SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂદાન પ્રવૃત્તિ માણસના મનને ઉદાર અને ઉદાત્ત બનાવે છે. ભાગ યોગ્ય નથી ભૂદાન ગ્રામદાનમાં મળેલી ક્લીનનું સંચાલન કરવાનું રહેત જ એટલે એ કેમ અધૂરું રહ્યું અને વિચાર કરવો જોઈએ. મારા મત પ્રમાણે ભૂદાનને વિચાર પ્રજાએ સ્વીકાર્યો પછી તેને વ્યવહારમાં ઉતારવાની તૈયારી, સાધને અને માણસે વિનોબાજીએ તૈયાર કર્યો નહીં અને પરિણામે જે એક વિચાર જે ઉચ્ચ કોટીને, મનુષ્યના મનને ઉદાર અને ઉદાત્ત બનાવે છે તે સફળ ન થ. ‘એ વાતને મને અફસેસ છે. તેથી મારી વિનેબાજી અને એમના શિષ્યોને વિનંતી છે કે ભૂદાનને સફળ બનાવવા માટે જે ક્ષતિઓ મને દેખાઈ તે મેં ઉપર જણાવી છે. તે ને તેવી બીજી ક્ષતિઓ દેખાય છે તેને દૂર કરવા સ્પાય કરવો તે તેમને ધર્મ છે. એમ કહી શકાય કે મારા જેવી વ્યકિત જેણે ભૂદાનમાં કઈ ભાગ લીધે નથી તેને આવી ટીકા કરવાનો શો અધિકાર છે? તેને ઉત્તર એટલે કે આ પ્રવૃત્તિ સફળ થાય તેવા શુભેચ્છકોમાં હું મારી જાતને ગણું છું તેથી આ લખું છું. તા. ૮-૭-૮૦ ખાર " - શાંતિલાલ હરજીવન શાહ આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આપણામાં કહેવત છે કે જમીન, જેરુ અને જર એ ત્રણ કજિયાનાં ઘર. જમીનના કજિયાઓમાં મારામારી અને ખૂન થયાં છે. કોર્ટ, કચેરી અને વકીલની ફીમાં કુટુંબ બરબાદ થઈ ગયાં છે. જમીનની માલિકી વિશેને આ અભિગમ બદલી તેને દાનવૃત્તિમાં ફેરવે એ ભગીરથ કાર્ય ભૂદાન પ્રવૃત્તિ કરે છે અને એ સફળ થાય તો મનુષ્ય સ્વભાવમાં ભારે પલટો આવી જાય એટલે ભૂદાન જે સારો વિચાર સફળ નથી થતે એ વિશે વિચાર કરવાની જરૂર છે. સારા વિચારે તે ઘણાય હોય છે, પણ જ્યાં સુધી તેને આચાર કરી શકાય નહીં ત્યાં સુધી તે વંધ્ય ગણાય. ગાંધીજી જે વિચાર કરતાં તેને અમલમાં મૂકવા એક વ્યકિતને પસંદ કરી, તેને તૈયાર કરી તેને કાર્યાન્વિત બનાવતા. જેમકે શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીને ખાદીના રાજા કહી બિરદાવ્યા ને પોતાના માર્ગદર્શન નીચે તેમની પાસે ખાદી કાર્ય કરાવ્યું. ગાંધીજીના પણ બધા વિચારો અને સૂચને સફળ થયાં જ છે એવું નથી. એમનું સૂત્ર કાંતે તે પહેરે અને પહેરે તે કોને-એ વિશે એમના આગ્રહ છતાં સમાજે સ્વીકાર્યું નહીં અને ખાદી પહેરનારા તે રહ્યા પણ કાંતે તે જ પહેરે એ બન્યું નહીં. આ દષ્ટિથી ભૂદીન પ્રવૃત્તિને આપણે વિચાર કરીએ. વિનોબાજીની સૂચનાથી અને ભૂદાન અને ગ્રામદાનના કાર્યકર્તાઓના આગ્રહથી મુંબઈ સરકારે તેમની સૂચનાને અનુકૂળ થાય એ ગ્રામદાન કાયદો પસાર કર્યો, તે ધારાસભામાં પસાર થયે, પણ તેની નીચે એક પણ ગ્રામદાન થયું નથી. ભૂદાન પ્રવૃત્તિ સંપૂર્ણ સફળ ન થઈ એનું એક કારણ એ છે કે તેને વ્યવહારમાં ઉતારવાની સામગ્રી, વ્યવસ્થા અને મનુષ્યબળ શોધી તેને યોગ્ય રીતે ગોઠવ્યાં નહીં. ભૂદાનમાં કેટલાક લોકોએ પિતાની હલકી પ્રતની જમીન આપી એમ કહેવાય છે પણ જમીન આપી તે ખરી છે. એટલે જમીન પરને મેહ છોડયો એ એક સિદ્ધિ છે. " આ રીતે ભૂદાનમાં મળેલી જમીન કોને આપવી, એને માટે કાયદેસર વિધિ શું કરવી, કોણે કરવી એને કોઈએ વિચાર કર્યો નહીં. જમીન માલિકી હક્ક બદલાય ત્યારે તેને દસ્તાવેજ થવે ૬ : જોઈએ, તેની ઉપર કિંમતના પ્રમાણમાં સ્ટેમ્પ લગાડ, દસ્તાવેજ રજિસ્ટર કરો અને જેને સાતબારને ઉતારો કહે છે તેમાં તેના મબદલાની નોંધણી કરવી જોઈએ. આ બધું કોઈએ કર્યું નહીં, વિચાર્યું નહીં તેને પરિણામે સમાજને ઉન્નતિપથ પર લઈ જવાને જે એક માર્ગ હતું તે માર્ગ ઉપર કોઈ ગમ નહીં. તા. ૧ જુલાઈ ૧૯૮૦ના “ભૂમિપુત્ર'ના અંકમાં બીજા પાન ઉપર “વિનોબા-નિવાસે”થી એ મથાળા નીચે બહેન કુસુમે લખ્યું છે તેમાં નીચે પ્રમાણે છે: એમના એક ભારતી સેબતીએ એક પ્રશ્ન પૂછો: ભૂદાનનું કાર્ય અધૂર કેમ રહ્યું? સફળ કેમ ન થયું?” બાબા : અધૂરા કામને તમારે પૂરું કરવાનું - તમારે માટે એ બાકી રહ્યું છે, જે એ પૂરું થઈ જાત તો તમારે માટે કશું કામ જ ન રહેત.” | વિનોબાજીને આ ઉત્તર સમર્થક નથી. કાર્ય અધૂરું રહ્યું અને સફળ ન થયું એને જવાબ ન આપતાં જુદી જ વાત કહી કે અધૂરા કામને પૂરું કરવાનું ................. જે પૂરું થઈ જાતે તે તમારે માટે કામ ન રહેત. આ ઉત્તરને પાછો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા,આ વખતે તા. ૬-૯-૮૦થી ૧૪-૯-૮૦ સુધી એમ નવ દિવસ માટે યોજવામાં આવી છે. નક્કી થયેલા વકતાઓનાં નામે નીચે પ્રમાણે છે. સંપૂર્ણ કાર્યક્રમ હવે પછી પ્રગટ કરવામાં આવશે. શ્રી મેરારજી દેસાઈ પરમપૂજ્ય સાધ્વી શ્રી દિવ્યપ્રભાશ્રીજી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ફાધર વાલેસ છે. પુરુષોત્તમ માવળંકર ડૉ. રમણલાલ ચી. શાહ આચાર્ય શ્રી ચીનુભાઈ નાયક ડૉ. સુરેશ દલાલ શ્રીમતી મૃણાલિની દેસાઈ ડૉ. મધુસૂદન પારેખ છે. રમેશભાઈ ભટ્ટ ડૉ. કાન્તિલાલ ાલાણી વ્યાસ શ્રીપ્રકાશ ત્રિપાઠી છે. તારાબહેન ૨. શાહ ડૉ. કુમારપાળ દેસાઈ શ્રીમતી અંજનાબહેન સેનાવાળા શ્રી જગદીશભાઈ પી. શાહ શ્રી શશિકાન્ત મહેતા . આ વર્ષે પણ વ્યાખ્યાનમાળાનું સ્થળ એપાટી ઉપર આવેલ બિરલા ક્રીડા કેન્દ્રનું સભાગૃહ રહેશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy