________________
પ્રભુ
આચારક્ષેત્રે તેમણે અહિંસાને પ્રાધાન્ય આપ્યું અને તેના પૂરક તરીકે સત્ય-અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને અહિંસા સાથે તેમણે સંકલિત કર્યા. આ રીતે પંચમહાવ્રત રૂપ આચારધર્મનું તેમણે પ્રતિપાદન કર્યું.
ભગવાન મહાવીર એ સમયના એક મહાન ક્રાન્તિકાર હતા. ક્રાન્તિકાર એ કહેવાય કે જે પ્રચલિત જીવનમૂલ્યોના ઉચ્છેદ કરે અને તેના સ્થાનેં નવાં મૂલ્યોની સ્થાપના કરે. આ રીતે વિચારતાં જણાવી શકાય કે ભગવાન મહાવીરે બ્રાહ્મણવર્ગના સર્વોપરિ વર્ગસ્ને તેવું અને માનવ સમાજને સમાનતાની બક્ષીરા આપી. એટલે કે માનવી માત્ર જન્મથી સરખા છે અને ગુણભેદે ચારિત્ર્ય ભેદે—તેઓ ઊંચા નીચા બને છે એવી પ્રરૂપણા કરી. ઈશ્વરપ્રણીત લેખાતા વેદની તેમણે પ્રતિષ્ઠા તેડી અને તેના સ્થાનેં બુદ્ધિ અને આત્માનુભૂતિને પ્રતિષ્ઠિત કરી. સ્રીઓ તેમ શુદ્રોને ધર્મદીક્ષાના અધિકારી બનાવીને સમાનતાનો દરજ્જો આપ્યો. જે પાછળ અનેર્ગળ હિંસા ચાલતી હતી તેવા યજ્ઞાની ધાર્મિકતાને તેમણે પડકારી · અને અહિંસાના વિચારને સમગ્ર જીવસૃષ્ટિ સુધી વિસ્તૃત કર્યો. ભાગની જગ્યા ત્યાગનેં અને દૂહુના લાલનપાલનની જગ્યાએ તપ અને સંયમનેં પ્રસ્થાપિત કર્યા. આ ઉપરાંત એ વખતને
૨
સમાજ મતમતાતરોના ક્લાથી વ્યાકુળ હતા. તેના નિવારણ અર્થે તેમણે અનેકાન્તવાદની પ્રરૂપણા કરીને વૈચારિક સહિષ્ણુતા અને ઉદારતાને નવો વેગ આપ્યો અને આજે જે સર્વધર્મસમભાવની ભાવના સર્વસ્વીકૃત થવા લાગી છે તે ભાવનાનું તેમણે બીજારોપણ કર્યું .
ભાષાના ક્ષેત્રે એ વખતે સંસ્કૃત ભાષા શિષ્ટમાન્ય હતી તેના સ્થાને લોકભાષા લેખાતી પ્રાકૃત ભાષામાં જ પોતાની ઉપદેશધારા વહાવીને તેમણે પ્રાકૃત ભાષાનું ગૌરવ કર્યું. આ રીતે તેમણે તત્કાલીન સામાજિક તેમ જ ધાર્મિક વળણા અને વિચારધારણામાં એક અદ્ભુત ક્રાન્તિ સરજી.
આવા ભગવાન મહાવીરેં ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં પોતાની જીવનલીલા સંકેલી અને મેક્ષપદને પ્રાપ્ત કર્યું.
આવા પરમેકારી ભગવાન મહાવીરના અન્તિમ સમયનું વર્ણન કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે, “હવે ભગવાને પર્યંકાસને સ્થિર થઈ ધીરે ધીરે મન-વાણી-કાયાના સ્થૂળ તેમ જ સૂક્ષ્મ યોગા રૂધવા માંડયા અને એ રીતે ધ્યાનની સર્વોત્તમ કક્ષાએ પહોંચી સર્વ કર્મબંધ તોડી નાખ્યા. એમ થતાં જે પદ પ્રાપ્ત કરવા માટે તેમણે પુર–મંદિર–રાજયલક્ષ્મીને ત્યાગ કર્યો હતા; સ્નેહે કરીને વ્યાપ્ત એવા બંધુજનના સ્નેહને અવમાન્યો હતો; ગમે તેવા ગ્રીષ્મ ઋતુના તીવ્ર તાપ અને શીત ઋતુની ગમે તેવી ઠંડીએ સતત સહ્યા કરી હતી; ભીક્ષા માંગીને ગમે તેવાં લૂખાંસૂકાં તુચ્છ અન્નપાન સ્વીકાર્યા હતાં; ભયંકર સ્મશાન, શૂન્યગૃહા અને અરણ્યોમાં વિહરવાનું માન્ય રાખ્યું હતું; છ ટંક આઠ ટંક આદિના કઠિન ઉપવાસ સતત કર્યાં હતા અને બીજા પણ અનેક વિના તથા સંકટો ખૂંદરહિતપણે સહ્યાં હતાં તે પદ-મેક્ષપદ— તેમને પ્રાપ્ત થયું.” ૭૨ વર્ષની ઉંમરે આસો વદ અમાસની રાત્રિએ તેમનું નિર્વાણ થયું.
અહિંસા અને અનેકાન્ત એ મહાવીરના આજના જગતને મહામુલા સંદેશ છે. હળીમળીને રહા, એકમેકના જીવનના અનેં વિચારોના આદર કરી, અહિંસા, સંયમ અને તપદ્નારા કર્મોનો ક્ષય કરો, ઉર્ધ્વ ચેતનાના આવિર્ભાવ દ્વારા પરમતત્ત્વની અનુભૂતિ કરો, ભવભ્રમણના ચક્રથી મુકત બની શાશ્વત એવા મેાક્ષને પ્રાપ્ત કરો- આ તેમની વાણી તેમ જ પ્રત્યક્ષ જીવન દ્રારા વ્યકત થયેલા ઉપદેશના સાર છે. આવી મહાન વિભૂતિને આજના તેમના જન્મદિને આપણા અનેક વંદન હો! પૂરક નોંધ
પરમાનંદ
ભગવાન મહાવીરે માનવી જગતને અહિંસાના મંત્ર આપ્યો; તાજેતરમાં જેમની આપણે જન્મશતાબ્દી ઊજવી તે મહાત્મા ગાંધીએ પણ આ અહિંસા—વિચાર ખૂબ જ વિકસાવ્યો અને પેાતાનું જીવન તેની સાધના ઉપર આધારિત બનાવ્યું. તે આ પ્રસંગે આ બે મહાન
-
તા. ૧-૫-૧૯૭૦
જીવન યુગપુરુષોની તુલનાત્મક આલાચના કરવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય.
ભગવાન મહાવીરની અહિંસા વ્યકિતલક્ષી જીવનસાધનાનું એક મહત્ત્વનું અંગ હતું. ભવભ્રમણથી માનવીનો મેક્ષ એ તેમને મન માનવી જીવનનું પરમ ધ્યેય હતું અને તે માટે કર્મમુકિત અને તે માટે સંપૂર્ણ અહિંસક જીવન આવશ્યક હોવાનું. તેમણે જણાવ્યું હતું, જ્યારે ગાંધીજીએ. માત્ર વ્યક્તિગત અહિંસાની સાધનાને નહિ પણ અહિંસક સમાજરચનાના નિર્માણને પેાતાનું લક્ષ્ય બનાવ્યું હતું અને સમાજના પ્રશ્નો અહિંસક પ્રક્રિયા વડે ઉકેલવા ઉપર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો અને તેના અનુસંધાનમાં અસહકાર અને સત્યાગ્રહના તત્ત્વનું તેમણે પ્રતિપાદન કર્યું હતું, એટલું જ નહિ પણ, આચરણ વડે તેની કાર્યક્ષમતા તેમણે સિદ્ધ કરી દેખાડી હતી.
આ બન્ને મહાપુરુષો અહિંસા અને સત્યના પરમ પૂજારી હતા. એમ છતાં આ બે તત્ત્વો વચ્ચે અથડામણ થાય તે ભગવાન મહાવીર કોઇ પણ સંયોગમાં હિંસાને ટેકો ન આપે, કારણકે તેમને મન અહિંસા રાસર્વા હતી, અને મહાત્મા ગાંધી કોઇ પણ સયાગેામાં અસત્યને ટ્રેક ન આપે, કારણકે તેમને મન સત્ય એ જ ઇશ્વર હતા.
ભગવાન મહાવીરે આત્મસાધના માટે સંસારત્યાગ આવશ્યક લેખ્યો; મહાત્મા ગાંધીએ આત્મસાધના માટે સંસારત્યાગને આવશ્યક ન લેખતાં, સંસારમાં—કુટુંબ, પરિવાર વચ્ચે રહીને, આત્મસાધના કરવાનું વધારે પસંદ કર્યું.
ભગવાન મહાવીરે પરમદર્શન પ્રાપ્ત કર્યા બાદ એટલે જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી જ, લોકોને ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો; ગાંધીજી જિંદગીની આખર સુધી સાધક રહ્યા, અને એ સાધના સાથે લોકોને કર્તવ્યાકર્તવ્યને ઉપદેશ તેઓ આપતા રહ્યા.
ભગવાન મહાવીર એક ચોક્કસ ધર્મ-સંપ્રદાયના પ્રવર્તક બન્યા; ગાંધીજી આવા કોઇ ચોક્કસ સાંપ્રદાયના પ્રવર્તક બન્યા નહિ. ગાંધીજીએ આપણને જે નવા વિચારો આપ્યા તે ગાંધીવાદના નામે ઓળખાય છે, પણ તેને એક ચોક્કસ સંપ્રદાય તરીકે ઓળખાવી ન
શકાય.
ભગવાન મહાવીરે જૈન સાધુ માટે પ્રાણતિપાત વિરમણ, મૃષાવાદ–વિરમણ, અદાદાન—વિરમણ, મૈથુન-વિરમણ અને પરિગ્રહ–વિરમણ એમ પાંચ મહાવ્રત સૂચવ્યા અને શાંવાાવિકા માટે સ્કૂલ સ્કૂલ પ્રાણાતિપાત—વિરમણ, મુષાવાદ વિરમણ, સ્થૂલ, અદત્તાદાન વિરમણ, સ્થૂલ મૈથુન વિરમણ, પરિગ્રહ પરિમાણ, દિગ્ વ્રત, ભાગપભાગ પરિમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધ અને અતિથિવિભાગ એમ બાર વ્રતા સૂચવ્યા. ગાંધીજીએ સૌ કોઇ સાધક માટે અહિંસા, રાત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીરામ, અસ્વાદ, ભયવર્ઝન, સર્વધમે સમાનત્વ, સ્વદેશી અને સ્પર્મભાવના એમ અગિયાર વ્રતાનું પ્રતિપાદન કર્યું.
ભગવાન મહાવીરે ધાર તપશ્ચર્યાદ્રારા જીવનસાધના કરી; ગાંધીજીના જીવનમાં, અમુક નિમિત્ત ઊભું થતાં, નાની માટી મુદ્દતના ઉપવાસની ઘટનાઓ જરૂર બની છે, પણ ભગવાન મહાવીરે કરી તેવી તપશ્ચર્યાનું તેમણે કદી સમર્થન કર્યું નથી.
ભગવાન મહાવીરની લાકસંગ્રહની વૃત્તિ ઉપદેશપ્રદાન સુધી સીમિત રહી; ગાંધીજીની લાસ ંગ્રહની વૃત્તિ તેમને રાજકારણ તરફ ખેં'ચી ગઇ. અને અધર્મ અન્યાયના પ્રતિકાર, તેમના જીવનના મુખ્ય સૂર બની ગયા.
ભગવાન મહાવીરનું લક્ષ્ય, માનવીને આધ્યાત્મિક સાધનાદ્વારા, મેાક્ષમાર્ગ દેખાડવા ઉપર કેન્દ્રિત રહ્યું, અને બીજી કોઇ સામાજિક કે રાજકીય પ્રવૃત્તિમાં તેઓ કદી ન પડયા. ગાંધીજીએ, પોતાના સમયના રાજકીય, સામાજિક, આર્થિક તેમ જ ધાર્મિક સર્વ પ્રકારના પ્રશ્નોને ઉકેલ શોધવામાં, પેાતાની સર્વ શક્તિનો યોગ
આપ્યો.
મહાવીરનું જીવન કેવળ આત્મલક્ષી હતું; ગાંધીજીનું જીવન સમગ્રલક્ષી હતું.
આ રીતે, આપણે આ બે મહામાનવને સમજીએ અને બન્નેમાંથી પ્રેરણા મેળવીને, આપણા જીવનને સફળ—સાર્થક બનાવીએ.
પરમાનંદ
2