________________
૪
પછી ચાલુ થતું. બધા કર્મચારીઓ ચાલ્યા જાય અને કાર્યાલયના ડહેલા જેવા મોટો દરવાજો બંધ થાય તે પછી બચુભાઈ તે એકલા કાર્યાલયમાં બેઠા બેઠા રાતના દસ કે અગિયાર સુધી કામ કરતા હોય. કામ પતે એટલે દરવાજાની ડોકાબરીમાંથી સાઈકલ ઊંચકી બહાર કાઢે. બચુભાઈને સાઈકલના પેડલ ઉપર પગ મૂકી સાઈકલ ઉપર સવાર થવાનું આવડતું નહિ. ફાવતું નહિ. પાછલા ખેડાની ધરી ઉપર પગ મૂકીને તેઓ સવાર થતા. નીકળતાં પહેલાં તેઓ સાઈકલના લેમ્પ સળગાવી લેતા. ખિસ્સામાં દિવાસળીની પેટી રાખે. રસ્તામાં લેમ્પ ઓલવાઈ જાય તે નીચે ઉતરીને પાછા સળગાવી લે, કોઈ વખત દિવાસળીની પેટી ભૂલી ગયા હોયઅને લેમ્પ ઓલવાઈ જાય તો સાઈકલ પરથી નીચે ઊતરી જાય અને બે હાથે સાઈકલ પકડી ચાલતા ચાલતા પાલડી પાસેના ઘરે પહોંચે.કોઈ વખત આવું બને અને એલિસબ્રિજ પાસે ફરજ પરના પોલિસ છે. “કેમ સાહેબ પંકચર પડયું છે!” બચુભાઈ કહે, “ના ભાઈ, આ તે લેમ્પ ઓલવાઈ ગયો છે. એટલે ચાલતો જાઉ" છું.” પોલિસ કહે, કા વધી નાહિ, સાહેબ હવે બેસી જા હું રજા આપું છું.” બચુભાઈ કહે, ના ભાઈ. તમારી મહેરબાની, પણ મારાથીએમ બેસાય નહિ. કાયદાને પૂરેપૂરું માન આપવું જોઈએ. ‘આવતી કાલના નાગરિકોનું ઘડતર કરવા ભેખ લેનાર બચુભાઈની આ પ્રકૃત્તિ
હતી.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૮૦ અંતે ૬૪નું વર્ષ પૂરું થયું ત્યારે ઐમની ચિંતા ટળી. પછી તો એ જ ઉત્સાહથી એમનું કામ ચાલ્યું.
બભાઈને વિદેશ જવાની તક મળી એ એમના જીવનના અનેરા ઉલ્લાસનો પ્રસંગ હતો, જે જે સ્થળે, મ્યુઝિયમો, કલાકૃતિઓ વિશે વર્ષોથી પાતે ‘કુમાર’માં પરિચય આપતા રહ્યા હતા એ બધું નજરે જોવાની એમને તક સાંપડી. એને પરિણામે ઘણી બધી નવી સામગ્રી તેઓ ‘કુમાર’ માટે ત્યાંથી લેતા આવ્યા. ૧૯૭૭માં બીજી વાર તેઓ લંડન ગયા ત્યારે હું ત્યાં એમને મળ્યો હતો. પરંતુ ઉંમર, ઠંડી અને અવરજવરની પરતંત્રતાને કારણે પહેલાં જેવી તેમને મજા આવી નહોતી.
કાર્યાલયમાં તે રાત્રે કામ કરતા તેમાંથી એક દિવસ -
બુધવારનો દિવસ બચુભાઈ કવિઓને આપતા. સાતથી અગિયાર સુધી નવી નવી કવિતાનું વાંચન થાય અને પછી એના ઉપર ચર્ચા ચાલે, વખત જતા આ કાવ્યગોષ્ઠીની બેઠકનું નામ જ ‘બુધસભા’ પડી ગયું. પૂરી નિયમિતતાથી બચુભાઈ હંમેશા બેઠા હોય. શિયાળાની કડકડતી ઠંડી હાય અને કોઈ જ કવિ આવ્યા ન હોય ત્યારે પણ બચુભાઈ સગડી સળગાવી ને ત્યાં એકલા બેઠા હાય અને વખત થાય એટલે ઘરે જાય.
૧૯૫૫માં હું એક વર્ષ માટે અમદાવાદમાં રહ્યો હતો ત્યારે હુ” બુધસભામાં નિયમિત જતો. કોઈ વાર મારી પાસે સાઈકલ ન હોય તો બચુભાઈ કહે, “ચાલો, આપણે ચાલતા ચાલતાં ઘરે જઈશું. હું તેમને આગ્રહપૂર્વક વિનંતી કરું, તમે તો વડીલ છે અને હજ જમવાનું બાકી છે. તમે જ્લદી સાઈકલ ઉપર ઘરે પહોંચા . પર’તુ કોઈપણ વખત મને એકલા મૂકીને બચુભાઈ ઘરે વહેલા પહોંચ્યા નથી. બચુભાઈનાં ધર્મપત્ની એમની રાહ જોતાં રાત્રે ઘરમાં એકલાં જાગતાં બેઠાં હાય. છોકરાઓ ક્યારના ઊંઘી ગયા હોય. બચુભાઈ ઘરે પહોંચીને જમી લે તે પછીજ એમના પત્ની જમવા બેસે. બચુભાઈ એમને ‘બાઈ’ કહીને બાલાવતા. બાઈની, પિત પરાયણતા આર્ય નારીને ગૌરવ અપાવે એવી હતી.
લગભગ સિત્તેરની ઉંમર સુધી બચુભાઈ સાઈકલ ઉપર કાર્યાલયમાં જતા. પછી બસમાં અથવા કયારેક રિક્ષામાં જવાનું ચાલુ કર્યું. રાયપુરથી રાત્રે છેલ્લી બસ પકડવાની હોય એટલે બુધસભાના કાર્યક્રમ ત્યાં સુધી ચાલતા. કોઈ વાર બસ ચૂકી જાય તે ઘર ચાલતા પહોંચે જો સાથે કિષિત્ર હોય તો. નહિ તા રિક્ષામાં જતા. ભર ઉનાળાનાં ધખતા તાપમાં તેઓ કાર્યાલયથી ઘરે કે ઘરેથી કાર્યાલય જતા, ‘કુમાર’ માટે એમની તપશ્ચર્યા ઘણી આકરી હતી.
d
બચુભાઈના નિકટ સંપર્કમાં આવવાનો મને વધુ તક મળી જ્યા૨ે તેઓ મુંબઈની લેન્જિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુકત થયા અને વખતોવખત મુંબઈ આવતા ત્યારે. કોઈક વખત માટે ઘરે પણ ઊતરતા. અમદાવાદ પાછા ફરતા હાય ત્યારે બાબે સેન્ટ્રલના સ્ટેશન ઉપર ગાડી ઉપડતાં પહેલાં એક કલાક અચૂક મળવાનું ગાઠવાનું. લેખન માટે પ્રેરણા અને માર્ગદર્શન મને એમના પાસેથી સતત મળતાં. અમારા કુટુંબ માટે તે વત્સલ વાલ હતા. એમના પ્રત્યેક પીળા રંગના પોસ્ટકાર્ડમાં કુટુંબના બધા સભ્યોની—પ્રવૃત્તિ પ્રગતિ માટે પૃચ્છા રહેતી.
બચુભાઈને જ્યૂતિષમાં શ્રાદ્ધા ઘણી હતી. પરંતુ એને કારણે થોડો વખત એમને વેઠવું પણ પડેલું. કોઈ સારા જોષીએ એમની કુંડળી જોઈને કેટલીક આગાહી કરેલી એમાંની ઘણી સાચી પડી હતો એટલે એ જોષીના ભવિષ્ય કથન પર એમને વિશ્વાસ બેસી ગયા હતા. વર્ષો પહેલાં એ જોષીએ એમને કહેલું કે “તમારું આયુષ્ય ૬૪ વર્ષનું છે.” ૬૪મા વર્ષને તો હજુ ઘણીવાર હતી એટલે કંઈ ફિકર નહોતી પરતુ બાસઠમા વર્ષથી બચુભાઈ પેાતાના મૃત્યુ વિશે વધુ પડતા સભાન બની ગયા હતા. ૬૪નું આખું વર્ષ ચિતામાં કાઢયું. અલબત્ત, કામ તો બધું બરાબર રોજ કરતા, પણ માથે ભાર રહેતા. પરિણામે તબિયત પણ થોડી બગડી.
એક વખત અમદાવાદ થઈને પાલીતાણા શત્રુશ્યૂની જાત્રાએ હું જતો હતો, બચુભાઈને મળવા ગયા. વાત નીકળી. શત્રુન્ગ્યુનાં મંદિરો પોતે હજુ જોયા નથી એમ કહ્યું. શત્રુંજ્ય વિશે ‘કુમાર’માં આટલું બધું લખનાર એના ક્લામર્મશ તંત્રીને અમદાવાદી આટલું પાસે હોવા છતાં ત્યાં જવાની તક નહોતી મળી. મે ત્યાં લુઈ વાં માટે દરખાસ્ત મૂકી, એમણે ના પાડો. કારણ કહ્યું કે પોતાને પ્રોસ્ટેટ ગ્લાન્ડની તકલીફ છે. એટલે રસ્તામાં વારંવાર બાથરૂમ જવું પડે. વળી, ઠંડી પણ સખત હતી વાત મુલતવી રહી. બીજી વાર મારાં પત્ની સાથે હું અમદાવાદ ગયા હતા ત્યારે ખાસ ગાડીની વ્યવસ્થા કરી બચુભાઈને અને એમનાં પત્નીને શત્રુંજયનો યાત્રા કરાવી. એમને બહુ આનંદ થયો. પાછાં ફરતાં વાત નીકળી. એમને મહુડીનાં ઘંટાકર્ણ વીરમાં ઘણી શ્રદ્ધા છે. પણ ઘણાં વર્ષથી ત્યાં જવાની તક મળી નથી. અને હવે તબિયતને કારણે પ્રસ વ્યવસ્થા હોય તો જ ત્યાં જઈ શકાય. બીજી વખત અમે મહુડાની જાત્રા પણ એમને કરાવી. જાત્રા પછી બચુભાઈએ જણાવ્યું “મહુડીની જાત્રા મને તો સરસ ફળી છે. ઘણા બધા અણધાર્યા લાભ થયા છે. બચુભાઈના અંતિમ વર્ષોમાં એટલું કર્તવ્ય કર્યાનો અમને સંતોષ થયો.
જીવનના કેટલા બધા પ્રસંગે
બચુભાઈ વિશે લખતાં એમના નજર સામે તરવરે છે!
શાળામાં પાતે અભ્યાસ કરતા હતા ત્યારે એમના વાંચવામાં
એક અંગ્રેજી વાકય આવ્યું. હતું : “બધા જ માણસે મહાન નથી થઈ શકતા પણ બધાજ માણસો સજજન જરૂર થઈ શકે છે.” બચુભાઈએ આ વાકયને પોતાના જીવનના આદર્શ તરીકે સ્વીકારી લઈ સજજન બનવાનો પુરુષાર્થ ખેડયો. પરિણામે આપણને ‘મહાન-સન’ સાંપડયા.
આવા ‘મહાન” સજ્જન' સ્વ. બચુભાઈને આપણી વિના શ્રાદ્ધાંજલિ હો !
રમણલાલ ચી. શાહ
સૂનુ આ ધામ
નાનડા ઘરને ખૂણે ખૂણે તારી સ્મૃતિનાં ચિહ્નો વેરાયેલાં પડયાં છે, મારા લાલ !
તારી સેકલ, ૧ તારી પ્રેમ, ૨ તારાં શાં ૩ તારાં અર્ધો ડઝને બૂટ ચંપલની આ હાર - – બધું જ તારી વાટ જુવે છે, દીકરા ! તારી પા પગલી વિનાને, તારી લીધેલી બેલી વિનાન
આ શૂનકાર હવે સહેવાતો નથી.
બહાર અષાઢના મેઘ વરસી રહ્યો છે. મુશળધાર અહીં મારી આંખો પણ વરસી રહી છે અનરાધ્યાર
સ્નેહનું આ ધામ તારાં વિના સૂનું થઈ ગયું છે, બેટા !
• સુખાષભાઈ એમ. શાહુ
૨ મોટર
૩ રમકડાં
૧ સાઈકલ,