________________
૪૦
Lપ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૮૦.
છે
મને પેટ ભરીને રડવા દે ડૂમો ભર્યો છે. વર્ષોને મને લાગે છે ભાર આદર્શને પીતાને આડંબર ત્યજવા દો અને ધ્રુસકે ધ્રુસકે રડવા દો, હું દુનિયાની દષ્ટિએ મેટા છે પણ અંતર, કહે છે, સાવ ખોટી છે મારી ભીરતાને પ્રગટ કરવા દે મને પિક મુકીને રડવા દો. હું અહંના ગરડુંથી દબાવે છે રની વાહવાહમાં ફરાર છું આત્મલાબામાં હું રાલવા છું મને મુકિતના-શિખર રાર કરવા દે મને બહાવરો બનીને રડવા દે આ સંસારીઓ પણ કેવા છે! જેની સાથે નહિ લેવા દેવા છે, તેને ગિરિશિખરે ચઢાવે છે. અને ત્યાંથી સીધે ખીણમાં પડે છે. આવા નિમિત્તમાંથી મુકત બનવા દે મને હિબકે હિબકે રડવા દે.
સમિતિની પ્રથમ સભાએ, નીચે પ્રમાણે ચાર સભ્યોને લાયબ્રેરી સમિતિના સભ્ય તરીકે ચૂંટયા હતા.
(૧) શ્રી શાંતિલાલ દેવજી નન્દુ, - મંત્રી ' (૨) શ્રી ગણપતભાઈ મ. ઝવેરી, - સભ્ય
(૩) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ, -, (૪) શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ, -,
ઉપરના ચાર સભ્યો ઉપરાંત નીચેના પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ વાચનાલય-પુસ્તકાલય સમિતિના સભ્ય ગણાય છે. (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
, રતિલાલ ચીમનલાલ કોઠારી (૩) , રસિકલાલ મોહનલાલ ઝવેરી (૪) , ચીમનલાલ જે. શાહ (૫) , સુબોધભાઈ એમ. શાહ આ રીતે વાચનાલય-પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે.
આ સમિતિના મંત્રી તરીકે શ્રી શાંતિલાલ દેવજી નંદુની નિમણુંક કરવામાં આવી છે.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ . જીવન જીવીએ : સ્વચ્છ અને સ્વસ્થ
માણસ ના હોય કે મોટે-તે ઉપરથી દેખાતા હોય છે તેવું તેનું આંતરીક જીવન નથી હોતું. તે હંમેશા પીઢતાના ભાર નીચે દબાઈને જીવન જીવતા હોય છે. ખરી રીતે માણસે બાળક જેવું જીવન જીવવું જોઈએ. નહિ રાગ-દ્વેષ, નહિ મારું-તારું, નહિ ખાટાં શરમ-સંકોચ, એવું નિર્દોષ જીવન. પરંતુ આજે તે ડોળ-દમામને દેખાવ ખૂબ જ વધ્યા છે. માણસ હોય એના કરતા વધારે સારો, વધારે મોટો દેખાવા હંમેશા પ્રયત્ન કરતો હોય છે. તેને “અહ” તેને વાસ્તવિકતાથી દૂર ધકેલતા હોય છે, અને હું પણ કંઈક છું એવું સમાજને તેમજ સનેહીઓને ઠસાવવાને તેને સતત પ્રયત્ન ચાલતો હોય છે, એટલે જીવનની વાસ્તવિકતાથી તે દૂર ને દૂર ધકેલાતો હોય છે.
દુ:ખમાં પણ તે આંસુ સારી નથી શકતા. આઘાતો પણ તેણે મૂંગે મોઢે જ જીરવવાના હોય છે. પેતાની અંતરની વાત કોઈને કહીને, નથી પિતાનું દિલ હળવું કરી શકતે અને નથી હોતી આઘાત સહન કરવાની તેની કામતા. તે હંમેશા મુરઝાતો હોય છે અને મેઢે તમા મારીને ગાલ લાલુ રાખવાના પ્રયત્ન કરતો હોય છે. આવા કેટલાય મિત્રોના સાંભળેલા અને સાક્ષી થઈને જોયેલા. હૃદયદ્રાવક પ્રસંગે તેમજ અંગત જીવનમાં પણ બનતા અને બનેલા પ્રસંગોને વાગોળતા વાગેળા જે ચિત્રપટ નજર સમક્ષ ખડું થયું તેને કલીઘેલી ભાષામાં કાવ્ય રૂપે રજૂ કરવાને વિચાર કર્યો અને કાવ્યરચનાના કોઈ જ નિયમને કંઈ જ ખ્યાલ નહિ હોવા છતાં તેને માટે બાલસુલભ પ્રયત્ન કર્યો. એ કારણે તે વાંચતા એમ લાગે કે આવી રચના તે કાવ્યની હોય? તે દરગુજર કરશે. આ તે ફક્ત ભાવ રજૂ કરવાને જ પ્રયત્ન છે. માણસ સહન કરવાની ક્ષમતાથી વધારે પડતો ભાર મનમાં સમસમીને વેંઢારતો હોય છે, એવે સમયે જે છાને ખૂણે પણ તે મુકત રીતે રડીને આંસું દ્વારા અંદરને ભાર-અંદરનું ઝેરનીચાવી નાંખે તો તે હળવો ફલ જેવો બની જાય. આમ કરવાથી કદાચ હાર્ટના દર્દો ઓછા થાય. એટલે આ કાવ્યમાં જે કહ્યું છે કે “મને રડવા દે” તે રામગ્ર માનવસમાજને પ્રતિનિધિ કહે છે. આ વાંચીને, તેને ભાવ સમજ્યા પછી વાંચનાર જો ઘડીક પણ હળવાશ અનુભવશે તે આ મહેનત સાર્થક નીવડશે. ચાલો આપણે વાંચવાનું શરૂ કરીએ:
શું તમે સ્વીકારી મારી વાત? એથી મારી વાત બની સાક્ષાત આજે હળવું ફુલ છે મારું મન થયું સ્ફટીક સમ મુજ જીવન. હવે હું આદર્શામાં નહિ રાણું કોઈને નચાવ્યો હું નહિ નાંગું મારે નાના થઈને જીવવું છે. મુકિતનું પાન સર કરવું છે. હવે! જીવીશ નિર્મળ, ઝરણા જેવું જીવન તેમજ વિભૂને નહિ વિરારુ આજીવન મને ગીરધરનું સંગીત ગાવા દો લાંબા મુકિતના પથે જવા દે.
શાંતિલાલ ટી. શેઠ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ “અભ્યાસ વર્તુળ”
આગામી કાર્યક્રમ વકતા :- શ્રીમતી કમળાબહેન પટેલ, વિષય:- મૂળ લેતાં ઉખડેલાં.
ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું તે સમયને સામૂહિક સ્થળાંતર સમયને પ્રજાની
વિદનાને હૃદયભેદક ચિતાર.) સમય :- શનીવાર, ૧૨-૭-૮૦ સાંજે ૫-૩૦ વાગે.
સ્થળ :- પરમાનંદ કાપડિયા સભાગૃહ. સોને સમયસર ઉપસ્થિત થવાનું આમંત્રણ. કુમકુમ પ્રકાશન” દ્વારા સપ્ટે. ૧૯૭૯માં પ્રગટ થયેલું લેખિકાનું ઉપરોકત નામાભિધાનવાળું પુસ્તક જોઈ જવા રસજ્ઞોને વિનંતી.
૩૦-૬-૮૦
સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસ વર્તુળ
માલિક શી મુંબઇ જન યુવક સાંધ, મુદ્રક અને પ્રકાશક : મી થીમના જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪૦૦ ૦૪ ટે. નં૩૫૦૨૯૬
આ પ્રદાન : ધ કટેક પીપલ પ્રેમ, મેટ, મુંબઇ ૮૦૦ ૦૦૧