________________
તા. ૧-૧૦-’૮૦
પિતાની
અશાન્તિભરી . વિષમ અમૃતાએ છેવટે ચોત્રીસ
લગ્ન કર્યા
“ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ-સંતાપ માને” એ પ્રમાણે એકમેકને માટે ઝૂરી ઝૂરીને પ્રેમીઓ મરણને શરણ થાય છે. આ બાબતે શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે વિ ંભર અને ચંદ્રાવલીની સત્ય ઘટનાને આધારે જિગર અને અમી’ નવલકથા લખી છે. જેમાં લેખકે પેાતાના તરફથી લેશમાત્ર અતિશયોકિત કરી નથી. બલ્કે સત્ય હકીકતાને મૂર્ત કરી છે. ચંદ્રાવલી અને વિશ્વભરને એકમેક માટે ભારોભાર પ્રેમ છે પરણ્યાં છે, છતાંયે સમાજ એમને સુખી થવા દેતો નથી. છેવટે ચંદ્રાવલિ ઝેરવાળા દૂધના પ્યાલા સામે ચડીને પી જાય છે. અને મૃત્યુશરણ થાય છે. વિશ્વભર જૈનમુનિ થઈને ખૂબ ખૂબ ભટકે છે અને સાળંક વર્ષ બાદ આકસ્મિક રીતે જૈન ઉપાશ્રયમાં એજ ચંદ્રાવલીને મળે છે. ચંદ્રાવલી પેાતાના પ્રિયતમ જિગરને - વિન્વંભરને ઓળખે છે, પણ સમાજ એમને ભેગાં જીવવા દેંત જ નથી. જેને કારણે ફરીથી બીજીવાર ચંદ્રાવલી આત્મઘાત કરે છે. આમ બબ્બે જન્મ સુધી પ્રણયની ઉત્કટતા અનુભવાય છે. એવું જ કલાપી અને શે।ભનાને વિશે ય થયેલું છે. રાજા અને ખવાસની. છેકરી લગ્ન શી રીતે થઈ શકે? સમાજના વિરોધ વચ્ચે . કલાપી સામે થઈને શેાભનાની સાથે લગ્ન કરે છે. પણ અનેક આધાતો - પ્રત્યાધાતાથી શીર્ણવિશીર્ણ થયેલા કલાપી માત્ર છવ્વીસ વર્ષની વયે મૃત્યું પામ્યા. આ પ્રેમની ઉત્કટતા, અમૃતામાં મીર્ચા માટે છે. તેનું હૈયું રાતદિન મીર્ચા મીર્ચા પાકારે છે. અમૃતાને દેવ જોઈતા નથી. લેાહી માંસના માનવી જોઈએ છે. ઈચ્છાને કારણે વીસ વર્ષનાં વર્ષની ઉંમરવાળા ધનિક ડોક્ટર સાથે છે. આ લગ્નથી પતિની ઉદારતાને કારણે તેને સુખસગવડો અને તમામ સુવિધા મળી છે. છતાં મેં એને યૌવનકાળના Suppressed love કુંઠિત થયેલા પ્રેમ એને ઝંઝાવાતાથી ભરી દે છે, બેતાલીસ વર્ષ પૂર્વેની પ્રેમની સ્મૃતિથી એ અભિભૂત થઈ જાય છે, હલહબલી ઊઠે છે. એ સમજવા જેવું છે કે, દિલની ઉત્કૃષ્ટ લાગણીઓને દબાવવાથી એ હજાર ગણી તાકાતથી ઉછળે છે, જેટલી વધુ દબાવીએ તેટલા વધુ પ્રત્યાઘાતો ઉઠે છે. જે મનુષ્યને છિન્નભિન્ન કરી નાખે છે. આ Suppression ચિંત્તકુંઠન ચો ખતરનાક બાબત છે. બહારથી માણસ ગંભીર રીતે જીવે છે, પરંતુ અંતરમાં તો ઉત્કૃષ્ટ લાગણીઓના દરિયા પછડાટા ખાતે ઉછળતા હોય છે. આ લાગણીઓ – પ્રણયનાં સંવેદના' પ્રત્યક્ષ અનુભવ સિવાય કૃતાર્થ થતાં નથી. ભલે અમૃતાને ડોક્ટર પતિ મળ્યો હાય, જેણે એને ધન, માલમિલકત, સુખસુવિધા વગેરે પૂરાં પાડયાં હોય; પરંતુ યૌવનકાળ દરમ્યાન મુકલડ મીર્ચા પ્રત્યે પ્રગટ થયેલી એની પ્રણયની લાગણીઓને કૃતાર્થ થવાના અવકાશ મળ્યો નથી. રવીન્દ્રનાથે તેને આત્મપીડનથી મુકત થવા માટે” વેદનાને બાધના સ્તરે લઈ જઈ કઠોરને લિલતમાં, ખટાશને માધુર્યમાં, પરિપકવ કરવા માટે સેવાના માર્ગ દાખવ્યો હતો. પણ એ ભૂલવાં જેવું નથી ૐ, Without fulfiment of love, everything is useless. પ્રેમને માણ્યા વગર, બીજા બધા ઉપચારા નિરર્થક નિવડે છે. મૃતા મીર્ચાને, લોકામાંસથી છલકતા માનવીને ઝંખે છે, એ માનવીના પ્રેમની ભૂખી છે, જે એને ન મળવાથી એ તરફડે છે. અને મીર્ચા પાસે દોડી જાય છે. ઠેઠ ટ્રાન્સ સુધી, ડોકટર પતિની સંમતિ લઈને. પ્રશ્નની કૃતાર્થતા Fulfilment સિવાય, માત્ર બહારથી ઠોકી બેસાડેલા સંયમ ફળીભૂત થતો નથી. ઉમિઓ, ભાવનાઓ કં લાગણીઓ)ની કૃતાર્થતા પછીથી જે બાધન - અનુભવનમાંથી સંયમ સધાય છે તે જ ચિરસ્થાયી કે ચિરંજીવી નીવડે છે. બળજબરીથી (પછી તે સમાજની માબાપાની કે પરિસ્થિતિની), દબાણથી આણેલા સંયમ પ્રતિક્રિયાત્મક (Reactionary ) નીવડે છે એ એક તદ્ન સાદું મનોવૈજ્ઞાનિક સત્ય છે. અમૃતા વડીલોની ઈચ્છાથી લગ્ન કરીને પેાતાના પ્રણયના ઉત્કટ સંવેદનને કવિતા, વાર્તા, શાનના ગ્રો લાકસેવાના કાર્યો વગેરેથી દબાવવા માટે યા (Sublimate ) - ઊર્વીભૂત - ઉદાત કરવા માટે જરૂર મથી છે. પરંતુ એ પ્રણય સંવેદનની એટલી બધી ઉત્કટતા છે કે બાહ્ય સંયમ યા વિધિનિષેધ અને તમામ બંધનો તૂટી પડે છે. ગોવર્ધનરામે સરસ્વતીચંદ્ર અને કુમુદના પ્રેમસાયુજ્ય માટે સૌમનસ્ય ગુફામાં એકાદ સપ્તાહ માટે સાધુ - સાધ્વીઓની સંગતિમાં આ પ્રેમીઓનું મુકત મિલન યોજ્યું છે. સ્વપ્નલાકમાં બન્ને વચ્ચે લગ્ન કરાવ્યું છે. અને આપ્તજનાની છાયાઓ મારફતે તેને આશીર્વાદ અપાવ્યો છે. આ બધું સૂક્ષ્મ અનુભૂતિ રૂપે છે. · અલબત્ત ! આજના નવા સમાજે આવાં પ્રેમીઓને માટે સાથે મળીને સહજીવન જીવવા માટે માર્ગ ખુલ્લા કરવા જોઈએ. કદાચ પ્રકરણ ‘પુરાણમતાંદી નૈતિકતાવાદીઓને આનાથી જરૂર
પ્રાદ્ધ જીવન
૫
આઘાત થશે. પણ આ પ્રત્યક્ષ પ્રણયાનુભૂતિ સિવાય પ્રેમીએ કૃતાર્થતા અનુભવી શકતા નથી અને આપઘાત કરીને અથવા ઝૂરી ઝૂરીને મરે છે ત્યારે આવાં પ્રેમીઓ માટે સપ્રેમ સહજીવનના માર્ગ મોકળા કરી આપવા એમાં ઉદારતા અને ઉદાત્તતા તો છે જ પૂણ માનવતા જ વિશેષે છે.
આપણે ભૂલવા જેવું નથી, પ્રણયમાં પ્રેમ – કામ = સપ્રેમ છે. કામવાસના. કહીને પ્રણયની ઉપેક્ષા કરીશું કે અનાદર કરીશું તે બરાબર નથી. દાંપત્યજીવનના અનુભવથી જ કામ ઉત્તરોત્તર ક્ષીણ થતા જાય છે અને પ્રેમ વિશેષને વિશેષ પ્રગટતાં જાય છે. આપના મતે, (Life is more than love ) જીવન એ પ્રેમ કરતાં કંઈક વિશેષ છે. પણ એ ભૂલવા જેવું નથી કે, એ ‘વિશેષ’ને પામવા માટે ય પ્રેમ આવશ્યક છે. એટલું જ નહિ અનિવાર્ય છે. એટલે જ કહેવાયું છે ને?” Life is
love and love is life ” જીવન એ પ્રેમ છે અને પ્રેમ એ જીવન છે. જીવનની સાર્થકતા પ્રેમની નિબિડ અનુભૂતિમાં છે. પ્રેમ સિવાયનું જીવન ક્યારેક તો ગુનેગારી, નશાખારી, સિનેમાખારી, વિધાતક પ્રવૃત્તિઓ અને સમાજવિરોધી તેમ જ હિંસક પ્રવૃતિઓ તરફ દોડી જાય છે. એક અમેરિકન મનોવિજ્ઞાનિક મિ. મેનિનજરે તે ( Love is not enough , અર્થાત પૂરતા પ્રેમના અભાવ એ પુસ્તકમાં અનેક કેસોનો અભ્યાસ કરીને આજની પરિસ્થિતિના મૂળમાં આ પૂરતા પ્રેમના અભાવને કારણરૂપ લેખ્યો છે. પ્રણયના પ્રત્યક્ષ અનુભવથી મનુષ્યમાં શાંતિ, સ્વસ્થતા અને સમાધાન પ્રગટે છે. એટલું જ નહિ પણ અનેક સર્જકશકિતા અને પ્રતિભાઓ ફોરી ઊઠે છે. એટલું નહિ આધ્યાત્મિક ઉન્નતિ પણ થતી હોય છે.
પોતાના આંતર જીવનને સચ્ચાઈ અને નિર્ભયતાથી આવી મહાન નવલક્થા ‘ન હન્યતે’ સ્વરૂપે આલેખવા માટે મૈત્રેયીદેવીને હજાર હજાર અભિનંદન! અને આપે જે બેએક સવાલો કર્યા તેને માટે આપને ય ધન્યવાદ!
કુશળ હશે. સપ્રેમ નમસ્કાર
અભ્યાસ વર્તુળ આગામી કાર્યક્રમા
(૧)
વિષય :- “૬૦ કલાકમાં જીવન પરિવર્તન : EST – એક અનુભવ.”
સ્નેહાંકિત હરીશભાઈ વ્યાસના જયજગત્
વકતાઓ:- શ્રી વિષ્ણુન પરીખ શ્રીં રસિક શાહ
સમય :- તા. ૯-૧૦-૮૦ ગુરુવાર, સાંજના ૬-૧૫
વિષય
વકતા
સમય
સ્થળ
:- જીવન, ગતિ અને પ્રગતિ :- શ્રી ચીમનભાઈ દવે :
ભૂતપૂર્વ પ્રિન્સીપાલ, એન. એલ. હાઈસ્કૂલ-મલાડ. :- તા. ૧૬-૧૦-૮૦ ગુરુવાર, સાંજના ૬-૧૫
:~ પરમાનંદ કાપડિયા સભાગૃહ, વનિતા વિશ્રામ સામે, પ્રાર્થનાસમાજ, સૌ મિત્રોને સમયસર ઉપસ્થિત થવા પ્રેમાગ્રહભર્યું નિમંત્રણ છે
સુબોધભાઈ એમ. શાહ
કન્વીનર. અભ્યાસ વર્તુળ