SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૮૦ “અપ્પા સે પરમપા” - કબીર પૂલ - સંત પુના જીવનચરિત્રોથી આપણે ઘણે ભાગે અંધારામાં જે હોઈએ છીએ. એમના જન્મ, શિક્ષણ બાલપણું, યૌવન, કુટુંબ વગેરે સંબંધેની માહિતી જ્યાં ત્યાંથી ભેગી કરી એક સમગ્ર ચિત્ર ઊભું કરવાનું રહે છે. સંતે પોતે પણ પોતાના વિશે સાચી વાત કોઈને કહેતા હોતા નથી એ પણ એક મુખ્ય કારણ છે. એટલે આપણે કર્ણોપકર્ણ જે કંઈ સાંભળે હોય છે એના ઉપર મોટે ભાગે મદાર બાંધ પડે છે. મહાત્મા કબીર પણ આ બાબતમાં અપવાદરૂપ નથી. એટલે જ, એ હિંદુ હતા કે મુસલમાન એ સંબંધમાં છાતી ઠોકીને કોઈ વિધાન કરી શકાતું નથી. એ મહાત્માઓમાં મૂર્ધન્ય સ્થાને છે એટલે હિંદુઓ અને મુસલમાને એમને પોતાની જાતિના ગણવામાં ગૌરવ અનુભવે છે. છતાં એક વાત નિશ્ચિત છે કે તેમને ઉછેર એક મુસલમાન વણકરના કુટુંબમાં થયો હતો અને તેમના ગુરુ રામાનંદજીએ તેમને સર્વ તરફ સમભાવ કેળવવાની શિખ આપી હતી. તેમને જન્મ ૧૩૯૮માં અને મૃત્યુ ૧૫૧૮ માં થયું હતું. એમ કબીરપંથીઓ માને છે. એ હિસાબે તેમણે ૧૨૦ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું. ત્રીસેક વર્ષની ભરયુવાનીમાં તેમની સાથે લઈ નામની કોઈ સ્ત્રી રહેવા આવી હતી. લોકોએ તે પોતાની કુટેવ મુજબ એ બંનેને એથી કરી પતિ-પત્ની માની લીધા એટલું જ નહિ પણ કમાલ અને કમાલી જેમને એમણે કેવળ ઉછેરેલા તેમને પણ તેમનાથી ઉત્પન્ન થયેલા બાળકો તરીકે ખપાવવા લાગ્યા. આવી ઉલટી - સુલટી બાબતોને જવા દેવી એ જ ઠીક છે. એક વાત મુખ્ય છે કે તેઓ નિજાનંદમાં મસ્ત એવા એક અધ્યાત્મપરાયણ, સીધા, સાદા, ભલા, ભોળા, સંત હતા. જેમણે બાહ્ય ક્રિયામાં અટવાઈ નહિ રહેવાને અને દરેક ઈશ્વરનું જ રતાન છે એમ માનવાને ઉપદેશ આપ્યો છે. હિંદુ- મુસલમાનની એકતાની હિમાયતથી રીલઈ પડેલા એ વખતના ધર્માંધ મુસલમાનોએ બાદશાહ સીકંદર લોદીની કાન ભંભેરણી કરી કબીરજીને સતાવવા, પજવવામાં મણા મેલી નો'તી, પરંતુ ખૂબ તેવાઈ તવાઈને કબીરજી તે શુદ્ધ કંચન બનીને જ બહાર આવ્યા. કબીરજીના જીવનને મોટો ભાગ વારાણસીમાં વીત્યો હતો. પરંતુ અંત સમયે વારાણસી છોડી મગહર જવા એ નીકળ્યા ત્યારે કોએ “અત સમયે જ્યારે બીજાઓ આ પવિત્ર ધામમાં આવે છે. " ત્યારે તમે તે, ઉલટું, એ છોડીને જાઓ છે.” કહ્યું ત્યારે કબીર જીએ ‘રામની સત્તાને કોઈ સીમા - બંધન નથી એવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. મગહર જઈ, ચાદર અને ફલ મગાવી એ તો મઠમાં સૂઈ ગયા અને બારણાં બંધ કરી દીધો. લોકોએ આવીને દ્રાર ખેલી જોયું તે ત્યાં કબીરજી કે કઈ ન” તું, માત્ર ચાદર અને ફૂલ ભાળ્યાં. હિંદુઓએ ફલ બાળી ત્યાં સમાધિ ચણાવી અને મુસ' લમાનોએ ફુલોને દાટી કબર બનાવી. * સમગ્ર જીવન દરમ્યાન આ સંત પુરુષ કોઈ એકલાને નહિ પણ બધાને હતું અને અંતકાળે પણ એ કે એકલાને નહિ પણ * બધાને જ રહ્યો - એનું જીવન સમભાવને પ્રબોધતા એક મહાગ્રંથ સમું હતું. વણકરનું કામ કરતાં કરતાં અધ્યાત્મ પદો લલકરવાની એમને ટેવ હતી. જેમાંના થોડાંક આત્મતત્વને લગતાં હવે જોઈએ : આ જગતની કોઈ પણ સ્કૂલ વસ્તુ કે બનાવ વિશે આપણે વિગત મેળવી જાણકારી કરી શકીએ એ શકય છે. પરંતુ પરમાત્માને બોધ ગ્રંથદ્વારા કે કોઈ અન્યને પૂછીને પણ આપણે કરી શકીશું નહીં, એને ખરો ખ્યાલ તે અનુભવદ્વારા જે આવી શકે. એનું વર્ણન ગમે તેટલું સાંગોપાંગ હોય છત ભાષા પણ આખરે તો મર્યાદિત જ છે. એટલે કે અસીમ તત્વને - પરમાત્મા તત્વને- વાળ દ્વારા પકડી શકાતું નથી. - પકડવા જતાં એ છટકી જાય છે. ભોભવ આપણે એ પ્રમાણે કર્યું અને ફેરા ટાળવાને બદલે વધાર્યા, ધર્મગ્રંથો વાંચ્યા, વિચાર્યા અને ગુરૂઓને ઉપદેશ એક વખતે નહિ પણ અનેક વખત સાંભળ્યો. છતાં સરવાળે કઈ જ પ્રાપ્ત ન થયું. ઉલટું, ભલભલામણીમાં પડી ગયો. ઉપદેશમાં વણી શકાય" એને - Sિાન ગુરૂર જરૂર આપ્યું પણ ઉપદેશ - બાહ્ય જે પરમાત્મ તત્વ છે એનું શું? આં દુનિયાને ભેદતાં કબીરજી ગુંજી ઊઠે છે: કબીર હદકા ગુરુ મિલે બેહદક્ષ ગુરુ નહિ : - બેહદ આપે ઊપજે અનુભવ કે ઘર માંહિ. સતનું વર્ણન કરનાર, જ્ઞાન, આપનાર ગુરુ, જરૂર મળી જાય પણ અનંતની જાણકારી કરાવનાર કોઈ મળે ખરો? કોઈ ન મળે તે ! તેં શું મેળવ્યા વિના રહી જવું? તે કબીરજી. કહે છે. “ના; મળે જરૂર મળે. પણ કઈ રીતે?” જવાબ મળ્યો. “અનુભવથી” ઈશ્વર - પરમાત્મા અનુભવગમ્ય છે. સાક્ષાત્કાર થઈ ગયા પછી કોઈ અહીં આવીને આપણી પાસે વર્ણન કરી શકતું નથી. એ તો એમ જ કહે કે, એ અવર્ણનીય છે; એ સ્વાનુભવ ગમ્ય છે. હૃદય સે એ સો ટકા શુદ્ધ હશે - આપણા અનુભવ-ઘરને વાળી ઝડીને સાફ કરી નાખ્યું હશે તો બેહદ-અસીમહદ વિનાનું મર્યાદા વિનાનું, અપરિમેય તત્ત્વ આપેઆપ જ પ્રકટ થશે. વાતો કરવાથી કાંઈ જ નહિ વળે. પોપટની માફક ‘રામ, રામ કરવાથી કાંઈ નહિ વળે એ માટે તો અનુભવની સરાણે ચડવું પડશે. આ ઉપરથી આપણને સેજ જ લાગવું જોઈએ કે, કબીરજી શુષ્ક વિધિ - વિધાનો અને જડ ક્રિયાકાંડની તરફેણમાં બિલકુલ નો ના; એ હતા જ્ઞાનને ક્રિયાન્વિત બનાવવાના પક્ષકાર. સ્વાનુભવની કિતાબમાં જ કિરતારને વાંચો - નનું જ્ઞાન કે કેવળ ક્રિયા બને એકાંત અને એટલે જ ત્યાજ્ય. બન્નેને સુભ સુમેળ - સમુચ્ચય. નાણકિરિઅહિ મોકો' શાન અને ક્રિયા બને જોઈએ; અને તે જ મોક્ષ. પરમેશ્વરનું સ્વરૂપ કેવું છે એ સંબંધમાં કબીરજીનું શું કહેવું છે એ હવે જોઈએ. પરમેશ્વરને નથી કોઈ આધાર અને નથી કોઈ આકાર, તે પછી એ કેવા છે? કબીરજી કહે છે એ ‘નિજરૂપ' છે. ‘અપ્પા સો પરમપ્પા’ -આત્મા પોતે જ પરમાત્મસ્વરૂપ છે. જીવ જ શિવ છે. કર્મનું આવરણ હોઈ, અજ્ઞાનનો પડદો એના ઉપર પડેલો હાઈ એનું શુદ્ધ સ્વરૂપ રાપણને દેખાતું નથી. હું ઈશ્વર સ્વરૂપ છું. હું બીજું માનું છું. એ મારું અજ્ઞાન છે.” - આવી ભાવનાસતત ભાવવાથી જીવ શિવ બની જાય છે. બાહ્ય છોડી દઈ પોતે આંતરદષ્ટિ બની જાય તે એને સર્વ જગત ઈકવરમય જ દેખાશે. એનામાં જે કોઈ વિભાવ જાગે છે એ ખોટા છે અને એને પોતાને સ્વભાવ શુદ્ધ આનંદસ્વરૂપ છે. આવી સતત જાગૃતિ પ્રવર્તમાન થાય : ત્યારે એ પરમાત્માસ્વરૂપને પામે છે. એમ કહેવા કરતાં એનું શુદ્ધ સ્વરૂપ આપોઆપ પ્રકટ થાય છે એમ કહેવું વધારે સારું છે. માટે જ એમણે કહ્યું છે, “બેહદ આપે ઊપજે” અર્થાત બેહદ (સીમામર્યાદા હદ વિનાના અર્થાત પરમેશ્વર) પિતાની મેળે જ પ્રકટ થાય છે. દેખાય છે. કબીરજીએ આ સમગ્ર વકતવ્યને નીચેના પદમાં ગાઈ બતાવ્યું છે: “નિરાધાર સૌ સાર હું, નિરાકાર નિજરૂપ; નિશ્ચલ જા કે નામ હૈ, એસા તત્ત્વ અન્ય'. વળી બીરજી કહે છે, સૂરતમેં મૂરત બસે, મૂરત સેહી’તત ; તત્ત્વ બિચારો આપ હી, તવ તત્વ સો'તત” ઈશ્વરનું સ્વરૂપ અન્યત્ર જેવા ફાંફાં મારવા એ વ્યર્થ છે. પત્થરમાં કંડારેલી પરમેશ્વરની મૂર્તિ એનું સાચું સ્વરૂપ નથી. એ તો ધ્યાનમાં, સમાધિમાં ભાવાવેશમાં એના ખર્ચે સ્વરૂપે દેખાય છે. દેવળા, મંદિરો, અને આશ્રમમાં ભગવાનની મૂર્તિ પધરાવી એને નામે જે કૌભાંડ ચલાવવામાં આવે છે એ સામે આ પદમાં કબીરજીને બળાપે છે. બાકી મને જે કહેવાનું છે તે એ જ છે, “ઓમ તત સત” ની એમણે સાચી વ્યાખ્યા કરી આપી છે. ‘ત એટલે ધ્યાનમાં દેખાયેલું પરમાત્માનું સ્વરૂપ એ સ્વરૂપ જ સાચી મૂતિ બીજી બધી ખાટી - સૂરત’ ‘સમાધિ લાગી જવી જોઈએ; તાદામ્ય સાવવું જોઈએ. “તત્ત્વ વિચારો આપ હી” તમે જ વિચાર કરો; તો જ ભાવના ભાવે - બીજા પાસેથી છીનવી લીધેલી ભાવના નહિ ચાલે - તમારા પેતાના દિલમાં જ એ ‘તત’ ની પ્રાણપ્રતિષ્ઠા થયેલી છે. તમને એની ખબર નથી. આ જાણે અને એ કે તમે પોતે જ પરમાત્મા છે, શિવ છો. પરમેશ્વર છો. : -અમૃતલાલ એ પાણી
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy