________________
તા. ૧-૪-૭૦
પ્રબુદ્ધ જીવન
ચર્ચા અનેક ધર્મના અનેક રીતે કરી છે. તેમાં અજ્ઞાનવાદીઓનું " કહેવું હતું કે એ જાણી શકાય તેમ નથી. તો વળી કેટલાક કાળને મહત્વ આપતા અને કહેતા કે સંસારનું વૈચિય કાળકૃત છે. ગમે તેટલો પ્રયાસ થાય પણ કાળના પરિપાક વિના કોઈ પણ કાર્ય નિષ્પન્ન થઈ શકતું નથી. આ વાદ અથર્વવેદ જેટલો તે જૂને છે જ. વળી બીજાઓનું એમ મતવ્ય હતું કે બધું સ્વભાવથી જ થાય છે. ઘઉં વાવીએ અને બાજરાની ઈચ્છા કરીએ એ ન બને. ઘઉંના બીજનો સ્વભાવ છે કે તેમાંથી ઘઉં જ થાય. સૌ સૌને સ્વભાવ જુદો એટલે તે સ્વભાવની વિચિત્રતાને કારણે જગતમાં વિચિત્રતા છે. આમ તે કાળે અનેક વિવાદો હતા. તેમાં કર્મવાદ પણ એક હતે. જીવ જે ક્રિયા કરે તેની વાસના કે સંસ્કાર આત્મામાં પડે અને તે સંસ્કારને અનુસરીને જગતમાં વૈચિય જન્મે–એ કર્મને સામાન્ય સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્તના પુરસ્કર્તા ભગવાન મહાવીરથી પણ પૂર્વેના જૈન તીર્થંકર પાર્શ્વ હોઈ શકે છે. આ જ સિદ્ધાંતને ભગવાન બુદ્ધ પણ માન્ય રાખે છે.
ગોશાલકના અનુયાયીઓનું કહેવું હતું કે સંસારચક્ર નિયત છે તેમાં કોઈ પણ ક્રિયા કે કર્મ વડે કશું જ પરિવર્તન થઈ શકતું નથી,
જ્યારે ભ. મહાવીર અને બુદ્ધનું કહેવું હતું કે ભવિષ્ય અનિશ્ચિત છે, તે આપણા પુરુષાર્થને અધીન છે, કર્મને અધીન છે, જેનું ભવિષ્ય બનાવવું હોય તેવાં કર્મ કરવાં જોઈએ તેવી ક્રિયા કરવી જોઈએ. વર્તમાનમાં જે આપણે છીએ તે ભૂતકાળના કર્મનું ફળ છે.
કર્મના આ સામાન્ય સિદ્ધાંતને આપણા જીવનમાં જે પ્રકારે ઉપગ દેખાય છે તે નિરાશ જ કરે તેવો છે. કર્મને નામે કે ભાવીભાવને નામે આપણા જીવનમાંથી પુર,પાર્થ સમાપ્ત થયો છે. જે થવાનું હશે તે થશે, ભાગ્યમાં લખ્યું હશે તે થશે, કર્મમાં હશે તે મળશેઆવી ભાવના ભારતના લોકોમાં સામાન્યપણે પ્રચલિત થઈ ગઈ છે. * આ તે ખરી રીતે આપણે કર્મનો સિદ્ધાન્ત નહિ પણ ગેશાવકના , નિયતિવાદનું જ અનુસરણ કરી રહ્યા છીએ. જો તેમ ન હતા તે કે જીવનમાંથી જે પુરુષાર્થને લોપ થયો છે તે ન થાત. આપણે જે પરદેશીઓને અધ્યાત્મશુન્ય કહીએ છીએ તેમના પુરૂષાર્થના ફળને ભેગવવા આપણે તૈયાર છીએ, પણ આપણામાં પુરુષાર્થને નામે મીંડું છે. ભ. મહાવીરના પુરુષાર્થના સિદ્ધાંતને વિદેશીઓ બરાબર અનુસરે છે, પણ આપણે તે કર્મસિદ્ધાંતને માનવા છતાં જીવનમાં તે શાલકના - સિદ્ધાંતને જ અનુસરતા થઈ ગયા છીએ. શૈશાલકે જ્યોતિષશાસ્ત્રને વિકાસ કર્યો હતો. કારણ તેના માટે બધું જ નિયત હોઈ ભવિષ્ય , ભાખી શકાતું હતું. પણ ભ. મહાવીરને સિદ્ધાંત તે પુરુષાર્થને હેઈ - ભાવિજીવનમાં નિયતિ નિરર્થક હતી. છતાં પણ આજે ભારતમાં
એવો કોણ છે જે જ્યોતિષને માનતા ન હોય? એટલે આપણા તુ જીવનમાં ભ. મહાવીર પ્રત્યેની અનઃસ્થા અને ગોશાલક પ્રત્યેની * થિી જ વધી ગઈ છે એમ માનવું રહ્યું.
વેદકાળમાં ફળ દેવાની દેવેની શકિત મનાતી હતી. પણ મીમાંસાદર્શનના વિકાસ સાથે દેવોની એ શકિત છીનવી લેવામાં ' આવી અને પંડા-પુરોહિતેએ ઠસાવ્યું કે સ્વયં શબ્દમાં એટલે કે
મંત્રમાં–જે દેવોની સ્તુતિરૂપ હતા–તેમાં જ ફલ દેવાની શકિત છે. - આમ દેવેનું મહત્વ ઘટી ગયું અને મન્નનું મહત્વ વધી ગયું.
સાથે સાથે મંત્રના જાણકાર પુરોહિતેનું પણ મહત્ત્વ વધી ગયું. ધર્મની શકિત સ્વયં સ્તોત્રામાં જે હતી તે હવે પુરોહિતોએ લીધી અને મનુષ્ય તેને પરાધીન બની ગયો. ભગવાન મહાવીરે આવી કોઈ મન્નશકિતને મહત્ત્વ આપ્યું ન હતું-આવી કોઈ શબ્દશકિતને મહત્ત્વ આપ્યું ન હતું. પણ આત્માના પુરુષાર્થને મહત્વ હતું, પુરોહિતને ન હતું. પરંતુ આજે આપણે પાછા ભગવાન મહાવીરના ઉપદેશથી વિરૂદ્ધ જઈને મત્રશકિત પાછળ ગાંડા થયા છીએ. નિત્ય નિત્ય નવા નવા મંત્રના અનુષ્ઠાનો સાધુ-મુનિરાજો શોધી કાઢે છે અને ભેળી અજ્ઞાન પ્રજાને
ભરમાવીને પુરુષાર્થને માર્ગ છોડી મન્નના માર્ગે લઈ જાય છે. આ ભ. મહાવીરનો ધર્મ નથી, પણ કાંઈક જુદું જ ધર્મને નામે થઈ રહ્યાં છે.
વેદમાં દેવની પ્રાર્થના થતી અને તેઓ પ્રસન્ન થાય તે કુલ પ્રદાન કરતા હતા. પણ પછીના કાળે જ્યારે ઈશ્વરની પ્રતિષ્ઠા થઈ ત્યારે કર્મવાદનું પ્રાબલ્ય તે હતું જ એટલે મનાયું કે ઈશ્વર સર્વશકિતમાન ખરે પણ તે પણ કમને આધીન તે છે જ. એટલે કે જીવોએ જેવાં કર્મ કર્યા હોય તેને અનુસરીને જ ઈશ્વર ફુલ આપી શકે, અન્યથા નહિ. આથી વિરુદ્ધ જ્યારે ભકિતમાર્ગ પ્રબળ બન્યો ત્યારે ઈશ્વરમાં પ્રસાદશકિતનું આરોપણ થયું અને તે પ્રસાદશકિત વડે ઈશ્વર ચાહે તેવું ફળ જીવોને આપી શકે તેમ મનાયું. આમ કર્મ નહિ પણ ઈશ્વરને પ્રસાદ એ મહત્વનું હતું. એટલે ભકિતમાર્ગીઓ ઈશ્વરને પ્રસન્ન કરવા એક ભકિતમાર્ગનું અનુસરણ કરવા લાગ્યા. પરિણામે આપણે મધ્યકાળના જૈન સ્તવનામાં પણ આની અસર જોઈ શકીએ છીએ. જેન અરિહંતે તે વીતરાગ છે. એટલે તેમના પ્રત્યેની ભકિત એકપક્ષીય જ હોઈ શકે એમ જાણવા છતાં અને સ્વીકારવા છતાં, મધ્યકાળના જૈનસ્તવનેમાં ભકિતમાર્ગની અસર સ્પષ્ટ દેખાય છે, જેમાં પુરુષાર્થવાદને કોઈ સ્થાન નથી. આમ મૂળ ભ. મહાવીરના કર્મસિદ્ધાન્ત ભકિતમાર્ગનું રૂપ લે ત્યારે પુરુષાર્થ હણાય એ સ્વાભાવિક છે.
આ પ્રકારે પુરુષાર્થ હણવામાં ભગવાન મહાવીરની સર્વજ્ઞતાને પણ આગળ ધરવામાં આવે છે. ભગવાને પિતાના જ્ઞાનમાં જે દીઠું હશે તેજ થવાનું છે-આવી ઘોષણા શ્રી કાનજીસ્વામી કરે કે પછી શ્રી અરવિંદ આશ્રમવાળા માને કે એકની યોગસાધનાથી શમગ્ર સંસારમાં પરિવર્તન લાવી શકાય છે–આમાં કાંઈ ફરક છે જ નહિ. બનેમાં પુરુષાર્થને હણવાની જ વાત આવે છે. આપણી આ અજ્ઞાન પ્રજાને ઉલટે માર્ગે જ લઈ જવાની વાત છે. હજારો વર્ષથી આ પ્રજાને ભાગ્યવાદ અને નિષ્ક્રિયતાને ઉપદેશ મળ્યો છે. પરિણામે આટલી મેટી વસતી છતાં દુ:ખ અને દારિદ્રય, આળસ અને નિષ્ક્રિયતા આપણા જીવનમાં જડાઈ ગયાં છે. જીવનને ઉત્સાહ કે પુરુષાર્થની તમન્ના લુપ્ત થઈ ગયાં છે.
ગીતા એ કર્મમાર્ગને ગ્રન્થ છે–એમ તિલકે અનેક્વાર કહ્યું. ગાંધીજીએ તે ગીતાના કર્મમાર્ગને જીવનમાં ઉતારીને પ્રજાને કર્મમાર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો. પણ આમપ્રજા તરફ દષ્ટિ નાખે તે જણાશે કે પ્રજામાં કયાગ નહિ પણ ભાગ્યયોગનું જ પ્રાબલ્ય છે. પરિણામે દારિદ્રયનું સામ્રાજય પ્રવર્તે છે. અકાળે અને અસ્થાને વૈરાગ્યને ઉપદેશ અપાય છે. મા–બાપ એ શરણ નથી, સૌ સગાં સ્વાર્થી છે, માટે છોડે સંસાર, વૈરાગી બને–આવી નિષ્કિયતાને ઉપદેશ ભારતીય બાળકને ગળથૂથીમાંથી જ મળે છે. એટલે એ નથી રહેતો ઘરને કે નથી રહેતે ઘાટ. વૈરાગી બની ત્યાગી બની નવો સંસાર શરૂ કરે છે. પરદેશમાં મેં જોયું કે નાનપણથી જ જવાબદારીનું ભાન બાળકને અપાય છે. એ પણ ઉમરલાયક થયે ઘર છોડે છે અને પિતાને નવો સંસાર શરૂ કરે છે. બનેમાં ગૃહત્યાગ સરખા છે, પણ એકમાં જવાબદારીના ભાન સાથે, જયારે બીજામાં બધી જ જવાબદારીથી મુકત થઈને. એકમાં પુરુષાર્થનું બળ દેખાય છે જ્યારે બીજામાં બીજા ઉપર નભવાની વૃત્તિ પોષાય છે સંસારત્યાગની વાત કર્યા પછી પણ અને ઘર છોડયા પછી ૫ જે અર્થે સંસારત્યાગ કર્યો હોય તે માટે પણ પુરુષાર્થ જોવા મળતો નથી. દેખાય છે મોટે ભાગે પ્રમાદ. આ છે આપણ આધ્યાત્મિકતા. પરદેશમાં આવી આધ્યાત્મિકતા કદાચ ન હોય, પરંતુ જીવનમાં સતત પુરુષાર્થ તે દેખાય છે. પાદરી થન પણ તે માટેની પૂરી યોગ્યતા અધ્યયનની અને સંસ્કારની પ્રા. કરવી અનિવાર્ય છે. તે વિના સંસારત્યાગી થઈ શકાતું નથી.
ભ. મહાવીરે જ્ઞાનમાર્ગના વિરોધ કર્યો. પરંતુ આજે આપ અજ્ઞાનમાર્ગનું જ અનુસરણ કરી રહ્યા છીએ. ધર્મચિતાની ઠેકેદા