________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૦.
• ગુરવાર, તા. ૧૧મી સપ્ટેમ્બરે પ્રથમ વ્યાખ્યાન ડૉ. કાન્તિલાલ કાલાણીનું હતું. એમને વિષય હતો "નિષ્કામ કર્મયોગ, એમણે કહ્યું કે કર્મની ગતિ, અતિ ગહન છે. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, કૃષ્ણ અને રામના જીવનના અહિંસાના કેટલા પ્રસંગે જોવા મળે છે. ધર્મનું રક્ષણ કરવા માટે જીવનપ્રવૃત્તિઓમાં ક્યાંક ભેદરેખા દોરવી પડે છે. જગતમાં કર્મની પ્રયા સતત ચાલ્યા કરે છે. કર્મ પાછળ માણસનો લાભાલાભને કંઈક આશય રહેલો હોય છે. માણસ પિતાના કર્મના ફળ માટે આતુર હોય છે. પરંતુ ફળની ઈચ્છા સાથે
કરાયેલું કર્મ તે સકામ કર્મ છે. એમાં આનંદ કરતાં ભાર વધુ હોય છે. નિષ્કામ કર્મમાં નિષ્ઠા અને ચિત્તાની એકાગ્રતા હોય છે અને એને આનંદ અનેરે હોય છે. સમત્વ બુદ્ધિથી કરેલું કર્મ તે ઉત્તમ કર્મ છે. એવું કર્મ કરવા માટે કર્વે વને ભાવ છોડી દેવાનું હોય છે. વાસના ઉપર વિજય મેળવવાને હોય છે. ચિત્તાને શુદ્ધ અને શાંત કરવાનું હોય છે. જાત ઉપર ચકી કરવાની હોય છે. આવા નિષ્કામ કર્મયોગ એ જીવનની આધારશીલા છે.
. એ દિવસે બીજી વ્યાખ્યાન ડો. સુરેશ દલાલનું હતું. એમને વિષય હતે ‘હરમાન હેસ.' નોબેલ પારિતોષિક વિજેતા આ જર્મન નવલકથાકાર, કવિ, પત્રલેખક અને તત્વચિંતકના જીવનકવનને સમજવા માટે એમના શૈશવને અને યૌવનને સમજવાની જરૂર છે એમ જણાવી વ્યાખ્યાતાએ હરમાન હેસના કિશોરાવસ્થાના અને યુવાવસ્થાના કેટલાક પ્રસંગો ટાંકયા હતા. હરમાન હેસ ઉપર જર્મન ચિંતક નિજોને ઘણે બધે પ્રભાવ પડયો હતો. હેના માતામહ મિશનરી હતા અને ભારતમાં રહ્યા હતા. હેસે પણ ૧૯૧૧માં ભારતને પ્રવાસ કર્યો હતે. ભારતીય તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતે, જેની અસર એમની ‘સિદ્ધાર્થ, ધ વેંન્ડરિંગ” જેવી નવલકથાઓ ઉપર પડી છે. હસને માનવીય સંબંધોની યાંત્રિકતા ગમતી નહોતી. તેઓ ક્રિક્રિયાનીટીમાં માનતા હતા, પણ ચર્ચમાં નહિ. પ્રત્યેક મનુષ્યને પિતાને જ દો આત્મા છે અને તે નિત્યનૂતન છેએમ તેઓ માનતા હતા. હસે સ્વેચ્છાએ દેશવટો સ્વીકારી, જર્મની છડી સ્વિન્ઝરલેન્ડમાં વાસ કર્યો હતે. ૮૫ વર્ષની ઉંમરે કવિતા લખતાં લખતાં અને કવિતા જીવતાં જીવતાં એમણે શાંતિથી દેહ છોડયો.
શુક્રવાર, તા. ૧૨મી સપ્ટેમ્બરે પ્રથમ વ્યાખ્યાન ડૉ. ચીનુભાઈ નાયક હતું. એમને વિષય હતો ‘ર વિચાર તો પામ. એમણે કહ્યું હતું કે વિચાર એ આચારને પાયો છે. સંસ્કૃતિક પાયે તે થિકિંગ, ડુઈંગ અને હેવિંગમાં છે. પરંતુ આજે જ્ઞાન વિજ્ઞાનની અનેક શાખાઓમાં પ્રગતિ થઈ હોવા છતાં માણસ છિન્નભિન્ન જણાય છે. એ શિક્ષણ લે છે, પરંતુ જીવનને મર્મ પામ્યું હોય તેવું ઓછું લાગે છે. તેનું કારણ નિષ્ઠાને અભાવ છે. વિદ્યાર્થીને જેટલું શાળામાંથી મળવું જોઈએ તેટલું તેના કુટુંબના વાતાવરણમાંથી મળવું જોઈએ. ઐહિક પ્રગતિમાંથી આધ્યાત્મિક પ્રગતિ તરફ ગતિ કરવી જોઈએ અને એ માટે પોતાના આત્માને સાચે ગુરુ બનાવવો જોઈએ કારણ કે The soul of the progress is the progress of the soul
એ દિવસે બીજ વ્યાખ્યાન ફાધર વાલેસનું હતું. ફાધર વાલેસ થોડા વખત પહેલાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ કરીને આવ્યા હતા એટલે એમણે વિષય રાખ્યો હતે દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમંથન.” પિતાના પ્રવાસના વિવિધ અનુભ વર્ણવતાં એમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકા સરકાર ગેરા લોકોની છે. ત્યાં લાંચરુશવત નથી. ભ્રષ્ટાચાર નામનિશાન નથી. સ્વચ્છતા બધે નજરે પડે એવી છે. કાર્યદક્ષતા અને પ્રમાણિકતા માટે આપણને માન થાય. પરંતુ ત્યાંની રંગભેદની નીતિ ૨ો એની મોટામાં મોટી શરમ છે. ગરા, એશિયન, આફ્રિકને, ચીનાઓ બધાના રહેવાના વિંસ્તારો જુદા જુદા. ટ્રેનમાં, બસમાં દુકામાં, રેસ્ટોરાંમાં, બગીચામાં, સ્વીમિંગ બાથમાં બધે જ રંગભેદ. ત્યાંના કૂતરાએ પણ રંગભેદથી ટેવાઈ ગયા છે. એથી આફ્રિકન લોકોને પણ ગોરાઓ પ્રત્યે એટલે જ તિરસ્કાર છે. ગાંધીજીના સમયમાં હતી તેથી પણ ખરાબ સ્થિતિ અત્યારે ત્યાં પ્રવર્તે છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન થયેલા મંથનનું નવનીત એ હતું કે અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત વિના જગતમાં શાંતિ નથી. ફાધરે રેડિયે મુલાકાતમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભારત જગતમાં શાંતિની નિકાસ કરે છે.
શનિવાર, તા. ૧૩મી સપ્ટેમ્બરે પ્રથમ વ્યાખ્યાન હતુંપ્રો. તારાબહેન શાહનું એમને વિષય હતો. ‘સામાયિક'. એ વિશે બેલતાં એમણે કહ્યું કે સામાયિક એ જૈનેની છ આવશ્યક ક્રિયાઓમાં પહેલી અને સૌથી મહત્ત્વની ક્રિયા છે. ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તરત મહત્ત્વને ઉપદેશ સામાયિકો આપ્યો. સમ એટલે સમત્વ
અને આય એટલે લાભ જેના દ્વારા થાય તે સામાયિક. સામાયિક શબ્દનાં બીજા પણ અર્થઘટને છે. સામાયિક એ ગૃહસ્થ માટે બે ઘડીનું સાધુપણું છે, કારણ કે સામાયિકમાં એટલા સમય માટે એક આસને બેસી, પાપયુકત ક્રિયાઓથી રહિત થઈને, મૌન ધારણ કરીને, એકાગ્રચિત્તે સ્વાધ્યાય, જપ ઈત્યાદિ કરવાનાં હોય છે. વ્યાખ્યાતાએ તદુપરાંત સામાયિકની ક્રિયા માટેનાં ઉપકરણોનું અને સામાયિક લેવા તથા પાળવા માટેનાં સૂત્રોનું સુમિ રહસ્ય સમજાવ્યું હતું.
એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈનું હતું. એમણે ‘મહાવીર કૃષ્ણ અને ગાંધીજી વિશે બોલતાં કહ્યું હતું કે મહાભારત, શ્રીમદ્ ભગવદ્ગીતા અને ભાગવત એ ત્રણેમાં શ્રીકૃષ્ણનું વિવિધ પામું જોવા મળે છે. મહાભારતના કૃષ્ણ મહામાનવ, યુગપુરુષ અને ક્ષાત્રધર્મના પુરસ્કર્તા છે. ગીતાના કૃષ્ણ યોગેશ્વર કૃષણ છે અને ભાગવતના રસેશ્વર કૃષ્ણ છે. અર્જુનને કૃષ્ણ જે ઉપદેશ આપે છે તે એને મેહ દુર કરવા. અર્જુનને વૈરાગ્ય નહોતે, મોહ થયો હતો. વૈરાગ્ય હોત તો તે યુદ્ધ ન કરત. શ્રીકૃષ્ણની જગ્યાએ ભગવાન મહાવીર હોત તો એમણે યુદ્ધને ઉપદેશ આપ્યો ન હોત. ભગવાન મહાવીરે 'અહિંસા પરમ ધર્મને ઉપદેશ આપે. અહિંસાને ઉગમ અનુભવમાંથી છે. માણસ પોતાના સુખ માટે બીજા જીવોની હિંસા ન કરી શકે. દરેક પ્રાણીને પિતાને જીવ વહાલે છે અને દરેકને જીવવું ગમે છે. ભગવાન મહાવીરે સાધન શુદ્ધિ ઉપર, અહિરા, સંયમ અને તપ ઉપર સૌથી વધુ ભાર મૂક. ગાંધીજીએ ભગવાન મહાવીરની અહિંસા અને ગીતાના અનાસકિત યોગ સમન્વય કર્યો. ગાંધીજી અહિંસાને સમાજવ્યાપી ભૂમિકાએ લઈ ગયા અને અહિંસક સમાજની કલ્પના આપી, સંસારને સુધારવા માટે ગાંધીજીએ પણ સાધનશુદ્ધિ ઉપર ભાર મૂકો.
રવિવાર, તા. ૧૪મી સપ્ટેમ્બરે પ્રથમ વ્યાખ્યાન મારું હતું. વિષય હતે. ‘તમા૫ના. મારા વ્યાખ્યાનમાં બતાવાયું હતું કે જગતના તમામ ધર્મોમાં કામાના તત્તવ ઉપર ભાર મુકાયો છે, પરંતુ જૈન ધર્મો તે એને પર્વનું રૂપ આપ્યું છે. જામા વગર જગતમાં શાંતિ નથી. મૈત્રી, પ્રેમ, કરુણા, અહિંસાની ભાવના હૃદયમાં ન હોય ત્યાં સુધી સાચી ક્ષામાં પ્રગટ થતી નથી. હૃદયમાં રહેલી ક્ષમાની ભાવના કુટુંબ, સગાંસંબંધીઓ, સમાજ અને બધા માનવોથી વિસ્તરીને સમસ્ત જીવો સુધી પહોંચવી જોઈએ. દ્રવ્યક્ષામાથી અટકી ન જતાં ભાવમાં સુધી અને તેમાં પણ ‘સહજ ક્ષમા’ સુધી પહોંચવું જોઈએ. સાંવત્સરિક ક્ષમાપના જે કરતા નથી તેના કષાય અનંતાનુબંધી થાય છે અને સમ્યકત્વ જો પ્રાપ્ત થયું હોય તે તે ચાલતું જાય છે. આરાધક જીવો માટે ક્ષમાની પ્રથમ આવશ્યકતા છે. જે જામા માગીને અને ક્ષમાં આપી ને શાંત નથી થતા તેઓ સાચી આરાધના નથી કરી શકતા. કામા માગવી સહેલી છે પણ અપરાધીને સાચા દિલથી કામા આપવી એ ઘણી અઘરી વાત છે. આત્મબળવાળા વીર પુરો એ કરી શકે છે. માટે ક્ષમા વીરના ભૂષણ તરીકે ઓળખાવવામાં આવે છે.
એ દિવસે બીજું વ્યાખ્યાન ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈનું હતું. એમનો વિષય હતો “ધર્મ અને વ્યવહાર.' એમણે કહ્યું હતું કે ધર્મ માણસના જીવનમાં માર્ગદર્શન ન કરે ત્યાં સુધી માણસ માણસ બનતો નથી. સર્વ પ્રાણીઓમાં માણસ શ્રેષ્ઠ કહેવા કારણ કે એની પાસે બુદ્ધિ છે અને વિવેક છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ કહ્યા છે અને તેમાં ધર્મને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મ પ્રમાણે જે આચરણ થાય તે વ્યવહાર સારામાં સારો બને. પરંતુ માણસ ધર્મને નામે વ્યવહારમાં સોદાબાજી કરે છે અને બુદ્ધિને દુરુપયોગ કરે છે. શુભ અને અશુભ, સત્ય અને અસત્યના ઠંદ્રમાંથી પુરષાર્થ કરીને માણસે નીકળવાનું છે અને શુભ તથા સત્યને પામવાનું છે. ભારતમાં ધર્મની પકડ ઘણી મોટી છે, પરંતુ દુળતાને લીધે માણસે ધર્મનું સાચું આચરણ વ્યવહારમાં કરી શકતા નથી. ભારતમાં ત્યાગની જેવી ભાવના છે, ભારતમાં જોવા સાધુસંતો છે તેવા દુનિયામાં બીજે નથી. માટે જ ભારતનું ભાવિ ઉજજવળ છે અને ભારત દુનિયાને બચાવવાવાળો દેશ થશે એવી મારી અચલ શ્રદ્ધા છે. - આમ, નવ દિવસ સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વિવિધ વિષયનાં વ્યાખ્યાને દ્વારા આત્મચિંતન કરવાની સુંદર તક સાંપડી હતી. આયોજકાએ એ કાળજીપૂર્વક આયોજન કર્યું હતું. આ પ્રસંગે વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેવાની મને જે તક આપવામાં આવી અને મારા કાર્યમાં સંઘના સભ્ય, સમિતિના સ, હોદ્દેદારો, કર્મચારીઓ, સંગીતકારો, શ્રોતાઓ અને વ્યાખ્યાતાઓ તરફથી મને જે પ્રેમભર્યો સહકાર સાંપડયો તે માટે તે બધાને અંત:કરણપૂર્વક હું આભાર માનું છું. -રમણલાલ ચી. શાહ