________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮o.
રશિયાની જ આ સ્થિતિ છે એમ નથી, પશ્ચિમનાં સમૃદ્ધ દેશની પણ આ સ્થિતિ છે. એશિયા-આફ્રિકાના ગરીબ દેશની પણ
આ સ્થિતિ છે. શિક્ષણસંસ્થાઓમાં અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના તફાને અને અશિત બધા દેશોમાં વ્યાપક છે. એશિયા - આફ્રિકાના મેટા ભાગના દેશમાં અરાજકતા, હિંસા અને ભ્રષ્ટાચાર વ્યાપેલ છે.
આપણા દેશમાં સ્વતંત્રતા પછી, સૌથી વધારે કમનસીબ ઘટના કોઈ હોય તે શિક્ષણના ક્ષેત્રે સરિયામ નિષ્ફળતા અને પરિણામે વિદ્યાર્થીઓના જીવનની બરબાદી. તેમનામાં નિરાશા અને નિષ્ફળતા ન આવે તો બીજું શું થાય? શિક્ષકો પણ તેફાને કરે, હડતાળ પાડે, ભાડૂતી પગારદારો પેઠે વતે ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી વધારે સારી આશા કયાંથી રખાય? જૂની પેઢીના આગેવાનેએ દેવાળું કાઢયું. નવી પેઢીને સન્માર્ગે દોરી શકે એવા રહ્યા નહિ. એવા સંજોગોમાં સંજય ગાંધીએ યુવકોની આગેવાની લીધી. એ આગેવાની કેવા પ્રકારની હતી?
સંજ્ય ગાંધીના અવસાન પહેલા India to-day' ના ૧૬ જૂનના અંકમાં એક વાચક, પીટર સંતોષને કન્યાકુમારીથી એક પત્ર પ્રકટ થયો છે તેમાં લખ્યું છે.
I am really disturbed by the build up you are giving to Sanjay Gandhi. Rest assured Sanajy will never achieve grass root popularity. His youth congress is nothing but a state sponsored volunteer force. I am not a communist but I will any day prefer it to Sanjay's illconcealled fascism.
સંજ્ય ગાંધી હવે છે નહિ - આ યુવકો કયા માર્ગે જશે? સંજ્યની નીતિ ચાલુ રાખવી છે?
ગાંધીએ એક મહાન આદર્શ માટે ત્યાગ-બલિદાનની ભવ્ય ગાથા રચી હતી. લાખ યુવક - યુવતીઓએ તેમાં પ્રેમપૂર્વક આહૂતિ આપી. હવે સ્વાર્થ અને સત્તા સિવાય કાંઈ રહ્યું નથી. યુવા પેઢીમાં એ ત્યાગ–બલિદાનની ભાવના ફરી જાગે નહિ ત્યાં સુધી ઉજવળ ભાવિની આશા રાખી શકાતી નથી.
કોણ જગાડે? ૧૩-૭-૮૦
ચીમનલાલ ચકુભાઈ
દેશમાં વ્યાખ્યાને આપવા માટે મારી અને મારાં પત્નીની એમણે ભલામણ કરી. પિતાતુલ્ય શ્રી ચીમનભાઈને આ રીતે મારા ઉપર ઘણે ઉપકાર છે. એમના સાંન્નિધ્યમાં અમે હંમેશાં શીલ અને સંયમની અનેરી સુવાસ અનુભવી છે.
શ્રી ચીમનભાઈએ “પ્રબુદ્ધ જીવન' નું તંત્રીપદ હાથમાં લીધું તે પછી એમણે પ્રબુદ્ધ જીવન’ને એક નવું પરિમાણ આખે છે. ધાર્મિક અને સામાજિક વિષ ઉપરાંત રાજક' રણના પણ તેઓ પ્રખર અભ્યાસી અને અનુભવી છે. વર્તમાન રાજકીય પ્રવાહ ઉપર એમની માર્મિક અને તલસ્પર્શી નોંધ વાંચવા માટે આપણા કેટલા બવા ચિંતનશીલ મહાનુભાવો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ! ‘પ્રબુદ્ધ જીવન’ ની આ એક આગવી સિદ્ધિ છે.
શ્રી ચીમનભાઇ છેલ્લાં ચારેક વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’ માં જોડાવા માટે મને આગ્રહપૂર્વક કહેતા હતા. પરંતુ આ જવાબદારી જેટલી મોડી આવી પડે તેટલું સારું એમ મારા મનમાં રહેતું હતું. કારણ કે- શ્રી ચીમનભાઇ જેટલી યોગ્યતા અને અનુભવ માગમાં નથી. વળી રાજકારણ એ મારો માત્ર વાંચનને વિષય રહ્યા છે, અભ્યાસને નહિ. પરંતુ આ વખતે સૌના આગ્રહને વશ થઈ સહતંત્રીપદ મેં સ્વીકાર્યું છે.
મારી આ નવી જવાબદારીમાં પૂ. શ્રી ચીમનભાઈ, યુવક સંઘના કાર્યકર્તાઓ, લેખકો અને બીજા સવેનાં સાથ અને સહકાર મને મળી રહેશે એવી શ્રદ્ધા સાથે સહતંત્રીપદ સ્વીકારતાં ફરીથી આભારની લાગણી વ્યકત કરું છું.
રમણલાલ ચી. શાહ
સહતંત્રીપદ સ્વીકારતાં
તા. ૧ લી જુલાઈ ૧૯૮૦ નાં “પ્રબુદ્ધ જીવન” ના અંકથી એના સહતંત્રી તરીકે જોડાવાનું સદ્ભાગ્ય મને સાંપડયું છે તે મારે મન હર્ષની વાત છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ આ સ્થાન મને આપવાનું કરાવ્યું તે માટે સંઘના પ્રમુખ, મંત્રીઓ અન્ય હોદેદારો અને સમિતિના સભ્યોને હું ઋણી છું. આ સ્થાન મને અપાયું છે તેમાં મારી પોતાની પાત્રતા કરતાં સંઘની સમિતિના સભ્યોને મારા પ્રત્યે રહેલે પ્રેમભાવ હું વિશેષ જોઉં છું.
આ પ્રસંગે જે વડીલે, મિત્રો, શુભેરછકે અને વાચકોના અભિનંદનના પત્ર કે સંદેશા મારા ઉપર આવ્યા છે તે માટે તે બધાંને હું આદરભાવપૂર્વક આભાર માનું છું.
શ્રી મુંબઈ, જૈન યુવક સંઘ સાથે એની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે ત્રીસ કરતાં વધુ વર્ષથી હું સતત, સંકળાયેલો રહ્યો છું. એનું મુખપત્ર “પ્રબુદ્ધજેન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ થયું તેને હું સાક્ષી છે. ત્રીસેક વર્ષ પહેલાં મારાં લેખનકાર્યના આરંભમાં સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી પરમાનંદભાઈએ ‘રાણકપુર વિશેને મારો લેખ એમાં છાપેલે ત્યારથી આ મુખપત્ર સાથે મારે આત્મીયતા બંધાઈ ગઈ છે.
મારા અધ્યયન અને અધ્યાપનને વિષય તે સાહિત્યને રહ્યો છે. પરંતુ સામાજિક અને ધાર્મિક વિષયોમાં વ્યાખ્યા છે કે લેખનારા પરમાનંદભાઈએ મને રસ લેતે કર્યો એ માટે એમના : હું અત્યંત ઋણી છે. તેમને હસમુખે, નિખાલસ અને વડીલપણાને જરા પણ ભાર ન જણાવા દે એવો મિત્ર jલ્ય સ્વભાવ મારે માટે હંમેશા પ્રેરણારૂપ રહ્યો છે. | મુ. શ્રી પરમાનંદભાઈ વિદેહ થતાં યુવક સંઘનું સુકાન પૂજ્ય શ્રી ચીમનલાલ ચકુભાઈના હાથમાં આવ્યું. એમણે પૂરા વાત્સલ્ય. અને શ્રદ્ધા સાથે પર્યુષણ વ્યાખ્યાનમાળાની જવાબદારી મને, સંપી. આ રીતે ધર્મના વિષયમાં સજજ થવાની મને એક સેનેરી તક એમણે આપી. જૈન ધર્મ વિશે આફ્રિકા. ઇગ્લેન્ડ વગેરે
સંધના પેટ્રન મેમ્બર પ્રબુદ્ધ જીવનમાં પેટ્રન મેમ્બરો અંગે અપીલ પગટ કરવામાં આવેલ તેની સાથે એ અરસામાં થયેલા પેટન મેમ્બરોના નામે પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થયેલ પેટ્રન મેમ્બરોના નામે નીચે સહર્ષ પ્રગટ કરીએ છીએ. મિત્રેના આવા પ્રેમાળ સહકાર માટે અમે તેમને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. શ્રી રજનીકાંત લક્ષમીચંદ વેરા શ્રી ધીરજલાલ કેશવલાલ કાપડિયા , ચીનુભાઈ છગનલાલ શાહ , પિયુષચંદ્ર શાંતિલાલ કોઠારી છે, ડુંગરશી આર. ગાલા , જિતુભાઈ ખાટડિયા , એન. કે. કાપડિયા
, રસિકભાઈ યુ. અજમેરા , દેવચંદ રવજી ગાલા , પ્રવિણચંદ્ર પ્રાણલાલ મહેતા , વીરુબહેન સાગર
, વિદ્યાબહેન મહાસુખલાલ - શામજી ટોકરસી વેરા
ખંભાતવાળા “સૌરાષ્ટ્રની રસધાર ” સસ્તી કિંમતે - પ્રેમ-શૌર્ય-સ્વાર્પણની જવલંત સ્થાઓ સ્વ. ઝવેરચંદ મેઘાણીએ જેમાં આલેખી છે એ પુસ્તક-સંપુટ ‘રસૌરાષ્ટ્રની રસધારે: આજે અરધી સદીથી હજારો વાંચકોને ઘેલું લગાડયું છે. ‘રસધારે મેળવેલી વ્યાપક લેહના બહુ ઓછા ગુજરાતી પુસ્તકોને સાંપડી છે. 'રસધાર'ના પ્રકાશનને પચાસ વરસ પૂરાં થયાં એની ઊજવણી રૂપે લેખકના કુટુંબ તરફથી તેની સુવર્ણ જયંતી આવૃત્તિ આવતી મેઘાણી જયંતીએ તા. ૨૮ ઓગસ્ટે બહાર પડશે. 'રસધાર'ના પાંચ ભાગમાં સંગ્રહાયેલી એ કથાઓ આજના વાંચકોને પણ રસતરબોળ બનાવી શકે તેમ છે. ‘રસધાર’ના વધુમાં વધુ ચાહકો પિતાનાં એ પ્રિય પુસ્તકો વસાવી શકે એ માટે તૈયાર થયેલી જના મુજબ તા. ૧૦-૮-૮૦ સુધીમાં અગતરા ગ્રાહક બનનારને એ માત્ર પચીસ રૂપિયામાં મળશે. (આજના બજાર-ધોરણે આના પંચોતેર રૂપિયા થાય.) ટપાલમાં ઘેરબેઠાં મેળવવા રૂ. ૨૯ મેકલી શાય, પણ એકી સાથે દસ કે વધુ સંપુટ માટે સંપુટદીઠ રૂા. ૨૪ મોકલવાના રહે; રેલવે-પારસલ ખર્ચા પ્રકાશક ભેગવશે. આગોતરી રકમ મોક્લવાનું સરનામું છે: પ્રસાર, ૧૮૮૮ આતાભાઈ એવન્યુ, ભાવનગર-૩૬૪૦૦૨. [શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં પણ નામે નોંધાવી શકાશે