SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ प्रजुद्ध भवन L જીવન Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ જૈન'નું નવસ કરણ વર્ષ ૩૧ : અંક ૨૪ મુબઇ, એપ્રિલ ૧૬, ૧૯૭૦ ગુરૂવાર પરદેશ, માટે સિલિંગ ૧૫ શ્રી મુંબઇ જૈન ચુયક સંઘનું માસિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી ✩ શ્રમણ ભગવાન મહાવીરની જયંતી આજે આપણે ઉજવી રહ્યા છીએ. અહિંસાના આધુનિક અવતાર ગાંધીજીની જન્મશતાબ્દી આપણે ધામધૂમથી ઉજવી તે પ્રસંગે ભગવાન મહાવીર અને બુદ્ધ જે આજથી અઢી હજાર વર્ષો પૂર્વે થયા એ યાદ આવે તે સ્વાભાવિક છે. તે બન્નેએ પોતાની રીતે તે કાળે અહિંસાપ્રચારમાં જે કર્યું તેના પરિપાકરૂપે જ ભારતમાં ગાંધી અહિંસાના પૂજારી થયા એ હકીકત છે. તેથી આજે અઢી હજાર વર્ષ પછી આપણે એવા મહાપુરુષને યાદ કરીએ તેમાં કાંઈ નવાઈ નથી. ગાંધીજીએ કોઈ ધાર્મિક સંપ્રદાય ઊભા કર્યો નથી તે આ કાળની ખાસીયતને લીધે, અને તેમણે જે કાંઈ કહ્યું કે કર્યું તે ભારતવર્ષની રાજનીતિના એક અંગ રૂપે. તેથી કોઈ ધાર્મિક સંપ્રદાયરૂપે નહિ પણ રાજનીતિમાં ગાંધીવાદરૂપે તે આજે તેમના સંપ્રદાય છે જ. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે શનીતિની આસપાસ ભગવાન મહાવીરે કશું કર્યું હોય એમ જણાતું નથી. તેમને તે તેમનું વ્યક્તિગત જીવન જ એવી રીતે સુધારવું હતું જેની અસર સમગ્ર ધાર્મિક વાતાવરણમાં પડે. ગાંધીજીએ પણ વ્યકિતગત જીવનના ઘડતરમાં જે પ્રયોગા કર્યા તેના મૂળમાં કેવળ વ્યકિતસુધાર નહિ પણ સામાજિક ગુલામી, રાજનૈતિક ગુલામીના જે બંધનો હતા, વ્યકિત અને સમાજમાં, તે તૂટે અને વ્યકિત સ્વતંત્ર બની આધ્યાત્મિક જીવન તરફ પ્રયાણ કરે – એ હતું. ભગવાન મહાવીરને ભારવ્યકિતનો પૂર્ણરૂપે સુધાર થાય ત્યાર પછી જ તેણે અન્યના જીવનમાં સુધારો કરવા પ્રયત્ન કરવા – આ બાબત ઉપર હતા, જ્યારે ગાંધીજીનો ભારવ્યકિતના જીવનની પળેા વ્યકિતના સુધારમાં વીતતી હોય કે સમાજના જીવનની સુધારણામાં વીતતી હોય તે એક જ પ્રક્રિયા છે – એ ઉપર હતો. વ્યકિત પોતાના જીવનના ઉદ્ધાર કરવા સાથે જ સમાજના ઉદ્ધાર કરી શકે છે અને નહિ કે પોતાને સંપૂર્ણ ઉદ્ધાર થાય પછી -- આવી ભાવના ગાંધીજીમાં હતી, તેથી ઉલ્ટું ભગવાન મહાવીરમાં દેખાય છે. તેમણે તે પોતાના સુધાર માટે સંસારનો ત્યાગ કર્યો, સમાજથી, સમાજજીવનથી અળગા રહ્યા અને જયારે પોતે સંપૂર્ણ નિર્દોષ થયા ત્યારે જ સમાજ વચ્ચે આવી ઉપદેશ આપવા શરૂ કર્યો. સાધનાકાળમાં મૌન રહેવાની ભગવાન મહાવીરની પ્રતિજ્ઞા હતી. પણ ગાંધીજીએ તે પેાતાના સમગ્ર જીવનને સાધનાકાળ જ માન્યો છે. સિદ્ધિકાળ જેવી કોઈ કલ્પના તેમનામાં નથી. જીવનની છેવટની ઘડી સુધી તેમને પાતામાં અહિંસાની, બ્રહ્મચર્યની અપૂર્ણતા જ દેખાઈ છે, અને તેથી તેમાં આગળ વધવા લોકલાજ છોડીને પણ પ્રયોગો કરતા અચકાયા નથી. આથી ઉલ્ટું ભગવાન મહાવીરે બાર વર્ષની ધાર તપસ્યા, એકાંતવાસ, ધ્યાન, ☆ એવા સમાજથી, સામાજિક જીવનથી દૂર રહીને – વ્યક્તિગત સાધનાના માર્ગ અપનાવ્યા છે. લોક્સંપર્ક તો માત્ર ભિક્ષા પૂરતા હતા અને તે પણ બાર વર્ષના સાધનાકાળમાં સરવાળે માત્ર એક વર્ષ જેટલો, ગાંધીજીની તો પ્રાર્થના કે તેમનું ધ્યાન—એ એકાકી ન હતું પણ સમૂહની વચ્ચે હતું. અને સતત લોકસંપર્ક એ તે ગાંધીજીની સાધનાનું એક અંગ હતું. સંસારથી દૂર થઈ શુદ્ધ થઈ, પુન: સસંસાર વચ્ચે આવી સંસારશુદ્ધિ કરવી એ ભગવાન મહાવીરનો માર્ગ, પરંતુ સંસારમાં જ રહીને સંસારશુદ્ધિ કરવી એ ગાંધીમાર્ગ. આ બન્ને વચ્ચે ભેદ અઢી હજાર વર્ષ પૂર્વે થનાર ભગવાન મહાવીર અને આધુનિક નેતા ગાંધીના છે તે આપણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ. આ સમજ્યા વિના આપણે ગાંધી કે મહાવીરને ન્યાય આપી શકીએ નહિ. ગાંધીજી નેતા હતા—ધાર્મિક જીવનના, રાજનૈતિક જીવનના, સામાજિક જીવનના—અથવા તો સંપૂર્ણ એક અને અવિભાજ્ય જીવનના ભગવાન મહાવીર નેતા હતા. ધાર્મિક જીવનની, જીવનની અનેક બાજુએ છે અને તેમાં માત્ર ધાર્મિક જીવન ઉપર જ ભાર આપવા જતાં સમગ્ર જીવન પાંગળુ' બની જાય છે એવી પ્રતીતિ તે કાળે હતી નહિ. દુનિયા બહુ નાની હતી, આક્રમણ અને તે પણ પરદેશી આક્રમણ અને તે પણ નવા નવા હથીયારોથી થતા આક્રમણોનો અને તે દ્વારા આર્થિક શાપણનો અને આક્રમણ વિના પણ આર્થિક શોષણનો ખ્યાલ આજે જે રીતે સમગ્ર પ્રજામાં સંભવે છે – તેવી રીતે પ્રજાને એ બાબતમાં એ કાળે બહુ પડી હતી નહિ, પ્રચારનાં સાધન પણ ઓછાં એટલે ાજપલટાની અસર સમગ્રભાવે પ્રજાને જણાતી પણ નહીં હોય - એથી રાજકીય જાગૃતિ – પ્રજાગત જાગૃતિ એ તે ભારતમાં પ્રજાગત નવું તત્ત્વ આધુનિકકાળનું છે. તે તત્ત્વની અપેક્ષા ભગવાન મહાવીરના કાળમાં રાખવી પણ અસ્થાને છે. આમ બન્નેમાં – ભગવાન મહાવીર અને ગાંધીજીમાં સમયની દષ્ટિએ નેતૃત્વના વિકાસમાં ભેદ છે જ. ગાંધીજી ભારતીય સંતપરંપરાના ધાર્મિક નેતા તે ખરા જ, ઉપરાંત રાજનૈતિક નેતા પણ ખરા. ભગવાન મહાવીર માત્ર ધાર્મિક નેતા છે. ભગવાન મહાવીર રાજકુળમાં જન્મ્યા, પણ એ કુળની ભાગસામગ્રીથી અળગા થઈ વિચર્યા. તેમણે પોતાના કોઈ ન માન્યા અને તેથી રાગ-દ્વેષથી પર થયા. ગાંધીજી પણ રાજકૂળમાં નિહ તો છેવટે રાજાના દિવાનના કૂળમાં તો જન્મ્યા જ અને સંસારમાં સૌ કોઈ પોતાના જ છે એમ માની સૌ વચ્ચે રહી સંપતિથી અળગા રહ્યા અને છતાં સંપત્તિના સ્વામી બન્યા, દાસ નહિ. સંપત્તિન વિનિયોગ કરવામાં—તેના ઉપયોગ કરવામાં વિવેક હોય, મારા-તારાની ભાવના ન હોય તે સંપત્તિ પોતાની કે પારકી એ ભેદથી પર થવાય છે – એવુ નવું સૂત્ર ગાંધીજીએ આપ્યું. ભગવાન ©
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy