________________
તા. ૧-૯-૮૦
વિચારો વ્યકત કરી શકે છે. માત્ર કેટલીક બાબતમાં તેઓ મૌન સેવવાનું પસંદ કરે છે. સ્તાલિન, કૃચ્ચેવ, કે સોલ્વેનિન્શિન વિશે અમારા જે જે ગાઈડને મેં પ્રશ્ન કર્યો તે દરેકે એક જ જવાબ આપ્યો, “મહેરબાની કરીને એ વિશે મને પ્રશ્ન ન પૂછશો.” .
વિયેટ યુનિયનની પ્રજા ઘણી ખડતલ અને કામગરી છે. બસ, ટામ, ટ્રેન સ્ત્રીઓ ચલાવે છે અને રેલવેના પાટા ઉપર ખોદકામની કાળી મજૂરીનું કામ ઘરડી સ્ત્રીઓ કરે છે. ગામડાંઓ વણે બસ-યવહાર ઓછો છે એટલે પાંચદસ માઈલનું અંતર પગે ચાલીને જનારા લોકો ત્યાં જોવા મળે છે. આર્થિક દષ્ટિએ પણ એમને માટે એ જરૂરી હશે! પ્રજામાં ગરીબ-તવંગરના ભેદ નથી. સ્લમ્સ વિસ્તારગીચ, ગંદા વિસ્તારો નથી. પ્રદૂષણને કોઈ પ્રશ્ન નથી. ખાધેપીધે તમામ પ્રજા સુખી છે. ખાવાપીવાની ચીજો ઘણી સધી છે; લોકોનું આરોગ્ય ઘારું સારું છે; શિક્ષણ અને દવાદા નાં ખર્ચને ખાસ કંઈ બેજે નથીતેમ છતાં પ્રજામાં તરવરાટ અને ઉલ્લારા પ્રમાણમાં ઓછાં જણાય છે. સોવિયેટ યુનિયનની બહારની દુનિયાની જાણ ઓછા લોકોને છે, દસેવિયેટ યુનિયન વિશે પણ સામાન્ય માણસની જાણકારી ઘણી ઓછી છે. પ્રજાને હરવા ફરવાની છૂટ છે, પણ તક ઓછી મળે છે. પ્રજાજીવન બહુ અનુભવસમૃદ્ધ નથી. અમારે તેમના નિવાસસ્થાન યાસ્નાયા પાલિયાના જવાનું હતું, પરંતુ મસ્કોથી એ સ્થળ કેટલા કિલોમીટર દૂર છે એની પાકી ખબર અમારા ઉતારાના માહિતી વિભાગના કોઈ કર્મચારીને નહોતી અને કોઈએ જાતે એ સ્થળ જોયું પણ નહોતું. મોસ્કોથી ૧૯૫ કિલોમીટર એ દૂર, પણ ત્યાં જવાનો પ્રસંગ એ કોઈને સાંપડયો નહોતો.
લેનિનસ્કી ગેર ઉપરથી માસ્કવો નદીના સામા કિનારે વિશાળ લેનિન સ્ટેડિયમ દેખાય. યુનિવર્સિટીના મકાનથી સીધા અંતરે ઘણું પાસે, પણ પૂલ ઉપરથી જતાં અંતર વધી જાય. સ્ટેડિયમના એક છેડે ઓલિમ્પિકની જ્યોત દિવસરાત સતત સળગ્યા કરે. એક સાથે દોઢ લાખથી વધુ પ્રેક્ષકો બેસી શકે એટલું વિશાળ સ્ટેડિયમ, ટયવસ્થા પણ ઘણી સરસ. બંને બાજ ઊંચે મોટા પરદા ઉપર સ્કોર વંચાય; થઈ ગયેલી રમતની ફિલ્મ ફરીથી ધીમી ગતિએ બતાવાય. માઈક - ઉપર અવાજ સ્પષ્ટ અને કર્ણપ્રિય; જરા પણ પડઘો ન પડે. પરિપામે તરત જાહેર થાય અને રશિયન, જર્મન, ફ્રેંચ અને અંગ્રેજીમાં એનાઉન્સરોની બેલવામાં ક્યારેય ભૂલચૂકે ન થાય. બધા કાર્યક્રમ મિનિટે મિનિટ પ્રમાણે ચાલે, કાર્યક્રમના આરંભ પહેલાં અને રમત વચ્ચેના સમયમાં ગીતાની રેકર્ડ વાગે. દુનિયાભરનાં લોકપ્રિય ગીતની રેકર્ડ રશિયાએ અગાઉથી મેળવી રાખેલી. અમને અતિશય આનંદ તો એ વાતને થયો કે બ્રાઝિલ અને હંગેરી વચ્ચે સ્ત્રીઓની વૉલિબેલ રમત શરૂ થઈ તે પહેલાં ગુજરાતી ગીત વાગતું હતું : “હાલાને રમવા જાઈએ, રાજાના કુંવર” આખા સ્ટેડિયમમાં ગુજરાતી પ્રેક્ષકો બે જ હતા– હું અને મારા ભાઈ પ્રમોદભાઈ પરંતુ મોટા મધુર અવાજે આખું સ્ટેડિયમ ગુંજતું હતું આ ગીતથી. એ દૃશ્ય જોઈને અમે ખરેખર અનેરી ધન્યતા અનુભવી.
ઓલિમ્પિકની રમતો એક સાથે મેસ્ક, લેનિનગ્રાડ, ડિએવ અને મિસ્કમાં ચાલે. મેસ્કોમાં પણ લેનિન સ્ટેડિયમના ગ્રાન્ડ એરેના, માઈન) એરેન, ડાયનેમો વગેરે જુદાં જુદાં વિભાગમાં રમતગમતના બધા કાર્યક્રમો ચાલે. સોવિયેટ યુનિયનને દુધર્ટનાની ઘણી ધમકી મળી હતી એટલે એણે સાવચેતી એટલી જ કડક રાખી હતી. દરેક સ્ટેડિયમમાં ની પહેલી વર્તુળાકાર હારમાં પોલીસે અડોઅડ બેઠા હોય. ત્રણથી પાંચ હજાર પોલીસ રમતવીરેને સાચવે. દરેક દરવાજે અને દર ચાર પાંચ હારે સંખ્યાબંધ પોલીસ ફરજ પર ઊભા હોય અને પ્રેક્ષકોનું સતત ધ્યાન રાખે. સ્ટેડિયમમાં દાખલ થતાં પહેલાં ત્રણ ઠેકાણે ચેકિંગ થાય. હેન્ડબેગ, થેલી વગેરે સ્ટેડિયમમાં લઈ જવાની મનાઈ. સિગારેટ પીવાની પણ મનાઈ. સાવચેતી એટલી કડક હતી કે મારામારી તો શું પણ બે પ્રેક્ષકો વચ્ચે બેલાચાલીને પણ સંભવ નહે. •
સેવિયેટ યુનિયને રમતવીરો અને લાખે પ્રેક્ષકો માટે રહેવાની, ખાવાપીવાની, જવા-આવવાની, રમતો જોવાની જે સરસ વ્યવસ્થા કરી હતી તે એની કુશળ આયોજન શકિતને આભારી છે.
ઓલિમ્પિકની રમતે યોજવી એં ગમે તે દેશના ગજાની વાન નથી. તેમાં અમેરિકા સહિત ઘણા દેશોના વિરોધ, બહિષ્કાર અને અવળા પ્રચાર પછી પણ સફળતાપૂર્વક જવી એ તો વિયટ યુનિયન જ કરી શકે. ' . . . . . .
' , -રમણલાલ' ચી. શાહ
આ પર્યુષણના સ્વાધ્યાય
હમણાં શ્રી દાદા ધર્માધિકારીનું પુસ્તક “વિચારક્રાતિ' વાંચતા હતો, એમાં એમણે સર્વોદય-સિદ્ધાંતનું ખૂબ જ સફૂટ અને વિશદ વિવેચન કર્યું છે. સર્વોદયની નિષ્ઠા અને એની પુરોગામી નિષ્ઠાએની અધૂરપ વિશે એમણે સરસ રજૂઆત કરી છે. એમનું સંકલન આવું છે: ૧. ડાધિનની વસ્તુનિષ્ઠા, ૨, ટેમસ હક ઑની સમાજનિષ્ઠા અને ૩. સર્વોદયની માનવનિષ્ઠા.
ડાધિને કહયું કે જે સમ હોય તે જ જીવી શકે. દાદાએ આ Survival of fittest નાં મૂળ, આપણે ત્યાંના મસ્યગલાગલ ન્યામાં રોટલે કે ‘વવો નીવર્ય નીવન માં જોયાં છે. . . . . .
" હક સ્લે, ડાર્વિનથી એક ડગલું આગળ જાય છે. એ કહે છે: બીજાને જે જીવવા દે છે તે જ જીવી શકે છે. હું ધારું છું કે પાનું જ નામ સમાજવાદ છે. વ્યકિતએ જીવવું હશે તો સમાજનાં એક અંગ તરીકે જીવવું પડશે અને સમાજ જીવશે તે જ વ્યકિત જીવશે માટે વ્યકિતએ સમાજને જીવવા દે જોઈશે. સમાજને કે તેનાં અંગભૂત બીજી વ્યકિતને ખતમ કરવાની વૃતિથી દૂર રહેવું પડશે.
હાવિનવાદ પ્રમાણે હાથી કે તેવા બળવાન પ્રાણીને જ જીવવાનો અધિકાર મળી શકે છે અને હર્ટ્સના મતે સૌએ - જેને જીવવું હોય તેણે - પિતાને જીવવાની વ્યવસ્થા પોતે જ કરી લેવાની રહે છે. સર્વોદયને આ પસંદ નથી. એને આમાં ન્યૂનતા દેખાય છે. ' '
એ કહે છે કે બીજાને જીવવા દો અને ખતમ ન કરો, એટલું જ પર્યાપ્ત નથી, એ અધૂરી નિષ્ઠા છે. સાચી નિષ્ઠા એની ગણાશે કે જે પિતે જીવશે તે ખરો, પણ બીજાને જીવાડશે પણ ખરો. જે જીવન બીજાને જીવાડવા માટે હશે (નીવો નીવચ નીવનમ) ને ઉપયોગ ૨) બીજાને મારીને જીવવું એવા અર્થમાં નહિ, પણ બીજાને જીવાડવા માટે જીવવું એવા અર્થમાં કરશે. બીજાના જીવનના એણે માત્ર મુક પ્રેક્ષક નથી બની રહેવાનું. એણે તો પોતાના જીવનની માફક જ બીજાના જીવનના પણ સૂત્રધાર કે કતભર્તા બનવાનું છે. આને કહે છે, “માનવનિષ્ઠ સર્વોદયનો સિદ્ધાત.”
સર્વોદયને અહીં સુધીને રસ્તો તે બરાબર છે. પણ એ જો અહીં જ અટકી જશે તે ખોટું થશે અને એ “ખોટાંને અણસાર આપણને 'માનવનિષ્ઠ રાદય’ શબ્દમાં મળી પણ રહે છે. ‘સર્વોદય’ શબ્દ સ્વત: સંપૂર્ણ છે. જ્યાં સુધી સર્વોદયની ભાવના સાથે સંબંધ છે, ત્યાં સુધી રોકલી ‘સર્વોદય’ શબ્દના પ્રયોગ સામે કોઈ વાંધો ન હોઈ શકે. પણ જ્યારે એને “માનવાનઠ એવું વિશેષણ રાપીએ છીએ, ત્યારે જરાક ખટકો થાય છે. માનવનિષ્ઠ અને ‘સર્વોદય’ નો મેળ જ નથી બેસતો. સર્વોદય પણ હશે અને વળી તે માનવનિષ્ઠ હશે, એ શી રીતે સંભવે? હા, એને ‘સર્વોદય એવી સત્તા આપવી હોય તો ખુશીથી આપે, પણ એને અર્થ તે માત્ર માનવોદય’ જ થશે. અને આ જ અર્થ ‘સર્વોદયના હાર્દ સાથે કેટલી હદે સુસંગત છે, તે વિચારવા જેવી બાબત લાગે છે.
મને લાગે છે કે અહીં ભગવાન મહાવીરને આદર્શ આપણને મદદ કરી શકે. ભગવાન મહાવીર નહોતા વસ્તુનિષ્ઠ, નહોતા સમાજનઇ કે નહોતા માનવનિષ્ઠ. એ તે પ્રાણીનિષ્ઠ હતા. એમની નિષ્ણ અહિંસાને વરેલી હતી અને એ અર્થમાં તેઓ અહિંસાનિષ્ઠ હતા.
‘સર્વોદય’ના ખરા હાર્દને લાગેવળગે છે ત્યાં સુધી તે, જે સિદ્ધાંત સર્વના - આ દુનિયામાં જે કોઈ તત્ત્વ સચેતન છે. તેને ઉદય, તેનું કલ્યાણ વિચારે છે, તે જ વસ્તુત: ‘સર્વોદય’ છે. ભગવાન મહાવીર જ્યારે કહે છે કે “બે ઘા દંતવ્યા' કોઈ પણ સચેતન પદાર્થને ત્રાસ, ભય, વધ, પરિતાય ન આપવા, ત્યારે તેમાં ‘સર્વોદય’નું જ પ્રતિબિંબ દેખાય છે.
. કેટલાકે આમાં પણ ન્યૂનતા જોઈ છે. એમનું કહેવું છે કે આમાં બીજાને ન હણવા” એટલું જ છે, પણ જેને હણવાં નહિ એને જીવાડવા માટે શું કરવું, એ તે ક્યાંય દેખાતું જ નથી! તે શું માત્ર ન હણવું એ જ અહિંસા? એવી અહિંસા બાકી ન ગણાય?', કેમકે આમાં હણાતા અટકાવવા માટેની વ્યવસ્થા છે, પણ જીવાડવા માટેની વ્યવસ્થા નથી. બીજા અર્થમાં, આ વ્યવસ્થ સીધી. હિંસામાં ન માનતી હોય તો ય રીબાવીને મારવામાં તે માને જ છે ને! " , ' , '
, ' ',
કે ' :