SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૭૦ આપણે સાધુવને સેંપી છે અને આપણી બુદ્ધિનાં દ્વાર બંધ કરી દીધા છે, મગજને તાળું લગાવી દીધું છે. આપણે સાયન્સ અને ટેકનોલોજી સમજી શકીએ, પણ ધર્મની વાત આવે ત્યાં સાદી સમજને પણ કેરે મૂકી દેવા તૈયાર થઈએ છીએ અને એમાં તો આપણે કાંઈ જ ન સમજીએ એમ માનીને ચાલીએ છીએ. પરિણામે આજના જે નવાં નવાં અનુષ્ઠાને જૈન સાધુઓએ પ્રચલિત કર્યા છે તેમાં જરા પણ ઊંડા ઉતરવાનો વિચાર ભાગ્યે જ કોઈને આવે છે. આજે એવાં પણ અનુષ્ઠાને થઈ રહ્યાં છે જેમાં સંસારની બધી સ્ત્રીઓને વશ કરવાના મન્ગોને પ્રયોગ થઈ રહ્યો છે. આવી સાદી વાત જ શું આપણે ધારીએ તો ન સમજી શકીએ? એ મગ્ન સાંભળી આપણે શું અર્થ ન સમજી શકીએ? આ કેવળ અજ્ઞાનવાદને જ આકાય છે, બુદ્ધિવાદ કે કર્મવાદને નહિ.. જૈનસંમત કર્મસિદ્ધાન્તમાં જરા ઊંડા ઉતરી વિચારીએ તે ગીતાને અનાસકત યોગ અને જૈનકર્મસિદ્ધાંતમાં મને ભેદ દેખાતું નથી. બાહ્ય હિસા હોય છતાં જે અપ્રમાદ હોય તે કર્મબંધ નથી મનાવે, બાહ્યપ્રવૃત્તિ હોય પણ કષાય સહકૃત ન હોય તો તેથી કર્મબંધ નથી એમ જૈનેને કર્મસિદ્ધાન્ત કહે છે. તે જ વાત ગીતામાં અનાસકત બૅગમાં કહેવામાં આવી છે. આપણે કર્મબંધને નામે પ્રવૃત્તિનું નિરાકણ કર્યું. અને જીવનમાં પુરૂષાર્થશૂન્યતા ઊભી કરી. પરિણામે જીવને નિષ્ક્રિય બની ગયું છે. સંસાર સધાય નહિ અને મોક્ષ તે દૂર દૂર રહ્યો. કર્મસિદ્ધાન્ત જે જૈનસંમત છે તેમાં કર્મની તે તે પ્રકૃતિનું ફળ શું તે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે અને તે તે પ્રકૃતિબંધમાં શાં શાં કારણે છે તેને પણ નિર્દેશ મળે છે. કર્મના મુખ્ય બે ભેદો છે–એક જીવમાં જે જ્ઞાનાદિ સ્વભાવ છે તેને ઘાત કરે છે તો બીજું જીવમાં જે નથી તેનું આરોપણ કરે છે એટલે કે સ્વયં જે જીવના સ્વભાવરૂપ નથી તેવી વિકૃતિ જીવમાં પેદા કરે છે. જેમકે જીવ એ અમૂર્ત છે પણ જીવને સંબંધ શરીર સાથે જોડીને તેને મૂર્ત બનાવી દે છે. આમ કર્મના બે પ્રકારે મુખ્ય ફળે છે. પરંતુ મધ્યકાળમાં આ કર્મના સિદ્ધાંતમાં પણ વિકૃતિ ધર્મના નામે ઊભી કરવામાં આવી છે અને મનુષ્યને જે વિભૂતિ કે ભૌતિક સંપત્તિ મળે છે તેમાં પણ જાણે કે કર્મ કારણ હોય તેવી વ્યાખ્યા કરવામાં આવી છે. કર્મની જે પ્રકૃતિઓ શાસ્ત્રમાં ગણાવવામાં આવી છે તેમાં એક પણ એવી નથી જેને વિષે કહી શકાય કે તે કર્મના કારણે સંપત્તિ મળી શકે. રાંપત્તિથી સુખ છે-જ્યારથી આ માન્યતાને બળ મળ્યું ત્યારથી સંપત્તિ પણ કર્મનું ફળ છે તેમ મનાવા લાગ્યું. ખરી વાત એવી છે કે સુખ કે દુ:ખની વેદના એ માનસિક છે. સંપત્તિ ન હોય તો પણ સુખવેદના સંભવે અને હોય તો પણ દુ:ખવેદના સંભવે. છતાં પણ બાહ્ય સંપત્તિ સાથે સુખદુ:ખને સંબંધ જોડી દીધો અને ઉપદેશ દેવ શરૂ થયુ કે ધર્મકૃ જેવાં કે આયંબિલ, ઉપવાસ, ઉપાશ્રયનિર્માણ, મંદિરનિર્માણ, સાધુને દાન આદિથી સંપત્તિ મળે છે, અને મનુષ્ય સુખી થાય છે. ધર્મકૃત્યને ઉદ્દેશ એક તરફ ત્યાગની ભાવનાની પુષ્ટિ બતાવાય છે જ્યારે બીજી તરફ એ જ કૃત્યથી સંપત્તિની લાલચ દેખાડાય છે. આ વદવ્યાઘાત છે. પણ ધર્મને નામે, પુણ્યને નામે કર્મથી સંપત્તિ મળે છે એવી માન્યતા ઠરાવવામાં આવે છે. ખરી વાત એવી છે કે સંપત્તિ માટે યોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો સંપત્તિ મળે, તેને બદલે મનાયું કે પૂર્વે કરેલ કર્મને લીધે સંપત્તિ મળે છે. આથી પણ જીવનમાંથી પુરુષાર્થ જાય છે અને ભાગ્યને ભરોસે જીવનનૈયા ધકેલાય છે. આ પણ કર્મસિદ્ધાન્તની વિકૃતિ જ છે. સંપત્તિ જોઈતી હોય તો સંપત્તિ મેળવવાના જે માગે છે તે અપનાવવા જોઈએ, પણ કર્મને ભરોસે બેસી શકાય નહિ. પણ ભારતીય જીવનમાં ઉ4ટું વલણ દેખાય છે. પુરુષાર્થ કરે નહિ અને પુરાણા કર્મના ફળ રૂપે સંપત્તિ પામવાની આશા સેવવી. આ કર્મસિદ્ધાન્તની વિકૃતિ જ છે. આ વિકૃતિથી જેટલું વહેલું છુટાય તેટલો વહેલું આપણે ઉદ્ધાર છે. દલસુખ માલવણિયા રાજકારણના પલટાતા રંગો કેંગ્રેસમાં ભંગાણ પડ્યું તેથી દેશના રાજકારણમાં ધરતીકંપ થયે, તેના આંચકા ચારે તરફ અને દરેક રાજ્યમાં અનુભવાય છે. ભાગલા પડવા છતાં, કેંગ્રેસના બન્ને પક્ષે, સમજણપૂર્વક સ્થિરતા લાવી શકત. પણ પરસ્પરને તોડી પાડવાના તેમના ભીષણ સંગામમાં બીજા બધા રાજકીય પક્ષે પણ હોમાયા. કાવાદાવા અને કૂટનીતિ પરાકાષ્ટાએ પહોંચ્યા. બન્ને પક્ષે નીચામાં નીચા સ્તર પર ઊતર્યા અને બીજાને પણ ખેંચયા. બંગાળમાં રાષ્ટ્રપતિનું શાસન અનિવાર્ય હતું. ૧૪ મહિનાના ગાળામાં યુનાઈટેડ ફ્રન્ટ બંગાળમાં ખેદાન મેદાન કર્યું. પ્રજાની જાણે કોઈને પડી જ નથી. રાષ્ટ્રપતિનું શાસન ઠીક સમય સુધી રહે તે જ પ્રજા કાંઈક રાહત અનુભવશે. માકર્સવાદીઓ વચગાળાની ચૂંટણી માગે છે અને તેમ ન થાય તો વ્યાપક આંદોલનની ધમકી આપી છે. ગવર્નરે સખ્ત હાથે કામ લેવું પડશે. ગવર્નર ધવન સામ્યવાદી અથવા સામ્યવાદી તરફેણ કરવાવાળા છે એ ભય સેવાય છે, આશા રાખીએ કે આ ભય ખોટે ઠરે અને કેન્દ્ર સરકાર દ્રઢતાથી કામ લેશે. કલકત્તા અને બંગાળમાં ભયનું વાતાવરણ છે. બેરોજગારી વધતી જાય છે. અસામાજિક તત્વ જેર કરે છે. કેંગ્રેસના બન્ને પક્ષે અને બંગલા કેંગ્રેસના આગેવાને માથે મોટી જવાબદારી છે. શાન્તિ સ્થાપવાનું કામ મુખ્યત્વે તેમનું છે. વિકલ્પી સરકાર રચવાની અથવા વચગાળાની ચૂંટણી કરવાની કોઈ ચેષ્ટા હાલ કરવી જોઈએ નહિ. કેરળમાં C P I મંત્રી મંડળ હાલ ટકી ગયું. મુખ્ય મંત્રી અયુત મેનન માટે પ્રજામાં આદર છે. માકર્સવાદીએ તેમને તેડવા કટિબદ્ધ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે જેની કેંગ્રેસને માકર્સવાદીઓને ટેકો હતા. ડે. રામસુભગસિંગે નફટાઈથી જાહેર કર્યું કે દુશ્મનને દુશ્મન મિત્ર છે. છેલ્લી ઘડીયે, સ્થાનિક સંજોગોને કારણે, જૂની કેંગ્રેસના ચાર સભ્ય તટસ્થ રહ્યા. ગુજરાતમાં હિતેન્દ્ર સરકારને તેડવા, જગજીવનરામે, રામસુભગ સિંગ જેટલી જ નફ્ટાઈથી સ્વતંત્ર પક્ષને ટેકો આપવાનું જાહેર કર્યું. ત્યાં પણ દુશ્મનને દુશ્મન મિત્ર ગણા. ખૂબ જોરથી પ્રયા શરૂ થયા. કેટલાક સભ્યોએ જૂની કેંગ્રેસમાંથી પક્ષાન્તર ક'. હિતેન્દ્ર સરકાર ડોલી ગઈ અને તૂટવાની અણી પર હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ. મેટી લાંચે અપાયાના આક્ષેપ થયા, ધારાસભ્યને રોકી રાખ્યા, ઘેરી લીધા, તેમના પર સ્થાનિક કાર્યકર્તાઓને બેલાવી ભારે દબાણો થયા, અને નીચામાં નીચી કક્ષાની ખટપટે થઈ. જગજીવનરામને આ પ્રયત્ન સર્વથા અયોગ્ય હતે. અલબત્ત, શાસક પક્ષને ઉથલાવવાને વિરોધ પક્ષને અધિકાર છે. સ્વતંત્ર પક્ષ, પોતાના જોર પર તેમ કરી શકે તે જુદી વાત છે. નવી કેંગ્રેસ તેમ કરવામાં સ્વતંત્ર પક્ષને પ્રોત્સાહન આપે, તેને જેટલું વડીયે તેટલું ઓછું છે. હરિજને, આદિવાસી વિગેરેને ઉશ્કેરવા, તેમને લાલચ આપવી, સ્થાનિક મતભેદોને વિકરાવવા-આ બધાં પગલાં બન્ને પક્ષને ભારે પડવાના છે. હિતેન્દ્ર સરકારની સામે અસંતોષનું કારણ નથી એમ નથી. સૌરાષ્ટ્રનું હિત પૂરું જળવાતું નથી અને તેનું જાહેર જીવન યેજનાપૂર્વક ગૂંથી નાખવામાં આવ્યું છે એ ફરિયાદમાં તથ્ય છે. છતાં ગુજરાત-સૌરાટ્રની પ્રજા અને આગેવાને માટે ગૌરવથી કહી શકાય કે આવા હીન કાવત્રાને તેમણે નિષ્ફળ બનાવ્યો છે અને સર્વથા સિદ્ધાંતહીન Unprincipled પ્રયત્નને સહન નથી કર્યો. ગુજરાત સરકાર માટે આ લાલબત્તી છે. અસંતોષનાં વિવિધ કારણે સત્વર દૂર નહિ થાય તો સ્ફોટક સ્થિતિ ચાલુ રહેશે. | ગુજરાત વિધાન સભાની બેઠક, ઉતાવળમાં, નક્કી કરેલ સમય કરતાં વહેલી મુલતવી રાખવાનો નિર્ણય લેવાશે. તે અટકાવવા
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy