SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૮૦ આ સમસ્યા ખૂબ જ પેચીદી છે. એના સીધા સરળ જવાબ માગવા. કે આપવા એ નરી વૃતા બને. પરંતુ, સૌથી પહેલા તો આપણે એ વિચારવું જોઈએ કે ઉપર વર્ણવ્યા એ બધાં દૂષાણે શું લેકશાહીના અંતરંગ લક્ષાણે છ? આજ સુધીના લોકશાહી ચિતકોને જવાબ સ્પષ્ટપણે “ના” છે. લોકશાહી એ કોઈ એક ક્ષેત્રની એક પદ્ધતિ નથી. એ સમગ્ર જીવનને અભિગમ છે. સમાજ જીવનમાં વ્યકિત માત્રની “સમાનતા” (મસેકમ, “સમાનતક”) અને વ્યકિતમાત્રની “સ્વાધિનતા” (અન્ય વ્યકિત કે સમાજને વિઘાતક ન હોય તે મર્યાદામાં) એ લેકશાહીને પ્રાણવાયુ છે. આ મૂળભૂત લક્ષ્યને સંપૂર્ણ અમલ કેવળ આદર્શ છે. છતાં, પશ્ચિમના જે દેશમાં સૈકાઓ દરમ્યાન એના મૂળિયા વિકસ્યા છે ત્યાં આ છોડ ઠીક ઠીક પાંગર્યો છે. જયાં આવા ક્રમિક અને ધીમા વિકાસ માટે પૂરતી ભૂમિકા નથી મળી ત્યાં તે ગુંગળાતે રહ્યો છે. દેશ ગમે તે હો, ભૂમિકા ગમે તે હો, માનવ-માનવી વરચેના હિતસંઘને ઉકેલ શોધવામાંથી જ લેકશાહીને જન્મ થયો છે. એકનું માથું ઉડાવી દઈ બીજાના મસ્તક ઉપર મુગટ પહેરાવી દેવાની (વર્ગ પ અને વર્ગયુદ્ધની) પ્રક્રિયા દ્વારા ઉકેલ કરે છે, કે તેને બદલે, એકબીજાના માથા અકળાતા-અથડાતા, સૌના હિતની વ્યવસ્થા શોધતા શોધતા, સૌએ સતત બાંધછોડ કરતા રહીને, સહકાર યુકત શાંતિ અને સુવ્યવસ્થાનું નિર્માણ કરવું છે? આ મથામણમાંથી જ લોકશાહી પ્રક્રિયાને વિકાસ થયો છે. બીજી બાજુ તાજેતરના ઈતિહસે એ પણ શીખવ્યું છે કે માથું ઉડાવવાની વાત એટલે કે એકહથ્થુ દમન દ્વારા શિસ્ત અને વ્યવસ્થા લાદવાની વાત તત્કાલ કારગત. દેખાય છે. પરંતુ એવા તમામ સમાજમાં છેક તળિયે જેટલે અને જે હે ખદબદી રહ્યો છે તે કંઈ લેકશાહી ગણાતા દેશના કરતા એાછા ધૃણાસ્પદ નથી. ત્યાંની પ્રજાને તે એને બહાર આણવાની, જાહેરમાં પ્રગટ કરવાની પણ તક નથી! આના જેવું દુર્ભાગ્ય માણસ જાત માટે બીજું શું હોઈ શકે? સઝેનિત્સિને આ સત્ય પ્રત્યે આખા જગતનું ધ્યાન વારંવાર અત્યંત વેધક રીતે ખેંચ્યું છે. આ સત્ય વિષે જ શંકા કરનારાઓની વાત જુદી છે. એમને ગળે કશું ઉતારવાનો અહીં પ્રયાસ નથી.) ચર્ચિલે ઘણાં વરસ પહેલાં જે તારતમ્ય કાઢયું હતું તે આજે પણ મૂળભૂત મૂલ્ય દષ્ટિએ સારવું છે. તે એ છે કે દુનિયામાં લોકશાહી કનિષ્ઠ પ્રકાર હોવા છતાં, એની અવેજીમાં બીજો કોઈ વધુ સારો પ્રકાર પેદા થયો ન હોઈને એ જ બહેતર છે. પરંતુ જો આપણે લોકશાહીને રાજય શાસનના કેવળ એક પ્રકારને બદલે સમસ્ત સમાજના સમધારણ માટેની આંતરિક સ્વજનિત, ચેક એન્ડ બેલન્સવાળી એક નિષ્ણ તરીકે સમજીએ, તે એ સત્ય અને અહિંસાની જેમ જ એક શાશ્વત મૂલ્ય બને છે; અને એના ભેગે મનુષ્યનું કલ્યાણ અશક્ય છે એવો વિશ્વાસ તે અંધશ્રદ્ધા નથી; એ તો મૂલ્ય-શ્રદ્ધા છે, એમ સ્વીકારવું રહ્યું. ટયો છે. જો કે, એવું માળખું એક સુદ્રઢ વિકલ્પ તરીકે કારગત નીવડવાની પ્રતીતિના અભાવે, એ વિચાર પાછો ઠેલાતો રહ્યો છે. ત્રીજી વાત ચૂંટણી પ્રથાની છે. એના દૂષણો ઉપર આંગળી મૂકીને, જેપી પ્રસ્થાપિત તારકું કમિટિએ, નક્કર સૂચનો કર્યા છે. અને “લખલૂટ ખ” (કાળાં નાણા) અને “પક્ષપલટા” બંને મહાદૂષણ સામે વારંવાર જબરો ઉહાપોહ પણ થતો રહ્યો છે. - આ ઉપરાંત પણ ઘણા નવા સૂચનો થઈ શકે અને થવા જોઈએ એમાંથી જરૂર એવો વિકલ્પ નીકળી શકે છે, લોકશાહી મૂલ્યને છેદ ઉડાવ્યા વિના, શકય એટલા દૂષણોને રોકવા શકિતમાન બને. એકંદરે, દેશમાં અને દુનિયાભરમાં લોકશાહીની આવતી કાલ અંગે” ભારે વિવાદ ઉપડે છે... નવા નવા નુસખા સૂચવાતા રહેશે જ (ભૂમિપુત્ર, તા. ૧-૬-૮૦ના અંકમાં થોડાક અણસારા છે.) લોકશાહીને સાચું રાષ્ટ્રકારણ અને સ્વસ્થ લોકારાગ બનાવવાની એક મહત્ત્વની ચાવી છે, “ત્રીજી શકિતનો વિકાસ. આ શકિત ધારાસભાઓની અંદર અને બહાર લકિતને જાગ્રત કરીને, સત્તા અને સંપત્તિના નાટારંગને વશ રાખવા સમર્થ બનવી જોઈએ. જેપીએ આવો પ્રોગ શરૂ કર્યો હતો. તેમના નિધન બાદ, લોકસભા તથા તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પ્રસંગે, “લેક ઉમેદવાર”ની દિશામાં બહુ જૂજ પરંતુ સંનિષ્ઠ પ્રયાસ થયા છે. આ પ્રયોગવીરોની દ્રઢ માન્યતા હતી કે લગભગ બધા જ પો ને પાવટ નીવડયા હોઈને, લોકો પોતે એ બધાથી ત્રાસી ગયા હોઈને, તેઓ સાચા લોકઉમેદવારને હોંશે હોંશે વધાવશે. પરંતુ વાસ્તવિકતા ઊલટી જોવા મળી છે. ગુજરાતમાં શ્રી માવલંકર જેવા સ્વતંત્ર ઉમેદવાર તરીકે સંનિષ્ઠ નીવડેલાને પણ છેલ્લી લોકસભાની ચૂંટણી વખતે પરાજય મળ્યો હતો! અને વિધાનસભાના દસાડા વિભાગમાંથી અગાઉ ચૂંટાઈને આવેલ અને ઉમદા કામગીરી માટે લોકોને પ્રેમ તથા આદર પ્રાપ્ત કરી ચૂકેલા, ભીમાભાઈ રાઠોડ આ વખતની ચૂંટણીમાં અધિકૃત લોક ઉમેદવાર તરીકે ઊભા રહેલાં. તેમના જેવા પણ ખાસા પંદર હજાર મતથી હાર્યા છે. ટૂંકમાં, “લકો”ની ચૂંટણી પસંદગી અંગેની વિલક્ષણતાને લોકશાહી મૂલ્ય સાથે મેળ ખાધો નથી એ આઘાતજનક વાસ્તવતા છે. આ બધા પછી ય પાયાની વાત તે ઊભી રહે છે. કેવળ લોકશાહી ગણાતા દેશમાં જ નહીં, કોઈપણ શાસન પદ્ધતિ નીચે જીવતા દેશમાંથી છેલ્લી પચીસી દરમ્યાન જે બન્યું તે ઓછું આઘાતજનક નથી ! કેવળ રાજકારણ નહીં, સમાજ જીવનનાં દરેકે દરેક ક્ષેત્રમાં અર્થતંત્ર અને સમાજકારણ, ઉપરાંત શિક્ષણ, સંસ્કારિતા અને ધર્મના થોત્રે સુદ્ધાં – જે દુરાચારો વ્યાપક બન્યા છે, કહો ને કે ઘર કરી બેઠા છે – એમાં માનવીની “મનુષ્યતા” જ લેપાઈ રહી છે! * આપણા આજના યુગની સમસ્યા “માનવીય” અને નૈતિક” ધોરણાનું જે ધોવાણ થયું તેની છે. ભારતમાં આ પ્રમાણ બીજા બધા દેશે કરતાં વધારે છે એમ માનવું હકીકતોથી વેગળ છે. પરંતુ ભારતમાં જે પ્રમાણ છે તે એની જીરવવાની શકિત કરતાં ઘણું વિશેષ છે, એ ભૂલવું ન જોઈએ. છતાં થોડુંક આશ્વાસન લેવું હોય તો એ છે કે ભારતમાં આ “મૂલ્યનાશ” માટે ઉગ અનભવવા જેટલાં સંવેદન હજી ટક્યું છે- પરંતુ થોડાક વરસામાં એ પણ કોઠે પડી ગયું નહીં હોય? આશીષ નાન્દીએ તાજેતરમાં ઈન્ડિયન એકસપ્રેસમાં લખ્યા મુજબ, હવે કઈ કહેતાં કોઈ મૂલ્યની વાત રહી નથી. મહાત્મા ગાંધી ને પં. નહેરુની પ્રણાલી સાથે કશું સરખાવાય તેવું નથી. સર્વત્ર દાદાગીરી, સત્તા અને સંપત્તિની બોલબાલા વધી છે. હવે તે હીરો” ઈન્દિરા ય નહીં, સંજય છે. કોઈપણ ક્ષેત્રે કોઈપણ ઉપાય કામ થયું કે નહીં થાય કે નહીં – એટલે તપાસવું પૂરતું છે. “ફન્કશનલ” કસોટી બસ. રાજમોહન ગાંધીએ પણ પં. નહેરના રાજનૈતિક “શ્ર” સાથે ઈન્દિરાજીના રાજનૈતિક કલ્ચરને સરખાવી, તેમના ય અતિ નીચા સ્તર માટે અફસેસ કર્યો છે. ' ટિળક મહારાજે “સ્વરાજની લાયકાત વિશે પ્રશ્ન કરનારી ગારી અંગ્રેજ સલતનતને સંભળાવી દીધું હતું કે “સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ હક્ક છે.” અને મહાત્મા ગાંધીએ “સ્વરાજ” એટલે જ ભૂલો કરવાને પ્રજાનો અધિકાર એમ પણ કહ્યું હતું. પરંતુ, મહાત્મા ફરી ફરીને યાદ આપતાં કે “સ્વરાજ” સાચવવાની ચાવી સવાલ લોકશાહી મૂલ્યનો વિકલ્પ શોધવાનો નથી. સવાલ લોક- શાહીનાં વિવિધ માળખાઓમાં આપણા દેશને અનુકૂળ માળખું શોધવાનું છે. અગાઉ જણાવ્યું તેમ એના બે પ્રાણ તત્વો છે. (૧) સર્વ નાગરિકોની સમાનતાની તક, (૨) સર્વ નાગરિકોની સ્વતંત્રતાની તક.-આગેઉ સુરક્ષિત રહે એટલી પૂર્વશરત છે. દુનિયાના અનેક દેશોમાં સંસદીય (પાર્લામેન્ટરી) અથવા પ્રમુખીય (પ્રેસિડેન્સિયલ) માળખાને અથવા બંનેને મિશ્ર પ્રયોગ પણ થતો રહ્યો છે. આપણે ત્યાં મુખ્ય સંસદીય પ્રકાર હોવા છતાં તેય મિશ્ર છે અને હવે, શ્રી પાલખીવાળા જેવા લોકશાહીના અઠંગ પુરસ્કર્તા પ્રમુખીય માળખાને વિકલ્પ સૂચવી રહ્યા છે. બીજી વાત “પક્ષા પદ્ધતિ”ની છે. આપણે ત્યાં પશ્ચિમી પરંપરામાં આ પ્રયોગ થતો રહ્યો છે. પરંતુ એના દૂષણોએ માઝા મૂકી છે. પક્ષો પિતે એટલી હદે વિકત બન્યા છે કે એનાથી ત્રાસી જઈને “પક્ષાપદ્ધતિ” જ રદ કરવાનું વલણ જોર કરી રહ્યાં છે. વાસ્તવમાં, “રોયવાદી” અને “સર્વોદયી” વિચારકોએ, અને જેપીએ સુદ્ધાં “પક્ષરહિત લોકશાહી” માળખાને વિચાર વારંવાર
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy