SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ખુબ જીવન અમેરિકાના એક ચક્રમ' પક્ષની કરુણ ર્જક કહાણી અમેરિકામાં અત્યારે જાત જાતની ધમાલ ચાલે છે. એક ત ઈરાન અંગેની ધમાલ ચાલે છે, બીજી અફઘાનિસ્તાન પરના રૂસી આક્રમણની અને ઓલિમ્પિકના બહિષ્કાર અંગેની ધમાલ ચાલે અને ત્રીજી આવી રહેલી પ્રમુખપદની ચૂંટણી અંગેની ધમાલ ચાલે છે. પ્રમુખપદ માટે ડેમેાક્રેટિક પક્ષ અને રિપિબ્લકન પક્ષ મુખ્યત્વે કરીને મેદાનમાં છે અને સમાચારમાં એમનાં જ નામે સંભળાય છે પણ તમને ખબર છે, કે અમેરિકામાં એ બેજ પક્ષો નહિ પરન્તુ બીજા અગિયાર પક્ષો છે એટલે કે કુલ તેર પક્ષો છે. અને એમાના કેટલાકે તો પ્રમુખપદ માટે પેાતાના ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે? આમાંના એક પક્ષ છે “ધી લિબર્ટોરિયન પાર્ટી.”આ પક્ષો, આટલાંટિક રિચફીલ્ડ કંપની નામની એક પેઢીના કાયદાના સલાહકાર એડ કલાર્કને પ્રમુખપદ માટે હરીફાઈ કરવા ઊભા રાખ્યા છે. ૧૯૭૮માં અમેરિકાના વિવિધ રાજ્યોના ગવર્નરોની ચૂંટણી થઈ ત્યારે આ શ્રી કલાર્ક કેલિફોર્નિયાના ગવર્નરપદ માટે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને આશ્ચર્યજનક બિના તા એ બની હતી કે તેમને ૩,૭૭,૯૬૦ મતો મળ્યા હતા. લિબર્ટેરિયા આ પરિણામથી ઉત્સાહમાં આવી ગયા હતા અને “૧૯૯૦ પછીના વરસામાં અમે અમેરિકાના પ્રમુખનું પદ પણ અમે જીતીશું.” એવું કહેવા લાગ્યા હતા. એ લોકોની વ્યવ-સ્થિત આયોજના જોઈને, એ લોકોના દાવા કેવળ ગપ્પાગોષ્ટિ જેવા છે એમ કહી શકાય એમ નથી. વળી ગમે તેવાં નૂતને ટેકો આપનારા અમેરિકામાં મળી જ આવે છે એ પણ આપણે ભુલવું ન જોઈએ. હું આ કહે છું કારણ કે મારે મને તે આ લિબર્ટોરિયન પાર્ટી એક તૂત જ છે. અમેરિકામાં બન્ને પ્રમુખ પક્ષોએ સભ્યો નોંધવાની પ્રથા રાખી નથી. (અને એથી ત્યાં બોગસ સભ્યપદના પ્રશ્ન પણ ઉપસ્થિત થતા નથી) એટલે કયા પક્ષના કેટલા સભ્યો છે એવું નહિ પણ કયા પક્ષના કેટલા ટેકેદારો છે. એવું જ ત્યાં પૂછવામાં આવે છે. એક ભારતીય નાગરિકે એક અમેરિકન પ્રોફેસરને આવા પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે કહ્યું કે દેશના ૨૧ ટકા જેટલા મતદારો રિપબ્લિકન પક્ષ તરફ અને ૪૨ ટકા મતદારો ડેમોક્રેટિક પક્ષ તરફ સહાનુભૂતિ ધરાવે છે જયારે બાકીના ૩૭ ટકા “અનડિસાઈડ”-અનિર્ણિત હોય છે. આ “અનિર્ણિત” મતદારોમાં બાકીના નવ પક્ષોની અને બે પ્રમુખ પક્ષોની પણ– રમત ચાલે છે. (અલબત્ત, લિબર્ટોરિયન પક્ષો પોતાના પક્ષના સભ્યો નોંધવાની પ્રથા અપનાવી છે.- નાણાં માટે!) લિબર્ટોરિયન પક્ષની જ જો વાત કરીએ તા એના ચૂંટણી ઢ ઢેરો જોઈને જ આપણી છાતી બેસી જાય છે. એ લોકોને કોઈપણ જાતના સરકારી નિયમના ખપતાં નથી. એ લોકો પોતાને સિદ્ધાન્તવાદી પક્ષ કહેવરાવે છે. (અંગ્રેજી નામ “પાર્ટી ઓફ પ્રિન્સિપલ”) પણ એ સિદ્ધાન્તો જયારે આપણે જોઈએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે આ સિદ્ધાન્તાને આધારે સમાજ શાસન ચાલે કેવી રીતે? દા. ત. આ પક્ષ માગે છે કે પ્રજાને હિરોઈન, અફીણ, ચરસ વગેરે વાપરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ; સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ એ ગુનો ગણાવા ન જોઈએ, વેશ્યાવૃત્તિ પણ ગુનો ગણાવા ન જોઈએ, પરિસરને પ્રદૂષિત થતા અટકવવા માટેની જે સરકારી સંસ્થા છે તે નાબૂદ થવી જોઈએ કારખાનાઓમાં કામ કરતા કામદારોની સલામતી અને સ્વાસ્થ્યની નિગેહબાની કરતી સરકારી સંસ્થાઓ નાબૂદ થવી જોઈએ, ફેડરલ રિઝર્વ બોર્ડ અને બીજી એવી બધી જ સરકાર સંચાલિત નિયામક સંસ્થાઓ સમેટી લેવી જોઈએ અને સામાજિક સલામતી તથા કલ્યાણ માટેના જે કાયદાએ સરકારે કર્યા છે તે નાબૂદ થવા જોઈએ. તેઓ તો અશકિતનો (એટલે કે અણુશસ્ત્રના જ ને?) વેપાર ખાનગી ક્ષેત્રમાં છૂટથી કરવા દેવાની પણ હિમાયત કરે છે. અત્યારની અમેરિકન સરકારે નૈતિક, આર્થિક અને લશ્કરી ક્ષેત્રે જે કાંઈ નીતિવિષયક નિર્ણયો લીધા છે તે બધાના લિબર્ટોરિયને વિરોધ કરે છે ! જુગાર અને આપઘાતને પણ ગુના ન ગણવા જોઈએ એમ એ લાકો કહે છે! વળી પરદેશમાંના બધાં જ અમેરિકન દળેાને પાછાં બાલાવી લેવાની પણ એ લોકો હિમાયત કરે છે. અને ખૂબીની વાત તો એ છે કે અમેરિકાના સમાચાર માધ્યમે આ લોકોને ગંભીરતાપૂર્વક ગણતા નથી છતાં એ લોકોની બધી ઊટપટાંગ વાતાને પ્રસિદ્ધિ તો આપે જ છે. ગયા સપ્ટેમ્બરમાં લાસ એન્જેલીસ ખાતે જયારે પક્ષનું વાર્ષિક અધિવેશન મળેલું ત્યારે અમેરિકાના રાષ્ટ્રીય દરજજાના ગણાય એવા પત્રકારો એના હેવાલ લેવા ગયા હતા. આ પત્રકારો ત્યાં ગયા તેનું એક કારણ તો એ હતું કે ૧૯૭૮માં જયા૨ે ગવર્નરો અને સંસદ સભ્યોની ચૂંટણી થઈ ત્યારે લિબર્ટે રિયન પક્ષો ઊભા રાખેલા ૨૦૦ ઉમેદવારોએ કુલ તેર લાખ મતા તા. ૧૬-૬-૮૦ મેળવ્યા હતા! એમના પર રાષ્ટ્રીય અખબારો નજર ન રાખે તે કેમ ચાલે ! લિબર્ટે રિયન પક્ષની સ્થાપના ૧૯૭૨માં થઈ હતી એટલે આજે એ પક્ષની ઉમ્મર માત્ર આઠ જ વર્ષની છે. આ આઠ વર્ષમાં તેમની પ્રગતિ ઠીક ઠીક થઈ છે અને ૧૯૭૮માં તે તેમને અલાસ્કાની ધારાસભામાં એક બેઠક પણ મળી હતી. દેશની કોઈપણ ચૂંટણીમાં લિબટ્રૅરિયાની આ પહેલ વહેલી જીત હતી. “લિબર્ટેરિયા માને છે કે દરેક માણસને, પોતાની જિંદગી ઉપર સંપૂર્ણ અખત્યાર છે અને એ જે રીતે જીવવા માગે તે રીતે એ જીવી શકે છે. એમાં બળજબરીપૂર્વક દખલ કરવાનો કોઈને અધિકાર નથી.” આ એમના શાસકીય સિદ્ધાન્તોનું સત્ત્વ છે. પ્રમુખપદ માટેના લિબર્ટોરિયન ઉમેદવાર એડ કલાર્ક તે જયાં કોઈ પણ જાતના શાસકીય નિયમન હોય જ નહિ— (અંગ્રેજીમાં— વ્હેર ગવર્નમેન્ટ ઈઝ ઓલમોસ્ટ એલિમિનેટેડ)—એવા સમાજનું સ્વપ્ન સેવી રહ્યા છે.... અને આમ છતાં, વર્તમાન પ્રશ્નોના તેમણે કેટલાક ઉકેલા કલ્પ્યા છે તે તે એવા ઝગડા ઉત્પન્ન કરે એમ છે... એ ઝઘડાનો નિકાલ અદાલતી મુકદમા દ્વારા જ આવી શકે. લિબર્ટ રિયન કહે છે કે સકાન્તિ કાળમાં આવું થશે જ. એમાં કાંઈ હરકત નથી. લિબર્ટોરિયનાએ આવા, ઝગડો ઉત્પન્ન કરે એવા જે વિકલ્પો કલ્પ્યા છે તે પણ જોવા જેવા છે. દા. ત. પ્રદૂષણ નો પ્રશ્ન લિબટેરિયા કહે છે કે પ્રદૂષણના પ્રશ્નના ઉકેલ સરકારથી આવે એમ નથી. કારણ કે સરકારે જ પ્રદૂષણ ઊભું કરેલું છે. બધી નદીઓ અને સગેવગે ઉપર સરકારની જ માલિકી છે અને તેથી જ પ્રદૂષણ ઊભું થયેલું છે. સરકારની આ માલિકી સાચી માલિકી નથી કારણ કે માલિક જે રીતે પેાતાની મિલકતને ઉપયોગ કરે તે રીતે સરકારી અમલદાર્ગ કરી શકતા નથી. પણ જો ખાનગી પેઢીઓને નદીઓ અને સરોવગે વેચી દેવામાં આવે તો પરિસ્થિતિ બદલાઈ જાય. એ નદીઓ અને સગેવગેની પવિત્રતા જળવાઈ રહે. કારણ એ જળાશયોને કોઈ ગંદકી વડે પ્રદૂષિત કરવાના પ્રયત્ન કરે તો એ જળાશયોના માલિક એના પર અદાલતમાં કેસ માંડી શકે, એની પાસે નુકસાની મેળવી શકે અને ફરી પાછું આવું ન કરવાની બાંહેધરી મેળવી શકે. (પણ કોઈ કંપની ઈરી સગવર ખરીદીને પછી એમાં કચરો ઠાલવવાના હક્કો જુદી જુદી કંપનીએને વેચે તે શું થાય એ અંગે લિબર્ટોરિયન પક્ષ રૂપ છે!) હવાના પ્રદૂષણની વાત જરા જુદી છે પણ લિબર્ટે રિયા પાસે એના પણ ઉકેલ છે. પ્રદૂષિત હવા ફેફસામાં ભરનારા માણસા હવા પ્રદૂષિત કરનારાઓ પર કેસ માંડી શકે. પ્રદૂષિત હવાને કારણે કોઈને પાક બગડે અથવા તબિયત બગડે તે તે હિંસાના પ્રકાર થયા જેવું કે કોઈની મિલકતને આગ લગાડવી, અથવા તો કોઈને મહાવ્યથા પહોંચાડવી. આની સામે અદાલતમાં કેસ માંડી શકાય. આ બધા ઉપરથી તે એમ લાગે છે કે લિબર્ટે રિયનાના સ્વર્ગમાં જે સમાજ રચાશે તેને તો લગભગ દરેકે દરેક વસ્તુ માટે અદાલતમાં લડયા જ કરવું પડશે એટલે વકીલા વચ્ચેની સાઠમારી એ લિબર્ટોરિયન સમાજનું એક મુખ્ય લક્ષણ હશે ! લિબર્ટોરિયાના સ્વર્ગની રચના અંગે હજી અનેકાનેક પ્રશ્ના અદ્ધર લટકે છે. પરિણામે આજેતા વિચારવન્તોનો એક ઘણા મોટા વર્ગ લિબર્ટોરિયનાને “ક્રેઝી” (પાગલ) તરીકે વર્ણવે છે અને એ લોકોની ઠઠ્ઠા મશ્કરો ઉડાવે છે. પણ એ હકીકત છે કે એ લોકોને સંસદ સભ્યોની ચૂંટણીમાં ૧૩ લાખ મતો મળ્યા હતા અને અલાસ્કાની રાજ્ય ધારાસભામાં એક બેઠક મળી હતી. અલબત્ત અમેરિકામાં જેને પેપ્ચ્યુલર વાટ કહે છે તેના કુલ મતદાર સંખ્યાના બેદશાંશ ટકા જ મતા (૦.૨ ૦૦) લિબર્ટેરિયાને મળ્યા છે પણ છતાં એમના નંબર ૧૪ પક્ષોમાં હવે ત્રીજો રિપબ્લકના તથા ડેમોક્રટાની પાછળ) આવ્યા છે અને તેથી એમને સંતોષ છે. એ લોકોના નેતાઓ તો કહે છે કે અમારી પાસે તે ચૂંટણી પ્રચાર માટેના પૈસા હોય તો અમે કરી દેખાડીએ. એ લાકોએ પૈસા ભેગા કરવાની જે આયોજના કરી છે તે દસ વર્ષમાં પૂરી થશે અને તેથી જ તેઓ ૧૯૯૦ પછી અમેરિકાનું પ્રમુખપદ હસ્તગત કરવાની આશા રાખે છે. આ લિબર્ટોરિયન પક્ષની વાત કરતાં મને આપણા રાજનારાયણ યાદ આવી ગયા. કેમ તેને તે વાંચકો સમજી જ શકશે. મનુભાઈ મહેતા [આ લેખની કેટલીક સામગ્રી “સેટરડે રિવ્યુ” અને “આટલાંટિક મન્થલી”માંથી લીધી છે. બીજી કેટલીક અમેરિકન રેડિયો પર આવેલા ચૂંટણી અંગેના વાર્તાલાપાની શ્રેણીમાંથી પ્રાપ્ત થઈ છે.] -
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy