SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૮૦ પ્રબુદ્ધ જીવન પંચમઢી “અરે બાપ રે, રાતના સાડાબાર થઈ ગયા!” પંચમઢીના સૂમસામ બસ-સ્ટેશને પહોંચતાં પહોંચતાં મારા મોંમાંથી પ્રથમ ઉદ્ગાર તે આ જ સરી પડે છે. આ ગરમીના દિવસે અને લાંબી- ધીમી ગતિના સમાચાર જેવીમુસાફરીને થાક ને કંટાળે તે શરીરમાં ભર્યો જ છે, એમાં આ મધરાતને સમયે અજાણ્યા સ્થળે ચકલાં પણ ન ફરકે ત્યાં ઉતર્યા છીએ. બસ-સ્ટેશનથી ત્રણેક કિલોમીટર આવેલી અમારી ન્યુ હોટેલ પર આટલા સામાન સાથે પહોંચવું છે પણ કોઈ વાહન કે મજૂર વગર જવું કેવી રીતે? મુસાફરીમાં પણ અમે છ જ છીએ. બીજા બેત્રણ ત્યાંના સ્થાનિક લોકે છે. પણ હાશ, ડ્રાઈવરને સમજાવતાં એ વળી માન્યો અને એક બીજી મીની બસમાં અમને બેસાડીને છેક હોટેલ પર ઉતાર્યા. આખી બસ અમારી, પણ ભાડું માત્ર જણ દીઠ આઠ આના! “સતું ભાડુને સિદ્ધપુરની જાત્રા!” પંચમઢીની આંતરિક અવરજવરમાં વાહનોની ખેંચ, તેમજ તે નિવારવાના માનવતાભર્યા પ્રયાસને સુખદ અનુભવે અમારો પંચમઢી-પ્રવેશ શરૂ થાય છે. આ પ્રથમ દર્શને પંચમઢી તે ગાઢ અંધારામાં આવરેલું છે અને આંખોમાં પણ ઊંઘનાં થર પર થર ઊતરી આવે એમ છે. એટલે આ નવા ને કમ-પ્રતિષ્ઠિત ગીરિમથક અંગેનું કૌતુક મનમાં સમાવીને અમે વહેલામાં વહેલી તકે ઊંઘમાં ડૂબી જઈએ છીએ. આછી મીઠી ઠંડક સાથે સવારનાં કુમળાં કિરણો મારાં પોપચાં ઊંચકે છે ત્યારે ખામાં કૌતુક ને તાજગી ભર્યા છે. નવું સ્થળ પ્રથમવાર જોઈએ ત્યારે જે રહસ્યના પડદા એક પછી એક ઊંચકાય છે તેનું સંવેદન કે મધુર હોય છે! એટલે જ જયારે પ્રવાસમાં જઈએ ત્યારે હું નવો સ્થળે જવાની અગ્રણી હોઉં છું. પાંચમઢી જવાનું વિચાર્યું ત્યારે અમને ત્યાં કેમ જવાય એ પણ ખબર ન હતી. મુંબઈના એક મિત્રે જણાવ્યું કે કાશી-એકપ્રેસ અથવા કલકત્તા મેલમાં મુંબઈથી ભૂસાવળ થઈને પિપરિયા પહોંચે, ને પિ૫રિયાથી બસમાં લગભગ બે ક્લાકે પંચમઢી પહોંશે - પણ અમે તો અમદાવાદમાં એટલે નકશા લઈને બેઠાં અને નક્કી કર્યું સાબરમતિ એકપ્રેસમાં ભેપાળ પહોંચવાનું. આમ તે ૧૯ કલાકે સીદ્ધા પાળ પહોંચાય. પણ એકપ્રેસ ટ્રેન લક્લ જેવી, અને વળી ચાર કલાક મેડી. ભેપાળમાં ત્રણેક કલાક કાઢયા બાદ પાંચમઢીની બસ મળી. એણે પણ (એટલા જ પૈસામાં !) વધુ કલાક બેસાડયાં અને અમે સાત કલાકે આગળ જણાવ્યું તેમ મધરાતે પંચમઢી પહોંચ્યાં-૩૫૦૦ ફીટની ઊંચાઈ પર ! મધ્યપ્રદેશમાં હોશંગાબાદ જિલ્લામાંથી પસાર થતી સાતપુડા પર્વતમાળામાં એક “લૂંટે” (સમથલ ભૂમિ) પર પંચમઢી એક વખતે મધ્ય પ્રદેશની રાજધાની હતી. અત્યારે એ ગીરિમથક છે. જુદા પ્રતિષ્ઠિત હોવાને લીધે એ અન્ય ગિરિમથકેથી ઓછું વિકસેલું છે.છતાં સામાન્ય રીતે જરૂરી ગણાય એવી બધી સગવડે સચવાય એવી હોટેલ, ધર્મરાળા તથા બંગલાએ ત્યાં છે. નથી માત્ર પ્રવાસીઓને ધસારે! અને હા, એટલે જ ત્યાં કેવી સુંદર શાંતિ અનુભવાય છે! ત્યાંનું જીવનધોરણ પણ મધ્યમ કક્ષાનું હોવાથી ખર્ચાળ નથી. અમે ઉતર્યા છીએ તે હોટેલમાં એક મોટો રૂમ, સાથે એક નાને રૂમ, બાથરૂમ, જાજરૂ તથા મેટો વડે, એવા એક બ્લેન રાજના માત્ર કા, પ૨પ લે છે. જમવાના એક થ ળીનારૂા. ૩/૫૦ છે. અને જમવાનું રહેવાનું એકંદરે સાર જ છે આથી વધુ સગવડવાળી હોટેલ, બંગલા, ધર્મશાળા વગેરે પણ રહેવા માટે મળે છે. આ પંચમઢીને વધારે ઉપયોગ લશ્કરી તાલીમ માટે થયે છે તે થાય છે. પ્રવાસીઓને ગીરિમથક તરીકે પંચમઢી ભલે શોધવું પડે, પણ આપણા પાંડવોએ મહાભારતના સમયે એ શોધી કાઢેલ! એમની ગુપ્તવાસમાં તેઓ આ સ્થળે પાંચ ગુફાઓમાં (પંચ-મઢીમાં રહેલાં એટલે પૌરાણિક દષ્ટિએ પંચમઢી મહત્ત્વનું છે. અમારી | હોટલના વરંડામાંથી થોડે દૂર આવેલી એક ટેકરીને એની પાંચ ગુફાઓ દેખાય. છે. આ પાંચ ગુફાઓ એ જ “પંચમઢી.” અંગ્રેજોએ આ નામને બગાડીને “પછમહીં ” (Pac hmari ) કર્યું છે પણ વળી પાછું એ નામ તેમ જ પંચમઢીના વિવિધ સ્થળોમાં નામેનું સંકતિકરણ થયું છે અને પંચમઢીને સુંદર નાનો લાભ મળે છે. આ “પંચ મઢી”ની ગુફાઓ ટેકરીની અધવચ્ચે છે. અને કોતરકામની દષ્ટિએ તદ્દનું સાદી છે. પણ 'ટેકરીની ટોચ પર આવેલી બેઠકો પર બેસીએ ત્યારે પર્વતોની ખેાળામાં આવેલું આ ગામ તથા આસપાસનાં દશ્ય જોવાની મઝા આવે છે. છેલ્લું ચોમાસું શુષ્ક જવાથી આ વખતે હરિયાળીથડી પાંખી છે. છતાં આખા દશ્યમાં પ્રસરેલી લીલાશ આંખને ટાઢક આપે છે. એમાં વળી આથમતાં સૂર્યની સેનેરી સુંવાળપ એ પર પથરાય છે ત્યારે મનમાં મધુર શાંતિ છવાઈ જાય છે. જાણે કે પરમ પિતાની વત્સલ દષ્ટિ માણતી સૃષ્ટિ પણ પૂર્વાના સ્વરમાં તરી ના રહી હોય! પ્રવાસને થાક ઉતારતાં ઉતારતાં પહેલે દિવસે તે આ પાંડવગુફા, જાહેર બાગ-બગીચા, કાફેટેરિયા વગેરે જેઈને અમે સંતોષ માન્ય. આ વિસ્તારમાં એક સંગીત-સાધના મંદિર, ચ, લશ્કરી તાલીમકેન્દ્રો વિગેરે શહેરી વાતાવરણ સર્જે છે. પણ એની શુષ્કતા બાગનાં રંગબેરંગી ફ લે તથા જયાં ત્યાં કલરવતાં પંખીડાં મનને પ્રફુલ્લિત કરે છે. અમારા પક્ષીપ્રેમી બહેન ચરૂને બટુકભાઈ (અને એની અસરમાં અમે પણ) અવનવાં પક્ષીઓને જોયાં જ કરે છે. બાયનેકપુવર એમને ઝાડ પર પણ “ચઢાવી’ દે છે ને ઢાળ પર પણ “ઉતારી” દે છે! આ જાહેર બાગમાં એક સરકારી દુકાન છે કે જયાં શાકભાજી તેમ ફળફળાદિ ત્યાજબી કિંમતે વેચાય છે. છતાં બાગ-બગીચાને વિસ્તાર વધારે તો માનવસર્જિત સૌંદર્ય માણવા દે છે, નૈસર્ગિક નહીં. આવી સુંદરતામાં પણ “અભિસાર કુંજ” (Honeymoon huts) ધ્યાન ખેંચે એવા છે. નાનકડા કળામય ઘુમ્મટનો આકારના આ મકાનની બહારની ભીંત પર માટીનું સ્તર કરીને ઘાસ ઉગાડયું છે. એના નાના કદમાં પણ ઘરને જરૂરી બધી સગવડો છે. બહાર નાનકડે બાગ, કુંડ ને કુંડમાં બતા; દરવાજો પણ જાણે કે રમકડાને. અહીં ‘હનીમુન’ પર ન આવ્યાં હોય તેવા લોકો પણ રહી શકે છે, પણ ભાડું રોજના રૂ. ૩૦/- એના આકર્ષક દેખાવે હનીમુન પર આવનારા જરૂર આકર્ષાય તો ખરા! હંમેશા માટે રહી ન જાય તે જ જોવાનું! પરંતુ નિસર્ગ સૌદર્યના ખરા શોખીનને આ વિસ્તારથી પૂરો સંતોષ તે ના જ થાય! અમારી આંખો પણ દૂર દૂરનાં શિખરો પર ધૂમવા . માંડી છે. આ સ્થળેના અંતરને લીધે બધે સહેલાઈથી પહોંચાય એવું નથી. પણ “ટૂરિસ્ટ બ્યુરો”એ ત્રણ યાત્રાઓ Guided towns ગોઠવી છે. અહીં બસ લગભગ નિયમિત રીતે જાય છે તેમ જ ટેક્ષી અને જીપમાં પણ જઈ શકાય છે. આમાં અગાઉથી રિર્ઝવ કરાવે તો સાર પડે. કોઈ વાર કમનસીબે ધસારો વધી જતાં તકલીફ પડે. પંચમઢીમાં આંતરિક વાહનવ્યવસ્થાને અભાવે આ ગોઠવણી સારી લાગે છે. આ સિવાયનાં સ્થળોએ જવા માટે તે પદયાત્રા જ કરવાની. અને પગ એ માટે તૈયાર થાય પછી તે આનંદ જ છે. આવી યાત્રાઓ આકરી લાગે પણ એના થાકને વિસરાવી દે એવી વનશ્રી ચોગરદમ વિવિધરૂપે પથરાયેલી છે. આવાં પરિભ્રમણામાં યાદ રહી ગયાં એવાં કેટલાંક સ્થળની વાત કરું ? અપ્સરા-વિહાર અને રજતપ્રપાત તથા રસ્તામાં આવતું સુદુર-દર્શન અને Rock-paintings (વૈતરોમાં ચિત્રકામ) અમારા પહેલા પરિભ્રમણના લક્ષ્ય હતાં. મારે આ નામ તો જઓ! કેવાં સંસ્કૃતમય અને કલ્પનાપ્રેરક છે! વન–વિહાર, ધૂપગઢ, શૈલાંજલિ, પ્રિયદશિની, એકાંતગીરી, વાત્સલ્ય, પાવસપ્રપાત, જટાશંકર- આવાં કેટલાં નામે અને એને અનુરૂપ સૌદર્ય ધરાવતાં ધામે છે. - અમારી પહેલી પદયાત્રા મારી હોટલથી લગભગ ચાર' કિ.મી. દૂર આવેલા અપ્સરા-વિહાર માટે શરૂ થઈ ત્યારે ઉત્સાહપૂર્વક કદમ માંડયાં. પણ આ રસ્તે ચઢાણ ને ઉતરાણ જ વધારે છે. લગભગ આખે રસ્તે રાળ-વૃક્ષો તથા આંબા વગેરેનાં વૃક્ષો સાથ આપે છે. એનાં પહોળાં લીલા પાન આપણને તડકો ચાળી ચાળીને 'આપે છે એટલે ગરમી નથી લાગતી. પણ એ પાન સૂકાઈ સૂકાઈને , નીચે પડતાં રસ્તે લપસણું કરી દે છે. અહીં અમારી સાથે ભેમિયો કે કેડી નથી – “ભામિયા વિના મારે ભમવાતા ડુંગરા” જ માણવાનું છે. અને નાનામોટા પથ્થરો તથા પાંદડાઓમાં સમતુલા જાળવવી મુશ્કેલ છે. કેડી નથી પણ એને અણસાર મળી રહે છે. પણ પગને ટેકવતાં ગોટલાં (પગના, કે ના નહીં !) કઠણ થતાં જાય છે. સૂર્યાસ્તને એ ઉતરાણ એકર લાગતાં કંટાળે ને ફરિયાદ પણ કરે છે, વળી
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy