________________
૧૦૨
પ્રભુ જીવન
અભિવ્યકિત
મહાભારતના પાત્રાની
વિશ્વ સાહિત્યના પ્રદેશમાં મહાભારતને આપા સાંસ્કૃતિક વારસાના પ્રતિનિધિરૂપ ગ્રંથ ગણી શકાય. એની વિશિષ્ટતા અને ખૂબી એવી છે કે એમાંથી યુગે-યુગે, ભિન્ન-ભિન્ન સ્વરૂપે, પ્રેરણા મળ્યા જ કરે. કાળના પ્રવાહમાં, તત્કાલીન સમયને અનુરૂપ, એમાંથી નવું અર્થઘટન થાય છે—થઈ શકે છે, એ સાથે જ એના સનાતન મૂલ્યોને, વર્તમાનના સંદર્ભમાં સમજવાની ચાવી પણ
એમાંથી જ મળે છે.
મહાભારતની કથા વાંચવી, સાંભળવી અને શ્રાતાઓને એનો લાભ આપવા એ પૂરતું નથી. પરંપરાથી એ ચાલ્યું જ આવે છે. પરંતુ એનું રસદર્શન કરાવવું, એ કથાના પ્રસંગો, આજના નવયુગને અનુરૂપ આબાદ બંધબેસતા કરવા એ એટલું જ જરૂરી છે. આવા અર્ધપર્યાય અને અર્થઘટનથી નવી પેઢીને એનું મૂલ્ય સમજાશે. એમાંય એના પાત્રોનું માનસ, એક પૃથક્કરણ, એની તરકીબા અને મુકિત-પ્રયુકિતઓ સમજાવી અને એ દ્વારા નીપજતા પરિણામેનો ખ્યાલ આપવાથી, એ ગ્રંથ પ્રત્યેના અભિગમ જ બદલાઈ જાય. આજના યુગમાં લખાતી નવિલકા કે નવલકથાઓમાં મનોવિશ્લેષણની ભૂમિકા સાથે થતાં પાત્રાલેખન જેમ વાચકનેભાવકને જકડી રાખે છે, તેમ મહાભારતનાં મુખ્ય પાત્રો, એનું માનસ અને મનેવૈજ્ઞાનિક દાંષ્ટએ એનું અર્થઘટન કરવામાં આવે તો યુવાન પેઢી માટે એ ગ્રંથ માર્ગદર્શક થઈ પડે. આ દૃષ્ટિને નજર સમક્ષ રાખી, એના કેટલાંક મહત્ત્વનાં પાત્રાની વિચારણા
કરીએ.
સૌ પ્રથમ આપણે દુર્યોધનનું પાત્ર તપાસીએ.
દુર્યોધનની વાત કરીએ એટલે રામાયણના રાવણ અને મિલ્ટનનો શયતાન યાદ તો આવે જ. આમ છતાં આપણે એવું માની લેવાની જરૂર નથી કે દુર્યોધન એટલે દુષ્ટ અને કૂડ કપટનો અવતાર. એનામાં સારાસારનો વિવેક છેક જ નથી એવું માનવાની પણ જરૂર નથી. પાંડવોની સચ્ચાઈના એને ખ્યાલ તો હતા જ, અને પોતે કાઈપણ કાર્ય કરે ત્યારે એ અયોગ્ય છે કે કેમ એની પણ એને સૂઝ હતી. આમ છતાં એનું આચરણ એની આ બધી સમજ અને સૂઝથી વિરુદ્ધ હતું. એ કહે પણ છે: “ધર્મ શું છે એ હું જાણુ છું, પણ આચરી શકતો નથી, અને અધર્મ શું છે એ જાણું છું, પણ છોડી શકતો નથી.”
અહીં પ્રશ્ન એ છે કે એની નબળી કડી કઈ છે? રોના અંતરમાં એક પ્રબળ વાસના છુપાયેલી છે. એ હતી સામ્રાજ્યપદની વાસના. તદુપરાંત એના થયેલા અપમાન– ખાસ કરીને દ્રૌપદીથી થયેલાં અપમાનનો બદલા લેવાની વૃત્તિ એના અજ્ઞાત મનમાં પ્રબળ રીતે ભરેલી હતી. ઘવાયેલા અહમ અને વાસનાના દ્વિગુણિત અદમ્ય જોશથી જ એની પ્રવૃત્તિ દારવાયેલી રહે છે. આ પ્રકારની એના મનની સ્થિતિથી, સારાસારની સમજ હાવા છતાં ય, આચરણમાં અધર્મ છેાડી ન શકે એટલી હદે, એની મર્યાદાઓ એના પર સવાર થાય છે. આથી જ આપણા શાસ્ત્રકારો આપણને વાસના અને અહમ્ ના ત્યાગના ઉપદે ભારપૂર્વક વારંવાર આપે છે; એને નિર્દૂ ળ કરવાનું કહે છે એ સૂચક છે.
દુર્યોધનની એક વિશિષ્ટતા પણ હતી. કોઈપણ વ્યકિત પાસેથી કામ કઢાવવાની રીત છે: (૧) વ્યકિતની પ્રશંસા કરીને અને (૨) એની નબળાઈ પર ઘા કરીને – એના મર્મસ્થાન પર પ્રહાર કરીને અને કડવા વેણ કે મહેણાં મારીને પણ કામ લઈ શકાય છે. દુર્યોધને, માટે ભાગે, બીજી રીતે જ અપનાવી છે. ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય કે ભિષ્મ પિતામહ, ગમે તે હોય, એ બધાંને એણે આ તરકીબથી વશ કર્યા છે. ‘પાંડવા પ્રત્યે તમને પક્ષપાત છે, એટલે તમે મન મૂકીને લડતાં ના,” એવું યુદ્ધના મેદાન પર ભિષ્મ પિતામહને કહીને કડવાં ઝેર જેવાં શબ્દો – કટાક્ષબાણથી વીંધીને, દુર્યોધને જ ભિષ્મ પિતામહને પાનો ચડાવ્યા અને વળતે દિવસે પાંડવસેનાને કચ્ચરઘાણ નીકળ્યો ત્યારે શિખંડીને વચ્ચે રાખી, પાર્થસારથિ ભિષ્મપિતામહને શરશય્યા પર સુવરાવી શકે છે! એ જ રીતે મહાભારત યુદ્ધના ચૌદમા દિવસે, દુર્યોધનની આ યુતિને વશ દ્રોણાયાર્ય સાક્ષાત કાળ જેવા બનીને લડયા, ત્યારે ધર્મરાજાએ પણ “અશ્વત્થામા હણાયો – “તરો વા કુંજરો વા” એવું કહ્યું – કહેવું પડયું.
તા. ૧૬-૧૦-૮
અને અઘટન
દુર્યોધનની આ યુકિત સફળ કેમ થઈ? એનું કારણ એ છે કે કોઈપણ વ્યકિત પોતાની નબળાઈ છતી થવા દેવા માંગતો નથી, તેમ જ બને ત્યાં લગી કોઈને – ખાસ કરીને સત્તાસ્થાને બિરાજેલી વ્યકિતને – નાખુશ કરવાં માગતા નથી. એમાં ય યારે એની નબળાઈ પર ઘા કરવામાં આવે અને વફાદારી કે વિશ્વાસઘાતની વાત કરવામાં આવે ત્યારે એ વ્યકિત પેાતાની મહત્તા પુરવાર કરવા, પોતાની વફાદારી – નિષ્ઠા બતાવવા, બમણા વેગથં મરણિયા પ્રયાસ કરે છે. દુર્યોધનને સંતુષ્ટ કરવા ભિષ્મપિતામહ અને ગુરૂ દ્રોણાચાર્યે પાંડવસેનાના એક જ દિવસમાં વાળેલા કચ્ચરઘાણ પાંડવોના શિરતાજને ઘડીભર શંકાસ્પદ બનાવી ગયો હતો. એ બાબતને આ દષ્ટિકોણથી મૂલવીએ તો મારી વાત યથાર્થ જણાશે.
દુર્યોધન જેવી મહત્ત્વાકાંક્ષા ધરાવતી વ્યકિતઓ આજે આપણી આસપાસ નજર પડે છે અને તેઓ દુર્યોધન જેવી નીતિરીતિ અપનાવે પણ છે. સમાજ, રાજકારણ અને સંસ્થાઓમાં એવા પુરૂષો અગ્રસ્થાને બિરાજે છે, એ જાણવા છતાંય અને દુર્યોધન જેવી નીતિ-રીતિ અપનાવાતી હોવા છતાંય ભિષ્મપિતામહ અને ગુરુ દ્રોણાચાર્યની માફક, મોટા ભાગના લોકો એમની સામે આંગળી ઊંચકી શકતા નથી. કારણ, આપણે અર્થના પૂજનની જગ્યાએ અર્થના દાસ બન્યા છીએ અને બીજું. ‘સર્વે શુળા, વાંચનમાશ્રયો”ના ન્યાય આપણે સ્વીકાર્યો છે. જાણે કે એ જ સાચા વ્યવહાર છે! દુર્યોધનને મામા શકુનિ અને દુ:શાસનની ઓથ પણ હતી “જેવા સંગ એવા રંગ”ની આપણી લોકોકિતને સાર્થક કરે છે.
મહાભારતકારે આપેલા ધૃતરાષ્ટ્રના પાત્રને આપણે ચકાસીએ તો જણાશે કે એની આજુબાજુ દેવી ગાંધારી અને વિદુરકાકા હોવા છતાં ય ધૃતરાષ્ટ્ર હંમેશા દુર્યોધનને જ સહકાર આપતા. એની પાછળ રાજગાદી કૌરવકુળમાં રહે અને તેઓ એના આદ્યપુર૫ તરીકે જગપ્રસિદ્ધ થાય એવી લાલસા એમનામાં હોય એ શકય છે. દુર્યોધનને મહત્ત્વની બધી બાબતમાં સહકાર આપીને એમણે ન્યાયમુકત વલણ આચરણ દાખવ્યું નથી જ, એટલું જ નહિ પરંતુ પાંડવા પર પાતાને અસીમ પ્રેમ છે એવા દંભ દ્વારા, એવા નાટક દ્વારા, ચાર આબાદ હોય, પરંતુ પકડાય નહિ ત્યાં સુધી ગુનેગાર નથી એવી મનોવૃત્તિને વિકસાવી છે. આજના સમાજમાં, ચેરી અને અન્ય ક્ષેત્રે દાખવાતી આવી મનોવૃત્તિના મૂળ અહીં છે. પાંડુ રાજાની ચિર વિદાય પછી પાંડવા એની છત્રછાયામાં ઉછર્યા, છતાં પાપાત તો દુર્યોધન પરત્વે જ હતા અને રહે એ સ્વાભાવિક છે અને એ દ્વારા ‘આંગળીથી નખ વેગળાં એટલાં વેગળાં, કહેવતને સાર્થક પણ કરી છે. આમ છતાં એણે દુર્યોધનના દેખીતી રીતે ઘાડો પક્ષ કયારેય કર્યો નથી. પાંડવા પર જાણે પાર હેત ન હોય એવા વર્તાવ જાહેરમાં એમણે દાખવ્યો છે. લાક્ષાગૃહમાં પાંડવે બળી ગયાની વાત આવી, ત્યારે ધૃતરાષ્ટ્રને સૌથી વિશેષ આનંદ થયા, પરંતુ એ પ્રકટ કરવાને બદલે એણે પાંડવાના બળી જવાથી પેાતાને અસીમ દુ:ખ થયું હોય એવા દેખાય કર્યાં, શા માટે?
દરેક માનવમાં એક ઊંડે ઊંડો ભય હોય છે. પોતે રાજા છે અને ન્યાયી રીતે ન વર્તે અને દુર્યોધન વગેરેને ઉઘાડે છેાગે પોતે ટેકો આપે તો પ્રજાની દષ્ટિમાં એનું મૂલ્ય ન રહે અને પ્રજાન તિરસ્કાર વહારી લેવા પડે. એને બદલે પાંડવા પરત્વે જાહેરમાં અપાર મમતા દાખવી હોય તો પ્રશ્ન એની મલિનતાને પિછાની ન શકે અને પ્રજા એની ન્યાયપ્રિયતા અંગે શંકાશીલ ન બને એટલું જ નહિ પરંતુ દુર્યોધનના હેતુ ક્રમશ: સિદ્ધ થાય એવી ગણતરી સાથેનું વર્તન એમણે દાખવ્યું. આવી નરી આત્મવંચનાનું પાત્ર મહર્ષિ વ્યાસે આપણી સમક્ષ ચૂકયું છે.
ધૃતરાષ્ટ્ર દાખવેલા દંભ, એણે દાખવેલી આત્મવંચના અને જાતની છેતરપિંડી આજે આપણને ચોતરફ જોવા મળે છે. સિદ્ધાંત અને આદર્શના અંચળા હેઠળ, કેવા સ્વાર્થ સધાય છે એ કયાં અજાણ્યું છે? પેાતાની જાતને આદર્શ તરીકે ખપાવી, નબળી-સ્વાર્થી વાતને આદર્શના આપ આપી-ગીલેટ લગાવી પોતાની ઊભી થયેલી આદર્શ વ્યકિત તરીકેની (mage) પ્રતિભાને કેવી વટાવાય છે! ધૃતરાષ્ટ્રના પાત્રાલેખનદ્વારા મહાભારતકાર આ બાબત વેધક રીતે સ્પષ્ટ કરે છે.