SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૮૦ પ્રબુદ્ધ જીવન ‘નવારમંત્રમાં આંતરશત્રુ ઉપર વિજય મેળવનાર પદને નમસ્કર છે. એમાં કોઈ સાંપ્રદાયિક કે વ્યકિતની વાત નથી, માટે જ તે વિશ્વપ્રાર્થના છે. એને જાપ આપણા કોને ભેદીને આપણા શુદ્ધ સ્વરૂપની આપણને પ્રતીતિ કરાવે છે. એમાં મૈત્રિ, પ્રમાદ, કરાણા અને માધ્યમથ એ ચાર ભાવનાની પરાકાષ્ઠા છે અને તેમાં તીર્થ કરના ચાર અતિશય રહેલા છે. નવકારમંત્ર એ સાધકોની સાધના છે, ધ્યાનીઓનું ધ્યાન છે અને ગીઓને યોગ છે. નવકાર મંત્રની સમ્યક આરાધના સારૂખ, સામીપ્ય, સદશ્ય અને સાયુજ્ય એ ચાર પ્રકારની મુક્તિ અપાવનાર છે. એ દિવસે બીજું વ્યાખ્યાન ‘સાધનાસિદ્ધિનું સૂત્ર-સરણ પહજજામિ' એ વિષય ઉપર પરમ પૂજ્ય મહાસતીજી શ્રી દિવ્યપ્રભાશ્રીજીનું હતું. એમણે કહ્યું કે “સરણે પવ જજામિ' એ માત્ર મૂત્ર નથી, મંત્ર પણ છે. શરણની વાત જગતના બધા ધર્મોમાં છે. શરણ વિના પરમ તત્વ સાથે અનુર્માધાન શકય નથી. જૈન ધર્મમાં શરણે જાઉં છું-ગચ્છામિ એમ કહેવાને બદલે શરણ સ્વીકારું છું-પવ જજામિ એમ કહ્યું છે. જેને ધર્મમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચરનું શરણ સ્વીકારવાનું હોય છે. એ ચાર શરણ તે ચાર મંગલ પણ છે અને ચાર ઉત્તમ પણ છે. રાસારમાં સ્થિતિ અને ગતિ એ બે મુખ્ય અને મહત્ત્વનાં તત્ત્વ છે. તેમાં અરિહંત ગતિના, રિદ્ધિ સ્થિતિના, સાધુ ગતિના અને ધર્મ સ્થિતિના પ્રતિક છે. ઈશ્વરપ્રીતિ અને પાપભીતિ વિના ધર્મ નથી, પરંતુ ધર્મમાં શ્રદ્ધા અને ભાવના ઉપાંત સમર્પણની ભાવ ભળે છે ત્યારે જ તેનું પરિણામ તાત્ત્વિક અને ફળવાળું બને છે. રવિવાર, તા. મી સપ્ટેમ્બરે સવારે પ્રથમ વ્યાખ્યાન શ્રી જગદીશભાઈ શાહે “ધર્મ અને વિજ્ઞાન’ એ વિષય ઉપર આપ્યું. એમણે કહ્યું કે માનવને સુખી બનાવવા માટે વિજ્ઞાને પિતાનું કાર્ય કર્યું છે. પ્રાચીન સમયમાં માણસ ધાર્મિક હતા તે વૈજ્ઞાનિક પણ હતો અને જે વૈજ્ઞાનિક હતો તે ધાર્મિક પણ હતે. બધાં ભૌતિક શોધર્મશાસ્ત્રનું સમર્થન મેળવતાં વિજ્ઞાનમાં પ્રગનિષ્ઠા, પ્રમાણિનિષ્ઠા વનિષ્ઠા અને સત્યનિષ્ઠા છે છતાં પણ ધર્મશાસ્ત્રને માણસના મન ઉપર જેટલો ક્બજો હોય છે તેટલો વિજ્ઞાનને હેતે નથી. વિજ્ઞાનમાં તર્કને પ્રાધાન્ય હોય છે તે ધર્મમાં શ્રદ્ધાને. વૈજ્ઞાનિકો પિતાની અપૂર્ણતા કબૂલ કરતા હોય છે અને જયાં ભૌતિકવિજ્ઞાન પહોંચી શકતું નથી ત્યાં ધર્મના ક્ષેત્રને અને તત્ત્વને વૈજ્ઞાનિક પણ માન્ય રાખે છે. ધર્મ અને વિજ્ઞાનને સમન્વય માનવજાત માટે ઉ૫ક્ષરક છે. ' એ દિવસે બીજે વ્યાખ્યાન શ્રી પુરુષોત્તમ માવલંકરનું ‘અસત્યમેવ કરતે ઉપર હતું. એમણે આ શીર્ષકની પસંદગી પાછળનું કરણ સમજાવી વર્તમાન પરિસ્થિતિનું પૃથક્કરણ કરતાં કહ્યું હતું કે સર્વકાળ માટે, સર્વત્ર કેવળ સત્યને જ જયજયકાર છે. ઉપનિષદકારે કહ્યું છે કે સત્ય અને સત્ય એળું જ વિજય પામે છે, અસત્ય કયારેય નહિ. ટૂથ અલાન રાઈફસ આજે જાહેરજીવનમાં ખટપટ, ખેંચતાણ, ખુશામતખારી, અંધાધૂંધી, અંધકાર અને અંધેર પ્રવર્તે છે. અસામાજિક તત્ત્વોને છૂટથી ઉપયોગ થાય છે. ખેટા માણસેને ફાવતા આપણે જોઈએ છીએ ત્યારે અસત્ય ઘડીભર જીતી જતું આપણને લાગે છે, કયારેક અસત્યના વિજયની ઘડી આપણને લંબાયેલી લાગે છે. પરંતુ છેવટે તે સત્યને જ વિજય થાય છે. સત્યને માર્ગ એ જ રાજમાર્ગ છે. અસત્યને ઘડીભર પણ વિજય ન થાય એ માટે શ્રદ્ધાપૂર્વક, વિચારપૂર્વક, વિશ્વાસપૂર્વક અને ભાવનાપૂર્વક વ્યકિતગત, અંગત પુરુષાર્થની આવશ્યકતા છે, જેથી આપણાં સાવત મૂલ્યોની ટાઉ વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ. સોમવાર, તા. ૮મી સપ્ટેમ્બરે પ્રથમ વ્યાખ્યાન શ્રીમતી અંજનાબહેન સોનાવાલાનું હતું. એમને વિષય હતો “ગીતાને સંદેશ.” એમણે કહ્યું કે શ્રીમદ્ ભગવદ્ગીતા એ તો આપણી માતા છે. એ વૈશ્ચિક ગ્રંથ છે. એમાં બધા વેદને અને બધા ઉપનિષદોને સાર છે. ગીતા ફકત ધાર્મિક ગ્રંથ નથી, જીવનગ્રંથ પણ છે. એમાં હૃદયની દુર્બળતા ત્યજીને પોતાનો ધર્મ બજાવવાની વાત છે. ગીતા આપણી સુષુપ્ત શકિતઓને જાગ્રત કરે છે અને આપણું કર્તવ્ય કરવાની પ્રેરણા આપે છે. માણસે અકર્મણ્યતા અને અહંકાર દૂર કરીને કાર્ય કરવાનું છે. પુરુષાર્થ વગર સિદ્ધિ નથી. કર્યા વગર કશું મળતું નથી અને કરેલું કાર્ય ફોગટ જતું નથી. પરંતુ એમાંથી કતૃત્વને ભાવ જતો કરવાને છે.. એમ કરીને જે કર્મયોગમાં લીન બને છે તે સ્થિતપ્રજ્ઞની કોટિ સુધી પહોંચે છે. એ દિવસે બીજી વ્યાખ્યાન ડૉ. કુમારપાળ દેસાઈનું હતું. મૌનની વાણી” એ એમને વિષય હતા. એમણે ભગવાન બુદ્ધને એક પ્રસંગ ટાંકીને મૌન એ જ પ્રવચન છે એમ દર્શાવ્યું. મનમાં જે તાકાત છે તે ભાષામાં નથી. મન એ સર્વોત્તમ ભાષા છે. મૌનને મન સાથે સંબંધ છે. પોતાની જાતને સમજવા માટે મૌનની બહુ જરૂર છે. કારણ કે મૌન વડે માણસ અંતર્મુખ જલ્દી બની શકે છે. એકાંત એ મૌનની પહેલી શરત છે. મૌન સ્વાભાવિક હોવું જોઈએ. મન જ્યાં સુધી બહારની વાતોમાં અટવાયેલું અને ક્રિયાશીલ રહ્યા કરે છે. ત્યાં સુધી મૌનની સાધના થતી નથી. મૌનમાં નિષ્ક્રિયતા નથી. મૌન અસીમ છે. આધ્યાત્મિક ઉર્ધ્વગમન માટે મૌન અનિવાર્ય છે. એટલા માટે જ ભગવાન મહાવીર બાર વર્ષ સુધી મૌન રહ્યા હતા. વર્તમાન સમયમાં શ્રી અરવિંદ, રમણ મહર્ષિ વગેરે ઘણા મહાપુરુષોએ મૌનની અને મૌન વડે સાધના કરી છે. મંગળવાર, તા. ૯મી સપ્ટેમ્બરે પ્રથમ વ્યાખ્યાન વ્યાસ શ્રી પ્રકાશ ત્રિપાઠીનું ‘રામચરિતમાનસ ” ઉપર હતું.'રામચરિત માનસના બેએક પ્રસંગે લઈને એનું અર્થધટન કરતાં એમણે કહ્યું કે દરેક માણસ પોતાનું શિવ એટલે કલ્યાણ ઈચ્છે છે, પરંતુ સત્યને છોડી કોઈ માણસ પોતાનું કલ્યાણ કરી શકતો નથી, શિવ અને સત્યને એવે ગાઢ સંબંધ છે. કલ્યાણ માટે સ્વનિષ્ઠા, ઈનિષ્ઠા, તત્ત્વ. નિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા અનિવાર્ય છે જેમ માણસ વધારે દક્ષ બનતો જાય છે, ચતુર ૨ાને પાકો થતો જાય છે. તેમ સત્ય સાચવી શકતો નથી. સત્યની સાથે જયારે દક્ષતા ભળે છે ત્યારે તે એને શિવ સુધી પહોંચાડતાં નથી. એ દિવસે બીજી વ્યાખ્યાન શ્રીમતી મૃણાલિની દેસાઈનું હતું. એમણે ‘જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર –એક કર્મયોગી' એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. અમેરિકન હબસી નેતા કાર્વરને પરિચય કરાવતાં એમણે કહ્યું કે આ એ મહાવિભૂતિ છે જેમની સાથે ગાંધીજીએ પત્રવ્યવહાર કરી કેટલુંક માર્ગદર્શન માગ્યું હતું. કાર્વરની કથા એટલે એક હબસી ગુલામના શારીરિક નિર્બળતાવાળા સંતાનની અભૂતપૂર્વ સિદ્ધિઓની કથા. કારે વિવિધ ક્ષેત્રે કાર્ય કર્યું. તેમને સરસ ખેતી આવડે, ચિત્રકલા આવડે, વિવિધ પ્રકારની રસોઈ આવડે. રંગ અને રસાયણ વિશે નવી નવી શોધ કરી માનવજાતને ચરણે ધરી. તેના બદલામાં કયારેય પૈસાની અપેક્ષા રાખે નહિ, એમણે અમેરિકાનાં દક્ષિણના રાજ્યની ધરતીને ફળદ્ર ,૫ બનાવી અને હબસી લેકમાં અસ્મિતા જગાવી. કાર્વરનું જીવન નિ:સ્પૃહતા, નમ્રતા અને માનવસેવાથી સભર હતું. બુધવાર, તા. ૧૦મી સપ્ટેમ્બરે પ્રથમ વ્યાખ્યાન સુખની શોધમાં એ વિષય ઉપર હતું.વ્યાખ્યાતા હતા ડે. મધુસૂદન પારેખ. એમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું કે જીવ માત્ર સુખની શોધમાં છે. દુ:ખ કોઈને ગમતું નથી. સુખ શબ્દને યૌગિક અર્થ છે સારું આકાશ. આપણું હદય આકાશ જેટલું વિશાળ છે એમ ઉપનિષદમાં કહ્યાં છે. એવી વિશાળતા આપણે અનુભવી શકીએ ત્યારે આપણને સાચા સુખની અનુભૂતિ થાય. પરંતુ માણસ એ સુખ મેળવવાને બદલે ભૌતિક પદાર્થોના સુખની પાછળ ભટકવા લાગે છે, મંત્રવિજ્ઞાાનારા માણસ ભૌતિક પ્રગતિ કરે છે, પરંતુ એમાંથી ઘણા સંઘર્ષો જન્મે છે. યંત્રવિજ્ઞાન દત્યની જેમ માણસ અને માણસાઈને ભરખી જાય છે. ભૌતિક સુખથી માણસને યયાતિ રાજાની જેમ સંતોષ નથી થતું. સંયમ વિના સુખ નથી. સંયમથી જ સંસ્કૃતિ ટકે છે. સંયમનું બંધન એ બંધન નથી, મુકિત અપાવનારુ અમેઘ સાધન છે. એ દિવસે બીજ વ્યાખ્યાન પ્રે. રમેશભાઈ ભટ્ટ આપવું. એમને વિષય હતો 'પૂજય શ્રી મેટાનું જીવનકાર્યું. એમણે આશારામ ભગતના દીકરા ચુનીલાલ ભગત પટાવાળા તરીકે, તલાટ, તરીકે, ઈંટ પકવનાર તરીકે, ખેતરમાં ધરુ રોપનાર તરીકે કામ કરતાં કરતાં, ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી, નર્મદામાં આપઘાત કરવા જતાં બચી જઈ પૂજ્ય મોટા”કેવી રીતે બને છે એની રૂપરેખા આપી . પૂજય મેટાના જીવનકાર્યનો પરિચય કરાવ્યો હતો. પ્રજાજીવનમાં ઈશ્વરીય ગુણ કેવી રીતે પ્રગટ થાય તેની યોજના પૂજય મેટા કરવા લાગ્યા હતા. ૧૯૬૧થી એમનું મિશનકાર્ય વેગથી ચાલ્યું હતું. એમણે હરિ. એમ’ આશ્રમની સ્થાપના સાધકો તૈયાર કરવાં માટે કરી. એમણે સામાજિક ઉત્થાન માટે વિવિધ યોજનાઓ કરી અને એ માટે પુષ્કળ ભંડોળ એકઠું થયું. શરીરમાં ઘણા બધા રોગો હોવા છતાં પૂજય મોટાએ ગુજરાતની સામાજિક, સાંસ્કારિક અને આધ્યાત્મિક કોને કેવું સંગીન કાર્ય કર્યું તેને સવિગત પરિચય. વ્યાખ્યાતાએ કરાવ્યું.
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy