SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૨ પ્રબુદ્ધ જીવન કામ જ સંસાર છે, કામ જ બંધન છે. વમવનધનવે નાન્યસ્તત્ વઘનન્. સને અસત્ સાથે, આત્માને અનાત્મા સાથે, પુરુષને પ્રકૃતિ સાથે બાંધનારે કામ છે. કામમાંથી ક્રોધ જન્મે છે, ક્રોધમાંથી મોહ ઉદ્ભવે છે, મેહને કારણે સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિને નાશ થતાં બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિને નાશ થતાં મનુષ્ય મનુષ્ય મટી જાય છે. માત્ શોધોfમગાયતે | જોવા મવતિ સંમો : સંમોતિ, ભૂતિવિજH: I રતિબ્રાન્ ઢિનારો, યુનિશr કપfપતિ | ગીતાનાં આ વચન સદેવ ધ્યેય છે. 'મેક્ષ પામ હેય, દુઃખમુકત થવું હોય તે કામ બંધન તેડવું જોઈએ. કામનું દહન, દમન કે શમન કરવું જોઈએ. શિવના કામદફન, કૃણના કાલીયદમન અને બુદ્ધના મારવિજયનું આ જ રહસ્ય છે. કામને નિળ કર્યા વિના શિવ, કર્મયોગી કે બુદ્ધ ન બની શકાય. જેની કામનાઓ પિતાની અંદર શમી જાય છે તે જ શાતિ પામે છે, પરંતુ જે કામને વશ થાય છે તે કદીય શાતિ પામતો નથી. જે બધી કામનાઓને ત્યજી દઇ નિ:સ્પૃહ , નિરહંકાર અને નિર્મમ બની વિચરે છે, તે જ શાતિ પામે છે. વિદાય Tમાન : સર્વાન વુમrશ્વરતિ નિષ્ણુઃ નિર્મનો નિરહંવાર: શક્તિમfથાતિ | આ ગીતાનાં અમેઘ વચને છે. કામને વશ થનાર સત્યને પામી શકતો નથી. તેના આગળ તો સત્ય હિરણમય પાત્રથી ઢંકાયેલું જ રહે છે. એટલે જ કઠોપનિષદનું અમર પાત્ર નચિકેતા યમદર્શિત કામમાર્ગનાં આકર્ષણથી ચલિત થયા વિના સત્યમાર્ગમાં જ સ્થિર રહે છે. તે યમને કહે છે: હે યમ ! એ બધા ય વિષયો તો આવતી કાલ સુધી ટકનાર છે. વળી, વિષય ઇન્દ્રિ- નાં તેજ હરી લે છે. ઉપરાંત, જીવન ટૂંકું છે. માટે એ નાચ-ગાન અને ઘોડાઓ આપની પાસે જ રાખે, મારે ધન પણ જોઇનું નથી. મનુષ્યને ગમે તેટલું ધન આપ ણ તેને તેનાથી સંતોષ થશે જ નહિ. કામ અનંત છે. તે સમુદ્ર જેવો છે. સમુદ્ર અનંત છે. સમુદ્ર વ હિ જામ: ન હિ મચત્તોડતા કામ અગ્નિ જેવે છે. અગ્નિમાં ગમે એટલું ઈધણ નાખે પણ તે સંતોષાતો જ નથી. કામ સદ વ યુવાન છે. તે કદીય સ્વાં વૃદ્ધ થઇ, જર્જરિત થઈ મરતો નથી. તેને તો જીવતે જ માર પડે છે કામ વિષય ભેગથી કદીય શમે નહિ. વિષપભોગથી તો તે વધે જ, અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ શમત નથી પણ વધે જ છે. બાજુ TH: कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवमव भूय एवाभिवर्धते । ભારતના ધર્મ-દર્શન- સાહિત્યમાં આ વિઆર પ્રબળ રહ્યો છે. કામમાંથી મુકત થવા શું કરવું જોઈએ એ ભારતીય ધર્મો અને દર્શનેની સમાન સમસ્યા છે. કામને નિર્મૂળ કરવા માટે સૌ સૌ પ્રથમ તો તેના સ્વરૂપ અને તેમાંથી નીપજતાં દુષ્પરિણામે ચિંતન કરવું જોઈએ. કામને જીતવા માટે તેની શકિતને ખ્યા, તેની કટિલતાને પરિશ્ય ચિંતન દ્વારા કરી લેવું જોઇએ. આ ઉપરાંત કામમુકત થવા વિવિધ સ્કિનમાર્ગો પણ ભારતીય ચિતોએ ચીંધ્યા છે. હવે તેમને વિચાર કરીએ. કેટલાક ચિતકોને લાગ્યું કે જો મનુષ્ય બધે એકતા જોત થાય તે તે કામમાંથી મુકત થઈ શકે. તેમણે કહ્યું. આત્મા જ એક અને અદ્વિતીય છે. આમ હોઇ, નથી તો એવું કંઈ જ, જે કામ વિષય બની શકે કે નથી તો એવું કંઇ, જેનાથી ભય પામવાને રહે. જે સર્વ જીવોમાં એકતા દેખે તે કામમાંથી જ નહિ બલ્ક ભય, ચિતતા વગેરેથી પણ મુકત થઈ જાય. એ એક સીધીસાદી વાત છે કે જે દત છે તો ભયની શક્યતા છે. બહદારણ્યક ઉપ - નિષદમાં (૨, ૪, ૧ ,૨) એક રસપ્રદ વાત છે. શરૂઆતમાં એક આત્મા જ હતો. તેણે આજબાજ જોયું તો ત્યાં પોતાના સિવાય બીજું કશું જ ન હતું. તેને બીક લાગી. તેથી આજે પણ માણસ એકલો હોય છે ત્યારે ભય પામે છે. પછી આત્માએ વિચાર કર્યો, ‘અહીં મારા સિવાય બીજું કોઈ છે તે નહિ તો પછી હું કોનાથી ભય પામું છું?” આ વિચાર આવતાં એની બીક જતી રહી, કારણ કે બીક તે પોતાના સિવાય બીજું કોઈ હોય તે તેમાંથી ઉદ્ભવે. દ્વિતીયક્ હૈ જયં મતિ. વળી, જો આત્મા એક છે એવું સમજીએ તે શેક અને મેહ આપણને ર૫શું નહિ. તત્ર મોઃ : શો ઇવનુપશ્યત: એકતાદર્શન યાં અભેદદર્શન એ વિદ્યા છે. એથી ઊલટું નાનાત્વદર્શન યા ભદદર્શન એ અવિદ્યા છે. ભગવાન બુદ્ધ પિતાની જાતમાં જ શેધ ચલાવી કે કામનું મૂળ શું છે? એ તે આપણા રોજિંદા અનુભવની વાત છે કે જેના પ્રત્યે આપણને રાગ હે છે તેની આપણને ઈરછ --કામના થાય છે. અને તેના પ્રત્યે જેટલો રાગ વધારે તેટલી તેની કામના વધારે. હવે જગતમાં સૌથી વધારે કઈ ચીજ પ્રત્યે આપણને રાગ છે? આત્મા પ્રત્યે પોતાના પ્રત્યે. તેથી જ બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે આમાં દીકરા કરતાં વાલે છે, ધન કરતાં વહાલે છે, બીજી બધી વસ્તુઓ કરતાં વહાલે છે ...આપણે પતિની કામના કરીએ છીએ પરંતુ તે કામના આપણે ખરેખર પતિને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ, આપણે પત્નીની કામના કરીએ છીએ પરંતુ તે કામના આપણે ખરેખર પત્નીને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ, આપણે દીકરાની કામના કરી છે. પરંતુ તે કામના ખરે ખર દીકરાને ખાતર નહિ પણ આત્માને ખાતર કરીએ છીએ.” ભગવાન બુદ્ધને આત્મદષ્ટિમાં જ કામનાં મૂળ જણાયાં. એટલે તેમણે નિત્ય આત્માને જ નિષેધ કર્યો. આત્મદપિટમાંથી કામ કેવી રીતે જન્મે છે તેનું વિશદ વર્ણન બૌદ્ધ સાહિત્યમાં ડગલે ને પગલે જોવા મળે છે. આચાર્યપદ નાગાર્જુન કહે છે : “જે માણસ માને કે ખરેખર આત્મા છે, તો તેનો અહંકાર દૂર ન થાય અને પરિણામે તેની દુ:ખનો કાય ન થાય કારણકે કારણ હતાં કાર્ય અવશ્ય થાય છે. જ્યારે માણસ આત્મા છે એવું માને છે ત્યારે તેને પોતાના પ્રત્યે ફાસ્થળે સ્નેહ જાગે છે. આ સ્નેહ સુખ માટેની તૃષ્ણાને – કામને જન્મ દે છે. આ તૃષ્ણા માણસને વિષયોના દોનું જ્ઞાન થવા દેતી નથી. પરિણામે માણસ તે વિષયોમાં ગુણે કહ્યું છે, તે મારા છે એવું વિચારતાં તેને આનંદ થાય છે અને તેમને પ્રાપ્ત કરવાની સાધને પ્રયોજે છે. વળી જ્યારે આત્મદષ્ટિ હોય છે ત્યારે આત્માથી અન્ય વસ્તુની દષ્ટિ (ષ્ટિ) પણ જાગે છે અને આ સ્વપરના વિભાગને કારણે રાગ અને દ્રપની લાગણી જન્મે છે.” ચંદ્રકીર્તિ પણ જણાવે છે કે: “સઘળા લેશે અને દો આત્મદષ્ટિમાંથી ઉદ્ ભવે છે એ હકીકતનું દર્શન થતાં ૨ાને એ એ દષ્ટિને વિષય ૨૫માં છે એવું જણાતાં યોગી આત્માને નિધિ કરે છે. सत्कायदृष्टिप्रभवानशेषान् क्लेशांश्च दोषांश्च घिया विपश्यन् । आत्मानमस्या विषयं च बुद्ध्वा योगी करोत्यात्मनिषेधमेव ।। કપિલમુનિના અનુયાયીઓ પ્રકૃતિ- પુરુષના વિજ્ઞાનને (ભદાનને) તેમ જ જૈને જીવ અને અજીવના ભેદજ્ઞાનને કામદહનનાં ઉપાય તરીકે ગણાવે છે. વૈશેષિકો અનુરાર આત્મા સહિત બધા પદાર્થોનું યથાર્થ જ્ઞાન જ કામમુકિતને ઉપાય છે. વૈશેષિક દર્શન પ્રધાનત: લોકસ્વરૂપચિતન દર્શને છે. દરેક વ્યકિતએ પોતાની પ્રકૃતિને અનુકુળ ચિતનમાર્ગ ગ્રહણ કરશે. પરંતુ એક ચિંતનમાર્ગ પાંગળે છે. તે એકલે કામને દમવા, નિમ્ળ કરવા સમર્થ નથી. તે સાધનામાર્ગની અપેક્ષા રાખે. છે. બંનેય માર્ગનું સમબલ અનુસરણ જ કામબંધન તેડવા સમર્થ બને છે. સાધના માર્ગમાંય યમ–નિયમપાલન અને ધ્યાનાભ્યાસ બંનેય અતિ જરૂરી છે. યમપાલન વિનાને દયાનાભ્યાસ, કલ્યાણકર તો નથી જ, ઊલટે હાનિકર છે. એટલે જ પાતંજલ યોગદર્શનમાં યમેને સાર્વભૌમ ગગ્યા છે, અર્થાત અહિંસા ગેરેના પાલનને યોગની બધી જ ભૂમિકાએ અનtત આવશ્યક ગણવામાં , આવેલ છે. વિ : નવ રિફાઇનીસા: સર્વભૂમિg (ૌTમાથ). નગીન જી. શાહ..
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy