SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન સિલાનના ગાંધી ✩ દક્ષિણ ભારતના છેડા પર રળિયામÀા ટાપુ સિલેાન ઝૂકેલા ફળ જેવા સુંદર દેખાય છે. કુદરતની ત્યાં મહેછે અને એશિયામાં આ દેશનું જીનધારણ ઠીક કહી શકાય એવું છે. છતાં ય ત્યાંની બાર લાખની વસતિના એસી ટકા લેાકો ગ્રામ-પ્રદેશમાં વસે છે અને સારી સંખ્યામાં લોકો વર્તમાન પ્રગતિથી અજાણ અને વેગળાં છે, અનેક લંકા હજી માર્ટીના ઝૂંપડામાં રહે છે અને તેમની રાજતી આવક (જયા૨ે કામ મળે ત્યારે) કેળ સાડા ચાર રૂપિયા છે. ઉપરાંત અપૂર્ણ પોષણ અને રોગથી ઘેરાયેલા છે. ૧૯૫૮ માં અહાનગેમેજ ટ્યુડર એરિયારત્ને નામના શિક્ષકે આ દિશામાં કંઈક સુધારા કરવાના નિશ્ચય કર્યો, એ વખતે સિલેાનના પાટનગર કોલંબની સેકન્ડરી સ્કૂલમાં તેઓ નૌકરી કરતા હોઈ ફુ રસદના સમયમાં અત્યંત પછાત ગામડાઓની દયાજનક હાલતમાં સુધારો કરવા સેવાકાર્યના તેમણે આરંભ કર્યો. આ પ્રયોગમાં હજારો લેકોને તેમને સહકાર મળ્યો અને આ પ્રવૃત્તિ સામૂહિક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. સુંદર પ્રજાકીય સેવા બદલ ૧૯૬૯માં તેમને એશિચામાં મહત્ત્વના ગણાતા Roman Magsaysay Award પ્રાપ્ત થયા, ત્યાર પછી તેમને કેનેડા, બેલ્જિયમ અને ફિલિપાઈન્સ જેવા દૂરના દેશમાં પ્રવચન માટે આમંત્રણ મળ્યું. હવે તેઓ ‘સિલેાનના ગાંધી’ નામે ઓળખાવા લાગ્યા. આવા આંતરરાષ્ટ્રીય માન માટે પહેલી નજરે તો એરી સામાન્ય માણસ જ લાગે. સાધારણ ઉંચાઈ ધરાવતા એરી સ્પષ્ટ અને ઊંચે અવાજે બેલે છે તથા મુકત રીતે હસે છે. તેમની માટી કાળી આંખામાં સચ્ચાઈ તરવરે છે, લેકે એમની વાણી ધ્યાનપૂર્વક સાંભળે છે. એમના સેવાકાર્યની શરૂઆત આ રીતે થયેલી. એકવાર તે કલાસમાં શી મંત્રના હતા ત્યારે વાતવાતમાં વિદ્યાર્થીઓ સપા બેાલ્યા : મારે તમને એક ગામડાની વાત કહેવી છે, જેમાં ૩૭ કુટુંબે! બેડાલ દશામાં જીવે છે અને એનુંમુખ્ય કારણ વધુ સંતાનો છે. સામાજિક રીતે અત્યંત કંગાળ હાલત ભાગવતી કોમમાં આ લોકોનો સમાવેશ થાય છે. આસપાસના ગામડાઓ તેમના પ્રત્યે બેડરકાર છે, જાહેર સ્થળાં તથા કામરાજી આપનારા લોકોનાં બારણાં પણ તેને માટે બંધ છે. ઘણને તે ભીખનો આશરો લેવો પડે છે. મને લાગે છે કે એ લાકોને આપણે મદદરૂપ થવું જોઈએ.બાલા! આવતી રજાખામાં તમારામાંથી કોણ આ માટે તૈયાર થશે?’’થોડા સંકોચ બાદ ૩૦ વિદ્યાર્થીઓએ પેાતાના હાથ ઊંચા કર્યા, આ રજાઓ શરૂ થઇ કે આ સેકો બસમાં ગોઠવાઈ ૧૦૮ કિલ્લે મીટર દૂર આવેલા કનૅલાવા ગામે જવા રવાના થયા. ત્યાં પચ્યા પછી શંકાશીલ ગ્રામજને પાસે એરીએ સ્પષ્ટતા કરી : “અમે તમારી સેવા કરવા માટે નહિ પરંતુ તમારી સાથે રહી કાપ કરવા આવ્યા છીએ.” શહેરમાં ઊછડેલા આ લોકોને પાવડા કોદાળી ઉદાવી કામ કરતાં જોઇ લેકના આશ્ચર્યની સીમા ન રહી અને બીજે દિવસે તો કામ કરી શકે તે સૌ આ શ્રામયશમાં જોડાયા. ઝાઝા હાથ રળિયામણા,’ થોડા દિવસેમાં તે આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું. અનેક લૅકોના સહકાર વડે ૧૯ વાંસની ઝૂંપડીઓ દુરસ્ત કરવામાં આવી. એક કૂવા ખેદવામાં આવ્યા તથા ત્રણ જારાં બાંધવામાં આવ્યાં. ઈટની સુભિત હાર વચ્ચે નાળિયેરીના વૃી રોપવામાં આવ્યા; શાકભાજી ઉગાડવામાં આવ્યાં તથા નાના પાયા પર નેતરકામ શરૂ કરવામાં આવ્યું. સાંજના સમયૅ શિક્ષણના વગેગે લેવાતા તથા યુવાને રમતગમત અને સ્રીબેને ટોપલીઓ ગૂંથવાનું તથા પુરુ તા. ૧૬-૮-૭૨ ✩ ને ખેતીવાડી શાન આપવામાં આવતું. આરાગ્ય, સ્વચ્છતા અને પોષણનું મહત્ત્વ દર્શાવતા પ્રયોગા પણ બતાવવામાં આવતા. અગિયાર દિવસની રજાઓમાં પવનવેગે કામ કરીને આ સ્વયંસેવકો પાછા ફર્યા ત્યારે એ ગામમાં માનવતા મહેકી ઊઠી હતી. એરીએ પોતાના સાથીદારોને કહ્યું : “આપણે જાતે આ બધું કરવા તૈયાર ન થયા હોત ! એ લેાકોમાં આત્મવિશ્વાસ ન જાગૃત.” આ કામના ફળરૂપે એરીને તાત્કાલિક તા પેાતાની નોકરી ગુમાવવી પડી. કેટલાક વિદ્યાર્થીઓનાં વાલીઓએ પાતાના સંતાનોને આ સેવામાં જોડાવાની રાજીખુશીથી રજા આપી. જયારે કેટલાંક માબાપાએ પાતાનાં બાળકો અસ્પૃશ્ય જાતિ વચ્ચે રહી કામ કરે એ સામે જબરા વાંધો ઉઠાવ્યો. પરિણામે એરીને નાકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. પુતાના જીવનનિર્વાહં પર પડેલા આ મારને એરીએ સ્વસ્થતાથી સહી લીધો. તેઓ બરાબર સમજતા હતા કે ક્રાન્તિની દિશામાં વિરોધનો વંટોળ જાગે એ સ્વાભાવિક છે. શિક્ષણ ઉપરાંત ગ્રામ વડે ગામડાઓના ઉદ્ધારનું કાર્ય મહત્ત્વનું જણાતાં હવે એરીએ લાકોને પોતાની વાત સમજાવવી શરૂ કરી. તેઓ કહેતા: “ જાળવી રાખવા જેવાં જૂનાં મૂલ્યોને! હું, વિરોધ નથી કરતા, પરંતુ એ સાથે જે ક ંઈ નવું અપનાવવા જેવું છે તેના પણ સ્વીકાર થવા ઘટે.” - છપાંનાં તંત્રીઓ, શિક્ષણક્ષેત્રે કાર્ય કરતી વ્યકિતઓ, કે પછી ધારાસભ્યો, જે કોઈ સાંભળે તેને એરી પેતાના સિદ્ધાંત સમજાવતાં, છેવટે એમની વાત એ વખતના વડા પ્રધાન શ્રીમતી ભંડારનાયક પાસે પહોંચી. એરીને અન્યાય થયો હોવાંનું લાગતાં તેમને પાછા નોકરી પર લેવાને તેમણે આદેશ આપ્યો. એરીને માટે તો કુદરત નેપથ્યમાં રહી જાણે કૃપા વરસાવી રહી હતી. એમની વાત જાહેર ચર્ચાનો વિષય બનતા કોલેજના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, ઉત્સાહી ધંધાદારી લોકો, બેકાર યુવાને વગેરે ગાનેક લોકોએ તેમને પત્ર લખી મદદ કરવાની તત્પરતા બતાવી. તે બીજી બાજુ પછાત ગામડાંઓએ પણ પોતાના ઉદ્ધાર માટે ઉત્સાહ બતાવ્યા. પેાતાના સ્વપ્નને આમ સાકાર થતું જોઇ એરી ખૂબ રાજી થયા.“ મને ઊંડે ઊંડે એમ હતું જ કે આ કામનું ઘણું સુંદર પરિણામ આવશે, ગરીબ જનતા મદદ માટે આપણને બોલાવે છે અને લોકો એ માટે તૈયાર છે. હવે આ બંને જૂથને એકત્રિત કરવાનું કામ જ માત્ર બાકી રહે છે.”. - નેકરીના ફાજલ સમયમાં મેરી રાત સુધી કામ કરી એરીએ એક ચૅાજના ઘડી જે રાજકારણથી વેગળી અને અંગત લાભથી અલિપ્ત હતી. એને “સર્વોદય શ્રમદાન” નામ આપવામાં આવ્યું. ‘શ્રામની વહેં’ચણી’ અને ‘ સર્વનું કલ્યાયાણ’ એ એના ઉદ્દેશ હતા. આ કામને વેગ તથા મહત્ત્વ આપવા એરીએ સિલેાનની અગ્રગણ્ય ૧૫ વ્યકિતઓની યાદી તૈયાર કરી, જેમાં સેનેટના પ્રમુખને પણ સમાવેશ થતા હતા, વિનાવતને કાર્યવાહક સમિતિમાં રહી સેવા આપવાની સૌને અપીલ કરવામાં આવી હતી. ધીમે ધીમે હજારા સેવાભાવી અને શકિતશાળી લેાકોના સહકાર સાંપડતાં એરીની યોજના એક લેાકપ્રિય પ્રવૃત્તિ બની ગઈ. કુશળ આયોજન માટે સર્વોદય-પ્રવૃત્તિ એક ઉત્તમ નમૂના પુરવાર થઇ. સ્વયંસેવકોએ વાહનખર્ચના ભાર જાતે ભાગવી લીધો અને ગ્રામવાસીઓએ તેમને ખારાક અને રહેઠાણની સગવડ આપી. લાકોએ પેતાની શકિત મુજબ આપેલા ફંડમાંથી જરૂરી સાધનસામગ્રીના ખર્ચ નીકળી જતો. એક ગામડિયણ બાઇએ પોતાના અર્ધા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy