SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૭-૮૦ ખુબ જીવન પુગાવા સામેની લડત નબળી પડી છે * ભારત ફરીવાર કારમાં ફુગાવાની પકડમાં સપડાયું છે. છેલ્લા વર્ષમાં ભાવા લગભગ ૨૦ ટકા જેટલા વધ્યા છે. જો કે આ આંકડાથી લોકોને ભાવવધારાથી ભાગવવી પડતી હાડમારી છતી થતી નથી. ખાંડ અને કોસીન માટે લાગતી કતારો પ્રજાની જે અસહ્ય મુશ્કેલી વ્યકત કરે છે તે આંકડામાં વ્યકત થતી નથી. ખાંડના ભાવ એક તબક્કે કિલોના સાત રૂપિયા અને મગફળીનું તેલ તો અગિયાર રૂપિયે કિલા પર પહોંચેલ. કેટલાંક શાકભાજી પણ મધ્યમવર્ગ માટે મિષ્ટાન્ન જેવા મોંઘાં થઈ ગયાં છે. છેલ્લા એક વર્ષમાં ખાંડ અને ગોળના ભાવમાં ૮૨ ટકા, ખાવાના તેલના ભાવામાં ૨૯ ટકા અને ખનિજ તેલના ભાવામાં ૨૦ ટકા જેટલા વધારો થયો છે. એટલું જ નહીં, અનાજનો મબલખ જથ્થા સરકાર પાસે હોવા છતાં અનાજના ભાવો ૧૬ ટકા વધ્યા. કઠોળના ભાવો પણ ૧૩ ટકા જેટલા વધ્યા છે. તાજેતરમાં સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને તેની પેદાશોના ભાવવધારાની સામાન્ય ભાવસપાટી પર વ્યાપક અસર પડશે. ચીજ-વસ્તુઓની હેરફેર મોંઘી બનવાથી આ પગલું ભાવવધારો વધુ અસહ્ય કરશે. કમનસીબે, હમણાં રજૂ થયેલા ૧૯૮૦-૮૧ના અંદાજપત્રમાં પણ ફુગાવાને ડામવાની દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. એ ખરું કે સામાન્ય માણસના વપરાશની ચીજવસ્તુઓ પર નવા કર લાદવામાં નથી આવ્યા. કેટલીક ચીજવસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, સાયકલ, નિયંત્રિત ભાવનું કાપડ, જીવનરક્ષક દવાઓ પરની આબકારી જકાત નાબૂદ કરાઈ છે અથવા તો ઘટાડાઈ છે, પણ ફુગાવા વિષે પહેલાં જેવી જ નીતિ રહી છે. અંદાજપત્ર વેળાના ભાષણમાં નાણાંપ્રધાને કહ્યું હતું કે અર્થતંત્રમાં ફુગાવાનાં પરિબળો મોજુદ છે અને અંદાજપત્રના મુખ્ય ઉદ્દેશ ભાવાની સ્થિરતા આણવાના છે. ભાવવધારા માટે ખાધપૂરક નાણાંનીતિ જ જવાબદાર છે. અંદાજપત્રની ખાધ અર્થતંત્રની ક્ષમતાની મર્યાદામાં મર્યાદિત કરવી પડશે. આ વાત પણ સ્પષ્ટ ઉચ્ચારાઈ. આમ છતાં ૧૯૮૦-૮૧ના વર્ષમાં રૂપિયા ૧૪૧૭ કરોડની રાક્ષસી ખાધ વણપૂરી રખાઈ છે. આમ છેલ્લાં ત્રણ વર્ષથી અંદાજપત્રની ભારે ખાધના બાજા નીચે અર્થતંત્ર ચડાઈ રહ્યું છે. ૧૯૭૮-૭૯માં રૂપિયા ૧,૫૦૦ કરોડની ખાંધ અને ૧૯૭૯-૮૦માં તે ત્રીસ વર્ષમાં સૌથી મોટી એવી રૂપિયા ૨,૭૦૦ કરોડની ખાધ હતી. આ ખાધને લીધે નાણાંના પુરવઠામાં ઉત્પાદનની સરખામણીમાં ઘણા મોટો વધારો થાય છે. નાણાંના પુરવઠાને આવા વધારો ભાવોની સ્થિરતાને માટે મોટા જોખમરૂપ છે. ૧૯૭૯-૮૦ દરમિયાન ભાવા ૧૭ ટકા જેટલા વધ્યા, આઝાદી પછીનાં ૩૨ વર્ષમાં, આ પહેલાં, ત્રણ વર્ષમાં જ ભાવવધારો ૧૭ ટકાથી વધુ થયેલો. ૧૯૭૯-૮૦ના ભાવવધારો આઝાદી પછીનો સૌથી મોટો ચોથા વાર્ષિક ભાવવધારો હતા. આ વર્ષ દરમિયાન કોલસા, પેટલાદ, સિમેન્ટ અને પેટ્રોલના કુશિત ભાવ પણ વધારાયા હતા. સામાન્ય ભાવવધારાને કારણે આ પગલું લેવું પડેલ. તો આ જ ભાવવધારાને લીધે અનેક ચીજવસ્તુઓના ભાવો પાછા વધ્યા. આમ આ વિષચક્ર ચાલુ રહે છે. ભથ્થાના ફુગાવાના સંદર્ભમાં ૧૯૭૯-૮૦ના વર્ષને ૧૯૭૪-૭૫ સાથે સરખાવી શકાય. ૧૯૭૪માં સરકારી કર્મચારીઓને મોંઘવારી જેટલા હપ્તા ચૂકવવા પડેલા. એટલે કે લગભગ દર મહિને મોંઘવારી ભથ્થું વધતું જ રહેલું. છેલ્લા નવ મહિનામાં પણ સરકારે મેઘવારી ભથ્થાના ત્રણ હપ્તા મંજૂર કર્યા છે. એક વધુ હપ્તો મે માસની પહેલી તારીખથી મંજૂર કરવેશ પડશે. ભાવા કેમ વધે છે? અર્થતંત્રના સાદા નિયમ પ્રમાણે કોઈ પણ ચીજવસ્તુની માંગ તેના પુરવઠા કરતાં વધે એટલે તે વસ્તુના ભાવ વધે. આ જ નિયમ સામાન્ય ભાવસપાટીને પણ લાગુ પડે છે. અર્થતંત્રમાં ચીજવસ્તુઓના પુરવઠા કરતાં તેની માંગ જો વધુ હોય તો ભાવો વધવાના. આ સંજોગામાં લોકોની સંઘરાખોરી પણ વધવાની. પરિણામે ભાવા વધુ વધતા રહે છે. ટૂંકા ગાળામાં પુરવઠો વધારવાનું કામ એટલું સરળ નથી. એટલે ચીજવસ્તુઓની માંગ મર્યાદિત કરવાનાં પગલાં લેવાં જોઈએ. ખરી રાષ્ટ્રીય આવકના આંક ચીજવસ્તુઓના પુરવઠાની સ્થિતિ દર્શાવે છે અને નાણાંના પુરવઠાનો આંક તેની માંગ દર્શાવે છે. લાંબા ગાળામાં તો ઉત્પાદન → ૩૫ 樂 વધારીને પણ પુરવઠો વધારી શકાય. ટૂંકા ગાળા કરતાં, લાંબા ગાળામાં નાણાંના પુરવઠા, ખરી રાષ્ટ્રીય આવક અને ભાવવધારા વચ્ચેનો સંબંધ વધુ ગાઢ જોવા મળે છે. ૧૯૭૯-૮૦માં પૂરાં થતાં છ વર્ષ દરમિયાન નાણાંના પુરવઠો વાર્ષિક ૧૪ ટકાના દરે વધ્યો. જ્યારે ખરી રાષ્ટ્રીય આવક માત્ર ૪ ટકાના દરે વધી. નાણાંના પુરવઠા અને રાષ્ટ્રીય આવક વચ્ચેના આ તફાવત ગાળા સંપૂર્ણપણે ભાવવધારામાં પ્રતિબિંબિત થતા નથી. પણ આ ગાળા દરમિયાન ૮ ટકાના વાર્ષિક દરે જે ભાવવધારો થયો તેના મૂળમાં આ અસમતુલા જ ગણી શકાય. પણ જો છેલ્લા ત્રણ દાયકાની વાત કરીએ તો આ પ્રક્રિયા સરળ રીતે સમજી શકાય. ૧૯૭૯-૮૦'માં પૂરાં થતાં ત્રીસ વર્ષ દરમિયાન નાણાંનો પુરવઠો એટલે કે ચીજ-વસ્તુઓની માંગ ૯ ટકાના વાર્ષિક દરે વધી. જ્યારે ખરી રાષ્ટ્રીય આવક એટલે કે ચીજવસ્તુઓનો પુરવઠો કેવળ સાડા ત્રણ ટકાના વાર્ષિક દરે વધ્યા. આમ ચીજવસ્તુઓની માંગનો વાર્ષિક દર તેના પુરવઠાના વાર્ષિક દર કરતાં સાડા પાંચ ટકા જેટલા વધારે હતો. આ સમતુલાને કારણે જ ભાવે આ સમય દરમિયાન દર વર્ષે સરેરાશ સાડા પાંચ ટકા જેટલા વધ્યા અને આર્થિક વિકાસનાં સારાં પરિણામો ધોવાઈ ગયાં. મેં હમણાં જ કહ્યું તેમ નાણાંનો પુરવઠો વધારવામાં અંદાજપત્રની ખાધ મુખ્ય ભાગ ભજવે છે. આથી જ અંદાજપત્ર પહેલાં નાણાં ખાતા તરફથી સંસદ સમક્ષ પેશ થતાં “ઈકોનોમિક સર્વે ”માં ખાધપૂરક પદ્ધતિ વિશે ચેતવણી આપવામાં આવી હતી. સર્વેએ કહ્યું: “૧૯૭૯-’૮૦માં અંદાજપત્રની ખાધને કારણે જ નાણાંનો પુરવઠો વધ્યો. આથી ૧૯૮૦-૮૧ના અંદાજપત્રમાં ખાધ પર નિયંત્રણ રાખવામાં આવે તે જ નાણાંનો પુરવઠો કાબૂમાં રહે.” આ ચેતવણીની ગંભીરતા સમજવા આપણે છેલ્લાં બે વર્ષ પર નજર નાંખીએ, ૧૯૭૭-’૭૮માં રાષ્ટ્રીય આવક આઠ ટકા વધી પણ નાણાંનો પુરવઠો ૧૯ ટકા વધ્યો. ૧૯૭૯-૮૦માં રાષ્ટ્રીય આવક ત્રણ ટકા ઘટી. આમ છતાં નાણાંના પુરવઠામાં દસ ટકા જેટલા વધારો થયો. આજે આપણે જે ફુગાવામાં સપડાયા છીએ તેની પાછળ આ બીન-જવાબદારી છે એમ “ઈકોનોમિક સર્વ”નું કહેલું છે. # wr માટી યોજનાના નામે પણ અંદાજપત્રની ખાધ ભાવવધારા પ્રેરક છે. મોં ભરાઈ જાય એટલી મોટી યોજના જાહેર કરવી અને પછી ભાવવધારો એ યોજના ધોઈ નાખે આવું છેલ્લાં વીસ વર્ષની બનતું આવે છે. આથી સરકારી “ઈકોનોમીક સર્વે ”એ આ મુજબ સલાહ આપી હતી. મોટી યોજનાને ફુગાવા આડેધડ છિન્નભિન્ન કરી નાખે એ કરતાં યોજનાના વાસ્તવિક લક્ષયાંકો રાખવામાં વધુ ડહાપણ છે. પણ કમનસીબે આ સલાહને આયોજનપંચે અને નાણાંપ્રધાને અવગણી છે. નાણાંપ્રધાને એમના અંદાજપત્ર-પ્રવચનમાં કહ્યું: ફુગાવાથી પીડિત અર્થતંત્રમાં ૨૭૦૦ કરોડ જેટલી અંદાજપત્રની ખાધ શ્રી ચરણસિંહના અંદાજપત્રે રાખી એ હકીકત આજના ભાવવધારા પાછળનું એક અગત્યનું કારણ છે. પણ શ્રી વેંકટરામને શું કર્યું? તેમણે પણ અંદાજપત્રમાં ૧૪૦ કરોડની જંગી ખાધ રાખી ફુગાવાનાં બળાને છૂટ્ટો દાર આપ્યો છે. શ્રી વેંકટરામનનું અંદાજપત્ર એકંદર શાણપણ ભર્યું છે. પણ આ ખાધ એમણે પોતે અને “ઈકોનોમિક સર્વે”એ આપેલી ચેતવણીની અવગણના કરે છે. આમ ફુગાવા સામેની લડાઈ નબળી પડી છે. . ફુગાવા સામેની લડત એ આખરે તો રાષ્ટ્રીય સાદગીની લડત છે. જો સરકાર પોતે રાષ્ટ્રીય આવકનો ત્રીજો ભાગ ખર્ચતી હોય તો આ દિશામાં શરૂઆત પણ સરકારે જ કરવી જોઈએ. આ માટે છ પગલાં તરત લેવાં જૉઈએ. ૧. એક રાષ્ટ્રીય સાદગીના કાર્યક્રમ શરૂ કરવા જોઈએ. રાષ્ટ્રપતિ, કેન્દ્રના પ્રધાનો, ગવર્નરો, રાજ્યોના પ્રધાનો, ઉદ્યોગપતિઓ, વ્ય વસાયીઓ, ધનિક ખેડૂત અને શહેરી કામદારોએ આની શરૂઆત કરવી જોઈએ. ૨. સરકારે એના ખર્ચામાં દસ ટકાનો એવી રીતે કાપ મૂકવો જોઈએ કે નાણાંકીય ખર્ચઘટાડા સાથે સિમેન્ટ, કાગળ,
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy