________________
તા. ૧-૭૮૦
પ્રબુદ્ધ જીવન
૩૩.
વૃત્તઓ છે, તે સાથે સવૃત્તિઓ છે અને અંતે સદ્ગત્તિઓનો વિજય થાય તેમાં જ જીવનની ધન્યતા છે એવું મંગલમય દર્શન જેને નથી તેને મહાન સર્જક કેમ ગણવો?
લેખક મોટેભાગે પોતાના જીવનનું પ્રતિબિમ્બ પોતાના લખાણોમાં પાડે છે. જેનું જીવન સ્વછંદ ભરપૂર હોય તેવા લેખક પાસેથી, જીવનને સાચા રાહ પર લઈ જતા માર્ગદર્શન કે જીવન દર્શનની અપેક્ષા કયાંથી રખાય? ભાષા ઉપર પ્રભુત્વ હોય તે ખોટી વસ્તુને લલચામણી રીતે રજુ કરી, વાચકને અવળે માર્ગે દોરી જાય.
સ્ત્રી-પુરુષ સંબંધ, સેકસ કે કામવાસના વિષે લાવું ખાસ બને છે. મનુષ્યમાં કામવાસની છે તે હકીકત છે. તે અતિ પ્રબળ છે, તેને અસ્વીકાર કરવાનો પ્રશ્ન જ નથી. પણ તે સાથે એ પણ સત્ય છે કે કામવાસનાને છુટો દોર આપવાથી જીવન નષ્ટ થાય છે. મીલરે કહ્યું, જીવન જીવવું એ જ જીવનનું લક્ષ્ય છે. બરાબર, પણ કેવા પ્રકારનું જીવન તે જ પ્રશ્ન છે. મહાન લેખકોએ સ્ત્રી પુરુષના આકર્ષણનો, પ્રેમનો અસ્વીકાર નથી કર્યો. પણ તેને જીવનનું સર્વસ્વ નથી માન્યું. કાલીદાસે શાકુન્તલમાં કે ટેસ્ટોયે એના કરેનીનામાં પ્રેમને સ્વીકાર કરતા છતાં, તેને સર્વસ્વ માની લઈએ તે, છેવટ તેને દંડ ભરવો પડે છે તે બતાવ્યું છે. શાકુન્તલ વિશે રવીન્દ્રનાથે લખ્યું છે:
“જે પ્રેમને કોઈ બંધન નથી. કોઈ નિયમ નથી, જે એકદમ નરનારી ઉપર આક્રમણ કરી, સંયમ દુર્ગના તૂટેલા બુરજ ઉપર પિતાની વિજય પતાકા ફરકાવે છે, તેની શકિતને કાલીદાસે સ્વીકાર કર્યો છે; પરંતુ તેની આગળ તેઓ પ્રણિપાત કરતી નથીઆ શકિતને ચરણે જ તેઓ પોતાના કાવ્યને સઘળે રાજકર ધરી દેતા નથી. જે અંધ પ્રેમ-સંભોગ માણસને પોતાના કર્તવ્યને વિષે પ્રમત્ત બનાવે છે, તે ભર્તાના શાપથી ખંડિત થાય છે, ઋષિના શાપથી અંતરાય પામે છે.”
મહાન સર્જકો, જીવનની વાસનામય વાસ્તવિકતાને સ્વીકાર કરતાં છતાં, જીવનના અંતિમ મંગલમય ધ્યેયને ક્ષતિ પહોંચવા દેતા નથી.
સાહિત્ય કેવા પ્રકારનું અને કેટલું વાંચવું તે પ્રશ્ન છે. જે કાંઈ વાંચીએ તેની થોડીઘણી અસર મન ઉપર થયા વિના રહેતી નથી. વિવેકપૂર્વક પસંદગી કરવી રહી. શ્રેષ્ઠ લેખકોની કૃતિઓ
જ બનતા સુધી વાંચવી. વાંચવાનું પણ વ્યસન થઈ જાય છે. ઢગલાબંધ પુસ્તકો બહાર પડે છે. તેમાં વિવેક જાળવવો અથવા પસંદગી કરવી સહેલું નથી. મનરંજન માટે કે સમય ગાળવા હળવું વાંચન કરીએ તે જુદી વાત છે. તેમાં પણ વિવેક જાળવવા રહ્યો. કેટલાક લોકોને ઉપરછલા, ઉપદેશાત્મક કે આધ્યાત્મિક દેખાય તેવા લખાણો વાંચવા ગમે છે. તેથી કાંઈ નુકસાન નથી થતું કદાચ મન પ્રસન્ન થાય. પણ જેમાં ઊંડાણ ન હોય, જીવનની સમસ્યાનોની તલસ્પર્શી મિમાંસા ન હોય તેવા લખાણમાંથી ચિરાળ માર્ગદર્શન નથી મળતું. જે લખાણે, નવલકથાઓ અથવા વાર્તામાં કાંઈ અંશે માનવતાનું દર્શન હોય અને માનવીય મૂલ્યોનું સમર્થન હોય તે પણ સામાન્ય માણસ માટે આવકારદાયક છે. થોડું વાંચવું પણ તે વિષે ચિંતન અને મનન કરવું વધારે હિતકારી છે. કેટલાક મહાન ગ્રન્થો કાયમ પાસે રાખી મૂકવા. જ્યારે સમય મળે ત્યારે ફરી ફરીને વાંચવા.
- બહુ નમ્રતાથી કહું તે, હેનરી મીલરના પુસ્તકો મેં નથી વાંચ્યા તેથી કાંઈ ગુમાવ્યું હોય તેવી મને લાગતું નથી. કદાચ વાંચીને તેના પ્રવાહમાં તણાઈ ગયા હતા તે મન કલુષિત થાત તેમ લાગે છે. હવે તો મારા વિચારો ચેસ દઢપણે બંધાઈ ગયા છે. ગમે તે વાંચું તેનું મૂલ્યાંકન મેં સ્વીકારેલા મૂલ્યથી કરું છું. મીલરને વાં તે પણ તેની ક્ષતિઓ જોઈ શકું એમ માનું છું. પણ એવું બધું વાંચીને શા માટે સમય ગુમાવ? સિવાય કે એક અભ્યાસી તરીકે વિવેચન કરવું હોય, એવી મને કોઈ ઈચ્છા નથી.
કોઠ લેખકો, જેને જીવનનું સમગ્રતાથી દર્શન છે તે સિવાયના મોટાભાગના લેખકોને પિતાના મનના વમળે, સંઘર્ષો, સમસ્યાઓ અને મુંઝવણ હોય છે. એક અથવા બીજી રીતે તેમના લખાણમાં તે પ્રતિબિંબિત થાય છે. તે બધું આપણા મનમાં ભરવાની શું જરૂર છે? તેને નીરક્ષિાર વિવેક કરતાં વાર લાગે, અથવા ભૂલ થાય એવો સંભવ છે. એટલો સમય પણ કયાં છે? ૨૨-૬-૮૦
ચીમનલાલ ચકુભાઈ
વેદવાકય अदारसृद् भवतु देव।
ન (અથર્વવેદ ૧૨૦/૧) હે દેવ! અંદર - અંદરની ફટફટ દૂર કરવાનું કાર્ય થતું રહે. તાર
= ફૂટ (દ = ફિટિવું ધાતુ) –સત = ફૂટને પ્રયત્ન, ફાટટનું કાર્ય ગવાર સૂત્ = ફાટફૂટ દૂર કરવાનું કાર્ય ક્રવાર સૂત્ મવા = ફાટટ દૂર કરવાનું કાર્ય થતું રહે.
આપણી કમનસીબી છે કે, આપણે કયારેય વેદની પાસે જતા નથી. વેદ કેટલા સરળ છે તે ઉપરનું સૂકત વાંચતાં સહેજમાં સમજાય તેવી વાત છે. આ સૂકત વ્યવહારમાં જેટલું ઉપયોગી છે તેટલું જ ધ્યાત્મિક પ્રવૃતિ માટે પણ ઉપયોગી છે.
જીવનના દરેક ક્ષેત્રને માટેની મહત્ત્વની વાત અહીં કેટલા એાછા શબ્દમાં કહી દેવામાં આવી છે. ભારતના ઈતિહાસ જેણે વાં છે એનાથી આ ફાટક ટનું પરિણામ અજાણ્યું નથી. મહારાજાએએ પિતાનાં રાજ્ય ગુમાવ્યાં છે. આ કુસંપને પરિણામે દેહમાં પણ ફટફટ પડી શકે. કઈ ઈન્દ્રિય કામ કરવાની ના પાડે તો? અને એટલે તે આપણે કહીએ છીએ કે, ‘ઘરફ ટે ઘર જાય.” આપણા ઘરમાં પણ ત્યાં સુધી જ સુખ સમૃદ્ધિના નિવાસ રહે છે. જ્યાં સુધી આપણે હળીમળીને ચાલીએ એકબીજાનાં દુઃખ દૂર કરીએ.
પણ જ્યારે અંદર અંદર હરીફાઈ કરી એક બીજાને ઉતારી પાડવાની પ્રવૃતિ કરીએ છીએ; ત્યારે અશાંતિ, કલેશ અને પડતી સિવાય કાંઈ બચતું નથી.
માનવી જ્યાં સુધી એક બીજાને માટે પુરક બની રહે છે ત્યાં સુધી જ એનો વિકાસ થાય છે. અહીં દેહ હય, કુટુંબ હોય, સંસ્થા હોય, રાજકીય પક્ષ હોય કે દેશ હોય પરિણામ એક જ આવે છે. આપણે જ્યારે જ્યારે સ્વતંત્રતા ગુમાવી છે ત્યારે ત્યારે આપણે કુસંપમાં ખદબદતા હતા અને એનું પરિણામ ચોપણે વર્ષો અને સૈકાઓ સુધી ભેગવ્યું જ છે.
રાગ - પરિહારસૂત્રમાં આજ વાત સહેજ જુદી રીતે મૂકી છે. न वि तं कुणइ अमित्तो, सुठ्ठ वि य विराहिओ समत्थौवि।। जं दो वि अनिग्गहिया, करंति रागीय दोसो य ।।
“અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્રોપ જેટલું નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલો બળવાન શત્રુ પણ નથી કરતો.'
રાગ અને દ્વેષને પરિણામે જ ફાટફટનો જન્મ થાય છે. ' આપણે વેદવાકયને સત્યનું સ્વરૂપ કહીએ છીએ; કારણ કે એની વાણીમાં સનાતન સત્ય રહેલું છે, પછી ભલે એ સુકત હજારો વર્ષ પહેલાં લખાયું હોય. આજે પણ એ એટલું જ સાચું છે ને જરૂરી છે સૌનો વિકાસ માટે.
સુધીર દેસાઈ
સંધની પેટને મેમ્બરની ચેજનાને
આવકાર અને સ્વીકાર ગતાંકમાં પેટન મેમ્બરોના બાર નામે પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ નીચેના પાંચ નામે મળ્યા છે. પ્રેમાળ સહકાર માટે અમો તેમના આભારી છીએ. (૧) શ્રી રજનીકાંત લક્ષ્મીરાંદ વેરા (૨) , ચીનુભાઈ છગનલાલ શાહ (૩) , ડુંગરસી આર. ગાલા (નવનીત પ્રકાશન) (૪) , એન. કે. કાપડિયા (૫) ,, દેવચંદ રવજી ગાલા
સંધના સભ્યો તેમ જ આજીવન સભ્યોને પોસ્ટ દ્વારા અલગ પરિપત્ર મોકલ્યો છે. તે મળે સૌ પોતાના નામે મોકલી આપે અને મિત્રોમાંથી નામે મેળવી આપી અમારા સે સભ્યોના લક્ષ્યાંકને પહોંચી વળવામાં પ્રેમાળ સહકાર આપે એવી વિનંતિ.
શ્રી એન. કે. કાપડિયા તેમજ શ્રી દેવચંદ રવજી ગાલાને સંપર્ક સાધ્યા વિના તેઓએ સીધા પોસ્ટ દ્વારા રકમ મોકલી આપી છે. આવા પ્રેમાળ સહકાર માટે ધન્યવાદ.
- ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ