________________
તા. ૧-૪-૭૦
પ્રબુદ્ધ જીવન
૨૭૧
વિરોધ પક્ષે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી, પણ અધ્યક્ષે તે દાખલ ન કરી અને ભારે ધમાલ વચ્ચે, શનિવારે બેઠક અક્કસ મુદત સુધી મુલતવી રાખી. વિરોધ પક્ષને આક્ષેપ છે કે પરાજયમાંથી બચવા સરકારે આ પગલું લીધું. કાંઈક હરિયાણા જેવું થયું.
ચંડીગઢના નિર્ણયને લીધે હરિયાણા અને પંજાબમાં અસ્થિરતા. આવી. હરિયાણામાં બંસીલાલ સરકાર ટકે તેમ ન હતું. તેની સામે ધારાસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી. તે છતાં ધારા સભા નુરત મુલતવી રાખી. આ પગલું બિન – બંધારણીય હનું પણ બાવાને આ એક જ માર્ગ હતે. પંજાબમાં અકાલીદલનાં આંતરિક વિગ્રહ ઉગ્ર સ્વરૂપ લીધું અને ગુરનામસિંગ સરકારનું પતન થયું. ત્યાં પ્રમાણમાં સ્થિર રાજતંત્ર હતું. ગુરનામસિંગની સારી પ્રતિષ્ઠા હતી. પણ સંત ફત્તેસિંગના અને ગુરનામસિંગ વચ્ચે મતભેદ હતો. અત્યારે સંત ફતેસિંગના પક્ષને વિજય થયો છે, પણ તે પંજાબના હિતમાં છે તેમ ન કહેવાય. ધર્મ અને રાજકારણ જે રીતે પંજાબમાં ભાગ ભજવી રહ્યા છે તેમાં એકંદરે પ્રત્યાઘાતી બળાનું જ જોર વધે. અકાલીઓને પ્રગતિશીલ વર્ગ છેવટ સફળ થાય તેમાં પંજાબની સલામતી છે.
મધ્ય પ્રદેશમાં શુક્લ મંત્રી મંડળને ઉથલાવવા પ્રયત્ન થયા અને થાય છે. તેમાં, દ્વારકાપ્રસાદ મિશ્રાના ચૂંટણી કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાથી વેગ આવ્યો. સુપ્રિમ કોર્ટે, શુકલ સામે પણ, ચૂંટ ણીમાં ગેરરીતિઓ અજમાવવા નોટીસ કાઢવાનું હાઈ કોર્ટને જણાવ્યું છે. છતાં, એમ લાગે છે કે હાલ તુરત, નવી કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં કોઈ ફેરફાર થાય તેમ ઈચ્છતી નથી અને રાજમાતા કાંઈક ઠંડા પડયા છે. - ઓરિસ્સામાં સ્વતંત્ર પક્ષની સરકારને તોડવા, નવી કેંગ્રેસના પ્રયત્ન ચાલુ છે. ઓરિસામાં પ્રમાણમાં સ્થિર રાજતંત્ર છે અને બહુ ખરાબ નથી. છતાં, નવી કેંગ્રેસ બધા રાજયોમાં પોતાને અનુકૂળ સરકાર હોય તે નીતિ અનુસાર, ઓરિસામાં પલટો લાવવાના પ્રયત્ન ચાલુ રાખશે. 1 ઉત્તર પ્રદેશ અને બિહારમાં, ઈન્દિરા ગાંધીને અનુકૂળ સરકારની રચના થઈ છે. પણ તે સ્થિર નીવડશે તેમ ન કહેવાય. આ બને રાજ્યમાં રાજકારણના ગંદવાડની પરાકાષ્ટા છે અને કોણ, કયારે પલટે નહિ કરે તે કહેવાય નહિ.
તામીલનાડમાં DMK ના પાયા મજબૂત થતા જાય છે, કેન્દ્ર સરકારને ટેકો છે અને DMK ઇન્દિરા ગાંધીને ટેકો આપવાની પૂરી કિંમત મેળવે છે. એટલે DMK પક્ષ કે સરકારને નિર્બળ બનાવવાના કામરાજના પ્રયાસ સફળ થવાને, નજીકના ભવિષ્યમાં સંભવ નથી.
કાશ્મીરમાં સાદીક સામેના બળવાએ ઉગ્રરૂપ ધારણ કર્યું. સાદીક સામે ભારે અસંતોષ છે. પણ હાલ તો ઈન્દિરા ગાંધીની દરમ્યાનગિરિથી મામલે કાંઈક થાળે પડયો છે. પણ કાશ્મીરને પ્રશ્ન સળગતો રહેવાને જ.
રાજ્યરાભાની ચૂંટણીમાં કેટલાક અણધાર્યા પરિણામે આવ્યા, પંજાબમાં અકાલી દળના ઉમેદવાર હારી ગયો. મહારાષ્ટ્રમાં શાસક કેંગ્રેસનો એક ઉમેદવાર હારી ગયો અને જૂની કેંગ્રેસના ઉમેદવાર શ્રી બાબુભાઈ ચિનાઈને આશ્ચર્યજનક રીતે સૌથી વધારે વાત મળ્યા. મહારાષ્ટ્ર કેંગ્રેસ માટે આ ચેતવણી છે. મદ્રાસમાં અશ્વમણ્યમ હારી ગયા તે શાસક કેંગ્રેસને ફટકો છે. આ પરાજ્ય માટે સુબ્રમણ્યમ પ્રત્યેને અંગત વિરોધ વધારે જવાબદાર લાગે છે. મહારાષ્ટ્રમાં પ્રજા સમાજવાદી પક્ષના પ્રમુખ શ્રી ગેરે ચૂંટાઈ આવ્યા તે સારું થયું છે. ગેરેને ટેકે આપવાં ઈન્દિરા ગાંધી મહારાષ્ટ્ર કોંગ્રેરાને નિર્ણય ફેરવી શકયા તેમાં ચવ્હાણનું વસ્વ દેખાય છે. એરીસામાં શાસકપકાને ઉમેદવાર હારી ગયો. ઉત્તર પ્રદેશમાં પણ એવું બનતું. એકંદરે Cross voting સારા પ્રમાણમાં થયું. શાસક કોંગ્રેસને વિશેષ ધક્કો લાગ્યો છે. જનસંઘને લાભ થયો છે. '
નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં ચતુર્થ પ્લાનને છેવટની મંજૂરી મળી તેમાં ઈન્દિરા ગાંધીની આર્થિક નીતિનું સમઈન છે. દરેક રાજ્ય પિતાના હિત માટે જે ખેંચતાણી કરે છે અને મુખ્ય મંત્રીઓની સત્તા અને લાગવગ વધતી રહી છે તેવા સંજોગોમાં, રાષ્ટ્રીય પ્લાનને છેવટની મંજૂરી મળે તે આવકારપાત્ર છે. NDC ની આ બેઠક તેફાની થશે એવો ભય ખેટો છે.
બજેટમાં વેપાર ઉદ્યોગો અને કંપનીઓ ઉપર ખાટો બોજો નથી નાખ્યો એટલું જ નહિ પણ ખાનગી સાહસમાં મૂડી રોકાણને
પ્રેત્સાહન મળ્યું છે તેને પડઘો ફેડેરેશનની વાર્ષિક બેઠકમાં પડયો. વેપાર ઉદ્યોગના આગેવાને અને સરકાર વચ્ચેનું અંતર કાંઈક એણે થયું અને પરસ્પર વિશ્વાસ અને સહકારથી કામ લેવામાં દેશનું હિત છે એવી હવા પેદા થઈ.
આર્થિક સ્થિતિ સુધરતી ગઈ છે ત્યારે લોકોની ચિતાનું કારણ રાજકીય અસ્થિરતા છે. આ અસ્થિરતા મુખ્યત્વે કેંગ્રેસના બે પક્ષો વચ્ચે સત્તાનો સંઘર્ષને આભારી છે. તેની અસર બીજા, રાજકીય પક્ષો ઉપર પણ પડે છે. પરિણામે, રાજકીય આગેવાનોને મોટા ભાગને સમય પિતાનાં સત્તાસ્થાને ટકાવી રાખવા અથવા પ્રાપ્ત કરવાની ખટપટમાં જ જાય છે. આની અસર વહીવટીતંત્ર ઉપર પડે તે સ્વાભાવિક છે. રાજકીય નેતાએ જે રીત રસમે અજ. માવી રહ્યા છે તેની અસર પ્રજાજીવનના બધા ક્ષેત્રોમાં પડે છે. તેથી ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થા માટે અનાદર, અસામાજિક . તેનું જોર આ બધા અનિષ્ટો વધતા જાય છે. આને ઉપાય શું? બેમાંથી એક પક્ષ પણ એવો નિર્ણય કરે કે પરસ્પરને વિરોધ કરીશું " ત્યારે પણ કાંઈક નૈતિક ધારણ જાળવશું તે પરિસ્થિતિ કાંઈક સુધરે, એ ખરૂં છે કે Politics is :dw ys ' struggle for power પણ ગાંધીજીએ કાંઈ શીખવ્યું હોય તો એ છે કે ધ્યેયની સિદ્ધિમાં સાધનશુદ્ધિને આગ્રહ રાખવો. આમ કરનારને કદાચ શરૂઆતમાં એમ બને કે દેખીતી રીતે કાંઈક સહન કરવું પડે. પણ અંતે તે પ્રજાને આદર મેળવશે. દા. ત. બેન્કોના રાષ્ટ્રીયકરણને ખરડો હમણાં પાર્લામેન્ટમાં આવ્યો ત્યારે, જૂની કેંગ્રેસ તરફથી એ સુધારો રજૂ થયો કે વિદેશી બેંકનું રાષ્ટ્રીયકરણ કરવું. એવી અપેક્ષા હતી કે ડાબેરી બધા પક્ષો આ સુધારાને ટેકો આપશે અને શાસક કેંગ્રેસ કફોડી સ્થિતિમાં મૂકાશે – અંતે તે આ સુધારો ઊડી ગયો. આવું કરવું જરૂરનું હતું? ૨૯–૩–૭૦..
ચીમનલાલ ચકુભાઈ શાહ મુદ્રણદોષ અંગે સમાચાચના તા. ૧-૩-૭૦ ના પ્રબુદ્ધ જીવનમાં “આગમવાણી અને અઘતના વૈજ્ઞાનિક સંશોધન' ના મથાળા નીચે મુનિ અમરચંદજી કવિનું એક નિવેદન પ્રગટ થયું છે. તે નિવેદનને છેવલે પારીગ્રાફ તે નિવેદનમાં ન છપાતાં પછીનાં અંકમાં એ જ મથાળાના પિટા મથાળા “આગમવાણી બુદ્ધિગમ્ય નથી ?” પ્રગટ થયેલા શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહના નિવેદનની શરૂઆતમાં ભૂલથી મૂકવામાં આવ્યો છે અને આ ભૂલને લીધે જાણે કે શ્રી ચીમનભાઈના નિવેદનને જ એ ભાગ ન હોય એવી ભ્રમણા વાંચકોના દિલમાં પેદા થવાનો સંભવ છે અને એમ છતાં ઉપર નીચેના લખાણમાં પરસ્પર મેળ મળતા નથીએ દેખીતું છે. ક્ષમા યાચના સાથે આ ભૂલ સુધારી લેવા પ્રબુદ જીવનના વાચકોને વિનંતિ છે.
તંત્રી , પ્રબુદ્ધ જીવન ગાંધીજીનો સંદેશ (જર્મન કમિટી અને ઈન્ડો - જર્મન સંસાયટીના ઉપક્રમે યોજવામાં આવેલ ગાંધી શતાબ્દિ ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય શ્રી મોરારજી દેસાઈએ ૮મી જુલાઈએ ફ્રેન્કફર્ટીમાં આપેલાં અંગ્રેજી પ્રવચનને અનુવાદ)
એક પ્રખર રાજદ્વારી પુરુષ અને મહાન સંતની સ્મૃતિમાં આજે દુનિયાભરમાં ગાંધી શતાબ્દિ ઉજવાઈ રહી છે. દુનિયાને આવી મહાન વિભૂતિ આપવા ભારત ભાગ્યશાળી બન્યું તેનું ગૌરવ કોઈ પણ સ્થળે વસતા ભારતીય અનુભવશે જ.
ગાંધીજી કેવળ ભારતના જ નહિ પરંતુ આખી દુનિયાના હતા એ કહેવાની મારે જરર નથી. તેમની નિષ્કામ સેવા અને જીવનસંદેશ કેવળ ભારતના ઈતિહાસમાં કે ભારતની ભૌગોલિક હદમાં જે 'પુરાઈ રહી શકે તેમ નથી. એ જીવનની અમરગાથા તે. સદાકાળ સર્વસ્થળે ગવાતી રહેશે. કોઈ પણ સ્થળે અને કાળે, પરાધીન