SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૭૨ પ્રાદ્ધ જીવન * ગાંધીજીનું ‘રામનામ મહાત્મા ગાંધીજીએ પ્રબોધેલા ‘રામનામ’ની વાત કોણ નથી જાણતું ? એ બાબતથી અજાણ હોય એવા કેળવાયેલા ભારતીય જન ભાગ્યે જ મળે. વળી એ મહાપુરુષના સ્વર્ગારોહણ પછી. નવજીવન પ્રકાશન મંદિરે એ‘રામનામ’ શીર્ષકથી એક પુસ્તિકા તૈયાર કરાવરાવીને ગુજરાતીમાં તેમ જ અંગ્રેજીમાં પ્રગટ પણ કરાવી છે. પરન્તુ એમાં સંગ્રહાયેલાં સઘળાં લખાણ વાંચી જવા પછી ગાંધીજીએ કયા ‘રામ’ને માટેનું, રામનામ લેવાનું પ્રબોધ્યું હતું તેને સ્પષ્ટ ખ્યાલ ભાગ્યે જ આવે છે. વાચકોનો મોટો ભાગ તે એવું માની રહેતા દેખાય છે કે સીતાપતિ રામચંદ્ર અગર તા કૌશલ્યાનંદન રામ સિવાય બીજા કયા રામની વાત ગાંધીજી કરે ! પરન્તુ તેને લગતી સાચી વાત જાણવા જેવી છે એટલે તેની ચાખવટ ખુદ ગાંધીજીએ એક રામનવમીના ઉત્સવ પ્રસંગે આપેલા ભાષણમાં કરી હતી અને તે ભાષણને ‘નવજીવન’ના તા. ૧- ૪- ૧૯૨૮ના અંકમાં ‘તારનારો રામ’ એ શીર્ષકથી પ્રગટાવવામાં પણ આવ્યું હતું. પરન્તુ એવા ઉપયોગી ભાષણને સૌ કોઈના દુર્ભાગ્યે ‘શમનામ’ નામના પુસ્તકમાં સંગ્રહવાનું રહી જવા પામ્યું છે. એટલે ગાંધીજીએ પ્રશ્નપેલી સાચી વાતનો પ્રચાર જોઈએ તેટલો થવા પામ્યા નથી. આ રહ્યું તેમાંનું એક નાનુંસરખું અવતરણ, જે દ્વારા ગાંધીજી શું કહી ગયા છે તે સમજી શકાશે : “આપણે જે રામના ગુણ ગાવા છે તે રામ વાલ્મિકિના રામ નહિ, તુલસી રામાયણના રામ નહિ,જો કે તુલસી રામાયણ મને અત્યંત પ્રિય છે અને એને હું અદ્રિતીય ગ્રંથ માનું છું; એ વાંચવા માંડું ત્યારે વાંચતાં ધરાતો નથી; તો પણ આપણે આજે તુલસીદાસના રામનું સ્મરણ નથી કરવાનું કે નથી ગિરધરકૃત રામાયણના રામનું. તે પછી કાલિદાસના કે ભવભૂતિના રામનું તો શાને જ? ભવભૂતિના ઉત્તરરામચરિતમાં બહુ સૌંદર્ય છે, પણ એમાં એ રામ નથી કે જેનું નામ લઈને આપણે તરી શકીએ, અથવા જેનું નામ દુ:ખને વખતે લીધા કરીએ. અસહ્ય વેદનાથી પીડાતાને હું કહું છું કે ‘લા રામનામ'; ઊંઘ ન આવતી હોય તો પણ કહ્યું કે “લા રામનામ'. એ રામ તે કોઈ દશરથના કુંવર કે સીતાના પતિ રામ નહિ. એ દેહધારી રામ જ નહિ. જે આપણા હૃદયમાં વસે છે તે દેહધારી રામ હોય જ નહિ. અંગૂઠા જેવડી વસ્તુ હૃદય અને તેના પણ કોઈ ઊંડાણમાં જે રામ સમાયો છે તે રામ દેહધારી હોય એમ બને નહિ, અથવા તા તે કોઈ વર્ષના ચૈત્ર માસની નવમીએ જન્મ્યા એમ ન જ કહેવાય. એ તા અજન્મ છે. એ તે પૃથ્વીને પેદા કરનાર છે, સંસારના સ્વામી છે. એટલે, જે રામનું આપણે સ્મરણ કરવા ઈચ્છીએ છીએ અને જેનું સ્મરણ કરવું જોઈએ, એ રામ આપણી કલ્પનાના રામ, બીજાની કલ્પનાના રામ નહિ .......... આપણે પૂજા કરીએ અંતર્યામીની. એ અંતર્યામી જે સૌના અંતરમાં છે, છતાં સૌથી જુદા છે અને સૌના સ્વામી છે. એને જ વિશે આજે આપણે ગાયું કે ‘નિર્બલ કે બલ રામ’ .........એમાં તો એ રામ જે બધાને સામાન્ય છે, છતાં જેને કોઈ ઓળખી નથી શકતા તે રામનું આપણે સ્મરણ કરીએ છીએ. આ અંતર્યામી રામ અને કૃષ્ણમાં ભેદ નથી.” આથી વિશેષ જાણવાની લગનીવાળાએ એ અસલ લખાણ જ મનનપૂર્વક અભ્યાસવું ઘટે. ‘રામનામ’ નામના પુસ્તકમાં સંગ્રહાયેલાં ૪૨ લખાણા સમૂહગત રીતે જે સમજાવી રહ્યહ્યાં છે તે કરતાં અનેક ગણી ઉચ્ચ કોટિની સમજણ સને ૧૯૨૮માં અપાયેલું ગાંધીજીનું એ ભાષણ આપી રહે છે અને ગાંધીજીનાં મનન ચિન્તનમાં રહેલી અલૌકિક વ્યાપકતાનાં દર્શન કરાવે છે. મહાપુરુષો કેટલાક શબ્દો તેના લૌકિક અર્થમાં નહિ, પણ પોતીકા ખાસ અર્થમાં વાપરે છે એ જગજાહેર છે. --ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ધ્યાનમાં રહે કે સદરહુ ભાષણ ‘તારનારો રામ' એ શીર્ષકથી ગાંધીજીનાં ધર્મવિષયક લખાણોના સંગ્રહરૂપ ‘વ્યાપક’ ધર્મભાવના'માં પણ પૃષ્ઠ ૨૫૨ થી ૨૫૫ ઉપર સંગ્રહાયેલું છે. ૧૫૧ અમેરિકાનું જીવન [ક્ષી વિમળાબહેન ઠકાર હાલ અમેરિકાના પ્રવાસ કરી રહ્યાં છે. શ્રી પ્રભાબહેન મરચંટ આ પ્રવાસના પરિપત્રો મોકલાવે છે. તેમના તા. ૩૧-૭-’૭૨ના પરિપત્રમાંથી તારવીને નીચેના ભાગ અહીં પ્રકટ કરીએ છીએ. -તંત્રી] અમેરિકા તો મહાસમુદ્ધિશાળી દેશ છે, પરંતુ ખૂન, ચારી તથા લૂંટફાટના બનાવા તો રોજ બનતા રહે છે. અહીં મનુષ્યને મારવામાં તો જરા પણ અરેંકારો નથી. અહીંના કિસ્સા સાંભળીને તો આપણે હેબતાઈ જઈએ. ગરીબીમાંથી આખું ગુનાહિત માનસ ઉદ્ભવે તે સમજી શકાય તેમ છે, પરંતુ આવા ઐશ્ર્વર્યશાળી પ્રદેશમાં આવા ગુનાઓ બને તે પણ કેવું આશ્ચર્ય પમાડે છે ! માનવ મારવા તે તેા રમત છે. માનવની કોઈ કિંમત નથી ... કામ (સેક્સ) અને કેફી પીણાં તો જીવનનું મુખ્ય કેન્દ્ર છે. અમે જયાં રહીએ છીએ તે લત્તો ઘણા સારા ગણાય છે. તેમ છતાં પણ અમને સૂચના છે કે શત્રે એકલાં ફરવા નીકળવાનું નહિ. આ બધું લખતાં એક કિસ્સો લખવાની ઈચ્છા થઈ જાય છે. એકવાર સાનફ્રાન્સિસ્કોથી અમે બર્કલી આવ્યા. ચાવી લગાડીને દરવાજો ખોલ્યો. મારાથી ચાવી દરવાજામાં જ રહી ગઈ. અમે તો સુવા ચાલી ગયાં. દરવાજો અંદરથી બંધ કર્યો. બહાર દરવાજામાં ચાવી લટકે. બીજે દિવસે સવારે કરવીન દિદિની ટપાલ આપવા આવ્યા. મેં દરવાજો ખોલ્યો. પ્રથમ તો મને કહેવા લાગ્યા કે મારે તને લઢવું છે. મે' આખો ફાડીને લઢવાનું કારણ પૂછ્યું. એણે મને ચાવી બતાવી. મને તે એટલી શરમ આવી, મારા વિસ્મરણ માટે, મારા મનથી હું લજાઈ મરી. સાથે સાથે એણે મને કહ્યું, પ્રભુનાં બાળકો આરામથી પોઢી ગયાં હતાં અને પ્રભુ એમની પહેરેદારી કરતા જાગતા દ્રાર પર ઊભા હતો. સાથે જ એ દિવસે પ્રભુએ જ પહેરેગીરનું કામ બજાવ્યું. અહીં એક બારીબારણું પણ ખુલ્લું રાખી શકાય નહિ. દરવાજામાં સાંકળ હોય છે તેટલા જ દરવાજો ખાલીને જોવાનું હોય છે. પછી જ દાખલ કરવા દેવાની વાત હાય છે. અહીં જરા પણ ગાફેલ રહ્લા કે ગયા. અહીંનું જીવન અત્યંત સાવધાની માગી લે છે. મને તો હું અહીં આવી છું ત્યારથી જ વાતાવરણ ભારે જડ લાગે છે. આ મશીનના પ્રદેશમાં માનવી પણ મંત્ર જેવા જ થયો છે. ગળા સુધી જડતાએ પ્રવેશ કર્યો છે. લાગણીભાવને સંચાર કરવાની જગા બચી નથી એટલી જડતા અહીંનાં મંત્રાએ મનુષ્યને અર્પી છે, અને મનુષ્ય તે તે રાહર્ષ સ્વીકારી છે. કોઈને કોઈની પડી નથી. કોઈ માર ખાત હાય, કોઈ મરતા હોય તો લોકો લહેરથી જએ છે, બચાવવા દોડતા નથી. મરવાના અને સંડોવાવાના ડર છે. એટલે નજર સમક્ષ મનુષ્યને મરવા દે છે. આવી છે અહિં માનવની કિંમત, યંત્રાએ સંવેદનશીલતાનું ગળું ઘોંટી દીધું છેઆ છે અમેરિકાની એકબાજુ. બીજી બાજુ લોકો નવું ને નવું શોધવાનું સાહસ પણ ધરાવે છે. કામ કરવામાં ઝડપીં છે. અહીં કામચારી કરતા નથી. છતાં મને તે રાવણની લંકા જેવું લાગે છે. ભલે ને તે સાનાની હોય, પણ અસુરની તે અસુરની. એમાંથી સુરોની સંવાદિતા કયાંથી પ્રગટે ? આવા પ્રચંડ ઐશ્વર્યમાં પણ મનુષ્ય આંતરિક રીતે ભયંકર ક ગાલિયત વેઠી રહ્યો છે. બહારની સ્કૂલ અમીરી અને અંદરની ગરીબી—કય જીવનના મેળ જામતા નથી. અમેરિકા પાછળ ગાંડા બનનાર લોકોને જોઈ મને આશ્ચર્ય થાય છે. હા, સાયન્સ અને ટેકનોલો જીની દષ્ટિથી અહીંના માનવ ઘણા ઘણા આગળ છે. ઘણા વિકાસ સાધ્યો છે. પરંતુ મંત્ર સાથે જીવતા માનવીય સંબંધો તૂટતા જાય છે. જે માનવીય સંબંધોથી મનુષ્યના આંતરિક વિકાસ થાય, ઐશ્વર્ય વધે તે સંબંધો નહિવત છે. માનવ આ રીતે બધાથી તૂટયો છે, એકલાઅટૂલા બન્યો છે. માનવની આ યાત્રા કર્યાં જઈને ટકશે. ઈશ્વર જાણે ! પ્રભા પરરાંટ 15,[16/11/
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy