________________
૬૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૮૦.
ધર્મ: પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં
આપે એવી તાલીમ એ આપી શકાય છે. ૧૮મી સદીમાં પેન, ઈટાલી અને ફ્રાંસમાં તે ખચ્ચરની પેદાશને મોટા ઉદ્યોગ ચાલતો. અમેરિકન રાષ્ટ્રના પિતા જોર્જ વશિટન એ, અમેરિકાએ ખરીરોને ઉપયોગ કરવો જોઈએ એવી હિમાયત કરનારા પહેલા અમેરિકન નાગરિક હતા. પછી તે કાળે કરીને અમેરિકાના પૂર્વ કિનારા અને પશ્ચિમ કિનારા વચ્ચે ખચ્ચરોથી ચાલતી ટ્રેનને રીતસરને વ્યવહાર શરૂ થયું હતું. વીર વીસ ટન માલ ભરેલા બે વેગોને ૪૦ ખરચરે જોડવામાં આવતાં અને આ “અલ ટ્રેન” - ખચ્ચર ગાંડી – પૂર્વ કિનારાને માલ પશ્ચિપ કિનારે પહોંચાડતી. આ ખરચર ગાડી માટે જોઈતાં ખચ્ચર ઉછેરવા માટે ખાસ જાતવાન ગધેડા સેંકડોની સંખ્યામાં સ્પેનથી આયાત કરવામાં આવતા, એક વર્ષમાં દોઢથી બે લાખ ખચ્ચર ગધેડાની સહાયથી પેદા કરવામાં આવતાં અને ખચ્ચરો અમેરિક્રના આથિક વિકાસમાં સહાયભૂત શતાં. ખચ્ચર પેદા કરવા માટે કોઈ નામી ગધેડાની સહાય અંગેની જાહેર ખળશે પણ તે વખતના અમેરિકન અખરોમાં છપાતી. બ્રિટિશરોએ પણ ભારતને જીતવામાં ખરીરોને મોટા પાયા પર ઉપગ કર્યો હત અને દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં રાધન કરતાં ફસાઈને માર્યા ગયેલા કેપ્ટન સ્કૉટની શોધ માટે જે ટુકડી મેલવામાં આવી હતી તે ટુકડીની સરકણ ગાડી (બરફ પર સરકે એવી પૈર વિનાની ગાડી જેને અંગ્રેજીમાં “સ્લેજ” કહે છે) ખેંચનાર ખચ્ચર હતાં. જે બ્રિટિશ લશ્કરે ભારતમાં ઉછેર્યા હતા !
ખચ્ચર ચોક બળવાન પ્રાણી છે. ખાસ કરીને એની પીઠ અને પાછળના થાપાને ભાગ ખૂબ મજબૂત હોય છે. ખચ્ચરની લાત વાગે તે માણસ મરી પણ જાય. આમ છતાં ખચ્ચરને બરાબર ઉછરીને – પ્રેમપૂર્વક ઉછેરીને – કેળવ્યું હોય તે એ શાનમાં સમજી જય એવું પ્રાણી છે. ઈંડાને ચાલતે કરવા માટે મોટો ડચકારો બેલાવ પડે પણ સારી રીતે કેળવાયેલું ખચ્ચર તે જરાક સિસકારો કરે એટલે ચાલવા માંડે. આ લેખકને ખચ્ચરની ગાડીની સવારીને. અંગત અનુભવ છે. વરસે પહેલાં નાસિકથી ૧૦ માઈલ દૂર ગાદા- વરી નદી પર આવેલા એક મેટાં ફાર્મ પર એ રજા ગાળવા ગયો હતે. (ફાર્મના મેનેજર વિજ્ઞાન શાખાના અભ્યાસમાં સહાધ્યાયી હતા એટલે અને મેનેજરને મોટો બંગલે રહેવા મળ્યો હતો એટલે) ફાર્મથી નાસિક શહેર સુધી લગભગ રોજ જવાનું થતું અને એને માટે ખર્ચની ગાડી વપરાતી. પથરાળ અને ચણ ઉતરાણવાળા રસ્તા છતાં ખચ્ચર જરા પણ હાંફયા વિના કે ઝડપ એપછી કર્યા વિના એ ૧૦ માઈલનો પટ કાપી જતા. આ ખચ્ચર ફાર્મના માલિકે લશ્કર પાસેના “સર પ્લસ સ્ટોક ” માંથી ખરીદ્યાં હતાં. એ ખચ્ચર એ કોઈ દિવસ આડેડાઈ કરી હોય એવું યાદ નથી.
નર ઘોડે અને ગધેડીના સંસર્ગમાંથી પેદા થતું વર્ણસંકર પ્રાણી પણ આપણે તો ખચ્ચર જ કહીએ છીએ પણ અંગ્રેજીમાં - ગધેડો અને ઘડીના સંસર્ગમાંથી પેદા થતાં પ્રાણીને “મ્યુલ” કહે
વાય છે. જયારે ઘેડ અને ગધેડીના સંસર્ગમાંથી પેદા થતાં વર્ણ ' સંકર પ્રાણીને “હીની ” કહેવાય છે. મ્યુલ કરતાં હિન્દી વધારે
જીવે છે અને સવારી માટે એ સારાં છે પણ સામાન્ય ઉપયોગમાં “સુલ” ની કિસ્મત વધારે છે.
એક જમાને એ હતું કે ખચ્ચરને કેવી રીતે ઉછેરવા અને કેવી રીતે તાલીમ આપવી તે અંગેની વૈજ્ઞાનિક પુસ્તકો લખાતાં. આજે તે હવે વિશિષ્ટ ભૂમિ પ્રદેશે સિવાય ખચ્ચરને ઝ: ઉપયોગ રહ્યો નથી કારણ કે જી રે, ટ્રક વગેરેએ ખચ્ચરનું સ્થાન લઈ લીધું. છે. પરંતુ તેલની જે તંગી ઊભી થઈ રહી છે તે જોતાં ખરચરને જમાને પાછા આવે -આજે નહિ તે વર્ષો પછી – તે નવાઈ નહિ.
‘ગધેડા ન હોત તો ખચ્ચર ન હોત અને ખચ્ચર ન હોત તે અમેરિકાએ જે વિકાસ સાધ્ય તે વિલંબમાં પડત.
- આમ અમેરિકાના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં ગધેડાનું સ્થાન વિશિષ્ટ છે. હવે આવતા નવેમ્બરમાં અમેરિકન પ્રજા , ગધેડાના પ્રતીકને બહુમાન આપે છે કે કેમ તે જોવાનું રહે છે.
- મનુભાઈ મહેતા
મહાભારતમાં યુધિષ્ઠિર કહે છે, નાનામિ ધર્મન્ ન થે પ્રવૃત્તિ: નાનામિ અર્ધમમ ન ૪ ૫ નિવૃત્તિ : ધર્મને જાણવા છતાં તેમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી, અધર્મને જાણવા છતાં તેમાંથી. હું નિવૃત્ત થઈ શકતો નથી. યુધિષ્ઠિર જેવી જ દશા શું આપણી બધાની નથી? શું કરવું સારું? અને શું ન કરવું સારું? એ જો નક્કી કરતાં આવડી જાય તે? બધી કેળવણી. બધા શિક્ષણ સાર આપણે ગ્રહણ કરી લીધું ગણાય. ધૂ ધાતુ ઉપરથી ઉતરી આવેલ શબ્દ ધર્મ પણ આપણને એ જ શીખવે છે ને ! ધારણ કરવું, ટકી રહેવું. શી રીતે? યોગ્યની પ્રવૃત્તિ અને અયોગ્યની નિવૃત્તિથી.
ધર્મની પ્રવૃત્તિ - ધાર્મિક પ્રવૃત્તિ એટલે શું? મંદિર, મજિદ, ચર્ચ કે અપાસરામાં જવામાં જ શું ધર્મ સમાઈ જાય છે? ના. ધર્મ એટલે ફરજ. નૈતિક ફરજ. સાચું બોલવું એ ધર્મ, ખાટું બોલવું એ અધર્મ. સાચું બોલવામાં પ્રવૃત્ત થાવું. અને હું બેલવામાંથી નિવૃત્ત થવું–એ થયો ધર્મ. સત્ય બોલવુંને કેવળ શબ્દાર્થ નથી લેવાને. ‘સત્ય બોલવું’ને ‘સત્ય આચરવું’ એ અનુસરવું પડશે. તે જ પેલા પ્રવૃત્તિમય ધર્મમાં તે જ આવશે અને નિવૃત્તિમય અધર્મ અંધકારમાં ધકેલાઈ જશે. જેમ બોલવાને આચરણ અનુસરો છે તેમ બેલવાને --શબ્દને જન્મ વિચારણામાંથી થાય છે. તો‘સત્ય વિચારવું’ એ પણ પ્રવૃત્તિમય ધર્મ થયો. એમ, વિચાર, આચાર અને આચરણ પણ સત્યમય હોવા ઘટે. સામાન્ય રીતે, સામાન્ય સંજોગોમાં તે માણસ સત્ય બોલતાં અચકાતા નથી. પણ જ્યારે મુશ્કેલીમાં મૂકાય છે, ત્યારે અસત્ય બોલતાં અચકાતે પણ નથી ! તો આવા કાર્ચ સંજોગોમાં નુકશાન વેઠીને પણ શ્રીમદ રાજચંદ્રની જેમ સત્યને વળગી રહેવામાં ધર્મ છે. ત્યજી દેવામાં અધર્મ છે.
જ્યારે આપણે ધમધર્મની વાત કરીએ છીએ, ત્યારે Show values અને Real values પણ આપણને નડે છે. ધાર્મિક હોવું એ એક વાત છે. ધાર્મિક દેખાવું એ બીજી વાત છે. ઘણાં માણસ ધાર્મિક હોવાને દંભ કરે છે. જ્યારે બીજા દાણા માણસે ખરેખર ધાર્મિક હોય છે. અહીં ધર્મની બાબતમાં તે વ્યકિતએ સમાજ ઉપરાંત પોતાની જાતને જ વફાદાર રહેવાનું છે, ઘણાં સામાન્ય માણસમાં ઉચ્ચ ધામિક વૃત્તિ - પ્રવૃત્તિ નજરે પડે છે. જયારે બીજાં ઘણાં માણસે ધર્મને ઉપયોગ વ્યકિતગત હેતુ – આજીવિકા અથે પણ કરતા દે. યિ છે. આ અર્થમાં ધર્મને હૃદય, મન આત્માદિની કેળવણો સાથે સંબંધી છે. બાહ્ય દેખાવ સાથે નહિ. ધર્મને ઈજા કે એજન્સ કોઈ લઈ શકે નહીં કેમકે એ વ્યાપારની બાબત આ અર્થમાં નથી ! Nobody can be an agent of God.' આ અર્થમાં વ્યકિત ધારે તે સીધી ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા અને અધામિક નિવૃત્તિ દ્વારા પ્રભુના દરબારમાં પેસી શકે. તેને માટે વકીલ રાખવાની જરૂર જણાતી નથી. તાજેતરમાં જ ગુરુની આગ્રહી એવા એક સજજન સાથે આ બાબતમાં ઊંડી ચર્ચા થઈ, તેમને આગ્રહ હતું કે ગુરુ વગર જ્ઞાન મળતું નથી મેં કહ્યું, “એ સાચું” પણ અમુક પગથિયાં સુધી જ. ઈનીશીયલ સ્ટેજમાં ગુરુ જરૂરી ખરા, પણ પછી તે – અંતે તે શિષ્ય પોતે જ ખેવાઈ - જઈ, ગુરુ બની પરમ તત્વની પ્રાપ્તિ કરે એ ઈચ્છવા ગ્ય ખર.
અખાએ પણ કહ્યું છે ને કે,
‘બાવનને સઘળા વિસ્તાર, અખા ત્રેપનમે ભાગ્યે પાર ' ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી?
આ અર્થમાં ધર્મ કે ઈશ્વર એ અંતરની અનુભૂતિને વિષય છે. ભકત પ્રહલાદ કે ભકત ધ્ર વને બાળપણમાં જ ઈશ્વર મળે છે. શંકરાચાર્ય કે કવિ કલાપી જીવનના અતિ ટુંકા ગાળામાં પણ પસ્ટ તત્ત્વની ઝાંખી મેળવી લે છે,
પ્રશ્ન સંકલ્પને છે. શું કરવું? અને શું ન કરવું? ઘણી વાર આપણું જીવન વેડફાઈ જતું જોવામાં આવે છે. કરવા જેવું થતું નથી અને ન કરવા જેવું કરવામાં – કરતાં કરતાં તે જીવન સંધ્યાના રંગે દેખાવા લાગે છે. કાળને કોળી બની જવાની ક્ષણ. તે નજીક આવી પહોંચે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
- હરજીવન થાનકી