________________
વયો
190)
૬૮
પ્રબુદ્ધ જીવન
એ વૈદિક યજ્ઞના પ્રતિપાદ્ય સિદ્ધાંત
વૈદિક યજ્ઞ અને અહિંસા!! વાચકોને સકારણ આશ્ચર્ય થશે. વૈદિક યજ્ઞ સાથે અહિંસાને સાંકળવી એ તો અંધકાર અને સૂર્યને કિંવા અગ્નિ અને શીતસ્પર્શને સાંકળવા જેવું વિધાન થયું. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકારને સ્થાન ન હોય, ઉષ્ણસ્પર્શ ન હોય તે અગ્નિ ન હોય તેમ હિંસા ન હોય તો વૈદિક યજ્ઞ ન હોય તેવી પરંપરાગત સાર્વત્રિક કલ્પના છે. યશોમાં થતી હિંસા તો જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપનાનું પ્રમુખ કારણ હતું. આ સર્વ છતાંયે વૈદિક ધર્મ અહિંસા નિષ્ઠ હતો એમ કહેવાની આ ધૃષ્ટતા ?
નહીં, નહીં. આ ધૃષ્ટતા નથી. સત્ય છે, નગ્ન સત્ય, કિંતુ સત્ય. વૈદિક ધર્મ, સત્યના ભેર અરુણ અસત્યના ઘેાર અંધકારના અંચળાથી આચ્છાદિત થઈ ગયા છે. ઉપનિષદના દષ્ટાંઓનું અંતર વલાવાઈ વલાવાઈને, કારાઈ કારાઈને સરી પડેલા આ આર્તનાંદ છે– ધર્મસ્ય તત્ત્વ નિહિત ગુહાયામ ’ કિવા ‘નહિ સુજ્ઞેયમણુરેષ ધર્મ અથવા તો ‘હિરણ્યમયૅન પાત્રેણ સત્યસ્યાપિહિત મુમ ્.
માં દૂધનપાનૃણુ સત્યધર્માય મેં.” (ઈશેોપનિષદ) યજુર્વેદમાં એક મન્ત્ર છે
“પશુન પાહિ, ગાંમાં હિંસી, અજા` માહિસી :, અવિ મા હિંસી .......માં હિસ્યાત સર્વભૂતાનિ”
પ્રશ્ન મને એ ઉદ્દભવે છે કે ‘મા હિસ્યાત સર્વભૂતાનિ’એ સૂત્રથી અહિંસાનું પ્રતિપાદન કરનાર, અહિંસાનું પાણ કરનાર વૈદિક ધર્મમાં, વૈદિક યજ્ઞમાં આ હિસા ઘુસી ગઈ યાંથી? પગ નીચે કીડી-મકાડા જે! ક્ષુદ્ર જીવજંતુઓ પણ મરી ન જાય તે માટે રહૂગણ રાજાની પાલખી ઉપાડતી વેળા ઠંડી ઠેકીને જતા ડભરત જેવા ઋષિઓ જે ધર્મના અનુયાયીઓ હતા તે ધર્મમાં હિંસાને સ્થાન હાઈ જ કેવી રીતે શકે?
આ બધાથી મેં ઘર અહિંસાને માટે જ યાં યશોમાં અધ્વર્યુની નિયુકિત શની હતી, (સંસ્કૃતમાં ધ્વરા અર્થ હિંસા, અલ્વર એટલે અહિંસા) માં યજ્ઞોમાં અર્જુ કાયિક, વારિક, માનસિક કોઈ પ્રકારની હિંસા થવા દેતા ન હતા તે યજ્ઞપશુહિસાપરસ્ત હોઈ જ કેમ શકે?
અહિંસામાં ચુસ્તણે માનનાર વૈદિક ધર્મમાં પશુહિંસા ઘુસી કયાંથી તે સમવા વિષયાન્તર કરી લઈએ. સીતા રૂપરૂપનો અંબાર હતાં. આ રૂપ જે રાવણ દ્વારા તેમના હરણનું નિમિત્ત બન્યું તે પછી સીતાના રૂપને ગુણ ગણીશું કે દોષ? સંસ્કૃત ભાષાનો ગુણ ગણા કે દોષ, વૈચિત્ર્ય ગણા કે વૈશિષ્ટય કે સંસ્કૃતમાં એક શબ્દના અનેક અર્થ થાય છે. આ શબ્દલીલાને કારણે આસુરી વૃત્તિવાળા, માંસાહારી એવા સંસ્કૃતિના રાવણાએ જાણીબુઝીને અર્થભેદ કરી પ્રજામાં બુદ્ધિભેદ જન્માવ્યું. વેદનું twisted interpretation કરી વૈદિક ધર્મના મૂળભૂત સિદ્ધાંતાને અત્યંત વિકૃત સ્વરૂપમાં પ્રજા સમક્ષ મૂક્યા.
ઉદાહરણત : ‘અજ’ શબ્દ, અજના એક અર્થ થાય છે આત્મા, જે જનનરહિત છે. બીજો અર્થ થાય છે બકરો. અત્રે એ નોંધપાત્ર છે કે પશુયાગમાં બિલ બહુધા બકરાનો જ પાતો. સંસ્કૃતમાં એક પ્રખ્યાત ફ્લાક છે—
“નું નૈવ ગજું નૈવ વ્યાધ નૈવ ! નૈવ ચૂ. અજાપુત્ર બલિ ઘાત દૈવ : દુર્બલ ઘાતક ”
અન્ય શબ્દનો ત્રીજો અર્થ છે જેમાં જનનશકિત નથી તેવું ધાન્ય. ‘અજાંશાનિ બીજાનિ.
વૈદિક આર્યનું જીવન મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર અવલંબિત હતું. વર્ષો વર્ષ સારું બિયારણ તેઓ ભરી રાખતા. તેમાંથી ખપ પૂરતું દર વષૅ લે, બાકીનું પડી રહે. વર્ષો જતાં પડી રહેલા આ ધાન્યની નનશકિત ક્ષીણ બને ત્યારે આ અન્તનું કરવું શું? પાણીમાં નાખે તે તે દૂષિત થાય. આર્મીની વિચક્ષણ બુદ્ધિએ આનો
તા.૧૬-૮-૮૦
‘અહિંસા’
ઉપાય શેાધ્યો. અગ્નિ પ્રગટાવી યજ્ઞકુંડમાં હોમવાના (આ યજ્ઞ એટલે સ્વદેશી ડી.ડી. ટી કે પેસ્ટ કન્ટ્રોલ ! આમ યશોનો સૌથી મોટા લાભ હતો સાર્વજનિક આરોગ્યને).
-
‘એજ’ શબ્દના આ અર્થભેદને કારણે જે મતભેદ પડયા તે સંબંધી કથા મહાભારત અને હેમાદ્રિ-રામાયણમાં છે. પૂર્વકાળમાં અનાર્યોના સ્પેંસર્ગથી પતિત થયેલા પર્વતક નામના બ્રાહ્મણ વસુરાજાને ઉપાધ્યાય હતા. તે પર્વતકની દીર્ધકાલીન સંગતથી વસ્તુરાજા પણ આસુરી બુદ્ધિવાળા થયા. વૈદિક ઋષિએ આ હકીકતથી અજાણ હતા. એકવાર અસુરો અને ઋષિઓ વચ્ચે ‘અજ’ શબ્દના અર્થ પર વિવાદ થયા. અસુરો કહેતા હતા કે અજ એટલે બકરો તેથી પશુમાંસથી યજ્ઞ કરવા જોઈએ. ઋષિઓ કહેતા હતા અજએટલે જેનામાં જનનશકિત નથી તેવું ધાન્ય. માટે ધાન્યથી જ યજ્ઞ કરવા ઘટે. બન્ને પક્ષો ગયા રાજા વસુ પાસે. આસુરી વૃત્તિવાળા વસ્તુઓ ઋષિઓની વિરુદ્ધ ચુકાદો આપ્યો. તે દિવસથી ઋષિઓના પા હારી ગયા અને યજ્ઞમાં માંસ હોમાવા લાગ્યું.
આ વિવેચનને સાર એટલો જ કે અનાયે માંસાહારી હતા જ: જયારે તેમણે આર્યામાં પ્રવેશ કર્યો ત્યારે વેદોના દ્વિઅર્થી શબ્દોને કારણે માંસહવનનું વિધાન કરી પશુમાંસથી યશો કરવા લાગ્યા. મહાભારત એ જ કહે છે
(ધૂર્વે : પ્રવર્તિત’ યો નૈતદ્ન દેખુ પ્ર્યતે' અર્થાત્ માંસથી યશ કરવાના પ્રચાર ધૂએ કર્યો છે, વેદોમાં તેની કલ્પના સુદ્ધાં નથી. પરન્તુ ખરો વૈદિક ધર્મ મતમતાંતરોની ગડબડમાં હડપ થઈ ગયો. માંસ યાના પ્રચાર આર્યામાં પણ થયો તેમાં સંદેહ નથી પણ તે પ્રચાર સર્વ સંમતિથી સ્વીકૃત થયાં નહીં.
પંચતંત્રમાં વિષ્ણુ શર્માએ સુષ્ઠુ જ કીધું છે“વૃક્ષાંછિત્વા પશૂન, હત્વા કૃત્વા રુધિર કમમ ્
યઘાં ગમ્યતે સ્વગે નરકે કેન ગમ્મતે ?” અર્થાત વૃક્ષો કાપવાવાળા, પશુ હિંસા કરી લોહીનાં કર્દમ કરવાવાળા જો સ્વર્ગે જશે તો ભલા નરકમાં કોણ જશે?
આમ પશુહિંસા મૂળ વૈદિક ધર્મમાં ન હતી તેના સર્વોત્કૃષ્ટ સાક્ષી તે ભગવાન બુદ્ધ. સુત્તનિપાતમાં ભગવાન બુદ્ધે કહ્યું છે-“અન્નદા બલદા ચેતા વણદા સુખદા તથા એતમત્વવાં ગત્વા નાસ્તુગાવા નિસ્તુતે. ગાવા એળક સમાના સારતા કુંભ દૂહના તા વિસાણે ગહેત્વાન રાજા સત્યેન ઘાતિય.”
એનો અર્થ એ કે પૂર્વકાલીન બ્રાહ્મણા અન્ન, બળ, કાંતિ અને સુખ આપનાર ગાયની કયારેય હિંસા કરતા ન હતા. પરંતુ આજે બકરી જેવી બિચારી ગાયને ગમેધમાં મારી નાખે છે.
આમ વૈદિક ધર્મના મૂળભૂત અને પ્રતિપાદ્ય સિદ્ધાંત છે, ‘અહિંસા’. લાંબા કાળ લગી વૈદિક ધર્મએ કરેલા અહિંસાના સિદ્ધાન્તના પ્રતિપાદન, પાલન અને પરિરક્ષણના ભગવાન બુદ્ધ સર્વોત્કૃષ્ટ સાક્ષી છે.
આપણે ભાળા! જગતની શબ્દલીલા સમજી ન શકીએ. જગતના મુત્સદ્દીઓ જગતના રક્ષણાર્થે ધર્મની ટહેલ નાખે છે. એ જ ધર્મના નામે હિંસક, વિકરાળ અને ક્રૂર યુદ્ધો ખેલે છે. ઘણીવાર ધર્મની વાત ડમર, જેવી બની જાય છે. ડમરુની જેમ એ બંને બાજુ વાગે છે. એમાંથી બંને ધ્વનિ નીકળે છે. એક અહિંસાના ધ્વનિ બીજો હિંસા ધ્વનિ. જેવા વગાડનાર તેવા પ્રતિધ્વનિ માણસ જ ધર્મના રક્ષક અને માણસ જ ધર્મના ભક્ષક
– હુમાંગિની જાઇ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.