________________
૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૨૦
પોલાદ, કાપડ જેવી વસ્તુઓના સરકારી વપરાશમાં દસ ટકા ચાલુ અંગેનું મનફાવે તેમ પૃથ:કરણ કરી શકાય એ નવલકથાના હપ્તા એવા હોય કે જેમાં વાચકની કોઈ માગણી ન હોય કે તંત્રીઓના નાણાંકીય વર્ષમાં ઘટે. વર્વાંધા વચકા ન હોય કોઈ વાચકે કવિની છૂટક પૂરક કવિતા વાંચીને કવિને સમજવા કરતાં તે કવિના કાવ્ય સંગ્રહો વાંચીને જ તેને સમજવા જોઈએ. એ દષ્ટિએ હું કવિતાને સાહિત્યકારોના વિવેચનથી અભડાવા ઈચ્છતો નથી. પણ તેનો અર્થ એમ નથી કે કવિઓ નિરસ કાવ્યાનું સર્જન કરે.
૩. સરકાર ગજા બહારનો ખર્ચ ન કરે તે માટે એમ નક્કી કરવું જોઈએ કે ખરા ઉત્પાદનના વાર્ષિકવધારા કરતાં નાણાંપુરવઠાનો સરેરાશ વાર્ષિકવધારો ત્રણ ટકા કરતાં વધુ ન હોવા જોઈએ. જરૂર જણાય તો આ જોગવાઈ બંધારણમાં દાખલ કરવી જેથી લોકોને માનવસર્જિત ફુગાવાનો માર સહન કરવો ન પડે.
૪. મૂડીની અછતવાળા અર્થતંત્રમાં વ્યાજનો દર એવી રીતે ઠરાવવા જોઈએ કે જેથી મૂડીના દુરુપયોગ ન થાય. નાણાંકીય અસ્ક્યામતો આકર્ષક બનવી જોઈએ. આથી બેન્કમાં લોકોની અનામતો પરના વ્યાજનો દર ફુગાવાના દર કરતાં બે ટકા ઊંચાં હાવા જોઈએ અને બેન્કના ધિરાણનો દર ફુગાવાના દર કરતાં ૫ ટકા વધુ હોવો જોઈએ. દર વર્ષે આગલા વર્ષના ફુગાવાના દર લક્ષમાં લઈ વ્યાજના દરમાં સુધારાવધારા કરવા જોઈએ.
૫. પંચવર્ષીય યાજનાઓમાં અનાજ, તેલીબિયાં, કઠોળ અને દૂધ જેવી જીવનની પાયાની જરૂરિયાતો માટે એવા સ્પષ્ટ લક્ષ્યાંકો નક્કી કરવા જેથી એના માથાદીઠ વપરાશમાં વર્ષે ઓછામાં ઓછા બે ટકાનો વધારો થાય.
૬. અનાજ, કઠોળ, તેલ, ગોળ, ખાંડ, ચા અને નોટબુકો જેવી પાયાની જીવનજરૂરિયાતની વસ્તુઓ કામદારો અને નોકરિયાતોને જાન્યુઆરી, ૧૯૮૦ના ભાવે આવતાં ત્રણ વર્ષ સુધી કંપનીઓ પૂરી પાડે અને એમને આ અંગે ખોટ આવે તો કંપનીઓને કરવેરાની રાહત મળે એવી જોગવાઈ કરવી જોઈએ. આવી વ્યવસ્થા કર્યા પછી આવતાં ત્રણ વર્ષ સુધી હડતાળા અને તાળાબંધી પર પ્રતિબંધ મુકાવા જોઈએ.
'
આ છ પગલાંમાં કશું કાન્તિકારી નથી. પશ્ચિમના સમૃદ્ધ દેશમાં પણ સાદગીની ચળવળ શરૂ થઈ છે અને સરકારી ખર્ચમાં સારો એવો કાપ મૂકાઈ રહ્યો છે. આપણે ત્યાં તે આની પહેલ થવી જોઈએ કેમ કે આપણે ગાંધીજીની સાદગી વિષે વાત કરતાં થાકતાં જ નથી. વાડીલાલ ડગલી
(આકાશવાણીના સૌન્યથી)
ચહેરા પાછળ
લપાયેલા ચહેરા
કવિતા. જ્યારે કવિના મનમંદિરનું પગથીયું ઉતરીને કાગળ ઉપર આવે છે ત્યારે કવિતા ત્યાંજ ખતમ થાય છે. કાવ્ય કાગળ ઉપર જીવતું નથી કાવ્ય જયાં સુધી કવિના મનની ગુફાઓમાં ગૂંચવાતી હોય છે ત્યારે જ ખરા ધબકારા સાથે જીવે છે. એ ગુફામાં ગુંથાતી હોય ત્યારે તેના આકાર સ્પષ્ટ હોતા નથી. મનમાંથી પ્રગટ થતાં પહેલાં કવિતા, આશા અને ઉમંગોથી ભરેલી હોય છે. કવિતાને જયાં ઘાટછુટ આપીને પૂરી કરવામાં આવે છે. ત્યારે ખરેખર જ પુરી થાય છે. ખતમ થઈ જાય છે. કવિતા જ્યાં સુધી અક્ષરોમાં લખાતી નથી ત્યાં સુધી જ શ્રેષ્ઠ કવિતા રહી શકે છે.
એટલે જ કવિને સતત લખવાની મંત્રણામાંથી પસાર થવું પડે છે. એના પૂર્ણવિરામ આવતો જ નથી. સર્જનમાં હંમેશા કંઈક અપૂર્ણતા લાગ્યા જ કરે છે. કંઈક હજી કરવાનું બાકી છે. શું સિદ્ધ કરવાનું રહી ગયું છે તેમ લાગ્યા કરે છે. એવા ઘણા મનોભાવ છે જે શબ્દોના પીંજરમાં પુરાવા માગતા નથી. જાણે અમુક લાગણીઓને વ્યક્ત કરવા માટે શબ્દોનું અસ્તિત્વ જ નથી તેમ લાગ્યા કરે છે.
લેખકનું સુખ એ કડવા સ્વાદવાળું સુખ છે. કારણ કે સર્જન પુરુ થયા પછી એની છાયામાં ક્યાંક નિરાશા છુપાયેલી દેખાય છે. મારી દષ્ટિએ કોઈ પણ કાર્ય પુરું કર્યા પછી ભયની લાગણી થાય જ છે. મને પેાતાને આવો ડર બહુ સતાવ્યા કરે છે એટલે જ હું ઘણી વખત વાચાળ બની જાઉં છું અને સર્જનને અધુરુ રાખીને તે સર્જન પ્રક્રિયાના પરમઆનંદને કે કાવ્યાનંદને લલંબાવ્યા કરું છું, કાવ્યના બંધારણીય માળખાને પૂર્ણ કરવાની વાતથી હું છેટે રહું છું. મને એક્મથી અલગ લાગે તેવા કાવ્યો લખવા ગમતાં નથી. હું નવલકશાના પ્રકરણેાની માફક કાવ્યો લખાય તેમાં માનું છું. એક કાવ્યને બીજા કાવ્ય સાથે સંબંધ હાય, એવી નવલકથા મુત કવિતા હાય જેમાંના વધારાના હપ્તામાં વાર્તાના હીરાને મારી નાંખીને તેના
વાચકો પેાતાને ગમે તે કવિતા ઉપર જરૂર આફરીન થઈને તેના ઉપર નિશાની કરી શકે છે પણ તે સાથે એક પછીએક કવિતા તેણે હૃદયથી વાંચવી જોઈએ.. જાણે તે સમુદ્ર કે પર્વત ખેડવાનું સાહસ કરતા હોય તે રીતે તેણે એક કવિતાથી બીજી કવિતા વાંચવી જોઈએ.
હું જે કવિતા સંગ્રહ પ્રગટ કરું છું તેમાં ભૌગાલીક અગર ત માનસ શાસ્રીય પરિસ્થિતિનું ચિત્રણ હોય છે છતાં તેમાં હીચે માત્ર એક જ હોય છે. અને તે હીરો છે. કવિ પરંતુ જો વાચક એમ માની લે કે કવિ તરીકે હું— યુજીન સેવતશેન્કો જ હીરો છે તો તે ભૂલ કરે છે. અલબત મારા કાવ્યાનાં હું હીરો છું જ પરંતુ હું માત્ર મારી જાત પૂરતા જ બની રહ્યું તે પુરતું નથી જો તમારે ખરખર તમારો સ્વત્વને ખીલવવું હાય. તે તમારામાં અનેક જણ સમાયેલા હોવા જોઈએ. તમારે દર્પણમાં જોવું જોઈએ. દર્પણમાં જોશો તે લાગશે કે તમે માત્ર એક વ્યકિત નથી પણ અનેક વ્યક્તિના બનેલા છે. ત્યાં તમને તમારા ઘણા ચહેરા દેખાશે. આવા અનેક ચહેરા વગર ખરેખર તમે તમને પામી નહી શકો. મારું પણ હું ગાવું જ માનું છું. મારી અંદર એક માછીમારનો ચહેરો પણ છપાયેલા છે; મારામાં એક જાપાનીય ક્લાકારને ચહેરો સમયેલા છે. ોબ્લા નેરૂદાપૂણ મારામાં છે. હાથમાં ફ્રાસ પકડીને ઉભેલી કોઈ બાળાનો ચહેરો પણ મારા ચહેરામાં અંકીત છે. આ બધા વિવિધ હીરલા મારા પુસ્તકમાં અનેકરૂપે હોય છે છતાં પણ તે એક રૂપે છે માત્ર સમય અનુસાર તેઓ ચહેરા બદલે છે છતાં તે એક જ છે.
માનવી આ જગતમાં સાવ એક્લા અટુલા છે તેમ આપણે કહીએ છીએ પણ તે એકલતા મર્યાદિત છે કારણ કે માનવી પોતે આંતરીક એક્લતાની જોખમકારક એશ ભાગવી શકે નહિ. જો કે હું બહારથી લદાયેલા સમુહવાદને ધિક્કારું છું. સમુહમાં તો માનવના ચહેરાને સાવ ભૂંસી નંખાય છે. આપણા બધાના ચહેરા એકમેકન કેટલા મળતા આવે છે અને એક ચહેરો બીજાના ચહેરાથી કેટલા અભિન્ન અંગ જેવો છે. માત્ર મહારાં જ એક બીજાને ધિક્કારતા હાય છે. આપણા ચહેરા એકબીજાને ધિક્કારી શકે નહિ. પરંતુ આપણા ચહેરા, મહારાઓથી ઢંકાયેલા છે. એટલે જ મેં મારા આ કાવ્ય સંગ્રહનું નામ “ચહેરા પાછળના ચહેરા” એમ રાખ્યું છે.
?
માનવ જાત એ અન્યોન્ય આશ્રયથી જોડાયેલું એક જીવંત ઘટક છે, એક જ શરીર છે, એક જ આત્મા છે. પણ જો એક શરીરના નાના નાના ટુકડા કરવામાં આવે તો તે જીવતું રહી શકે કોઈપણ શરીર આખું જાનવર જેવું કૃત્ય સહન કરી શકે ખરૂ? આમ છતાં માનવજાત આવા ત્રાસને સહન કરે છે. માનવ જાતના ટુકડે ટુક્ડા થઈ જાય છે છતાં કોઈને કોઈ અગમ્ય કારણને લઈ તેનું અરિતત્વ ટકી રહ્યું છે.
એક ભાષાના સાહિત્યનો બીજી ભાષામાં અનુવાદ થાય છે તેન થકી જગતના વિવિધ ટુકડાઓને જોડીને એક માત્ર શરીર રચવાનું મહાન કાર્ય થાય છે. આ અનુવાદની પ્રક્રિયાને હું બ્લડ ટ્રાન્સફ્યુઝન કહું છું. જો આમ ન થાય તો માનવ જાત જીવી શકે નહિ. અહીં હું થેામસ વુલ્ફનું એક વાકય ટાંકીશ. “ધુ કાન્ટ ગે હોમ અગેઈન’ નામના પુસ્તકના ૪૭મા પ્રકરણમાં આ વાક્ય છે:- “દુષ્ટ ચીજન આપણે સૌ સરખી રીતે ધીકારીએ છીએ. પણ દુષ્ટને દૂર કરવા માટે તેના પ્રત્યે માત્ર માં મચકોડવાથી કે નિસાસા નાંખવાથી કે તેના પરત્વે મોં ફેરવી લેવાથી નહિ ચાલે. આમ કરવું ડહપણ ભર્યું નથી. કારણ કે જયારે આપણે દુષ્ટ કે અનિષ્ટ સામે પ્રતિકાર કરવાને બદલે કે પીછેહઠ કરીને સરેરાશ માનવીની લાચારીને સ્વીકારી લઈશું તો દુષ્ટ અને અનિષ્ટ વધુ બહાદુર બનીને આપણી મજાક ઉડાવશે. જો આપણે એમ જ માન્યા કરીશું કે એક અનિષ્ટ કાપણું તો નવું અનિષ્ટ ઉભું થશે જ તો પછી એ માન્યતા દ્વારા જ આપણે કાયમ માટે આપણા વચ્ચે દુષ્ટોને ઉભા કર્યા કરીશું.” મૂળ લેખક: યુજીત યેવતુશેન્કો
અનુ.: કાન્તિ ભટ્ટ