SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૭૨ પ્રબુદ્ધ જીવન ૧૫૭ શ્રી લીલાબહેન બેંકરની ચિરવિદાય છે. માવલંકરને અભિનંદન શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકના અવસાનથી ખાલી પડેલ અમદાવાદની લોકસભાની બેઠકની ચૂંટણીમાં શારક કેંગ્રેસના ઉમેદવાર શ્રી મનુભાઈ પાલખીવાળા સામે સ્વતંત્ર ઉમેદવાર શ્રી માવલંકરને નિશ્ચયાત્મક અને જવલંત વિજય થયો તે માટે શ્રી માવલંકરને આપણા હાર્દિક અભિનંદન ઘટે છે. પેટા ચૂંટણી લડવી હંમેશ અઘરું છે. તેમાં પણ સ્વતંત્ર ઉમેદવાર માટે વિશેષ. એ ખરું છે કે શ્રી માલંકરને વિરોધ પક્ષને ટેકો હતા. પણ તે નૈતિક ટેકે હતે. કોઈ પણો સક્રિય કામ તેમને માટે ખાસ કર્યું નથી. શાસક કેંગ્રેસ પાસે જે સાધન અને તંત્ર હોય તે સ્વતંત્ર ઉમેદવાર માટે શકય નથી. તેથી આટલી મોટી બહુમતિથી મળેલ આ વિજય વધારે સુચક બને છે. મતદાન, પેટા ચૂંટણીમાં બને છે તેમ, એછે હતું – માત્ર ૩૫ ટકા, તેમાં ૨૫,૦૦૦ થી વધારે મતે વિજય થયો તે સુચવે છે, કે આ નિર્ણય મતદારને, પ્રજાને નિર્ણય છે. મતદારોએ બહાર પડી ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઉમેદવારને મત આપ્યા છે. બીજા કોઈ વિરોધ પકાને ઉમેદવાર સામે ઊભે હોત કદાચ આ પરિણામ ન આવત. બધા રાજકીય પક્ષેથી પ્રજા કંટાળી છે એમ કહેવામાં અતિશયોકિત નથી. પ્ર. માવલંકર યોગ્ય ઉમેદવાર હતા તે હકીકતે તેમના વિજયમાં મોટો ફાળો આપ્યો છે. તે ખરેખર સ્વતંત્ર છે. કોઈ રાજકીય પક્ષને વરેલ નથી. રાજકારણના ઊંડા અભ્યાસી છે. સારા વકતા છે. દાદા સાહેબના પુત્ર છે તે જ માત્ર તેમની લાયકાત નથી. તે સૌથી ગૌણ હકીકત છે. શાસક કેંગ્રેસ માટે આંખ ઉધાડનાર આ બનાવ છે. ઉમેદવારની પસંદગીમાં ગડબડ થઈ અને ગુજરાતની શાસક ગેસના આંતરિક મતભેદો પણ કેટલેક દરજજે કારણભૂત ગણાવા જોઈએ. શાસક કેંગ્રેસની લોકસભામાં જંગી બહમતિ છે તેથી આ ચૂંટણીથી કાંઈ અસરકારક ફેર પડતો નથી. પણ છે. માવલંકર જેવી એક વ્યકિત લોકસભામાં વિરોધ પક્ષે હશે તેની કીંમત છે, ખાસ કરી અત્યારના સંજોગોમાં. તેથી પણ વિશેષ, આ ચૂંટણી કમાનસને પડધો પડે છે જેની નોધ શાસક કોંગ્રેસે લેવી જ પડશે. મને ખાતરી છે કે પ્રે. માવલંકર લોકસભાની કાર્યવાહીમાં નોંધપાત્ર ફાળો આપશે. ચીમનલાલ ચકુભાઈ શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિમાં મળેલી રકમ ૧,૪૪,૨૨૫.૦૦ અગાઉ સ્વીકારેલા ૨૫૧.૦૦ શ્રી ટ્રસ્ટીઝ, તારાબહેન માણેકલાલ પ્રેમચંદ ચેરીટીઝ ટ્રસ્ટ ૨૧.૦૦ મે. ગીરગાય કેમિસ્ટ શ્રીમતી લીલાબહેન ધીરજલાલ બેંકરનું તા. ૨૩-૧૦-'૭૨ ના રોજ અવસાન થતાં ભારતના અખિલ મહિલા સમાજને ન પુરાય તેવી અસહ્ય ખોટ પડી છે. ૭૮ વરસની વયે ચિરવિદાય લેનાર શ્રીમતી લીલાબહેનનું સમગ્ર જીવન મહિલાઓની સેવામાં સફળ રીતે વીત્યું હતું. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો.. જૈન સમાજના તેઓ પ્રથમ મહિલા સ્નાતક હતા. ૧૯૧૮માં તેમણે ગાંધીજીના અનુયાયી શ્રી ધીરજલાલ બેંકર સાથે પ્રભુતામાં પગલા માંડયા દાંમ્પત્ય જીવન સાથે તેમણે જાહેર સામાજિક પ્રવૃત્તિઓમાં ધીમી પણ મક્કમ ગતિએ રસ લેવા માંડ્યો. સૌ પ્રથમ તેઓ શ્રી ભગિની સમાજમાં જોડાયા. કોષાધ્યક્ષની જવાબદારીથી શરૂઆત કરી, અને ઠેઠ પ્રમુખપદ સુધી પહોંચ્યા. શ્રીમતી લીલાબહેન એક કાબેલ, દક્ષ અને વ્યવહારુ વહીંવટકર્તા હતા. મિલનસાર સ્વભાવ અને માણસનું હીર પારખવાની પિતાની આગવી સૂઝથી તેમણે ભગિની સમાજને આંતરરાષ્ટ્રીય તેના પર મૂક્યો હતો. આ મહાન સંસ્થા ઉપરાંત તેમની સેવાઓને. લાભ અખિલ હિંદ મહિલા પરિષદ, નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન ઈન ઈન્ડિયા જેવી અનેક સંસ્થાઓને પણ મળ્યો હતો. ગુજરાતી સ્ત્રી સહકારી મંડળી લિ. ના તેઓ આદ્યસંસ્થાપક અને છેવટ સુધીના પ્રમુખ હતા. મહિલાઓ ઉપરાંત બાળકોના પ્રશ્નના છે પણ તેઓ અભ્યાસી હતા. બોમ્બે નનરરી પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ તરીકે તેઓશ્રીએ બાળકોની અદાલતમાં પણ પોતાની સેવાઓની સુવાસ પાથરી હતી. - ૧૯૧૮ માં વિદાય થતા ગવર્નર લોર્ડ વિલિંગ્ડનને અપાનારા માપનત્રને વિરોધ કરનારાઓમાં તેઓ મોખરે હતાં. ત્યારબાદ વિદેશી કાપડના બહિષ્કારની ચળવળમાં ભાગ લઈને ગાંધીજીને કાપડની હોળી કરવા પોતાના સ્વહરતે પોતાનાં વસ્ત્રો તેમણે સોંપી દીધા હતાં. સ્વ. જમનાલાલ બજાજની સલાહથી તેમણે શુદ્ધ સ્વદેશીને પ્રચાર શરૂ કર્યો હતો. સ્વતંત્રતા બાદ તેઓ મુંબઈ ધારારાભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતાં. - શ્રીમતી લીલાબહેનના સમગ્ર જીવનનું સિંહાવકન કરતાં જરૂર એમ કહી શકાય કે તેઓ પોતાનું જીવન સાર્થક કરી ગયાં છે તેમજ અનેકને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેવી વિરાટ સેવાપ્રવૃત્તિઓ પિતાની સ્મૃતિ માટે મૂકી ગયાં છે. –બચુબહેન લોટવાળા અત્યારની રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ વિષય ઉપર વ્યાખ્યાન,તેમ જ સંઘના સભ્યોનું મિલન. શનિવાર તા. ૧૧-૧૧-૭૨ના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “અત્યારની રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ” એ વિષય ઉપર સંઘના, શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં એક જાહેર પ્રવચન રાખવામાં આવ્યું છે. અને પ્રવચન પૂરું થયા બાદ નૂતન વર્ષને અનુલક્ષીને શુભેચ્છાઓ વ્યકત કરવા માટે સંઘના સભ્યનું એક મિલન રાખવામાં આવેલ છે. તે સંઘના સભ્યોને ઉપસ્થિત થવા નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ૧,૪૪,૭૨૭-૦૦ સંઘના લાઇફ-મેમ્બરે સંઘના લાઈફ-મેમ્બરોની સંખ્યા ૧૩૦ સુધી પહોંચી છે. નવા સભ્યો પિતાના નામે મોકલતા રહે એવી અમારી નમ્ર વિનંતિ છે, નવા આવેલા નામ નીચે પ્રમાણે છે: મંત્રીઓ, ૧૨૪ શ્રી ધારસી દેવજી છેડા ૧૨૫ શ્રી તલકસી વસનજી ગેસર ૧૨૬ શ્રી પ્રદિપભાઈ અમૃતલાલ શાહ ૧૨૭ શ્રી મહેન્દ્ર ગફ રચંદ મહેતા ૧૨૮ શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ ૧૨૯ શ્રી સૂરજબહેન મનસુખલાલ કોઠારી ૧૩૦. શ્રી કુસુમબહેન મોતીચંદ શાહ k સંઘને મળેલી ભેટની રકમ : ભેટની રકમની યાદી ૧૬-૯-૭૨ના અંકમાં પ્રગટ કરી છે, ત્યાર બાદ મળેલી રકમની વિગત નીચે પ્રમાણે છે. ૧૩,૩૪૬-૮૬ અગાઉ પ્રગટ કરેલ રકમ ૧,૦૦=૦૦ શ્રી ભાનુબહેન કેશવલાલ ભણસાલી. ૫૦૦૦ શ્રી પૂર્ણિમાબહેન પ્રબોધભાઈ મહેતા. આ બંને રકમે હોમિય| પથી રીઝર્વ ફંડ માટેની છે. હું: શ્રી. મંગળજી ઝવેરચંદ મહેતા). ૨૫૧-૦૦ મે. આરવીક રબર ઈન્ડસ્ટ્રીઝ. ૨૫૧-૦૦ રતિલાલ આણંદજી દોશી ૧૦૧-૦૦ શ્રી ધીરજલાલ અજમેર ૧૦૧-૦૦ શ્રી ન્યાલચંદ જે. મહેતા ૧૦૧-૦૦ શ્રી અમર જરીવાલા ૧૦૧-૦૦ શ્રી મનુભાઈ ગુલાબ સંદ કાપડિયા.. ૧૦૧-૦૦ શ્રી બાબુભાઈ એમ. ગાંધી ૨૫-૦૦ શ્રી ચંચળબહેન ગિરધર લાલ દફતરી ૨૧-૦૦ શ્રી ગીરગામ કેમિસ્ટ ૨૫-૦૦ શ્રી ખેતસી ભાલસી સાવલા ૨૫-૦૦ થી Íતિલાલ સુખલાલ. તુરખીયા, ૧૫૯૭૯-૮૬
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy