SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રબુદ્ધ જીવન લાગ્યા અને ઉપર પહોંચી એ વિશાળકાય ધ્યાનસ્થ પ્રતિમાજી સમક્ષ આવી ઊભા. પ્રસ્તુત દીક્ષા તેઓ મુનિશ્રી જિનવિજયજી જેવા ગાંધીવિચારના વિદ્રાન ને કર્મઠ સાધક પાસે લેવા ઈચ્છતા હતા, પરંતુ એવો યોગ ન મળતાં તેમણે જાતે જ એ ભાવપૂજાપૂર્વક સામાન્ય એવી જ વિધિ સાથે અંગીકાર કરી મારી પાસે સિતારવાદન સાથે મંગલ ગાન અને પ્રસંગકથન પણ કરાવ્યું. એ પછી પોતે અને ત્યાં ઉપસ્થિત હરિજન એમ. એલ, એ. શ્રી ગાવિંદદાસ પણ બાલ્યા. પછીથી ત્યાંના સ્થાનિક જૈન દિગંબર મઠના સ્વામીજી પણ આવી ગયા, પરંતુ શ્રી બુદ્ધવીરાનંદજીને પાર ંપરિક રીતરિવાજોનું મહત્ત્વ કે મૂલ્ય ન હતું. તેમને મન મહત્ત્વ અને આનંદ એ વાતનાં હતાં કે તેઓ વર્ષોની તેમની બાહ્યાંતર નિગૢ"થ દશા ભણી લઈ જતા પરિવ્રાજક જીવનની ભાવના આજ સાકાર કરી રહ્યા છે. દીક્ષાના કાર્યક્રમ પત્યા પછી ટેકરી પરથી નીચે ઊતરી સૌ તેમના ‘નિર્વાણાશ્રમ’પર પહોંચ્યા. બાહુબલિજીની પ્રતિમાવાળી ટેકરી નીચે જમણી બાજુની તળેટીના ઢોળાવ પર થોડી શિલાઓ, ઘેાડી ખેડેલી જમીન, થોડાં વૃક્ષો અને થોડા શાહસાહેબના એન્જિનિયર- દિમાગના પરિચાયક એવા કુદરતી શિલાઓના ઉપયોગ કરી બનાવેલાં સાદાં મકાનથી નિરવ પ્રકૃતિની વચ્ચે ઊભેલો આ આશ્રમ જાણે તદ્દન નિ:શંગ જણાતો પેાતાના ‘નિર્વાણાશ્રામ’ નામને સાર્થક કરી રહ્યો હતો અને છતાં અહીં નિષ્ક્રિયતા કે નકારા ત્મકતાની નિવૃત્તિ ન હતી. અહીં આવતા અને રહેતા સાધક પાસે આત્મસાધના, જ્ઞાનસાધના, ધ્યાનસાધનાની સાથે જ શરીરશ્રમ, લૅસેવાદિ સક્રિય કર્મસાધના પણ અપેક્ષિત હતી. તેથી અહીં પ્રવૃત્તિપરકતા, તેના વાસ્તવિક અર્થમાં, હતી. આશ્રમમાં નાની એવી ગૌશાળા અને ત્યાં વસેલા હરિજન ખેડૂતો માટેનાં ઝૂંપડાં જેવાં પણ સુવ્યવસ્થિત મકાને, પ્રાર્થના - ધ્યાનાદિ માટેને ખુલ્લા પ્રાકૃતિક ચેક, નાનકડું પુસ્તકાલય વગેરે પણ ધ્યાન ખેંચતાં હતાં. શ્રી બુદ્ધવીરાનંદજીએ હવે પોતાના પારિવ્રાજક જીવન દરમિયાન ચાતુર્માસ અહીં જ રહીને મુખ્યત્વે ભાજનશાળા, શિશુવિહાર અને નિસપિચારના લોકકલ્યાણનાં કાર્યો કરવા લક્ષ્યમાં રાખ્યાં છે, જેના કેન્દ્રમાં છે આત્મજ્ઞાનની સાધના - મુખ્યત્વે ધ્યાન’ માગે, હાલ તેઓ ભિક્ષારૂપે જ બપોરે એક વખત આહાર લેવા ગામમાં જાય છે. સવારસાંજ ત્યાં સહજસુલભ એવા નાળિયેરના પાણીનો ઉપયોગ કરે છે. મોટા ભાગે પદયાત્રા કરે છે, પરંતુ વાહનના બાધ નથી રાખ્યો. લોકોના અભિપ્રાયને બદલે પોતાના અંતરના વિવેક પર ચાલતા અને નિષ્ઠાપૂર્વક નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ આદરતા શ્રી બુદ્ધવીરાનંદજીને જોઈને મને સતત સ્મૃતિ થાય છે શ્રીમદ્ રાજચંદ્રજીના પેલા તત્ત્વ - વચનની : ‘જાતિ, વેશના બાધ નહીં”, કહ્યો માર્ગ જૉ હોય.’ (‘ આત્મસિદ્ધિ) હિન્દી પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા મહાસાગર : ભારત અને મહાસત્તાઓ પાણીમાં કાંકરો ફેંકવાથી જેવી રીતે વમળ ઊભાં થાય છે, એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સંબંધ માટેના લેવાતા દરેક પગલાને કારણે શક્ય પરિણામે માટે ટીકા, ફ્યા અને અનુમાનોનાં વળા ઊભાં થતાં હાય છે. સમય પોતાનું કામ કરે જ છે. સમયના વહેણમાં ઉપરછલ્લા અને પાયા વગરના વિચારો અને મતમતાંતરો ધોવાઈ જાય છે. એને સ્થળે માત્ર નક્કર હકીકતો જ બાકી રહે છે. આના અનુસંધાનમાં એક ચીની કહેવત જોવા જેવી છે : “ પાણી ઓછું થઈ જાય છે ત્યારે ખડકો દેખાય છે.'' ગયા ડિસેમ્બરમાં જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ઉપખંડના દેશ પ્રત્યે કટોકટીના સમયમાં કર્યા દેશ કેવી નીતિ અપનાવશે એનો ખ્યાલ આવ્યો. ભારત પ્રત્યે તા. ૧-૬-૧૯૭૨ મૈત્રીભરી નીતિ રાખવાના દાવારૂપી પાણી દૂર થતાં નક્કર વાતવિકતારૂપી ખડકો ભારતની નજરે ચડી આવ્યા હતા. ભારતની સલામતી માટે હિન્દી મહાસાગરના મહત્ત્વની ગંભીરતાના આપણને ખ્યાલ આવ્યો હતો. હિન્દી મહાસાગરમાંની મહાસત્તાઓની સાઠમારીનું પૃથક્કરણ કરીને, અને ભારતના સંદર્ભમાં ભારતની નીતિ અને કાર્ય કેવું હેવું જોઈએ એ જોવાનો પ્રયાસ કરીએ. હિંદી મહાસાગરમાં હમણાં અમેરિકા અને રશિયા બંનેના કાલા હરીફાઈમાં ઊતર્યા છે. પુરાણકાળમાં દેવા અને દાનવોએ જેવું સમુદ્રમંથન કર્યું હતું એના જેવું જ મંથન જાણે કે કેટલીક મહાસત્તાઓ હિન્દી મહાસાગરમાં કરી રહી છે. દેવા અને દાનવા ચૌદ રત્ના હાથ કરવા મથતા હતા, પરંતુ મહાસત્તાઓની સ્પર્ધાના પરિણામ અંગે નક્કર કશું કહેવું સહેલું નથી. બંગલા દેશના પ્રશ્ન અને ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક મહત્ત્વના સમાચારને જરૂરી અને રનું મહત્ત્વ અપાયું ન હતું. અખબારોના પાને પણ એને નજીવું મહત્ત્વ મળ્યું હતું. ડિસેમ્બરના બીજા સપ્તાહ દરમિયાન સંયુકત રાષ્ટ્રસંસ્થાની મહાસભાએ હિન્દી મહાસાગરને શાંતિનો વિસ્તાર જાહેર કરવાના શ્રીલંકાના પ્રસ્તાવને સ્વીકાર્યા હતા. સાઠ દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. વિરાધમાં એક પણ મત પડયા ન હતા. પરંતુ બ્રિટન, ફ્રાંસ, અમેરિકા, સાવિયેટ રશિયા, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સહિતના ખેંચાવન દેશા આ મતદાનથી વેગળા રહ્યા હતા. ભારત અને ચીને ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. આ મતદાન પરથી એટલું સ્પષ્ટ થાય છે કે પાંચમાંની ચાર મહાસત્તાઓ ઉપરાંત અમેરિકા સાથે લશ્કરી કરારો ધરાવતા આસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની લઘુમતી ગોરી સરકારને આ પ્રસ્તાવ અંગે શંકા-કુશંકા છે. માલાગાસી, સિંગાપુર અનેં થાઈલૅન્ડ પણ આ મતદાનથી વેગળા રહ્યા હતા એ સૂચક છે. હિન્દી મહાસાગર વિસ્તારમાંથી લશ્કરી મથકો, અણુશસ્રો અને મહાસત્તા વચ્ચેની સ્પર્ધા ખતમ કરવા માટે હિન્દી મહાસાગર વિસ્તારના દેશો સાથે ચર્ચાવિચારણા કરવાના મહાસત્તાઓને આ પ્રસ્તાવમાં આદેશ અપાયો છે. દેવા અને દાનવાના સમુદ્રમંથનને રૂપકાત્મક દષ્ટિએ જોઈએ તા કદાચ એમ કહી શકાય કે સમુદ્રની જે વિપુલ સમૃદ્ધિ અને રસંપત્તિ છે તથા એના ઉપરના આધિપત્ય દ્વારા જે સવલતા પ્રાપ્ત થાય છે એ હાથ કરવાના આશય દેવા અને દાનવાનો હાવા જોઈએ. મહારાત્તાઓનો આવેા જ કંઈક આશય છે ને ? પરંતુ, આ સમુદ્રમંથનના પરિણામે એશિયાના દેશના ભાગે તો ઝેર જ આવશે. ભારતીય દ્વીપકલ્પ, વિયેટનામ અને પશ્ચિમ એશિયા આજે વિશ્વનાં મહત્ત્વનાં ત્રણ સ્ફોટક રથળા છે અને તે ત્રણેય હિન્દી મહાસાગર સાથે સંકળાયેલા છે. મોટા ભાગના એશિયાઈ દેશો પણ હિન્દી મહાસાગર સાથે સંકળાયેલા છે. કેટલાય નવાં અને જૂનાં કારણેાને લીધે હિન્દી મહાસાગરનું મહત્ત્વ આજે વધી જાય છે. હિન્દી મહાસાગર સહિત વિશ્વના બધા મહાસાગરોનું પ્રાથમિક સ્વરૂપે વિશ્વમાં સત્તાની સમતુલા જાળવવા માટે યુદ્ધની દૃષ્ટિએ મહત્ત્વ છે. મહાસત્તાઓના નૌકાકાફ્લાઓ અણુશસ્ત્રાસ્રોથી સજજ બનીને આ વિસ્તારમાં ફરતા હેાય છે. વળી હિન્દી મહાસાગર લશ્કરની દષ્ટિએ બહુવિધ ધ્રુવીકરણના વિસ્તાર બની બેઠા હોવાથી આહીં બહુવિધ સ્પર્ધા ઊભી થાય એ કુદરતી છે. વિશ્વની તંગદિલી એશિયા ભણી ખેંચાતી હોય અને મહાસત્તાઓ અહીં આવતી જતી હોય એ સમજાય છે. જાપાન આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં આ વિસ્તારમાં અન્ય આર્થિક ચૂસણનીતિને પૂરા વકાશ છે. આ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ગાળાર્ધ વચ્ચેના માટા { ø
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy