SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન તા. ૧૬-૪-૧૯૭૦ બન્ને બદલવાં હોય તે રાજકારણના રંગે રંગાયા વિના છૂટકો નથી. સેવાના ક્ષેત્રમાં પડવાના વિચારનો તણખા હું પ્રિવિયસમાં હતેા ત્યારે મગજમાં મૂકાયેલા. મહાભારતમાં કૌશિક આખ્યાનમાં દરેક માનવીએ જીવનમાં ચાર આશ્રામે પ્રમણે પોતાના ધર્મ બજાવવા જોઈએ તેમ પ્રતિપાદન કર્યું છે. આ તે વખતે વાંચેલું ત્યારથી મનમાં ગાંઠ વાળેલી કે અભ્યાસ વખતે બરાબર ભણવું, ધંધા વખતે કમાઈ લેવું અને નિવૃત્ત થયા પછી સેવાના ક્ષેત્રમાં પડવું. મહાત્માજીએ ગ્રામેાદ્વારની પ્રવૃત્તિ શરૂ કરી એટલે સરકારને પણ દેખાવ કરવાની જરૂર પડી કે પોતાની નજર બહાર ગામડાઓનું હિત નથી. તે માટે સરકારે ગ્રામેદ્ધારની યોજના વિચારવા માંડી. ૧૯૩૨માં મુંબઈના ગવર્નર સર ફ્રેડરિક સાઈટે દરેક જિલ્લાના અધિકારી પાસેથી પાતપોતાનું ખાનું ગ્રામદ્વારમાં શે। ભાગ ભજવી શકે તે અંગે અભિપ્રાય માગ્યો. તે વખતે હું લારખાનામાં હતો, મારે પણ અભિપ્રાય આપવાના આવ્યો. મે એક લાંબા રિપેર્ટ સરકાર ઉપર મોકલ્યો. તે વખતથી એમ થયેલું કે ગામડાની પ્રજાને ઉપયોગી થવાય તેવી પ્રવૃત્તિમાં પડવું. મારી કલ્પના પ્રજાનું માનસ બદલવાની છે. આજે એ જે સ્થિતિમાં છે એ સ્થિતિ એને કઠે, સારી રીતે જીવવાની એનામાં ચિનગારી મૂકાય તેમ કરવાનું છે. ગામડાંને પાણીની સગવડ, ખેતી માટે અને પીવા માટે પૂરતી મળે, વીજળી દ્વારા ચાલતા ગૃહઉદ્યોગ મળે તે એનામાં નવું ચેતન આવે તેમ હું માનું છું. શહેરમાં આવનારને જેં ફેર પડે છે તે વાતાવરણને આભારી છે. કેળવણીથી ગામડાંની ચાલુ ઘરેડ બદલાય. એમાટૅવિદ્યાનગર કેળવણીની સંસ્થાઓ પૂરતું મર્યાદિત નથી. એ ઉત્પાદનમાં પણ માને છે. એ માટે એ ગામડાંની પ્રયોગશાળા બનશે, મદદરૂપ બનશે, ને જે ગામને એવી સેવા જોઈતી હશે તેને એ આપવા પ્રયત્ન કરશે. સોંઘવારીમાં દરરોજ દોઢ રૂપિયાની સિગારેટ હું પીત પરંતુ જે દિવસે ધરાસણાના લાઠીમારના સમાચાર પેપરમાં વાંચ્યા તે જ દિવસે સિગારેટને વિદાય આપી દીધી. જૅ સરકાર આવી જુલમી હાય, તેના દેશમાં દરરોજ દોઢ રૂપિયા મોકલી આપવા એ મારે માટે ગુને છે એમ માની સિગારેટને રામરામ કર્યા. તા હૂકો છેડયો એ કારણે કે, વિદ્યાનગર જેવા વિદ્યાના ધામમાં, એ મારા મામાં શાભતા નથી. એક અંગત વ્યક્તિ તરીકે મારા મામાં એ હોય તે નિભાવી લેવાય, પરંતુ વિદ્યાની સંસ્થાના એક સેવકના મેામાં હૂકાની નેહ હોય એ અઘટિત તો છે એમ લાગતાં હૂકો પણ છેડયો, વ્યસન માણસને વળગ્યું નથી, માણસ વ્યસનને વળગ્યો છે. સારા નેતામાં માનવતા હોવી જોઈએ. માનવતાવાદ એ માટી વસ્તુ છે. હું દાખલા આપું એ પરથી વાત કદાચ વધારે સમજાશે. ૧૯૪૫માં મે વિદ્યાનગર શરૂ કર્યું. એનો પાયો નંખાવ્યા કરમસદના હરિજન શનાજી દલાજી પાસે. પછી તો ત્યાંના વટરવર્કસ પર પણ ભંગીઓને રાખ્યા. પટાવાળા પણ ભંગી રાખ્યા. એમને વગર વ્યાજની લેને ભેંસા બંધાવી. એમનાં બૈરાંને કામ અપાવ્યું. ઘર બાંધી આપ્યાં. પટાવાળાથી તે પ્રોફેસરોનાં ઘર થયાં ત્યાં સુધી હું ને બીજા ત્રણ કાર્યકર્તાઓ એક રૂમમાં રહ્યા. નેતૃત્વ માટે નમ્રતા અને માનવતા ઉપરાંત મેટી વાત છે – લોકોને રામજાવીને કામ લેવાની. અમદાવાદની કિલ્લો તોડવાનો હતો તે વખતે લેાહી વહેવડાવવા સુધીની વાત થતી હતી. હું તે વખતે એન્જિનિયર. મે” આગેવાનોને બોલાવીને સમજાવીને કિલ્લે તેડાવ્યા. કામ હંમેશાં સમજાવટથી થવું જોઈએ. ભાઈકાકા २८३ સાભાર સ્વીકાર લગ્નસાગર : લેખક : રેવ. ફાધર વાલેસ, પ્રકાશક: ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધીધામમાર્ગ, અમદાવાદ-૧ કિમત રૂા. ૯-૧૦ ૧. બળવંતરાય મહેતા સ્મૃતિગ્રંથ : પ્રકાશક : લોકશિક્ષણ ટ્રસ્ટ, પગદંડી કાર્યાલય; ગઢની રાંગ, ભાવનગર, કીંમત રૂ. ૧૦ રાજસ્થાન રો મેળા–૧૯૬૯ પ્રકાશક : ક્રોયસ ફાઉન્ડેશન, અમદાવાદ-૯. પ્રગતિનું પારખું: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ૭૩ મું અધિવેશન સ્મૃતિગ્રંથ : પ્રકાશક : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કૉંગ્રેસ ભવન, ભદ્ર, અમદાવાદ-૧. કીંમત રૂ. ૫ જીવન-ગીતા : શ્રીમદ્ ભગવદ્ગીતાનું પદ્યમાં મુકત વિશદ નિરૂપણ : સંપાદક : શ્રી ભીખુભાઈ હરીભાઈ પટેલ, પ્રકાશક : હરિ : ૐ આશ્રામ, નડિયાદ, કિંમત રૂ. ૨-૨૫. ગાંધી : જેવા જોયા – જાણ્યા વિનાબા એ: સંપાદક : શ્રી કાન્તિ શાહ, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુઝરાતપાગા, વડોદરા. કિંમત રૂ. ૨-૫૦. ત્રીજી શકિત : લેખક : શ્રી વિનેબા ભાવે, પ્રકાશક, ઉપર મુજબ, કિંમત રૂ. ૨-૦૦. શ્રી સોભાગ પ્રત્યે ; શ્રીમદ્ રાજચંદ્રના પત્રો : પ્રકાશક : શ્રી ત્રિકમલાલ મહાસુખરામ શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ, શ્રીમદ રાજચંદ્ર પાઠશાળા, પંચભાઈની પોળ, અમ દાવાદ; કિંમત રૂ. ૨-૦૦, ગાંધીધ્વનિ : લેખક, પ્રિન્સિપાલ હરિત બુચ; પ્રાપ્તિસ્થાન : ગુર્જરગ્રંથ રત્નકાર્યાલય, અમદાવાદ; કિંમત રૂ. ૧-૨૫, અમૃતમ : લેખક : શ્રી નાથાલાલ હ. જોશી. પ્રકાશક, શ્રી ભગવત્ સાધન સંઘ, ગોંડલ. એકાદશ વૃત્ત : સંપાદક : આચાર્ય શ્રી વજુભાઈ પટેલ; પ્રકાશક: શ્રી ચંદુલાલ નાણાવટી, કન્યા વિનયમંદિર, વિલેપાર્લે, મુંબઈ-૫૬. કિંમત રૂ. ૨-૧૦. ગીતાંજલિ : એક અધ્યયન : લેખક: શ્રી ગુરુદયાલ મલ્લિક પ્રકાશક: રૂપાયતન પ્રકાશન, રામકૃષ્ણનગર, શેરી ૨, રાજકોટ, કિંમત રૂ. ૧-૨૫. દાંડીકૂચ : લેખક : કિવ મણિભાઈ દેસાઈ તથા કવિ જયકૃષ્ણ સુરતી; પ્રકાશક : સંન્નિષ્ટ પ્રકાશન, માવળંકર હવેલી; ભદ્ર, મદાવાદ-૧. કીમત ગ઼. ૩-૦૦, યુગપુરુષ ગાંધીજી : લેખક: શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક : પ્રકાશક ઉપર મુજબ, કિંમત . ૦-૪૦ પૈસા. વેરની વસૂલાત : શ્રી ચીનુભાઈ ગી. શાહ, પ્રકાશક: ખાદી વિકાસ સંઘ, જૂના વાડજ, અમદાવાદ, કિંમત ૩૦ પૈસા. ક્રિયાકોપ : સંપાદક : શ્રી મેહનલાલ બાંઠિયા તથા શ્રી શ્રીચંદ ચેારડિયા; પ્રકાશક: જૈન દર્શન સમિતિ, ૧૬-સીડૉવર લેન, કલકત્તા-૨૯. કિંમત રૂા. ૧૫-૦૦. ગાંધીવૃંદના : સંપાદક : શાંતિલાલ કે. મહેતા (વિલેાચન) ઠે. આર. એલ. મહેતા D-1 સ્ટેટ બેંક કાલાની, કાળા ગરનાળા, ભાવનગર, કિંમત રૂ. ૩-૦૦. ગાંધીજીની અહિંસાનું પુનરાવલોકન : લેખક : આચાર્ય રજનીશજી (મૂળ હિંદી:) અનુવાદક : સૌ. ઈન્દુબહેન રામજીભાઈ; પ્રકાશક : આર. અંબાણી એન્ડ કંપની, જીમખાના સામે, રાજકોટ-૧. કિંમત : ૫૦ પૈસા. વ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy