SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭૮૦ - બુદ્ધ જીવન ૪૯ E છે. પરિણામે, વિરાટકાય પહાડ નખશીખ સ્નાન કરીને. સ્વચ્છ થાય છે. શોષાઈ ગયેલાં જળાશય જળસભર બને છે. તુષાર ધરતીમાતા રસતરબોળ બની હાલે છે. કવિ આગળ કહે છે : પર્વત પરથી દૂઘ ઘૂઘ કરતા જળધોધ ધરા પર પડતા તે અને આવા મદ મસ્ત વાતાવરણમાં સેળ કળાએ મસ્ત મયૂરને થન થન નૃત્ય કરતે જોયે, દાદરને દેકારે, ચાતક ચકવી સંગ ચરતો જોયો. કવિ લાભશંકર ઠાકર આ પંકિતઓ દ્વારા મનહર વર્ણન કરે છે જલ ભીંજેલી, જોબનવંતી, લથબથ ધરતી અંગ અંગથી, ટપકે છે કંઈ રૂપ મનેહર. અતિ વર્ષોની અવદશાનું કવિ શ્રી બોટાદકરે કેવું સચોટ ચિત્રણ કર્યું? ના વારિને વસુમતિ અવકાશ આપે. ના સંઘરે જલનિધિ ઉરમાં લગારે; મુંઝાઈ બે સદનના અતિથિ સરીખું જ્યાં જ્યાં પડયું સલિલ, ત્યાં બની શાંત સૂવું. આદિલ મન્સુરી” આ દશ્યને કેવી રીતે નિહાળે છે તે જોઈએ. ભલે ઉનાળે હૈયું બાળે માસે મનહરતી પૃથ્વી, ચારે બાજુ પાણી પાણી વચ્ચે એકલ તરતી પૃથ્વી. આમ, ‘માસું એવું તે બેઠું કે ચીતરેલી નદીઓ ય છલકાવા માંડી” હવે ધરા જલદાનથી ધરાઈ ગઈ છે. સુધારસથી સંતૃપ્ત થઈ ગઈ છે. મેઘ વરસી વરસીને આખરે થાકે છે. ત્યારે કવિ બોટાદકર પુન: પોતાની કલમ આગળ ચલાવે છે: - રેડી મહા પ્રલય ખૂલ્ય અચિંત્ય વારિ ભૂમિ અને જલધિને દઢ ભેદ ટાળી સંતપ્ત ઊવિ ઉરને રસથી રીઝાવી લેતો વિરામ નભમાં ઘડી મેઘ થાકી. આમ જ્યારે મેઘ આરામ લે છે ત્યારે આછો-પાતળો તડકો નીકળી પડે છે. તેને કવિ કેવા કોમળ શબ્દોથી વર્ણવે છે! ને તડકાને ટુવાલ ધોળે ફરી રહ્યો છે ધીમે ધીમે (લાભશંકર ઠાકર) હવે મનભાવન સાવન’ માસ આવે છે. મેઘરાજાએ પોતાની જાદુઈ વર્ષો પછી વડે ભૂખરી ધરતીને લીલીછમ રંગી નાંખી છે. આંખને ઠારે એ લીલા સ્પર્શ સર્વત્ર દષ્ટિગોચર થાય છે. એટલે જ કવિ કહે છે “લીલી પૃથ્વી સૂર્યોદયથી નીલમ સમ આલેખાતી'તી” પરંતુ, વિયોગી પ્રેમીજને માટે આ શ્રાવણ મહિને શાપ સમાન નીવડે છે. જેમ કે: સાવન આયે નિયોગી કો તન આલી અનંગ લગે અતિ તાવન! એવી જ રીતે, એક વિરહીણી મેઘને સંબોધીને પિતાની હૃદયવ્યા આમ ઠાલવે છે. બરસે રે... બરસે રે, કારે બાદરવા! પિયા પર બરસે.' જૈસે મેરી અંખિયાં બરસે .....બરસે રે. વર્ષાઋતુ એટલે સૃષ્ટિના નવસર્જન–નવચેતનની તું વિશ્વલીલાના વૈભવને માણવાની ઋતુ ' છલકાતાં સરોવર ને હસતાં ખેતરોની ત્રા વિયોગીજના પુનર્મિલનની ઋતુ મેઘરાજાને પોતાનું Orchestra વિરાટ વાદ્યવૃન્દ હોય છે. જેમાંથી વિશ્વ-સંગીત ઉદભવે છે. જેમકે: ઝાડપાન પર ઝરતી બુંદાબાંદીને મંજૂલ ધ્વનિ વનપ્રદેશમાં પડતી મૂશળધાર વૃષ્ટિની ગંભીર ગર્જના આકાશમાં એકબીજા સાથે સંઘર્ષાતા વાદળાને દુંદુભીનાદ ગગનચૂંબી ઈમારતોની અગાશી પર ટપકતી વર્ષાને ટુપૂર ટુપૂર અવાજ આસ્ફાલ્ટના રાજમાર્ગો પરની લયબદ્ધ વર્ષાધારા ગામડાંના કીચડથી લથબથ કાચા રસ્તામાં સમાઈ જતા વરસાદને બાદ અવાજ કાચની બારીઓ પણ અથડાતી વરસાદની ઝાપટો મેટરના હૂડ પર પડતા વર્ષના તાલબદ્ધ ઠપકોરા પવનના સૂસવાટા સાથે દસ્તી કરીને પડતા વરસાદને ઘેર * નાદ. આ બધું કેવું વૈવિધ્યપૂર્ણ છતાં તાલબદ્ધ ને લયબદ્ધ? જાણે જોઈ લે તબલા તરંગ અથવા મૃદંગ અને પખવાજની જુગલબંધી. કદિ સુગમ સંગીતની સૂરાવલિ તે કવચિત શાસ્ત્રીય સંગીતની તરો. કદિ વિલંબિત તે કવચિત ત લય કદી વાદી તો કવચિત સંવાદી સૂર. કદીક કર્ણમધુર સંગીત તે કવચિત કર્કષ ધ્વનિ. અને વર્ષારાણી ઝાંઝર પહેરીને રૂમઝૂમ નર્તન કરતી આવે ને આ વાદ્યસૃષ્ટિ સપ્ત સૂરોમાં ગૂંજી ઊઠે. સાથે સાથે સમસ્ત પ્રકૃતિ પણ નૃત્યે ચઢે પછી એ નૃત્ય તાંડવ હોય કે લાસ્ય હોય. ભાદરવા મહિને બેસે ત્યારે અખિલ સૃષ્ટિ લીલો પશાક ધારણ કરે છે. આ માસની મહિમા જુદી જ હોય છે. ભાદ્રપદ એટલે સાધુસંતે માટે સ્થિરતા અને ચાતુર્માસને સમય. તપશ્ચર્યા, સાધના ને આરાધનાને મહિને. વિવિધ વ્રત અને અલ્પાહારની તુ. ચિંતન-મનનની મોસમ. સકળ પ્રાણી જગતના કલ્યાણ માટે વર્ષ-સ્તુનું અનેકવિધ પ્રદાન ખૂબ જ અમૂલ્ય અને આવકાર્ય છે. મહાસાગરસમુદ્ર, મેઘ, વાદળ, વીજળી, વર્ષા, ધરતી છે. આપણને કે અંતર્બોધ આપે છે? મેઘ સમુદ્ર પાસેથી જે કંઈ મેળવે છે તે ધરતીને સમર્પણ કરે છે. ધરતી મેઘ પાસેથી પ્રાપ્ત કરીને જગ સમસ્તને ચરણે ધરે છે. બન્ને કેવા અપરિગૃહી? વળી મેઘ તે સજજન પણ છે. કારણ क्षारं जलं वारिमुचः पिवन्ति तदेव कृत्वा मधुरं वमन्ति । પોતે ખારાં પાણી પી જઈને મીઠાં જળ વરસાવે છે! વર્ષના આગમન પૂર્વે પશ્ચિમાકાશમાં રંગબેરંગી વાદળાની ચિત્તાકર્ષક રંગલીલા જોઈ છે? જાણે સુંદર કાવ્ય પંકિતઓ અંકાઈ હોય! વળી એ વાદળાની આકૃતિઓનું વૈવિધ્ય પણ કેવું હૃદયંગમ? છતાં, આ મેઘધનુષી રંગ અને રચનાઓ અલ્પજીવી તથા પરિવર્તનશીલ હોય છે. એ જ પ્રમાણે વિદ્યુત (વીજળી)ના ઝબકારા અને ચમકારા પણ ક્ષણજીવી હોય છે અને કશું પણ બદલામાં લેવાની વૃત્તિ વિના વર્ષા તો દાનને પ્રવાહ જ વહાવે છે ને? આવી રીતે સાગર પાસેથી ઉદારતા અને અપરિગ્રહ, મેઘ તથા વર્ષો પાસેથી સજર્જનતા અને પરોપકારવૃત્તિ, વાદળ ને વીજળી પાસેથી જીવનની ક્ષણભંગુરતા અને અનાસકિતને બોધપાઠ લઈએ અને શકય એટલું આચરણમાં મૂકીએ. વર્ષાને વંદન કરીએ અને એ આપણને પણ નવપલ્લવિત કરે એવી પ્રાર્થના કરીએ. - ગણપત મ. ઝવેરી
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy