________________
૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬૬-૮૦
લોકશાહીનો મૂલ્ય-હાસ: કારણે અને ઈલાજ
પણ વિરુદ્ધ હતાં પણ દબાણને વશ થયા. No politics in sports. એવો નાદ જાગ્યો.
આરેબ-ઈઝરાઈલ સંઘર્ષમાં, કર્ટરે કેમ્પ ડેવીડ કરાર, ઈજિપ્ત અને ઈઝરાઈલ વરચે કરાવ્યા તે કાર્ટરની સિદ્ધિ હતી પણ ઈઝરાઈલના વડા પ્રધાનની આક્રમકતાને કારણે આ કરારોને અમલ થઈ શક નથી. કાર્ટર ઈઝરાઝલ ઉપર જોઈએ તેટલું દબાણ લાવી શકતા નથી, કારણકે અમેરિકાની યહુદી લેબી ઘણી બળવાન છે અને આ ચૂંટણીનું વર્ષ છે. કાર્ટરની આ નિર્બળતાને કારણે હવે યુરોપના દેશો આરબ-ઈઝરાઈલ સંઘર્ષને મીટાવવા, સ્વતંત્ર નીતિ અખત્યાર કરવાની તૈયારી કરી રહ્યા છે. અલબત્ત, અમેરિકાના સહકાર વિના તેને પૂરી સફળતા ન મળે પણ અમેરિકા અને યુરોપ વચ્ચેનું અંતર વધતું જાય છે, તેની આ નિશાની છે.
જાપાન અમેરિકાના દબાણ નીચે હતું. તે હવે લગભગ સ્વતંત્ર થયું છે અને સ્વતંત્ર નીતિ, આર્થિક અને વિદેશની અપનાવે છે. જાપાન ઘણું સમૃદ્ધ થયું છે. તેને વિદેશ વ્યાપાર ટોચ ઉપર છે. અમેરિકાની તાબેદારી હવે રહી નથી. સીધી રીતે રશિયા અને ચીન સાથે સંબંધો બાંધે છે.
રશિયાની સામે ચીનને ખડું કરવા, અમેરિકા ચીનને મોટી આર્થિક અને લક્ષ્મી સહાય આપવા તૈયાર થયું છે. અત્યારે ચીનને તે ફાવે છે. પણ ચીન અને રશિયા કયારે નજીક નહિ આવે તે કહેવાય
નહિ.
આ બધું છતાં, યુરોપ અને અમેરિકાના સંબંધો ઝટ તૂટે તેમ નથી. યુરોપના કેટલાક દેશોમાં અમેરિકન અણુશસ્ત્રોના થાણાં નાખવા ગયા ડિસેમ્બર મહિનામાં સમજુતી થઈ છે. તેમાં પણ હવે બેલ્જિયમ અને હોલેન્ડમાં મતભેદ થયો છે. અમેરિક મારફત અને તેના આધારે રશિયાના દબાણને પહોંચી વળવું, તેના કરતા સીધી રીતે રશિયા સાથે સંબંધો બાંધી, મૈત્રી કરવી એવી કોઈક નીતિ યુરોપના દેશોની થતી જાય છે. એટલો આત્મવિશ્વાસ આવ્યો છે. કારણ
નવ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામે એક વાત સ્પષ્ટ કરે છે કે જેપી જે “રાષ્ટ્રીય જોખમ” સામે “રાષ્ટ્રીય ક્વચ” તૈયાર કરવા મળ્યા હતા એ પ્રયાસ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને તે “વિરોધ પક્ષો”ની પિતાની નાદારીને જ કારણે. લેકસભાની ચૂંટણી વખતે જ આ નાદારી ખુલ્લી પડી હતી. પરંતુ એમાંથી બોધપાઠ લઈને પોતાનો કાયાકલ્પ કરવાને બદલે તેમણે આત્મહત્યાને જ રાહ પસંદ કર્યો ! હવે, એમણે ખરખરો કરવા જેવું કશું નથી. જેવું કર્યું હતું તેવું પામ્યા છે. પરંતુ દેશનું ભાવિ વળી પાછું એ જ હાથોમાં સોપાયું છે જેમના થકી “રાષ્ટ્રીય જોખમ” જાગ્યું હતું
આ પરિણામ પછી ય વિરોધપાછો ખરેખર કશું નવું શીખશે એવાં એધાણ નથી.
૨ પરિણામ પછી અનેક પ્રકારના પ્રત્યાઘાતો જાણવા મળે છે. તેમાંના કેટલાક ચિંતા અને ચિંતન કરવા જેવા છે.
(૧) એક વર્ગ એમ માનતો થયો છે કે ભારત જેવા દેશ હજી “કશાહી” ભાગવવા લાયક જ નથી. કમ સે કમ એ મહાન દિશન માટેની લાયકાત આવે તે દરમ્યાન એકહથ્ય, શિસ્તબદ્ધ શાસન જરૂરી હતું. અને તે ઈન્દિરાજીના નેતૃત્વમાં સ્થપાયું છે એ ઠીક જ થયું છે. આ પછી જ, આપણા દેશમાં, આજની લોકશાહી કરતાં કશુંક વધુ બહેતર, નવું શાસન-સ્વરૂપ પેદા થશે. ભાવિ વિકાસની આ
અનિવાર્યતા નહીં સમજીને જૂનવાણી લોકો “લોકશાહી” પરંપરાને વળગી રહીને તેને બચાવવાની જેહાદમાં ઉલટા દેશને પાયમાલ કરશે,
(૨) બીજો મત એવો છે કે
આ દેશ લોકશાહીને લાયક નથી એવું નથી. પં. નહેરના જમાનાથી ઈન્દિરાજીના શાસનના આરંભ સુધીની પહેલી પચીસી દરસ્થાન, આ દેશમાં લોકશાહીના દુપણ ગમે તેટલા દેખાયા હોય તે પણ તે દૂર કરીને એને છોડ પગભર થવાની સંભાવનાદેખાતી હતી. એ આશા ઉપર જીવલેણ ફટકો પડયો, “કરક્ટી શાસન સ્થપાતા” (૧૯૭૫) પરંતુ હવે, જયારે જનતા પક્ષને આશાખદ પ્રયોગ સંપૂર્ણ નિષ્ફળ ગયા જ છે અને ઈન્દિરાજીને છેલી લોકસભાની તથા તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પ્રકાંડ વિજય પ્રાપ્ત થયો જ છે, તે પછી તેમનામાં નવેસરથી વિશ્વાસ મૂકીને તેમને નવો પ્રયોગ કરવાની પૂરેપૂરી તક આપવી જોઈએ, કમ સે કમ પાંચ વર્ષની તેમની મુદત દરમ્યાન.
-વિરોધ પક્ષોએ પિતાના પાછલા પાપ ધોવાના કામમાં, અને એ રીતે પ્રજાને વિશ્વાસ સંપાદન કરવાના કામમાં લાગી જવું જોઈએ.
-દેશના જાગૃત નાગરિકો અને બૌદ્ધિકોએ પણ નવા શાસનની ટીકા ટીપણી કરતાં રહીને લોકોના મન ડહોળવાનું અને નવા શાસનને ગુંચવવા-મુંઝવવાનું બંધ કરવું જોઈએ.
--પ્રજા માટે આફત–આઘાત અસહય બનશે તો તે એનો રસ્તો કાઢવા મથશે અને ત્યારે પ્રજાને ટેકો આપવા જે કરવા જેવું લાગે એ કરો.
(૩) ત્રીજો મત એ છે કે, ઈન્દિરાજી ૧૯૭૧થી સર્વસત્તા હાથ કરવાની પેરવીમાં આંગળ વધી રહ્યા હતા. એ વખતથી જયપ્રકાશજી એમને વારવા મથ્યાં હતા; અને સમજાવટના બધા પ્રયાસે નિષ્ફળ જતા લોકશાહીને માથે ગંભીર ભય દેખાયો ત્યારે જ તેમણે તેમની સામે શાંતિમય અાંદોલન આરંળ્યું હતું. દેશભરમાં એ આદોલન વ્યાપી જવાના ભયે–પોતાની એકહથ્થુ સત્તા છીનવાઈ જવાના ભયે જ ઈન્દિરાજીએ “કટોકટી ” લાદી હતી. અને આંદોલન ઠંડું પડેલું જોયું તે પછી “ચૂંટણી દ્વારા” સર્વસત્તા હાસલ થતી જ હોય તે, તેમાં તેમને શાણપણ દેખાયું. અને જીતવાની પૂરી ખાત્રીએ લોકસભાની ચૂંટણી આપી (૧૯૭૭) તેમણે તેમાં થાપ ખાધી- જબર જસ્ત હાર ખાધી. પરંતુ એમનું મનોબળ તૂટયું નહિ. એમની ભૂહશકિત ઉલટી સતે જ બની. ઘોર પરાજ્યમાંય એમણે પોતાના ભાવિના વિજયની આશા જોઈ. “જનતા પક્ષ” નારંગીની પેસીની જેમ છૂટો પડી જશે....” ઈન્દિરાજીની આ ગણત્રી સો ટકા સાચી પાડી જનતા પક્ષે જ!
રાજકીય અને આર્થિક પ્રશ્ન ખૂબ સંકળાયેલા છે. Political and economic problems are inter-twine તે વધારે જટિલ થતા જાય છે. રશિયાની આર્થિક સ્થિતિ બહુ સમૃદ્ધ ન ગણાય. યુરો પના દેશો ઉપર અને ખાસ કરી Sophisticated Technologyની મદદની બહુ જરૂર રહે. યુરોપના દેશોને રશિયા સાથેના વ્યાપારમાં મોટે લાભ છે. રશિયાના આક્રમણના ભય કરતા, આ આર્થિક લાભનું વધારે આકર્ષણ છે. અમેરિકાને રશિયા સાથે રાજકીય સત્તાને-સંઘર્ષ વધારે છે. global power બીજા દેશોને એવી મોટી મહત્ત્વાકાંક્ષા નથી. અફઘાનીસતાન ઉપરના રશિયન આક્રમણને અમેરિકા જેટલું ગંભીર માને છે તેટલું બીજા દેશો માનતા નથી. રશિયા છેવટ પોતાનું લશ્કર પાછું ખેંચી લેશે અને આગળ નહિ વધે તેવી આશા સેવે છે.
આમ બધી રીતે અમેરિકા એકલું પડતું જાય છે. રશિયાને તેને લાભ મળે છે. પરિણામે, રશિયા કેટલું આક્રમક થશે અથવા તેની લાગવગ દુનિયામાં કેટલી વધશે તે કહેવું મુશ્કેલ છે. But American isolation and frustration is increasing સમર્થ વ્યકિત પેઠે, સમર્થ દેશની છૂપી ઈર્ષા હોય છે. અમેરિકામાં નમ્રતા કે મુત્સુદીગીરીને અભાવ છે. આટલો વખત ભોગવેલ સત્તા અને આગેવાનીનું અભિમાન છે. કોઇ પ્રભાવશાળી વ્યકિત નથી. નવી ચૂંટણીમાં, કાર્ટર, કેનેડી કે રીગન, કોઈપણ આવે તે એવો પ્રભાવ પાડે તેમ નથી.
પરિણામે દુનિયાનું રાજકારણ નવો વળાંક લેશે તેમ લાગે છે. ૮-૬-૧૯૮૦
- ચીમનલાલ ચકુભાઈ