________________
ખુદ વન
તા. ૧-૯-૮૦
:
પણ અહીં જ ભૂલ છે. મહાવીરને પૂરા સમજયા વિના આવે ગોટાળે ઘણાએ કર્યો છે. મહાવીરની અહિંસાને પૂરેપૂરી સમજવા માટે ઉપરનાં રાત્ર જેવું જ બીજું એક સૂત્ર લઈએ: ‘સર્વેમયgમૂયર્સ’–સર્વ પ્રાણીઓને તું તારા જેવાં જ સમજ.' અર્થાત તને સુખ વહાલું છે તે બીજા જીવમાત્રને પણ એ જ વહાલું છે, માટે તેને જે ન ગમે તે બીજાને માટે ન આચર અને રોથી ય આગળ વધીને તને જે ગમે છે ને જે તું તારી જાત માટે આચરે છે, તેવું જ નું બીજાને માટે પણ આચરજે. આનું જ નામ છે ‘સર્વભૂતાત્મભૂતતા અને એ જ છે સર્વોદય.
* બીજાને તે પછી તે મનુષ્ય હોય કે મનુષ્યતર - ન હણવા એ સાહિસાની એક બાજ-નેગેટિવ સાઈડ થઈ અને બીજાને જીવાડવા પોતાની જેમ જ - જીવવાની ને સુખની અનુકુળતા કરી આપવી, એ અહિંસાની બીજી બાજુ- પોઝીટિવ સાઈડ થઈ. બન્ને બાજુ ભેગી કરીએ ત્યારે જ પૂરી અહિં સર સંધાય છે. જે અહિંસાની પહેલી બાજુ આચરી શકે છે, તે જ તેની બીજી બાજુ પણ રામલમાં મૂકી શકે છે અને તેને જે ભગવાન મહાવીરે પૂર્ણ અહિંસક કહ્યો છે: “સવથળમૂકત્સ’ કહ્યો છે. વસ્તુત: સર્વોદયનિષ્ઠ પણ એને જ ગણવે જોઈએ.
અને આ સંદર્ભમાં ‘માનવનિષ્ઠ’ સર્વોદય થડે અધૂરી લાગે છે. જો કે એની આ ધૂરપ પણ હાલના તબકકે તે એક જરૂરિયાત છે, કેમકે વિનોબાના વિચારોથી જે પરિચિત છે તે સર્વોદયની માનવનિષ્ઠાને એગી અને છીછરી માની લેવાનું સાહસ ભાગ્યે જ કરી શકશે. સર્વોદયનું ધ્યેય તે સર્વના ઉદય અને સર્વનું કલ્યાણ જ છે અને એ જ હોવું જોઈએ. પણ માનવનિષ્ઠા તે તેની હાલની - વચગાળાની જરૂરિયાત છે અને એ
જરૂરિયાત પણ અમસ્તી જ નથી ઊભી થઈ. એ ઊભી થઈ રોનું કે કાંઈ કારણ તો હોવું જ જોઈએ. લાગે છે કે એક માનવદ્રારા બીજા માનવનું શોષણ ચરવાનું શરૂ થયું ત્યારે સર્વોદયે માનવનિષ્ઠાની ખાસે પેટા શાખા ખેલવાની જરૂર ઊભી થઈ. એક માનવ બીજા માનવનું પિષણ કરે એ વાત તો કદાચ બધો વખત ને બધી રીતે શકય ન પણ બને, પરંતુ આ તો વાત આગળ વધી, એક માનવ બીજા માનવનું શોષણ જ કરવા મંડયો !' આને અટકાવવા માટે જ જો સર્વોદયે માનવનિષ્ઠાને અગ્રિમતા આપી હોય તો તે તરછોડવા જેવી બાબત નથી જ. ' " પણ આપણે એ વાત નિ:શંકપણે સમજી લેવી જોઈએ કે આ માનવનિષ્ઠા એ સર્વોદયની માનવનિષ્ઠા છે. સર્વોદયની પેટા શાખા છે. સર્વના ઉદયમાં માનવનિષ્ઠા સમાઈ શકે, પણ માનવનિષ્ઠા એ જ સર્વોદય એમ માનવાની કે મનાવવાની કોશિશ કરીએ તે તે સર્વોદયન મૂળમાં જ ધા કરવા જેવું થશે. -
સર્વોદયની માનવનિષ્ઠા રો ભારતની પોતીકી પેદાશ છે. ભારતીય સંસ્કારિતાનું એમાં અસંદિગ્ધ પ્રતિબિંબ છે. એ માનવનિષ્ઠાને પશ્ચિમમાંથી આયાત થયેલી માનવતા સાથે કશો જ મેળળ નથી, ન હોઈ શકે, ... હા, પશ્ચિમમાંથી એક માનવતાવાદ આપણે ત્યાં આવ્યો છે. એને આવ્યાને ય દાયકાઓ વીતી ગયા છે રાને હવે તે એ આપણે ત્યાં સ્થાયી જ બની ગયો છે. ભારતીય સંસ્કૃતિનાં એક અંગ: રૂપે એણે લગભગ : અહીંની નાગરિકતા જ સ્વીકારી લીધી છે. ૨ માનવતાવાદનું એક માત્ર લક્ષ્ય છે, ‘માનવ અને તેનું સુખ. માનવ સુખી થાય તો પછી એને બીજા કશાની પરવા નથી, ગમે તે ભાગે પણ માનવ સુખી થવો જોઈએ. તમે વનસ્પતિને નાશ કરો. પ્રાણીસૃષ્ટિને ભાગ લ્યો અને માનવેતર, સચેતન કોઈ પણ પ્રકારે ઉપયોગ-ઉપભેગ કરો; શરત માત્ર એટલીજ કે એ બધું સુખી કરવામાં મદદરૂપ થવું જોઈએ.
આપણે કવિ કહે છે કે “સબાર ઉપર માનુષ સત્ય, તાહાર ઉપર નાહી’. ત્યારે હવે તેમાંથી, એ, પશ્ચિમમાંથી આયાત થયેલા માનવતાવાદની ગંધ આવે છે. કવિતા એ કવિનું હૃદય જ નહિ, પણ હાર્દ છે. - કવિલ્બયને અનુભવ જ્યારે પરિપક્વ બને છે . ત્યારે તે..કવિતારૂપે વહેવા લાગે છે. આપણા કવિને કોઈક..", પરિપકવ અનુભવ:જ ઉપરની પંકિતમાં પ્રતિલિત ચાય છે, એની ના નહિ, પરંતુ એ..અનુભવને ઉપયોગ. જયારે પશ્ચિમના એકાંગી માનવતાવાદના સંદર્ભમાં કરાય ત્યારે એને જરાક ડાઘ લાગ્યાની દહેશત જાગે છે. એમાંની ,સર્વોદય તરફી માનવનિષ્ઠા ઘવાતી હોવાનું લાગ્યા કરે છે.
પશ્ચિમને માનવતાવાદ, ખ્રિસ્તી ધર્મગુર પો૫ પાલન મોઢે “મર્સી િિલંગ, દયાપ્રેરિત હત્યાનું સમર્થન અને તેને બચાવ કરાવી શકે છે. માનવતાને જ્યારે અતિરેક થાય છે ત્યારે જીવતા માણસને ઝેરી ઇજેક્શન આપવાનું કૃત્ય પણ - માનવતાનું જ એક ઘોરણ મનાય છે અને કદાચ હવે તે, એ ઈજેકશન આપવાને વિરોધ એક પાશવી કૃત્ય કે નાદાનિયત લેખાય એવા ચિ દેખાવા માંડયાં છે. કોઈ માણસ, કોઈ પણ કારણસર, જીવનથી કંટાળી જઈને આપઘાત કરતા હોય તો તેને તેમ કરતા અટકાવવાની ચેષ્ટા પણ, માનવતાના આ સંદર્ભમાં, હવે તે ગેરમાનવતાભર્યું મૃત્યુ ગણાવું જોઈએ. કેમકે માનવતા માત્ર સુખી કરવામાં જ સમાયેલી છે. અથવા તો દુ:ખીને દુ:ખમુકત કરે તે જ માનવના છે. આ સ્થિતિમાં આપઘાત કરીને દુ:ખમુકત થવા ઈચ્છનારને રોકવાની ચેષ્ટા પણ, તેને દુ:ખમુકત થવાના પ્રયત્નમાં રુકાવટ હોઈ, એમાનવીય, કૃત્ય જ લેખાવું ન જોઈએ? ટૂંકમાં, આપઘાત પણ હવે મસી કીલિંગનો જ એક સ્વતંત્ર પ્રકાર સમજાવે જોઈએ અને આવું પશ્ચિમના સમાજમાં ન થાય એમ માનવાને કોઈ જ કારણ નથી. જે સમાજના ધર્મગુરુ મર્સી ફીલિંગ જેવી બાબતને માન્યતા આપી શકે, એ સમાજમાં આપઘાત પણ વ્યકિતના મૂળભૂત અધિકારોમાં એક અધિકાર ન ગણાય તો જ નવાઈ.
પણ આવી બાબતને પણ જો માનવતાના નામે ઓળખવામાં આવે અને તેને પણ ક્રમશ: ભારતીય સંસ્કૃતિની માનવનિષ્ઠા સાથે જોડી દેવાનો પ્રયત્ન થાય, ત્યારે તે આપણા જ હાથે આપણા પગ ઉપર આપણે કુહાડો મારવા જેવું થશે. | સર્વોદયની માનવનિાને આ મંજુર નથી, ને હોઈ શકે. જે મંજૂર રાખે તો તે સર્વોદય નહિ, પણ સર્વનાશ કહેવાશે. સર્વોદયની માનવનિષ્ઠા ભગવાન મહાવીરની અહિંસકતા સાથે વધુમાં વધુ નૈકટય ધરાવનું તત્ત્વ છે. બીજા શબ્દોમાં, એને મહાવીરની પ્રાણિતિષ્ઠાને જ એક પેટા વિભાગ ગણવામાં ઔચિત્ય છે. પણ સતત ધ્યાનમાં રાખવાનું છે કે માનવનિષ્ઠ સર્વોદય’ માત્ર વચગાળાની જરૂરિયાત છે અને તે જ સંપૂર્ણ સર્વોદય કે સર્વોદયનું આખરી ધ્યેય નથી. સર્વોદયનું આખરી ધ્યેય તે છે, જીવમાત્રનું કલ્યાણ. માનવ જ નહિ, સૃષ્ટિનું એક એક પ્રાણમય તત્ત્વ જ્યારે નિરાપદ રીતે રહી શકશે; ખાસ કરીને માનવતાવાદી માનવ તરફથી માનવેતર જીવસૃષ્ટિ ઉપર સતત ઝળુંબી રહેલો ભય દૂર થશે ત્યારે જ સર્વોદય સધાવો શકય બનશે. '' | સર્વોદયને આ સંદેશ લઈને જ જાણે પર્યુષણ પર્વ આવી પહોંચ્યું છે. પર્યુષણને જ્યારે કોઈ સાંપ્રદાયિક તહેવાર તરીકે ઓળખાવે છે ત્યારે ગ્લાની ઉપજે છે. મારા હિસાબે પથુપણ એ સર્વોદયનું પર્વ છે. એવું સૂર્યોદય પર્વ જે માત્ર મહાવીર જ
ધી અને ઉપદેશી શકે. જો કે મહાવીરે ઉપદેશ્ય માટે તે સાંપ્રદાયિક એમ સમજનાર પ્રત્યે રોષ કે નફરત કરતાં વધુ છે. અનુકંપાને જ ભાવ જાગે છે અને વસ્તુત: પર્યુષણની પાયાની પ્રેરણા પણ ૨ા જ નથી?
- - મુનિ શીલચંદ્રવિજય - પ્રેમળ જ્યોતિ . - પ્રેમળ જ્યોતિ અને ઈન્ટરનેશનલ ટ્રાવેલર્સ કલબના સંયુકત ઉપક્રમે તા. ૧૫ ઑગસ્ટના રોજ પરમાનંદ હૉલમાં ૨કત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે નવ વાગે કાંદાવાડી જૈન ક્લિનિકની બ્લડ બેંકના અધ્યક્ષ ડૅ. શ્રીમતી સાંગારામ તેમના સહકાર્યકરો અને સાધનસામગ્રી સાથે આવી પહોંચ્યાં હતા અને થોડી જ વારમાં રકતદાતાઓનો પ્રવાહ ચાલુ થઈ ગયા હતો. અને બપોરના દોઢ વાગ્યા સુધીમાં ૬૮ બાટલી રકતદાનમાં મળ્યું હતું. તે
રકતદાન કોષ્ઠ દાન છે. કોઈ પણ સંસ્થા, યાં ભાઈ-બેન ૧૫ દાતાઓના નામ ભેગા કરીને પ્રેમળ–જયોતિનો સંપર્ક સાધશે તો બાકીની બધી વ્યવસ્થા અમે સંભાળી લઈશું.
- સંયોજક – પ્રેમળ જ્યોતિ
ભૂલ સુધાર : પ્રબુદ્ધજીવનના તા. ૧૬-૮-૮૦ના અંકમાં શ્રી થાનકીને લેખ છે જેમાં જાનામિધમમ... લેક ટાંક છે જે યુધિષ્ઠિરે કહો એમ જણાવ્યું છે. આ શ્લેક દુર્યોધને કહ્યો છે. શ્રી થાનકીની આ ભૂલ પ્રત્યે પ્રબુદ્ધજીવનના બે વાચકોએ અમારું ધ્યાન દોર્યું છે તે માટે તેમના આભારી છીએ.