SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રબુદ્ધ જીવન થયું છે. વરિષ્ઠ અદાલતોની સત્તાને મર્યાદા હોવી જોઇએ અને પાર્લામે ટ પિરિ મનાવી જોઇએ, મૂળભૂત અધિકારો, રાજ્યના નિર્દેશક સિદ્ધાતાને આધિન હોવા જોઇએ જેથી પાર્લામે’ઢ કે ધારાસભા, નિર્દેશક સિદ્ધાંતને નામે, કો કાયદો કરે તેને, મૂળભૂત અધિકારના નામે પડકારી શકાય નહિ. ટૂંકામાં કટોકટી દરમ્યાન જે પરિસ્થિતિ હતી તે ફરી લાવવી જોઈએ. એવો પ્રચાર ઈન્દિરા ગાંધીથી માંડી અંતુલે અને કાયદા પ્રધાન શિવશંકર તથા તેમના ટેકેદાર વકીલા તરફથી જારશોરથી શરૂ થયો છે. આ ઘસડાતી પરિસ્થિતિ ઈન્દિરા ગાંધીના અવશપણે ઊભી થઈ છે કે ઈદાપૂર્વક એવી ઉંમી કરાય છ, તે સમસ્યા છે. કેટલાક રાજકીય નિરીક્ષકો એમ માને છે કે આવી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી, લોકો સામે ચાલી એમ કહે કે લેાકશાહી નહિ ચાલે અને કટોકટી હતી તેવી વ્યાપક સા રાજ્યને સે(પવી જોઈએ એમ કરવું છે. સામ્યવાદીઓ જેમ માને છે કે એકવાર અંધાધૂંધી ઊભી કરવી જેમાંથી અમર્યાદ સત્ત્તા હાંસલ કરી શકાય તે જ પ્રમાણે ફાસીસ્ટ બળે પણ એવી જ માન્યતા ધરાવે છે. આંતરિક પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક તરફથી સરમુખ ત્યારીની હિમાયત થાય તો બીજી તરફ લોહિયાળ ક્રાન્તિની શકયતા પણ લોકો માનતા થયા છે. આર્થિક અસમાનતાની ખીણ એટલી ઊંડી થતી જાય છે કે તેમાંથી ભડકો થાય તે આશ્ચર્ય નહિ. ગરીબા વધારે ગરીબ થયા છ અને પૈસાવાળા વધારે પૈસાવાળા થયા છે તે સામાન્ય ઉકિત સાચી છે. રાષ્ટ્રપતિએ સ્વાતંત્ર્યદિન પ્રવચનમાં તેનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. દેશ બહારની સ્થિતિ પણ શળતી છે. ઈરાક-ઈરાનના યુદ્ધની ગંભીર અસર આપણને પહોંચશે. પાકિસ્તાન અને કેટલેક દરજજે [ગલા દેશમાં ભારત વિરોધી વાતાવરણ વધતું જાય છે. કમ્પ્યુચિયાને સ્વીકૃતિ આપી ચીન અને અમેરકાની નારાજી વહેારી છે. અતિથ્યોકિત ભર્યું કે નિરાશાજનક ચિત્ર દોરવાનો ઈરાદો નથી. પણ વાસ્તવિકતાની અવગણના થઈ શકે તેમ નથી. વાદળા ઘેરાતા છે અને પરિસ્થિતિ હજી પણ વણસે તે અસ્તંભવ નથી. લોક્માનસ ઉત્તેજિત તેમજ ચિન્તા તથા ભયથી ઘેરાયેલ છે. પણ હુણ્ થો આરો નથી. એંસીના દાયકો અધિકારમય છે એમ કહી હાથ જોડી બેસી રહેવાય નહિ. આ પરિસ્થિતિમાં જીવવાનું છે એમ સમજી તેનો માર્ગ કર્યા વિના છુટકો નથી, કોઈ રાડીય પક્ષ ઉપર આધાર રાખી શકાય તેમ નથી, બધા છિન્નભિન્ન અને વામણા છે. લાકજાગૃતિ અને લોકશક્તિ એક જ ઉપાય છે. અંધકારમાં પ્રકાશ પ્રકટાવવાની છે. ૧૨–૧૦-૮૦ અહિંસાનું શાશ્વત રૂપ : ચીમનલાલ ચકુભાઈ વૃત્તિમાં અહિંસા અહિંસા વિશે આજ સુધીમાં જેટલું લખાયું છે અને કહેવાયું છે, ભાગ્યે જ બીજા કોઈ વિષય પર આટલું લખાયું હશે અથવા કહેવાયું હશે. પણ એની સાથે જ જેટલા ભ્રમ અહિંસા વિશે ઊભા થયા છે, એટલા ભ્રમ બીજા કોઈ વિષયમાં નર્થ થયા. આ વિરોધાભાસી સ્થિતિનું એક સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક કારણ છે. હું એ કારણ વિશે સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. અહિંસાનો આત્મા જે સૂક્ષ્મ છે, એને જો સ્થૂળ બનાવી દેવામાં આવે, તે એના આત્મા સમાપ્ત થઈ જાય છે. આ જ વાત અહિંસાના સંબંધમાં થઈ છે. અહિંસા માત્ર બાહ્ય વ્યવહારનું સ્થૂળ વિધિ નિષેધ નથી, પરંતુ અ ંતર ચેતનાના એક સૂક્ષ્મ ભાગ છે. પરંતુ કમનસીબે સ્થિતિ કંઈક એવી બની ગઈ છે કે અહિંસાના સૂક્ષ્મ ભાવ નિરંતર ક્ષીણ થતા ગયા અને તેને સ્થૂળ વ્યવહારનું, ઓધબુદ્ધિથી માત્ર દેખાડવાના વિધિ નિષેધાનું રૂપ આપી દેવામાં આવ્યું. પરિણામે અહિંસાની ઊર્જા (શકિત) અને આત્મા નષ્ટ પામ્યાં. જ્યારે કોઈ સિદ્ધાંતની ઊર્જા અને આત્મા સમાપ્ત થઈ જાય છે ત્યારે તે નિગ્રાણ તત્ત્વ જીવનને તેજસ્વી બનાવી શકતું નથી. તે જીવનની સમસ્યાઓના સાચા સમાધાન નથી શોધી શંકા. તે પોતે જ એક દિવસ એક સમસ્યા બની જાય છે. શું સ્થૂળ તા. ૧૬-૧૦૪૦ વ્યવહાર સાથે સંકળાયેલી અહિંસા વિશે પણ આવું નથી થયું ? છેલ્લા કેટલાયે સૈકાઓથી આપણે અહિંસાની મહાન ધર્મના રૃપમાં જાહેરાત કરી છે. અહિંસાને જીવનનું પરમ સત્ય માની એની ઉપાસના કરી છે. સામાજિક, આધ્યાત્મિક અને રાજનૈતિક જીવનની સુરક્ષાને આધાર અહિંસાને માનેલ છે, વિશ્વવ્યા સિદ્ધાંતના રૂપમાં હજારો વર્ષોથી અહિંસાને માન્યતા આપી છે. હજારો વર્ષોથી પેઢી દર પેઢી એની ચર્ચા વિચારણા થતી આવી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે કયાં છે એ બધાંની ફલશ્રુતિ? આપણે આજ સુધી અહિંસક સમાજની રચના શા માટે નથી કરી શક્યા? આ પ્રશ્નના બે જ જવાબ હોઈ શકે. (૧) જે અહિંસાતત્ત્વની આપણે વાત કરીએ છીએ, તે માત્ર બૌદ્ધિક વ્યાયામ બનીને રહી ગયું છે. (૨) એવું લાગે છે કે અહિંસા એ જાણે કે કોઈ કાલ્પનિક દુનિયાનું કોઈ અલૌકિક તત્ત્વ છે, જેને આ સાંસારિક જગત સાથે કોઈ વાસ્તવિક સંબંધ જ નથી. આમ, ખોટા પ્રશ્નની આસપાસ હજારો મસ્તક નકામા અટવાઈ ગયાં છે. અને આજે પણ અટવાતાં રહ્યાં છે. અથવા એના બીજો જ વિકલ્પ છે. તે એ કે અહિંસા પાતે તે એક જીવંત જાગ્રત તત્ત્વ છે, જલ્યાણકારી છે, પણ એને આપણે સાચા અર્થમાં સમજ્યા નથી. એવું બન્યા કરે છે કે, કયારેક કયારેક ઘણા લાંબા સમય પછી સારામાં સારા સિદ્ધાંત પણ ધૂંધળા (અસ્પષ્ટ) થઈ જાય છે. અથવા એને ધૂંધળા કરી દેવામાં આવે છે. હું આ પ્રશ્નનો બીજો ઉત્તર વિચારું છું. અહિંસાનો સંબંધ હદયની સાથે ખરેખર અહિંસાને સંબંધ મસ્તક (બુદ્ધિ) સાથે નથી, પણ મનુષ્યના હૃદય (લાગણી) સાથે છે; તર્ક-વિતર્ક સાથે નથી, કોઇ બંધિયાર વિવેકશૂન્ય વિશ્વાસ સાથે નથી; જાતજાતના શબ્દોની જાળમાં બંધાયેલ અને અટવાયેલ ભાષા સાથે પણ નથી, પરંતુ આંતરજીવન સાથે છે, અંદરની ઊંડા આધ્યાત્મિક અનુભૂતિ સાથે છે. અહિંસાની ભુમિ જીવન છે. જ્યારે ધરતીથી વૃક્ષને સંબંધ કપાઈ જાય છે, ત્યારે તે લીલુંછમ અને વિકસીત નથી રહી શકતું. પ્રવકતાએ પેાતાની વાત સાફ કહેવી જોઈએ, હું સાફ અને સ્પષ્ટ કહી રહ્યો છું કે અહિંસા પણ જીવનથી કપાઈ ચૂકી છે. મૂળમાંથી અલગ રાખીને એને કઈ રીતે પલ્લવિત રાખી શકાય ? એ જ કારણે અહિંસા આજે માત્ર સ્થૂળ વ્યવહારની સંકુચિત સીમાઓમાં બંધાઈ ગઈ છે. જન-જીવનમાં એના રસ-સંચાર ક્ષણ અને ક્ષીણ થતા જાય છે. આ રીતે અહિંસાના પ્રાણ હણાઈ રહ્યા છે. જે અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરવી હોય, તો જરૃર છે, અહિંસાને આપણે સ્થૂળ વ્યવહારના સાંકડા વાડામાંથી મુકત કરી વ્યાપક બનાવીએ. જીવનની સૂક્ષ્મ અનુભૂતિ અને હૃદયના ઊંડાણ સુધી એને ઊતારીએ. વૃત્તિમાં અહિંસા એ જ અહિંસાનું સ્થાપી રૂપ નિવૃત્તિ અને પ્રવૃત્તિની વચ્ચે વૃત્તિ છે. વૃત્તિનો અર્થ થાય છે ચેતનાના ભાવ. આ જ ભાવ મનને ઝંકૃત કરે છે. અહિંસ આ ઉદાત્ત અને કલ્યાણકારી તરંગાના આધાર પર જીવનના સ્થૂળ વ્યવહારો અને વિધિ-નિષેધાના રૂપમાં પ્રગટ થાય છે. એને જ આપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કહીએ છીએ. સંસારના બધા આધ્યાત્મિક દર્શના વ્યવહારના સ્થૂળ વિધિ નિષેધની સાથે અહિંસાના સંબંધ સ્થાપતાં નથી; માનવ મનની મૂળ પવિત્ર વૃત્તિની સાથે જ અહિંસાને સાંકળે છે. એ જ વૃત્તિ જીવન છે. એ જ અહિંસાનું બીજ છે. એ જ બધું છે. એ નથી તેા કંઈ નથી અહિંસાના ક્રાંતદૃષ્ટા ઋષિ આ બીજની જેટલી ચિંતા કરે છે, એટલી અહીંતહીંના વિધિનિષેધરૂપ ફળ-ફૂલ કે ડાળીની ચિંતા નથી કરતા. બાહ્ય વ્યવહારના આધાર પર ઊભા કરેલ અહિંસાના વિધિ-નિષેધ સ્થળ, કાળ તથા વ્યકિતની સ્થિતિ અનુસાર બદલાયા કરે છે, પણ મૂળ બીજ નથી બદલાતું. મધ્યકાલના સામાજિક વ્યવસ્થાપકો, ભલે તે ધાર્મિક હોય કે રાજનૈતિક પણ અહિંસાને એની મૌલિક સૂક્ષ્મતાથી નથી પકડી શક્યા. નિવૃત્તિ અને પ્રવૃત્તિના સ્થૂળ વાતાવરણમાં જ અહિંસાને માનવા અને મનાવવાના સરળ ઉપાય અપનાવતા રહ્યા અને યથાપ્રસંગ તાત્કાલિક સમાધાન શોધતા રહ્યા. પરંતુ હિંસાના પ્રશ્ન એવા ન હતા, જે ચીલાચાલુ પરંપરાના સ્થૂળ ચિંતનથી અને વિધિ નિષેધના ભાવહીન વિધાનાથી સમાધાન મેળવી લે, તે નવા નવા સ્વરૂપે પ્રગટ થતી રહી અને માનવજીવનના બધા
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy