________________
૨૭૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૭૦
પ્રજા પિતાની મુકિત અર્થે અવાજ ઉઠાવશે ત્યારે આ ક્રાન્તિકારી સંતના સંદેશને અવશ્ય યાદ કરશે.
શાન્તિ માટે સંઘર્ષ પિતાના અંગત હિતો અને સત્તાની લાલસામાં ફસાયેલા મેટી મોટી વાતો કરનારા આજના રાજદ્વારી નેતાઓ અને લશ્કરી સત્તાધીશે જ્યારે ઈતિહાસના ઓળામાં વિલીન થઈ જવાની તૈયારીમાં છે ત્યારે આપણે આશા રાખીએ કે ગાંધીજીને સંદેશ ભૂલ્યાને માર્ગ બતાવે, એમનું પુનિત સ્મરણ સૌની સવૃત્તિઓને જાગૃત કરે..
ભારતના પ્રાચીન મૂલ્યો તરફ પિતાની વેધક દષ્ટિ ઠેરવીને ગાંધીજીએ જે ઊંડી સૂઝ અને ડહાપણ કેળવ્યા હતા તેને ભૂલી જવાનું કોઈ રીતે આપણને પરવડે તેમ નથી. માનવને મહામાનવ બનાવનાર દૈવી ગુણની અદ્ભૂત શકિત ઉપર જો આપણે વિશ્વાસ રાખી શકીશું તે જ ગાંધીજીને સંદેશ જીવંત રહી શકશે. એક એવી
અટલ શ્રદ્ધા જો આપણે કેળવી શકીએ કે બુરાઈ ઉપર ભલાઈ વિજ્ય મેળવે છે, સત્યને જ સદા યે થાય છે, સંઘની આગને કેવળ શાતિ જ બૂઝાવી શકે છે અને બાહ્ય જગત થા માનવ મનમાં પરિવર્તન આણવાની સમર્થ શકિત કેવળ આત્મામાં જ છે, તો જ આપણે તેમને વફાદાર રહ્યા ગણાઈશું.
અલબત્ત! આ બધી વાતનું પિકળ પુનરાવર્તન કરી કરીને આપણે તેમના ગુણગાન ગાવામાં રાચીએ છીએ–આ બાબતને કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. લેહીતરસ્યા યુદ્ધપ્રેમીઓ દલીલ કરે છે કે તેમની લડાઈ શાન્તિ માટે છે. ગાંધીજીની મહત્તા તો એટલા માટે છે કે તેમણે પોતાના વિચારોને જીવનમાં જીવી બતાવ્યા. એમના દરેક કાર્યમાં એ આદર્શો સાકાર થયા. એક ધ્યેયને ખાતર તેઓ જીવ્યા અને એને માટે પોતાની કુરબાની આપવા હર પળે તેઓ તૈયાર રહ્યા.
મારી ઉપર પડેલા ગાંધીજીના પ્રભાવ બાબત અહીં કહેવું મને બહુ ઉચિત લાગતું નથી. મારા સમવયસ્ક સાથીદારો જેટલું જ મને પણ તેમના પ્રત્યે પ્રબળ આકર્ષણ હતું. ૧૯૧૫માં મુંબઈ ખાતે ભરાયેલી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં હું સ્વયંસેવક તરીકે હતો. ત્યારે મેં એમને પ્રથમ જોયેલા. તેઓ તાજા જ દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. એ વખતે મહાત્મા તરીકે તેઓ જાણીતા નહોતા થયા, પરંતુ એક મહાન વ્યકિત તરીકેનું તેમણે ભારતની પ્રજાના દિલમાં માનભર્યું સ્થાન તો ત્યારે પણ મેળવી લીધું હતું.
બ્રિટિશ સરકારની મારી નોકરીનું રાજીનામું આપી ૧૯૩૦ માં સ્વાતંત્ર્યની લડતમાં હું જોડાયા ત્યાર પહેલાં પણ હું સત્ય શોધક હતો. ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી હું જોઈ શકે કે તેમણે ચધિલા માર્ગ ભણી જ મારે પુરુષાર્થ રહેલો હતે. એમના તત્ત્વજ્ઞાન અને જીવનદષ્ટિએ મારી સમજ અને જ્ઞાનને વધુ પુષ્ટ કર્યા.
ગાંધીજીના સંપર્કમાં આવનાર અનેક લોકો માટે પણ આમ જ બન્યું છે. તમે ગમે તે સ્થાન ઉપર છે કે તમે ગમે તેવા ખ્યાલ ધરાવતા હો, પણ એકવાર તમે એમની સામે જઈને ઊભા રહ્યા કે તેમને તમારી ઉપર પ્રભાવ પડયા વિના રહેવાને જ નહિ, અંતર સેંસરી ઊતરી જાય એવી એમની અભુત વાણી હતી. એમના એક સાદમાં, એક હાકલમાં શબ્દથી ન સમજાવી શકાય તે કોઈક જાદુ હતો. હિંસામાં માનનારા ક્રાતિકારીઓ જેલમાંથી છુટી, પિતાની વાતે ગાંધીજીને સમજાવવા તલપાપડ થઈ તેમની પાસે જતા, પણ ત્યાં ગયા પછી તેઓ પોતે જ પાંચ મિનિટમાં બદલાઈ જતા. ગાંધીજીના આદર્શો કે તેમની આધ્યાત્મિકતા કરતાં પણ કોઈ પણ સમસ્યાને તેઓ જે કુનેહથી ઝડપી ઉકેલ લાવી દેતા એ કાર્યદક્ષતાથી હું વધારે પ્રભાવિત બન્યો છું. તેમની અનન્ય સત્યનિષ્ઠાની પ્રશંસા કરતા Herr Kiesinger ગાંધીજીના શબ્દોને યાદ કરી અંજલિ આપે છે કે, “હકીકતો એટલે જ સત્ય અને જ્યારે આપણે આ સત્યને વફાદાર રહીએ છીએ
ત્યારે કાયદો આપણી મદદે આવે છે.” કેવળ કાયદો જ નહિ, પરંતુ ઈતિહાસના બધાં જ બળ આપણી મદદે આવે છે.
- વિરલ વ્યકિતત્વ ગાંધીજીના વ્યકિતત્વની ખૂબીઓ–પોતે જીવી બતાવીને પછી જ કલમ અને વાણીમાં જે વહેતું મૂકવું, અવિરત પુસ્પાર્થના પરિણામે જિ ભવ્યતાએ તેમના જીવનને ઓપ આપી ભારત અને દુનિયાને
પ્રકાશ આપ્યો-તેને તેના પૂર્ણ રૂપમાં અહીં સમાવી શકાય તેમ • નથી. સંજોગે ગમે તેટલા બદલાય, ગાંધીવાદીઓમાં ગમે તેટલા મતમતાંતર અને તડાં પડે, પરંતુ ધ્રુવતારક સમા એ પ્રશાંત અને સ્થિર જીવનને પ્રકાશ જગતને સદાકાળ મળ્યા કરશે જ. એ પરિપૂર્ણ જીવનના બધાં જ પાસાં એટલા તો ચમકતાં અને સુરેખ છે કે તમે ગમે ત્યાંથી ગમે તે પાસું તપાસો, કયાંય વધતે ઓછો પ્રકાશ નહીં મળે. પૂર્ણ વિકસિત માનવ સ્વરૂપનું કેવું વિરલ ભવ્ય દર્શન!
ગાંધીજીના જન્મ પછીનાં સો વર્ષો દુનિયાના ઈતિહાસમાં કટોર કટીના રહ્યા છે. ૧૮ મી સદીનાં વચગાળાનાં વર્ષો દરમ્યાન બ્રિટિશ સત્તાએ ભારતના જુદા જુદા ભાગોમાં વિરોધીઓને દબાવી પોતાની રાત્તા જમાવી. ઈસ્ટ ઈન્ડિયા અને ડચ કંપનીઓએ ચીનમાં અફીણને વેપાર શરુ કરી ચીનાઓને કબજામાં લીધા. આફ્રિકાના વિવિધ ભાગમાં યુરોપીઅન સત્તાઓએ લાંબો સમય એકબીજા સાથે ઝઘડી વસાહતે સ્થાપી.
એ વખતની દુનિયાનું ચિત્ર એવું હતું કે મુઠ્ઠીભર સત્તાઓએ મોટે ભાગે અંગ્રેજ સત્તાએ–પિતાનું વર્ચસ્વ એ વખતની દુનિયા ઉપર જમાવ્યું હતું. ઔદ્યોગિક કાન્તિના પરિણામે એ લોકોની જાહોજલાલી વધી, સત્તાનું ક્ષેત્ર વધ્યું તે બીજી બાજુ વધુ વસ્તીવાળા દેશે તે સત્તાની પકડમાંથી પોતાને બચાવવાની મથામણમાં પડયા. પરદેશી સત્તાની આંખ ભારતમાં પેદા થતા કા માલ મેળવવા ઉપર, સસ્તા દરે મળતાં મજૂરો, કારીગરોને લાભ ઉઠાવવા પાછળ અને પિતાના પાકા માલને ભારતના બજારમાં વેચી લખલૂટ ધન પેદા કરવા તરફ મંડાયેલી હતી. ભારતમાં પિતાની વસાહતે સ્થાપવા પાછળ અંગ્રેજોને આ જ ઉદ્દેશ હતો. આવી કૂટનીતિને પરિણામે શ્રીમંત અને ગરીબ વચ્ચેના ભેદ વધ્યા. અનેક લોકો નિર્ધન અને નિર્બળ બન્યા. રાજકીય ક્ષેત્રે લોકશાહી ઔદ્યોગિક રીતે આગળ વધેલા યુરોપના અમુક દેશ પૂરતી જ રહી.
ભીષણ ગરીબાઈ ગાંધીજીએ ભારતમાં અને દક્ષિણ આફ્રિકામાં અનેક નાગા, ભૂખ્યા લોકોને જોયા. ચારેબાજુ ભીષણ ગરીબાઈ તથા રોગ અને અજ્ઞાનનું સામ્રાજ્ય હતું. માનવતાને વિકૃત બનાવનારી હિંસક વૃત્તિઓ તેમણે માણસ માણરા વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, દેશ દેશ વચ્ચે, શાસકો અને પ્રજા વચ્ચે જોઈ. હડધૂત થવાને જ જાણે જન્મ લીધે હોય તેવા અનેક લોકોની યાતની તેમણે નિહાળી.
સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં જે સડો પેઠો હતો તેનાં મૂળ ઘણાં ઊંડા હતાં. દેશની આવી દુર્દશા જોઈ તેમનું હૃદય દ્રવી ઊઠયું, પરંતુ આવી પરિસ્થિતિથી એ ધીર પુરુષ લેશમાત્ર અકળાયા નહિ. એમની પ્રજ્ઞાસંપન્ન દષ્ટિએ તે સર્વ સ્થળે અને સૌ કોઈમાં એક જ પરમતત્ત્વનાં દર્શન કર્યા. પશ્ચિમની ભૌતિક પ્રગતિ કરતાં તેમની સાંસ્કૃતિક વિશેષતાઓની તેમણે વધુ કદર કરી. ભૌતિકવાદી પશ્ચિમની ધર્મ પરત્વેની ઉદાસીનતા તેમને આ બધી વિકૃતિઓના મૂળમાં જણાઈ. અહિંસા અને સત્યના પ્રકાશ વડે અજ્ઞાનના આ અંધકારને નાશ કરવા તેમણે કમ્મર કસી. સત્તાધીશે અને તેમની દમનનીતિનો ભંગ બનેલાએ બંનેને તેમણે તેમની ફરજનું ભાન કરાવી માનવતાને સાથે રાહ બતાવ્યું. અનુવાદક :
મૂળ અંગ્રેજી: સૌ. શારદાબહેન શાહ
શ્રી મેરારજી દેસાઈ
(ક્રમશ:)