SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ P ત. ૧૬-૭-૮૦ : ☆ પ્રબુદ્ધ જીવન રશિયાની મનેવૈજ્ઞાનિક જેલમાં ડાકિયું અર્ઘાનીસ્તાનમાં રશિયાએ આક્રમણ કર્યું એની સામે, સ્વાતંત્ર્ય પ્રેમી અફઘાનાના એવા વિરોધ જામ્યો છે કે રશિયાને માટે ત સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. અલબત્ત, જે સમાચારો આવે છે તેમાં અતિશયોકિત પણ હશે પરંતુ રશિયામાં થનારી ઓલિમ્પિકની સ્પર્ધા માટે અફઘાનીસ્તાને મેાકલેલી બાસ્કેટબોલ ટીમ લગભગ આખેઆખી પાકિસ્તાનમાં રાજકીય આશ્રય માગી રહી છે, એ અફઘાને પ્રજાનું રશિયન આક્રમણ પ્રત્યે કેવું માનસ છે તે બતાવે છે. બબરાક કરમાલને પણ રશિયનોએ કફોડી હાલતમાં મૂક્યા છે એવા સમાચાર આવ્યા છે. અલબત્ત, આ લેખને હેતુ, રશિયન અફઘાન પરિસ્થિતિની ચર્ચા કરવાના નથી પરંતુ અઘાન પ્રજાના વીરાચિત વિરોધના સંદર્ભમાં ખૂદ રશિયાના કેટલા ભડવીરો પણ કેવા વિરોષ કરી રહ્યા છે, માનવીય અધિકારોને ચડી નાખવાની રશિયાની નીતિ સામે કેવા પાકાર પાડી રહ્યા છે અને એવા પાકાર પાડનારાઓને રશિયન જુલ્મગાર કેવી પૈશાચી યાતના પહોંચાડી રહ્યા છે તેનું નિરૂપણ કરવાને છે; . પૈશાચી યાતના પહોંચાડવાના એક સાધન તરીકે તેએ વિજ્ઞાનના કેવા કારમા ઉપયોગ કરી રહ્યા છે તે વર્ણવવાના છે; વિજ્ઞાન જેમ ઉપકારક બની શકે એમ છે તેમ સંહારક પણ બની શકે એમ છે તે નિરૂપવાનો છે. વાતનો પ્રારંભ આપણે વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી- અને કવિપણ એલેકઝાંડર મેસેનીન વાલ્પીનની યાતના ક્થાથી કરીએ. આ વાલપીન માટે અને બીજા એક વિજ્ઞાની બ્લ્યુશ, જેની કથા પાછળ આવે છે તેને માટે દુનિયાભરના હજાર જેટલા અગ્રગણ્ય ગણિતજ્ઞોએ ભેગા મળીને અવાજ ન ઊઠાવ્યો હોત અને ઠેઠ રાંયુકત રાષ્ટ્ર સંસ્થા સુધી એ અવાજ ન પહોંચાડયા હાત તે વાલ્પીન અને બ્લ્યુશ આજે હયાત હાત કે કેમ એ શંકા છે. વાલ્પીન એક સેહામણા, ભૂરી આંખવાળા યુવાન. “કવિતાના એને શાખ, પણ એને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તે મળી એની મેથેમેટિકલ લાજીક” ઉપરનાં પુસ્તકો અને સંશાધનાથી. પચ્ચીસ વર્ષના આ સાહામણા યુવાને એક દિવસ પોતાના સમાનધર્મા મિત્રાને ભેગા કર્યા અને એમની સમક્ષ, સ્તાલિનની નીતિના કટાક્ષ કરતું એક કાવ્ય વાંચ્યું. એ કાવ્ય પ્રસિદ્ધ તે થઈ શકે એમ હતું જ નહિ, કેટલા બધા મિત્રાએ એ કાવ્ય મેઢે કરી લીધું અને એ રીતે એને પ્રચાર કર્યો. (રશિયામાં ઘણાં વિરોધી કાવ્યા આ રીતે જ મુખપાઠથી જ જળવાઈ રહ્યાં છે.) વાલ્પીનના કાવ્યને યાદ રાખી લેનારાએમાં એક એવા પણ નીકળ્યો જેણે જઈને એ કાવ્ય રશિયાની છુપી પોલીસ (કે. જી. બી.) ને સંભળાવ્યું. અને બીજે જ દિવસે વાલ્પીનને એના યુક્રેનના વતનમાંથી પકડીને માસ્કો લઈ જવામાં આવ્યું. એને એક કહેવાતી તબીબી સંસ્થા—સરબાકી ઈન્સ્ટિટયુટમાં મોકલી આપવામાં આવ્યા, ત્યાં એની “તપાસ” થઈ. એ પાગલ છે એવું જાહેર કરવામાં આવ્યું અને લેનીનગ્રાડના તુરંગની માનસ-ચિકિત્સા હાસ્પિટલમાં એની ભરતી કરવામાં આવી. એ સ્તાલીનના દિવસેા હતા અને વાલ્પીને કર્યા હતા તેવા “ગુના” કરનારને તા સાઈબેરિયામાં પચ્ચીસ વર્ષની સખત મજૂરીની સજા થતી, પણ વાલ્પીનને લેનીનગ્રાડ તુરંગની માનસ ચિકિત્સા હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા એટલે પોતે નસીબદાર છે. એમ વાલ્પીન માનવા લાગ્યા. એ વખતે તે લેનીનગ્રાડના આ તુરંગમાં માનસ-ચિકિત્સાના બહાના હેઠળ કોઈ વૈજ્ઞાનિકને ત્રાસ આપવામાં આવતા નહાતા. ૧૯૫૦માં તે, એક કમીશને, “વાલ્પીન ભયંકર માણસ હોવા છતાં એને જેલમાં રાખવાની જરૂર નથી.” એમ કહીને છાડી મૂકાવ્યા હતા. પણ વાલ્પીન જેનું નામ, એણે તે છૂટયા પછી પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. એટલે ૧૯૫૭માં જયારે મેસ્કોમાં વિશ્વ યુવક ઉત્સવ ઉજવાયા ત્યારે, વાલ્પીનને વિદેશી પ્રતિનિધિઓ સાથે ભળતો અટકાવવા માટે એક દિવસ અચાનક જ પકડી લેવામાં આવ્યા હતા અને મેાસ્કોની ગાનુસ્કીન માનસ ચિકિત્સા હોસ્પિટલમાં મૂકી દેવામાં આવ્યો હતો. મહિના પછી અને છેડયા તો વળી પાછું એણે ઉબાડિયું ક અને ફરી એને ૧૯૬૦માં લેનિનગ્રાડની માનસ ચિકિત્સા હોસ્પિટલમ મૂકી દેવામાં આવ્યો. અહીં એના પર તબીબ વિજ્ઞાનના “ઉપચારો ૪૭ શરૂ થયા. વાલ્પનનું લોહીનું દબાણ, રાબેતા મુજબના દબાણ કરતાં પણ ઘણું ઓછું રહેતું છતાં એને લાહીનું વધારે દબાણ છે એવું કહીને એને રિસ્ટ્સપન નામની લાહીનું દબાણ ઓછું કરવાની દવા આપવા માંડી. (આ દવા ભારતમાં પણ જાણીતી છે) આને કારણે એને પ્રસંગેાપાતે ખૂબ ઠંડી ચઢતી, અંગે અાઈ જતાં અને એ અકળાઈ જતા. આમ છતાં વાલ્પીન છાતીવાળાં માણસ હતા. એણે લખેલાં કાવ્યોની નકલ ચોરીછપીથી રશિયા બહાર મોકલવામાં આવી હતી અને એ પશ્ચિમનાં દેશેામાં પ્રસિદ્ધ થઈ હતી'એ પુસ્તક પ્રસિદ્ધ થતાં જ રશિયાના સરકારી વાજી ંત્રાએ એને દેશદ્રોહી તરીકે અને “ઝેરી છેડ” તરીકે વર્ણવવા માંડયા, અને જેલમાં એને એવી દવાઓ આપવા માંડી. જેથી એનુંશરીર ભાંગી જાય, જાત જાતની યાતનાઓ થાય, શરીરનું કોઈ અંગ સ્થિર ન રહે એવું પણ થાય અને બીજું ઘણું થાય. આ બધી યાતનાઓ છતાં વાલ્પીનનું મન ભાગ્યું નહિ તે નહિ જ. એને દવા આપવા આવતા ડોકટરાને એ કહેતા “સાલા તમે તે બધા ઊંટવૈદ્યો છે. તમને તે બધાને અદાલતમાં ખેંચવા જોઈએ.' વાલ્પીન, હિમ્મતથી બીજા રાજદ્રારી કેદીઓ સમક્ષ ભાષણ કરતા અને તેમને તેમના હક્કો શું છે તે સમજાવતા. આ બધી કારવાઈ માટે તેને, સંપૂર્ણત: પાગલ એવા માણસાના વોર્ડમાં સૂકવામાં આવ્યો. અને રશિયન સરકારનાં આ પગલાંથી દુનિયાભરમાં ઉહાપાહ મચી ગયો. વેલ્પીનની કૃતિઓ ખૂદ રશિયન એકાદમી ઓફ સાયન્સીસે ગૌરવભેર પ્રસિદ્ધ કરી હતી અને આંતરરાષ્ટ્રીય ગણિત પરિષદામાં વાલ્પીનને આમંત્રણ પણ મળતાં હતાં. આથી ખુદ રશિયાના ૯૫ જેટલા વિખ્યાત વિજ્ઞાનીઆએ વેલ્ડીનને છેડી મૂક્વાની અપીલ કરી અને રશિયન સરકારને આખરે એને મુકત કરવા પડયા... અને એને રશિયા છેડવાની રજા આપવી પડી ! રશિયા છેાડીને એ કાયમને માટે જતા હતા ત્યારે માસ્કાના સ્ટેશન પર એને વિદાય આપવા વિજ્ઞાનીઓનું એક મોટું ટોળું જમા યું હતું. એ ટોળામાં રશિયન છૂપી પાલીસ (કે. જી.બી.)ના પણ ઘણા માણસા હતા. એમને ઉદ્દેશીને વાલ્પીને પોતાના રેલના ડબ્બાની બારીમાં ઊભા ઊભા માનવીય અધિકારો અંગ્રેનું એક ભ:ષણ ઝાડી કાઢયું હતું. કેવી હિંમત ! આજે વાલ્પીન અમેરિકાના બોસ્ટનમાં રહે છે! હવે વેાલ્પીન જેવા જ એક બીજા વિખ્યાત ગણિતશાસ્ત્રી લિયેનિડ બ્લ્યુશની વાત કરીએ. આ વિજ્ઞાનીની સામ્યવાદમાંની માન્યતા હજી અફર છે. એણે “સાચા સામ્યવાદી સમાજની રચના” એ નામનું પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તરમાં એણે “જઠરની પ્રાથમિક જરૂરિ યાતાની પકડમાંથી માનવીના આત્માને મૂકિત અપાવવાની” વાત કરી છે. આવી માન્યતાઓને કારણે જ એણે માનવીય અધિકારો માટેની ઝૂંબેશ ખુદ રશિયામાં ઉપાડી હતી. મેસ્કોમાં ચાલેલા એક રાજદ્રારી મુકર્રમા સામે એણે ખુલ્લા પત્ર લખ્યા પછી એને પકડી લેવામાં આવ્યા હતા અને જેલના “માનસ ચિકિત્સકો ’એ એને તપાસીને એ “સુધારાવાદી. ભ્રમણા” સેવી રહ્યો છે અને એને સ્કીઝોફ઼નિયા નામના માનસ રોગ થયો છે એવું નિદાન કર્યું હતું. ત્રણ ત્રણ વાર એની આવી રીતે તપાસ કરવામાં આવી હતી અને ત્રણે વાર એને પાગલ ઠરાવવામાં આવ્યા હતા. અને એને નિપ્રોક્રેટોલ્ફના પાગલ ખાનામાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહોંચતાં જ એને, માણસના મનોબળને તદ્ન નિર્બળ બનાવી દે એવા ન્યુરોલેપ્ટિકસ નામનાં ઔષધા મોટા પ્રમાણમાં આપવા માંડયા હતા. થેાડા જ દિવસે એક નસે, એનું મનોબળ નબળું પડી ગયું હશે એમ માનીને, પોતે પાગલ છે અને દેશને નુકસાન કર્યું છે.એવું કબુલ કરી દેવાના આગ્રહ કર્યો હતો. પણ ટ્યુશ ડગ્યો નહોતો. એટલે એને પૂરા પાગલાના વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા (આપણે ત્યાં મૃણાલ ગેરે અંગે કરવામાં આવ્યું હતું તેમજ સ્તા!) આ વોર્ડમાં કેટલાક કેદીઓ જોરશેારથી બૂમો જ પાડયા કરતા હતા. બીજા કેટલાકને, શરીરમાં ખૂબ દર્દ થાય એવી દવા અપાઈ હોવાથી, દર્દમાં આમ તેમ તરફડિયાં મારતા હતા એવા લોકોની જીભ કૂતરાની જીભની જેમ બહાર લટકતી હતી. બીજા કેટલાકને આંચકી આવતી હતી. ખુશ ડગતો નહેતો એટલે એની યાદદાસ્ત નાબૂદ થઈ જાય એવાં ઔષધા આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આવા ઔષધાની
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy