામના રેણુકા રોજ પતિમુકિત માટે પ્રભુને પ્રાર્થના કરે છે. “ગમે તેવા હાય તોય રાજ મારા પતિ છે. એની સાથે જ જીવન પૂરું કરવું છે. એક ભવમાં બે ભવ નથી કરવા” એવી આર્યનારીને શેાભે એવી ઊંચી વિચારસરણી એના હૈયામાં બેઠી છે.
રક્ષાબંધનના સદ્ભાદિને પેાતાના પતિ પોતાના જાહેરમાં માફી માગે એ વાત એના જેવી આર્યનારીને પસંદ ન જ હોય એ સાવ સ્વાભાવિક છે, છતાં એમ કરતાં પતિનું હૈયું હળવું થતું હોય ને પતિનું હિત થતું હોય તા એ મહામના નારીએ આ વધારાનું દ:ખ રહી લેવાની પણ તૈયારી દાખવી છે.
ને એ રીતે સાબરમતી જેલની ધરતી પર જે રાજની પશ્ચાતાપગંગાને રેણુકાની ક્ષમાગંગાનું અવતરણ અને મિલન થઈ રહ્યું છે. સકલિત