________________
૯૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૮૦.
=
ભેમિયો તો પાછળ રહ્યો રહ્યો કોઈને સામાન ઊંચકવા પૂરતી મદદ કરતો હતો. પણ આશિષે આ વિકટ માર્ગ ઘણાંખરાંને હાથ પકડીને પાર કરાવ્યો. સૌએ એને આશિષ આપી હશે જ. . આ સેમ્બરે અમને વાસ્તવિકતાથી અજાણ રાખીને કેવા મોટા સાહસ તરફ ધકેલ્યાં હતાં. એને થાકૂ ળ વિરોધ એકએક જણના મનમાં હતો. ગુજરાતીને વખાણનારો તો સૌથી ચડે એવો વાણિયા એ પોતે નીકળ્યો! આ પ્રવાસ નાનાં બાળક, શારીરિક તકલિફો તથા દર્દીવાળા, તેમ જ વૃદ્ધોએ બિલકલ કરવા જેવો ન્હોતો. પણ જણ દીઠ રૂ. ૧૫/- મેળવવા માંગનારે એ વિચાર્યું જ નહીં. સારા નસીબે અમે બધાં હેમખેમ પાર ઉતરી શકયાં એટલી ભગવાનની કૃપા! હા, મેં માત્ર મારા ચશ્માં (હાથપગ નહીં) પાણીમાં પડી જતાં–તેડયાં.
આ એછાવત્તો વિકટ જળપ્રવાસ માંડમાંડ પૂરો કરીને અમે અંતે વનશ્રી–વિહાર પહોંચીએ છીએ. “વનશ્રી-વિહાર” નામ પ્રમાણે આ સ્થળ તે ખરેખર અદ્ ભૂત જ છે. તનના આટલા આકરી શ્રમ પછી એનું ફળ તે એવું જ મનને ભરી દે છે. ધાર્યો મુકામે પહોંચતાં બધાંને અદ્ધર થયેલે શ્વાસ હેઠો બેસે છે અને ચોતરફ પ્રસરેલી લીલા રંગની લીલા તરફ નજર ફરે છે. રાળનાં મોટાં મોટાં વૃક્ષોની છાયા ઝીલતું આ લીલુંછમ વન, કાળી કેતરોને એ વચ્ચે ધરણીના ખોળામાં મોટાં કંડના સ્વરૂપે ગોઠવાઈ ગયેલું પેલું તોફાની ઝરણુંઅને વળી એ બધાં ઉપર ઈશ્વરની આશિષ વરસાવતું ઘેર જૂર ગગન. આવાં દશ્યના સૌંદર્યને અનુભવ શબ્દાતિત છે. વર્ણનના વાકયોમાં એ પૂર નહીં ઝીલાય. બસ આંખોની પ્યાલી ભરી ભરીને સૌદર્યરસ પી લે!
વળી અહીં દ્રષ્ટિ જેમ ભૂખ પણ સૌથવાની વ્યવસ્થા સેન્ગરે કરાવેલી છે (આભાર એને!) એનાં માણસેએ પેલા ટાળવુકાના મેટાં મોટા પાનમાં અમને બધાંને બે બે પઠાં ને શાક આપ્યું, અને આસપાસથી ભેગા કરેલા લાકડા સળગાવ્યાં. અને પછી તે ડબાના દૂધની ચા તૈયાર થવા માંડી. અહહાહા-એજ તો એટલું ભોજન પણ બ્રહ્મભેજન જેવું લાગે છે! એ પર તૂટી જ પડવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. પણ
પણ મને ને ચા૨ને બીજે પ્રલોભન વધુ આકર્ષી લે છે. અહીં બે ભાગેમાં વેંચાયેલો કુદરતી કંડ છે. જાણે કે એનું પાણી નાસી જવાનું ન હોય, એમ અમે તે એમાંથી બહેને માટેના ભાગમાં જઈને ઝંપલાવીએ જ છીએ- અલબત્ત, પહેર્યો કપડે જ! અમારૂં જોઈને બીજા બેચાર બહેને પણ તૈયાર થયા છે. ભાઈઓ એમના વિભાગમાં તરવા માંડેલા મને એ છતાં થોડો ક્ષોભ થતો હતો અને અપ્સરાવિહારના અનુભવે મનને જલદી ક્ષોભમુકત કર્યું. હા, આ પાણીનું ઊંડાણ એથી વધારે છે. પણ એમને તરવામાં કોઈ ભય નથી. ખરું કહે તે અમારે તો ડૂબવું મુશ્કેલ છે! પછી તો આ તક કેમ જતી કરાય? ઝંપલાવવા સાથે કંડનું તળીયું પગથી દૂર થવા માંડયું. જેમાં વિમાનના પૈડાને આગળ વધે તેમ ધરણીને સ્પર્શ દૂર થાય અને પછી એ અદ્ધર થઈ જાય, તેમ અમારા પગ પણ પાણીમાં ઊંચકાઇ ગયો. અને અમે પાણીમાં “ઊંડવા” લાગ્યાં. આખા કુંડમાં ઊંધા તેમ જ, થાકીએ ત્યા ચત્તાં તરવામાં પાણી આત્મીય દોસ્તી થઈ જાય છે. આ આત્મીયતા હૃદય ભરીને માણ્યો પછી અમે પાછા ભેખડ પર ચડી જઈએ છીએ. આહા, આવા હરિયાળા વનશ્રી વિહારમાં માણેલી આ સર્વોત્તમ સમય માનસપટે - કેટકેટલા સમય સુધી અંકાઈ જશે! તડકામાં બેસતા શરીર ને કપડાં તે કુદરતે સૂકવી દીધો, પણ મન તો અત્રે એ ક્ષણોને વાગોળતું ભીંજાયો જ કરે છે. એને લીધે કરેલી કેફી પઠાં શાક પણ વધુ મીઠા લાગે છે. અને એ તાજગીથી થાક કયાંય ઓસરી જાય છે. અને અમે પાછો ત્રણ કિ.મી.નું ચઢાણ ચઢવા કટીબદ્ધ થઈ ગયાં છીએ. મનની કૃતાર્થતાએ આ ચઢાણ ધાર્યા તો ઘણું સહેલું લાગ્યું. અને તે અમે “હા...શ” અનુભવતા પાઇ ટોચ પર પહેરીને રસ્તે ઊભેલી અમારી લકઝરી બસમાં બેઠવાઈ જઈએ છીએ. હા, સેન્ગર માટે રોષ તો મનમાં હજી પણ છે ખરો, અને એ વ્યકત કરતાં કરતાં પાછા ન્યુ હોટેલમાં પહોંચી જઈએ છીએ.
પંચમઢીનાં અન્ય રમ્ય સ્થળામાં ધૂપગઢ પણ જાણીતું છે. આ એક જ સ્થળેથી બે બાજુએ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા જેવા ખરા. ત્યાં બહુ વિશેષતા નથી પણ એકવાર જોવા જેવું ખરૂં. અહીંથી બીજા શીખરો ઓળખવાની પણ મજા છે. અહીં છેક સુધી (Four wheeler) જીપમાં જઈ શકાય છે. અલબત્ત, ખર્ચ જણ દીઠ રૂા.૯: અમારી સંખ્યા
મુજબ દઈને. અને તળેટી સુધી રૂા. ૫ માં બસમાં જવાય છે. 1 - અગાઉથી રિઝર્વ કરાવીને પછી જાતે ચઢી જવાય છે. અમે આ વખતે જીપ કરી છે. આ ધૂપગઢમાં ટોચ પર એક નાનું આરામગૃહ છે. અગાઉથી જણાવ્યું હોય તો ત્યાં ખાવાનું પણ કરી આપે. એટલે એક જ યાત્રામાં સાંજે સૂર્યાસ્ત, રાતે ત્યાં રહેવાનું ને સવારે સૂર્યોદય જોઈને પાછા ફરવાનું બની શકે. ખરી મજા એમાં જ આવે.
અને હા, ધૂપગઢ જતાં જતાં એક નાનું પણ સુંદર સ્થળ આવે છે– જલગલ્લીઅહીં પાણીએ પહાડને કોરી કરીને કેવી ગલીગૂંચી સર્જી છે અને તેય પાણીની ગલી! હાડને પાણીની રમત ને કશમતવાળા આ સ્થળને દુરથી ખ્યાલ જ નથી આવતે. ધુપગઢ જવાના પાકા રસ્તા પર એક નાનું ગરનાળું આવે છે. એની જમણી બાજુથી આ કેડી ફંટાય છે. ત્યાંથી નીચે ને નીચે સાંકડા પોલાણમાંથી જાણે કે પાતાળપ્રવેશ કરતાં હોય તેમ ઉતર્યે જ જવાનું છે. કાળા કોતરોમાં પાણીનાં જોશથી જે આકારો સર્જાયા છે તે જોતાં માણનો અમે દસેક મિનિટમાં છેક નીચે પહોંચીએ છીએ. અહીં ઝરણા કલ્લોલતો આરંભ જોવાની મજા આવે છે. આ ઉતરાણ હેલું છે ને ચઢાણમાં પણ કામ નથી લાગતું. પણ આટલી સીનીથી જોવા મળતી જલગલી, કુંજગલી જેમ યાદગાર થશે.
હજી તે બીજા સ્થળો પણ બાકી છે. પણ બધું લખવામાં ઘણું લાંબુને પુનરાવર્તનભર્યુંલાગે- છતાં હજી એક સ્થળ-જટાશંકરની વાત કરી લઉં. જટાશંકર નામ પરથી તે લાગે કે શંકરની મૂર્તિવાળું કોઈ મંદિર હશે. આ મૂર્તિની જટામાંથી ગંગાવતણ થતું બતાવ્યું હશે, અને લોકો એને પૂજતા હશે. હા, અહીં એ તો છે. પણ એથી પણ કંઈ વધુ છે, વધુ સુંદર છે. આ જલગલીથી ઘણું વિશાળ તે ઊંડું સ્થળ છે. પર્વતની ટેચ પરથી નીચે ઉતરવા માટે પગથિયાં, પગથી, કઠેરા વિગેરે સગવડ છે. ઉતરાણ આથી સરળ બને છે, પણ એની નૈસર્ગિક સુંદરતા ઓછી થાય છે. છતાં ઉતરતાં ઉતરતાં જરા ઊંચે ને આસપાસ તો જુઓ. ફરતા ખડકોના આકાર કેવા લાગે છે! જાણે કે શંક્રની જટાના એકએક ગૂંચળા જ જોઈલે ને ચારે બાજુ આ શીલાએ ગળાક્ષર “જટાશંકર” નામની યથાર્થતા સમજાવી દે છે. આ જટાઓ જાણે કે રહસ્યના એકએક પડદા હોય અને એ હટાવતા હટાવતાં છેક નીચે જઈએ ત્યાં વિશાળ કડ આવે છે. એ કહ એળંગવા માટે બેટરી તે જોઈએ જ. એના અજવાળે ઘૂંટણબૂડ પાણીમાં સામે છેડે ચાલી લીધું. એક બાજ અહીં શંકરનું નાનું શીવલિંગ છે ને તે પૂજાય છે. લોકો કુડના ઠંડા ને છીછરા . પાણીમાં નિશ્ચિતપણે ન્હાય છે, તરે છે. મન તે થાય છે તરવાનું, પણ આ વખતે કોરા રહીએ છીએ. મેડુ ઘણું થાય છે એટલે.
આ જટાનાં રહસ્યો અને આસપાસની હરિયાળી ફરીથી માણતાં માણતાં અમે ઉપર ચઢી જઈએ છીએ. આ સ્થળે ધર્મશ્રદ્ધાળુઓ પૂજા કરે છે અને ત્યાં ખાય, હાય ને સ્થળને. અવરજી પણ કરી દે છે. જો એ ન કરવા દેવાય તે આ સ્થળનું મૌલિક સૌંદર્ય ઓર સ્પર્શી જાય છે.
આમ પંચમઢીની અનેકવિધ રમણીયતા સ્મરણપટે સંઘરીને એક વહેલી સવારે અમે પાછાં ભેપાળની બસમાં ગોઠવાયાં છીએ. અહીં આવતી વખતે જે તકલીફ થયેલી તે ખ્યાલમાં રાખીને હોટલથી બસ-સ્ટેશન પહોંચવા માટે જીપની વ્યવસ્થા અગાઉથી ટુરિસ્ટ બ્યુરકુરા કરાવેલી. એટલે નિરાંત હતી. - પાંચ વાગે અમારી બસ ઉપડી (અડધો ક્લાક મેડી) ઘાટના એક એક ઢોળાવ ઉતરતાં ઉતરતાં પૂર્વાકાશ નજરને પકડી રાખે છે. ત્યાંથી ચોમેર પ્રસરતાં કૂણાં કૂણો રમિઓ ધરણી પર નવી તાજગી પ્રસરાવે છે. વાદળની આડશમાં ફૂટી નીકળતા ફુવારા
જેવાં કિરણે એમની ચેતનાને પણ નવ-પલ્લવિત કરે છે. પેલા વશી-વિહારના પરમ-આનંદની ક્ષણે જ જાણે કે એ કિરણો બનીને ચોમેર રેલાઈ રહી છે! અને એના સુરીલ ઉજાશમાં જાગી રહ્યું છેમાત્ર પંચમઢી જ નહીં, પણ આખું જગત – બહારનું તેમ જ અંદરનું પણ! જાણે કે સમગ્ર અસ્તિત્ત્વ રવિન્દ્રનાથ ટાગોરનું ગીત રણકાવી રહ્યું છે.
આનંદધારા વહે છે ભુવને - દિન રજની કે તે અમૃતરસ
ઉછલી જાય અનંત જીવને!” સમાપ્ત
- ગીતા પરીખ