________________
તા.૧૬-૬-૮૦
વળી, કેન્દ્ર અને માટા ભાગના રાજ્યોમાં મળેલી જંગી બહુમતી પાછળ કેવળ ઈન્દિરાજીના નહિ, સંજયકુમારો ઘણા મેટો ફાળા છે. હવે એ પક્ષમાં ઈન્દિરા-સાંયની સહિયારી હાક અને ધાક કામ કરશે. જતે દિવસે, સાંય જ આગળ આવશે. એ પછી તે રહીસહી આશા પણ પૂરી થશે. માટે
પ્રબુદ્ધ જીવન
-ઈન્દિરાજીને ડગલે ને પગલે પડકારવા જોઈએ. બને તેટલા વિક્ષેપ ઊભા કરવા જોઈએ. ભલે દમન થતું. પ્રજા એવા સંઘર્ષોમાં તવાઈને જ શકિતશાળી બની બહાર આવશે, જે ક્રાતિને રાહે ચઢાવશે? (૨)
ઉપરની ત્રણે માન્યતા ચકાસીએ.
પહેલી માન્યતામાં સત્ય હોય તો એટલું જ કે “લાકશાહી એક મહાન આદર્શ છે.” આ સિવાયના એમના મંતવ્યો નિરાધાર છે. જેમ કે-ખરેખર જો દેશ હજી લોકશાહીને લાયક જ હાય તા તેને લાયક બનાવવાના રસ્તા જ શોધવા જોઈએ. એને બદલે “શકશાહી”થી સંપૂર્ણ વિરોધી રોકહથ્થુ શાસન એકવાર આવકારવું અને પછી એ આપખુદશાહી સત્તા દેશને લેાકશાહી માટે તૈયાર કરશે એમ માનવું; અથવા લોકો પોતે અકળાઈને લોકશાહી સ્થાપશે, એમ ધારવું એ અદ્યતન ઈતિહાસના પદાર્થ પાઠ અવગણવા રાષ્ટ્ર છે. (આપણા સાખ પડોશી બર્મા, પાકિસ્તાનના અનુભવ પછી તો વિશેષ) અને કોઈક નવું લોકશાહીથી બહેતર માળખું ઊભું થશે એમ, કશા નિશ્ચિત પ્રમેયના આધાર વિના, ધારવું એ તો અંધારામાં ભૂસકા મારવા બરાબર છે.
બીજા નંબરના મંતવ્યમાં દોષ એ છે, કે લાકશાહીને જીવંત
રાખવા માટે સતત સતર્કતાનું મૂલ્ય ચૂકવવું અનિવાર્ય છે. (વિજિલન્સ ઈઝ ધ પ્રાઈસ ઓફ ડેમેક્રસી) એ પાયાની વાત જ ભુલાઈ ગઈ છે. લોકશાહીમાં ‘વિરોધપક્ષ’ જ ન રહે, મૂંગા રહે, “પેસિવ” બની રહે એ લાશાહીની મૂળભૂત વિભાવનાની વિરુદ્ધ છે. તેમાંય ઈન્દિરાજીની પાટી કોરી નથી જ. છેલ્લા દાયકા દરમ્યાન, જેણે આપખુદશાહી શાસનના પરચા આપ્યા જ છે એ પક્ષ જંગી બહુમતીથી ફરી ચૂંટાઈને આવ્યો છે, માટે જ પલટાઈ ગયો છે એમ માનનું ભ્રામક છે. હજી એણે પેાતાના વ્યવહારની એવી પ્રતીતિ કરાવવી બાકી છે. એ દરમ્યાન લોકશાહીની નિષ્ઠા ધરાવનારાઓ તકેદારી (વિજીલન્સ) જ છોડી દઈને, જાણે પ્રજાએ પાંચ વર્ષના પટો લખી આપ્યો હોય એમ શાસકને ઠીક લાગે. એ રીતે કરવા દે, તે એ તો, પ્રજા પ્રત્યેનો પોતાનો ધર્મ ચૂકવા બરાબર છે. એવી નિવૃત્તિની વૃત્તિ તો આપખુદશાહીને જ અનુકૂળ થાય.
આનો અર્થ એ નથી કે ઈન્દિરાજી પેાતાના હવે પછીના શાસનમાં કશું જ ડહાપણ નહીં બતાવે. ઈચ્છીએ કે બતાવશે જ, અને તો વિરોધ ખાતર વિરોધની નીતિ વિઘાતક છે. દેશદાઝભર્યા એમના દરેક પગલાને ય્સૌએ વધાવવા. જોઈએ. તે ગીર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમસ્યા અંગે સહમંત્રણા માટે આમંત્રે ત્યારે, મતભેદ પ્રગટ કરવાની શરતે, શક્ય હોય તેટલા સહકાર આપવા તત્પર, રહેવું જોઈએ. (ગાંધી અને જેપીની નીતિનું આમહત્ત્વનું લક્ષણ છે.)
હા, ઈન્દિરાજીને “નવેસરથી તક આપવી” રહી. પરંતુ એને અર્થ એ કે જેમ જેમ તેઓ “જૂનેસર”ની આપખુદ રીતરસમો છેડતા જાય અને “નવેસર” લેાકશાહી રીતરસમો અમલમાં મૂકતા જાય તેમ તેમ તેમનો માર્ગ મોકળો કરવામાં સૌએ મદદરૂપ બનવું જોઈએ. આમ કરતા, જો ઈન્દિરાજી લાકશાહીના રસ્તે એક પછી એક રાષ્ટ્રહિતના પગલા ભરતા રહેશે તો જને દિવસે એમને વિશેની સાર આશંકા વાળ બની જશે. એટલું જ નહીં; ઈન્દિરાજીની એકંદર
શકિતઓ જોતા, એમના હાથ મજબૂત બને અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ભીંસમાં પડેલા દેશ એમના નેતૃત્વ નીચે બહાર આવે એનાથી રૂડું બીજું શું હોઈ શકે?
પરંતુ, લાકોએ અચુક નેતાને જંગી બહુમતીથી ચૂંટયા માટે જ એ મહાન લોકશાહી નેતા હોવા જ જોઈએ એવા ભ્રમથી બચવું જોઈએ. (મુસાલીની અને હિટલર સત્તા પર આવ્યા તે અન્ય રાષ્ટ્રીય પક્ષોને પરાજય આપીને લેાકપ્રિય નેતા તરીકે જ ચૂંટાઈને આવ્યા હતા. એ પછી જ તેમણે પોતાની સત્તાનો દુરપયોગ કર્યો હતો.)
રાજાજીએ બરાબર જ કહ્યું છે,કે સર્વસત્તાવાદ ચૂંટાઈને આવે એથી કંઈ લાકસત્તાવાદ બની જતા નથી. એનું દૂષિત રૂપ બદલાઈ જવું નથી.
.
૨૩
ટૂંકમાં લોકપ્રિયતા એ કંઈ લાકશાહી માટેની ગેરંટી નથી. જાગ્રત નાગરિકના સ્વધર્મ પ્રજાને સમગ્ર પરિસ્થિતિથી સતત સચેત રાખવાનો છે. એ કર્તવ્ય માકૂફ રાખવું એમાં જ “શરણાગતિ” (એપીઝમેન્ટ)નું બીજ રહેલું છે.
ત્રીજા મંતવ્યમાં ઈન્દિરાજી અંગે ૧૯૭૧થી શરૂ કરી છેલ્લે સુધીની જે માહિતી રજૂ કરી છે તે ઘણી મહત્ત્વની છે ને નજર અંદાજ થઈ શકે એમ છે જ નહીં. “ટોટી” દરમ્યાન જેપી, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને લાખો નાગરિકોને જે પ્રકારે ભાગ બનવું પડયું હતું એ કોઈ આકસ્મિક અને ક્ષુલ્લક ઘટના ન હતી. આજેય એની યાદ હૈયાને હચમચાવી મૂકે છે.)
છતાં, એક પ્રકરણ તરીકે તે પૂરું થયું. હવે, તેને “ક્રાંતિ”ને નામે વાગોળી ઘૂંટીને કેવળ ઉશ્કેરણી કરવાનો રસ્તો તે નિર્દોષોને આગમાં હોમવા બરાબર છે. ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી, તેની સામે સરકારી દમન, તેની સામે શહીદોની ખાંભી એવા ઉધામાઓથી પ્રજાની શકિત વધતી નથી. એમાં તે પ્રજાની શકિતના હ્રાસ થાય છે અને અંધાધૂંધીનો વંટોળ ઊઠે છે. અને જડબેસલાખ આપખુદ શાસનને જ તે નાતરે છે. ભલે પછી એ શાસન અમુક વ્યકિત, જૂથ, પક્ષ કે લશ્કરી જમાતનું હાય. એ રસ્તે ક્રાંતિનું સ્થાયી મૂલ્ય કદી પેદા થતું નથી" વાસ્તવમાં તે, આ વીરતાભર્યા દેખાતા રસ્તા, બાલિશ-પકવ–અંધ સાહસખારી (એડવેન્ચરિઝમ)ના બની રહે છે.
[3]
ઉપર જણાવ્યા તે ત્રણેમાંથી પહેલા બે મંતવ્યો પાછળ મુખ્ય કારણ એ છે કે લોકશાહી અંગેની સાચી સમજ હજી શિક્ષિત નાગરિકને ય ગળે પૂરી ઊતરી નથી. એને મન તે આપણા દેશમાં બધા ક્ષેત્રે અને સ્તરે જે ત્રાસદાયી અને અંધેર તંત્ર ચાલી રહ્યું છે એ લોકશાહીને કારણે છે. વળી, લોકશાહીની મેાટી મેોટી વાતો કરતા થાકતા નથી એવા પક્ષોના દોદળા વહીવટ પણ લોકશાહીનું અંગ છે, એમ પ્રજા માને છે. આથી કરીને, “જો આ જ લેાકશાહી હાય તો એ એને નથી જ જોઈતી. એનાથી જુદું જે હોય તે સારું, કમસે કમ અજમાવવા જેવું” એવો એનો ખ્યાલ દઢ થયા છે.
લાકશાહીમાંથી વિશ્વાસ ઉઠાડી મૂકે એવા એક વધુ મુદ્દો પણ સમજવા જેવું છે.
છેલ્લી બે ચૂંટણીઓ (લેક્સભાની અને વિધાનસભાઓની ) દરમ્યાન જે ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે, એમાંના અનેક જે તે પ્રદેશમાં સત્ત્તાંધ, પાપલટુ, સ્વાર્થી, કાવાદાવાખોર તરીકે જાણીતા છે. બીજી બાજુ, જેઓ પરાજય પામ્યા છે એમાંના અનેક એવા છે જેમની નિ:સ્વાર્થ સેવાઓ અને શકિત માટે પ્રજાના દિલમાં આદર છે. આમ થતાં ઘણા મોટા પ્રત્યાઘાત પડે અને લાકશાહી માટે ઉદાસીનતા વ્યાપે તે સહજ છે. કેમકે, આજ સુધી આપણે પુખ્તવયને લોક્શાહી મતાધિકારની જન્મસિદ્ધ લાયકાત ગણીને તેનું ગૌરવ કરતા રહ્યા છીએ. હવે, જે ઉપર જણાવ્યું તેનું વિકૃત પરિણામ જ આવવાનું હોય તો તેવી દૂષિત લેાકશાહી શા ખપની? જે લોકશાહી ચૂંટણીમાં માણસની સચ્ચાઈ, દેશદાઝ કે સ્વાર્થ ત્યાગને બદલે ન્યાતજાત-કામ, હોદ્દો, સ્થાન, પૈસા તથા તરેહતરેહના પ્રલેાભનો અને દબાણા જ કારગત નીવડવાના હાય તો એવી ભષ્ટ લાકશાહી શા કામની? એવી મુંઝવણ જાગે જ.
વળી, જો ચૂંટણી થઈ ગયા પછી વિજયી પક્ષ મુખ્યત: પોતાને સલામત રાખવાની પેરવીમાં રચ્યાપચ્યા રહે અને એ પછી જે સમય-શકિત બન્યાં હાય તે જાહેર ફરો માટે ખરચે અને જો એ પક્ષના નેતાઓ, પ્રધાનો અને આવાના એમની સત્તાનો ઉપયોગ પોતાના પક્ષની અંદર પેાતાના જૂથની પકડ વધારવા માટે જ કરતા રહે તો એવા પક્ષો અને એવી સરકારોવાળી લેાકશાહીને ક્યાં સુધી નભાવવી? એવા સવાલ પણ ઉઠે જ,
અંતે, જો લોકશાહીમાં રાજકારણીઓ, ધંધાદારી અને વહીવટદારો (નાકરશાહીતંત્ર) આ ત્રણે ભેગા થઈને લોકોના દમન-શેષણનું ચક્ર ચલાવવા શકિતમાન બનતા હાય તે એવી લાકશાહી પડતી મૂકી નવે ' વિકલ્પ શોધવા રહ્યા,-એવી માન્યતા પણ જોર કરે જ, એમાંય જો દુનિયાના અનેક લોકશાહી ગર્થાતા નવોદિત દેશમ લગભગ આવી જ પરિસ્થિતિ જોવા મળતી હોય તો લોકશાહીમાં જ આસ્થા રાખવાનું શું પ્રયેાજન? એ પ્રશ્ન ઊભા થાય જ