SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૭૨ પ્રબુદ્ધ જીવન * લાકનીતિના વિશાળ સાગરમાં ઘણા એમ માને છે કે મારું જીવન એ ગુમાવેલા અવસરોની કહાની છે. મારા કેટલાક મિત્રે ઘણી વાર કહેતા હોય છે કે ‘જયપ્રકાશ તો જ્યારે - ત્યા૨ે બસ ચૂકી જ જાય છે.' એક વાર એક મિત્રે કહેલું કે ‘ઊંચામાં ઊંચી ગાદીના ઉમેદવાર તરીકે જયપ્રકાશ કાયમ ખાટા ઘોડા પર શરત બકતા આવ્યા છે.' રાજકારણ છેડીને હું સર્વોદયના કામમાં શું કરવા પડયો, એ પ્રશ્ન પણ હજુ આજ સુધી મને પુછાયા કરે છે. કોઈ પૂછે છે કે તમે મધ્ય પ્રવાહમાંથી ભાગી શું કામ ગયા ? હવે, આ બધાને કેમ સમજાવું કે પહેલી વાત તે એ કે હું કદીએ ધોડદોડમાં પડયો જ નથી. કોઈ પણ હોદ્દો, પછી તે ગમે તેટલા ઊંચા હાય, તો પણ મને તેનું જરાયે આકર્ષણ નથી. અને આમ તો છેક ૧૯૩૦થી હું રાજકારણમાં પડેલા છું, છતાં મને કદીય ચૂંટણી લડવાના વિચાર સુદ્ધાં નથી આવ્યો. પ્રજા સમાજવાદી પક્ષમાં હતા, ત્યારે તે ટિકિટ વહેંચવાનું કામ પણ મારા જ હાથમાં હતું. પરંતુ હું પોતે ચૂંટણીમાં ઊભા રહું એ તરફ મારું ધ્યાન જ કયારેય ગયું નથી. મારા સ્વભાવમાં જ એ નથી. એક ક્રાંતિકારી તરીકે મારું દિલ માર્ક્સવાદીઓ જેને “માસવર્ક” --જનતાની વચ્ચે કરવાનું કાર્ય કહે છે, તેમાં જ ચોંટેલું રહ્યું છે. આજે એક સર્વોદય કાર્યકર તરીકે હજુ પણ મારું દિલ એમાં જ ખૂંપેલું છે. વસ્તુત: એક સાચા ક્રાંતિધર્મ લેખે સર્વોદયમાં જનતાની વચ્ચેાવચ કરવાના કાર્ય સિવાય બીજી કોઈ પણ જાતના કાર્યની કલ્પના મને આવતી જ નથી, વળી, મેં કોઈ પણ પ્રકારની હતાશાના માર્યા રાજકારણ છેડયું નથી, મેં રાજકારણનું તેમ જ આખી દુનિયાની ક્રાંતિઓનું પૂરનું અધ્યયન કર્યા પછી તથા રાજકીય પક્ષ વગેરેમાં રહીને જે અનુભવા આવ્યા, તે બધું જ ધ્યાનમાં લઈને ખૂબ વિચારપૂર્વક આ માર્ગ અપનાવ્યો છે. હું એમ માનું છું કે આજે દુનિયાભરમાં જેટલાં મોટાં મોટાં કામ, પ્રવૃત્તિઓ વગેરે ચાલે છે, તે બધાંમાં એક સૌથી મહત્ત્વપૂર્ણ કામ આપણા દેશમાં વિનોબાજીના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું છે. દુનિયાનો નકશે પલટવામાં સત્તા (પાવર) અસમર્થ (પાવરલેસ) પુરવાર થંઈ છે. એટલે હવે લોકસભામાં નહીં, લોકોમાં જવાનું છે. લોકોની વચ્ચે જઈને એમને સમજાવવાના છે, એમની શકિત નિર્માણ કરવાની છે. આ જતા મુખ્ય ધારા છે. મુખ્ય ધારા લોકસભામાં નથી, જનતાની વચ્ચે છે. આ સર્વોદયનું આંદોલન, જે જનતાની વચ્ચે રહીને ચાલી રહ્યું છે તે જ પાયાનું આંદોલન છે, અને તે જ દેશની મુખ્ય ધારા છે. ઘણાને હજુ આજની પ્રચલિત પક્ષીય અને સત્તાની રાજનીતિ પર બહુ ભરોસો છે. આ જોઈને મને તો દયા આવે છે ! કારણ કે મને એવી પ્રતીતિ થઈ છે કે જે જગ્યાએ આપણે જવું છે, માનવ-કલ્યાણનું જે ધ્યેય આપણે સિદ્ધ કરવું છે, જેવા માનવીય સમાજ આપણે બનાવવા છે, તે આજની આ પક્ષીય તેમ જ સત્તાની સંકીર્ણ રાજનીતિ મારફત થઈ શકે તેમ જ નથી. મારી તા સમજમાં જ નથી આવતું કે કેવળ સત્તામાં ચાલ્યા જવા માત્રથી દેશની સેવા કઈ રીતે થઈ જવાની છે! શું પાર્લમેન્ટમાં ચાલ્યા જવું અને પ્રધાન બની જવું એટલા જ માત્ર રાજકારણનો અર્થ છે. હકીકતમાં જનતાનું વિશાળ રાજકારણ તે તેની બહાર પડ્યું છે. હું અદબની સાથે કહેવા માગું છું કે બીજાઓ પક્ષની અને સત્તાની રાજનીતિના ફૂવામાં ડૂબકાં મારી રહ્યા છે, ત્યારે હું જનતાની રાજનીતિના ~ લોકનીતિના વિશાળ સાગરમાં તરી રહ્યો છું. જયપ્રકાશ નારાયણ [ યજ્ઞ પ્રકાશન “મારી વિચારયાત્રા”માંથી ૧૩૭ પ્રકી નોંધ ચીન અને જાપાન લગભગ એક સદીના વૈમનસ્ય પછી, ચીન અને જાપાને મૈત્રીભર્યા સંબંધો સ્થાપવાનો નિર્ણય કર્યો અને રાજદૂતોની નિમણૂક કરી, એ બનાવ ઐતિહાસિક અને એશિયા અને દુનિયા માટે અતિ મહત્ત્વનો છે. તનાકા જાપાનના વડા પ્રધાન બન્યા પછી, ઝડપભેર આ પગલું લીધું અને પેકિંગની પાંચ દિવસની મુલાકાતના લસ્વરૂપ એશિયાના બે મોટા દેશ વચ્ચે સહકારની ભાવના જાગી તેથી મહાસત્તાઓ ખૂબ વિચારમાં પડી ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન સદંતર અમેરિકાના વર્ચસ નીચે રહ્યું છે અને જાપાનની વિદેશનીતિ અમેરિકાને આધીન રહી છે. નિક્સને ચીન સાથેનું વલણ બદલાવ્યું તેથી જાપાન માટે પુનર્વિચારણા અનિવાર્ય થઈ પડી, આશ્ચર્યજનક ઘટના એ છે કે જાપાન અને ચીન વચ્ચે ઊંડા વેરઝેર હતાં, જાપાને ચીનના લાખા માણસાના સંહાર કર્યો હતો, એ બધું જાણે બન્યું જ ન હોય એવી સરળતાથી બન્ને દેશોએ નવા વ્યવહાર શરૂ કર્યો. પૌર્વાત્ય સભ્યતાની કાંઈક ઝાંખી થાય એવી રીતે વાટાઘાટો થઈ. આ સાથે આપેલ ચિત્ર એશિયાના દેશેશના વડા વચ્ચે જ સંભવે. તેથી વિશેષ, તનાકાએ ભૂતકાળમાં જે બન્યું તેને માટે દિલગીરી જાહેર કરી, લગભગ ક્ષમા માગી, સંયુકત નિવેદનમાં લખ્યું છે: Japanese side is keenly aware of Japan's responsibility for causing enormous damages in the past to the Chinese people through war and deeply reproaches itself. સામે પક્ષે, પક્ષે ચીને આ બધા નુકસાનનો બદલા (war reperations) લેવાનો અથવા માગવાના પોતાનો હક છેડી દીધો. જાપાને તાઈવાન ઉપરનું ચીનનું સાર્વભૌમત્વ અને તાઈવાન ચીનનું અવિભાજ્ય અંગ છે તે સ્વીકાર્યું. ચીન માટે આ મેટો વિજય છે. લાંબા કાળનાં વેરઝેર પછી પણ વાસ્તવિક પરિસ્થિતિના સ્વીકાર કરવા તેમાં ડહાપણ છે તે બન્ને દેશેાએ બતાવ્યું. જાપાનની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રગતિ અને ચીનની જનશકિત અને ખનિજસમૃદ્ધિ સાથે મળે તેમાં બન્ને દેશની આર્થિક આબાદી રહી છે. છતાં બન્ને વચ્ચે હરીફાઈ પણ રહેશે. એશિયામાં બેમાંથી કોઈ એકની સત્તા વધે તે બીજાને પાસાય તેમ નથી. જાપાનની લશ્કરી સત્તા વધે તે ચીનને ભયરૂપ થાય. જયારે અત્યારે ચીન પાસે અણુબોમ્બ છે અને જાપાન પાસે નથી. બન્ને દેશ અમેરિકા અથવા રશિયાની સત્તા એશિયામાં ઓછામાં ઓછી રહે તે જોવા ઈચ્છે. છતાં, બન્ને કેટલેક દરજ્જે અમેરિકા અને રશિયા ઉપર આધાર રાખે છે અને બેમાંથી કોઈ સાથે સંબંધો બગાડવા ન ઈચ્છે. ચીન - રશિયા વચ્ચે સંઘર્ષ છે સમયના પલટાતા રંગ: ચાઉ અને તનાકા એકબીજાને અભિવાદન કરી કહ્યા છે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy