SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૨૮૨ માત્ર પ્રત્યે દયા તરફ જગતની પ્રજાઓને વાળવાની અત્યંત આવશ્યકતા છે. ટેમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડીંગમાં જૈન ધર્મ સિવાયના છ ધર્મના ઉલ્લેખ છે. ત્યાં જૈનધર્મ જેવા વિશ્વશાંતિ પ્રબોધક ધર્મનું નામ નથી. નવા વિચારોના પ્રવાહોને ઝીલનારા, સમજનારા ચિતકને આ કેમ પાલવે? જગતના વિદ્વાનો, ચિન્તકો, વિચારકો વિશ્વશાંતિના પરિસંવાદ યોજતા હોય, વિચાર - વિનિમય કરતા હોય, જગતને શાંતિના નવે! રાહ ચીંધતા હોય, આજના બળબળતા પ્રશ્નાની ચર્ચા કરતા હેાય, નવા સર્જનને કોયડા ઉકેલવા મંથન થતું હોય, વિનાશનું તાંડવ જગતભરમાં ખેલાતું અટકાવવા આયોજન થતું હોય ત્યારે મુનિ ચિત્રભાનુ જેવા જૈન ધર્મના ચિન્તક એ પરિષદને વિશ્વશાંતિના પેગામ આપવા જઈ પહોંચે તેમાં જૈનધર્મનું ગૌરવ નથી શું? હા, જૂનવાણીમાનસ અને ધર્મધુરંધરોને આંચકો લાગે તે રવાભાવિક છે. પણ જૈન ધર્મમાં આજ સુધીમાં ઘણાં પરિવર્તનો થયાં છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે પરિવર્તન કરવાં રહ્યાં. જગત શાંતિને ઝંખે છે ત્યારે અહિસાની ચંદ્રિકા જ સાચી શાંતિ સર્જી શકશે. મુનિશ્રી ચિત્રભાનુ ક્રાંતિની ઝાલરી ઝણઝણાવે ને વિશ્વને નવો રાહ દર્શાવે એ જ અભ્યર્થના. સરલા સુમતિચંદ્ર શાહ સુમતિચન્દ્ર શિવજીભાઈ શાહ ભાઈલાલભાઈ કર્મચાગી સ્વ. કેટલીક વ્યકિત સ વર્ષજ નહિ સેંકડો વર્ષ સુધી જીવે એમ આપણે ઈચ્છીએ. તેઓ માત્ર વ્યકિત નથી હોતી, સંસ્થા હોય છે. ભાઈકાકા એવી વ્યકિત હતા. ગુજરાતને તેમણે શું આપ્યું છે અને તેમનેં ગુમાવીને આપણે શું ગુમાવ્યું છે તેનું મૂલ્યાંકન થઈ શકે નહિ. લગભગ અઢી દાયકા પહેલાં જે આમ્રવૃક્ષ નીચે બેસીને, ભાઈકાકાએ સરદાર પટેલ યુનિવર્સિટીની અને તેને સમાવી લેતા વલ્લભ વિદ્યાનગરની યોજના ઘડી હતી તે આમ્રવૃક્ષ નીચે ગયા મંગળવારે ભાઈકાકાની નિર્જીવ પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો ત્યારે એમ લાગતું હનું કે માત્ર આ શરીરમાંથી જ નહિ, ભાઈકાકાએ રચેલી આ સુંદર સૃષ્ટિમાંથી પણ આત્મા ઊડી ગયો છે. તા. ૭મી જૂન ૧૮૮૮ના દિવસે સોજિત્રા ગામમાં ગરીબ મા-બાપને પેટે જન્મેલા ભાઈલાલભાઈ ઘાભાઈ પટેલે નાની વયે માબાપ ગુમાવ્યા હતાં, ૪૮ વર્ષની વયે પ્રેમાળ પત્ની ગુમાવી હતી. નાની વયે તેઓ વિદ્યા પ્રાપ્ત કરવાની તપશ્ચર્યામાં તલ્લીન બની દુ:ખ ભૂલી ગયા, મેટી વયે વિદ્યા આપવામાં. ભાઈની ઓથ અને શિષ્યવૃત્તિ મેળવીને પૂના જઈ ઈજનેર થયા પછી ભાઈલાલભાઈએ સરકારી નોકરીમાં પહેલાં મહારાષ્ટ્રની (તે સમયના મુંબઈ પ્રાંતની) સેવા કરી, પછી સિન્ધની. અમદાવાદની સુધરાઈના પ્રમુખપદે પહોંચેલા સરદાર પટેલ હીરાને તરત પારખી લે એવા ઝવેરી હતા. તેમણે અમદાવાદના નવનિર્માણ માટે ભાઈકાકાને બેલાવી લીધા. આજે કાંકરિયા તળાવ અને ઉદ્યાન ભાઈકાકાની ઈજનેરી કળાદિષ્ટ અને પ્રકૃતિપ્રેમનું સ્મરણ કરાવે છે. ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનથી ભાઈકાકાને ખાતરી થઈ ગઈ હતી કે, તેમનું સ્થાન હવે સરકારી નેકરીમાં નથી, રાષ્ટ્રના નવનિર્માણમાં છે. તેઓ સ્વાતંત્ર્યના ઉદયની ઉષા જોઈ શકતા હતા અને કેળવણી તથા જ્ઞાન-વિજ્ઞાન વિના સ્વાતંત્ર્ય નિરર્થક બની જશે એમ સમજતા હતા. તેમણે રાષ્ટ્રીય દષ્ટિથી એક સર્વગ્રાહી વિદ્યાપીઠ રચવા આણંદથી પાંચ માઈલ પશ્ચિમે વિશાળ જગ્યા પસંદ કરી, અને સરકારની મદદ મેળવ્યા વિના ખેડૂતો પાસેથી વિશાળ જમીન તા. ૧૬-૪-૧૯૭૦ ખરીદી લીધી. એ વિદ્યાનગરના નિર્માણમાંથી નાણાં ઉપજાવીને ખેડૂતોને વળતર ચૂકવી સંતુષ્ટ કર્યા. સરદાર પટેલનું એક શ્રેષ્ઠ સ્મારક આ વિદ્યાપીઠ અને વિદ્યાનગર છે. તેના વૃક્ષાચ્છાદિત માર્ગ અને ભવ્ય વિદ્યાભવનેામાં ફરી વળેા ત્યારે ખ્યાલ આવે કે ભાઈકાકાએ ગુજરાતને શું આપ્યું છે. સિંધના રેગીસ્તાનને સક્કર બેરેજની નહેરો વડે હરિયાળુ કરી આવેલા ભાઈકાકા વનસ્પતિના પ્રેમી હતા. આથી વિદ્યાનગરના માર્ગો પર જાતજાતનાં વૃક્ષો વાવીને તેને હરિયાળુ, અને પક્ષીઓના કલ્લાલથી ગુંજતું કર્યું. અમદાવાદમાં જયાં ગંધાતા પાણીના તળાવડા અનેં ઉકરડાના ઢગલા હતા, ત્યાં કાંકરિયામાં તેમણે નંદનવન બનાવી દીધું છે. ગુજરાત પ્રકૃતિ મંડળના મુખપત્ર ‘પ્રકૃતિ’માં ૧૯૪૨માં તેનું છપાયેલું વર્ણન વાંચવા જેવું છે. વલ્લભ વિદ્યાનગરમાં વનરાઈ વચ્ચે ભાઈકાકાના ‘કુલપતિ નિવાસ ’ જોઈને યાદ આવે કે ભાઈ કાકા વનસ્પતિ અને પક્ષીઓથી અળગા થઈ શકે જ નહિ. શ્રી એચ. એમ. પટેલ આઈ. સી. એસ. થઈને ૧૯૨૮માં મદદનીશ કલેક્ટર તરીકે સિંધમાં નિમાયા ત્યારે ત્યાં તે ભાઈકકાના સંસર્ગમાં આવ્યા અને કર્મયોગી ભાઈકાકાના મિત્ર તથા પ્રશંસક બની ગયા. એચ. એમ. પટેલે લખ્યું છે કે, ૧૯૩૬માં મારી બદલી થઈ ત્યારથી અમે વિખૂટા પડયા અને છેક સ્વતંત્રતા મળ્યા પછી દિલ્હીમાં અમે ભેગા થઈ ગયા. આ બે તેજસ્વી પટેલે વલ્લભવિદ્યાનગરમાં વસ્યા, વિદ્યાપ્રચારમાં ભેગા રહ્યા અને રાજકારણમાં—સ્વતંત્ર પક્ષમાં પણ ભેગા મળીને કામ કર્યું. ભાઈકાકા સામે ટીકાકારોના એક વાંધા એ હતા કે તેઓ કેળવણીક્ષેત્રે રહીને રાજકારણથી રંગાયેલા હતા. આથી સરદાર પટેલ યુનિવર્સિટીના ઉપ-કુલપતિપદે તેમની મુદત પૂરી થતાં તે લંબાવી આપવામાં આવી નહિ. કૉંગ્રેસ છેાડીને ગુજરાતમાં સ્વતંત્ર પક્ષની સ્થાપના કરનાર અને પછી જીવનના છેલ્લા દિવસે સુધી કૉંગ્રેસને સખત લડત આપનાર ભાઈકાકાની ઘણી ટીકા અને મજાક પણ કરવામાં આવતી હતી. જો તેઓ છેવટ સુધી કોંગ્રેસમાં હોત ત તેમણે ગુજરાતમાં લગભગ સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હોત. પરંતુ ભાઈકાકા કર્તવ્યમાં તેમ વિચારમાં હમેશાં પ્રામાણિક રહ્યા હતા. તેમને ધન, માન કે હાદા નહાતા જોઈતા. તેઓ પોતાની પ્રામાણિક માન્યતા પ્રમાણે લાકહિતના જે ધ્યેયને વરેલા હતા તે માટે કામ કરવામાં માનતા હતા. એમના વિચારે અને નીતિ સાથે સંમત ન થઈ શકે તેઓ પણ તેમની નિષ્ઠાને માન આપશે. છેલ્લે ભયજનક માંદગીથી પીડાતા હોવા છતાં તેમણે ડૅાકટરોની સલાહની ઉપેક્ષા કરીને વિધાનરાભામાં હાજરી આપી. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યું, અનેં કાળે તેમનેં તા. ૩૧-૩-’૭૦ના રોજ ઝુંટવી લીધા. (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર ઉદ્ભુત ) સાહમ ધરતીના ધબકાર (સમાજના તમામ સ્તરના લોકોનાં જ નહિ પણ રાજકીય પ્રતિસ્પર્ધાઓનાં પણ માન – આદરને પાત્ર બની શકનાર ગુજરાતના ‘ભાઈકાકા’નું ૮૩ વર્ષની વયે ૩૧મી માર્ચે અવસાન થયું. તેમની સાથેની કેટલીક મુલાકાતો પરથી સંકલિત કરીને નીચેનું તૈયાર કરવામાં આવેલું લખાણ તા. ૬–૪૭૦ ના ‘ ભૂમિપુત્ર’ માંથી ઉષ્કૃત કરવામાં આવ્યું છે. તેમાં ધરતી સાથેના તેમનાં તાદાત્મ્યનો આપણને પ્રેરક પરિચય થાય છે. –પરમાનંદ) હું ધરતીના ભકત છું. પરંતુ ધરતી પરના ચહેરા મનેં પસંદ નહોતા. એ મારે બદલવા હતા એટલે ઈજનેર થયો, પરંતુ ત્રણ-ત્રણ દાયકાની ઈજનેરી બાદ મને થયું કે માનવની સિલક અને સિક્સ
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy