SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૭૭ - - - દીકરાનાં મેં લગ્ન કર્યા છે તે હસમુખને સંભાળશે અને તમારે તો મને આશીર્વાદ જ આપવા જોઈએ.” આમ તારા બેલી ઊઠી. મેં કહાં તારી ઉપર મને પૂરો સર્ભાવ છે, તારું અકલ્માણ હું કેમ ઈચ્છે? પણ આ તારા કાર્ય અંગે હું ખૂબ વ્યથા અનુભવું છું. અને તે વ્યથા મને આમ બેલાવે છે. તું જ્યાં છે ત્યાં તારું કલ્યાણ થાએ એવી મારી પ્રાર્થના છે!” આ રીતે અમે મસા-ભાણેજ છૂટાં પડયાં અને તેને મોટરમાં વિદાય થતી હું જોઈ રહ્યો. સ્વદયા અને પરદયા તેરાપંથી સાધુઓ સાથેની ચર્ચામાં “સ્વદયા’ શબ્દ મારા સાંભળવામાં ઘણી વાર આવતો અને આ સ્વદયા એટલે શું તેમને સમજાતું નહિ. દયા હંમેશા પરલક્ષી હોય છે, પિતા વિષે વળી દયા કેવી? આ રીતે મારા મન વિચારતું હતું. આ ચિન્તનના અનુસંધાનમાં તા. ૨૬-૨-૭૦ ના ‘જૈનના અગ્રલેખમાંની એક નોંધમાં આ બાબતને લગતી એક ચર્ચા જોવામાં આવી. તેમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ ૫-૧૨-૬૯ના “સ્થાનક્વાસી જૈન’માં જૈન સંધના વયોવૃદ્ધ સંત શ્રી વ્રજલાલ સ્વામી અને મહાત્મા ગાંધી વચ્ચે કચ્છના મુંદ્રા શહેરમાં વિક્રમ સંવત ૧૯૮૨માં થયેલ નીચે મુજબને વાર્તાલાપ પ્રગટ કરવામાં આવ્યું છે: ગાંધીજી નમ્રતાથી બોલ્યા, “સ્વદયા એટલે શું? અને પરદયા એટલે શું? પ્રથમ સ્વદયા કે પરદયા?” - ગાંધીજીને આ તાત્ત્વિક પ્રશ્ન સાંભળી પૂજ્ય શ્રી થોડી સેકંડ મૌન રહ્યા. સભામાં ઘડિયાળના ટક ટક... અવાજ સિવાય નિરવ શાંતિ હતી. સૌના કર્ણો પૂજ્યશ્રીની ધીરગંભીર વાણી સાંભળવા આતુર બન્યા, પત્રકારો આ બંને મહાત્માઓની જ્ઞાનગોષ્ઠિને અક્ષરદેહ આપી રહ્યા હતા. પૂજયશ્રી પ્રસન્નવદને બોલ્યા, ‘મહાત્માજી, તમે બહુ સરસ પ્રશ્ન પૂછયે. જુઓ, દયા મુખ્યત્વે બે પ્રકારની : દ્રવ્યદયા અને ભાવદયા. સંસારના દુ:ખીજને અને પ્રાણીઓને જોઈને હૃદયમાં જે કર ણાભાવ સહ રે તેને દ્રવ્યદયા કહેવાય અને સંસારના અજ્ઞાની, પામર મનુષ્યો સ્વધર્મને ચૂકી, જેઓ નીતિ વિરુદ્ધ આચરણ કરે છે, તેઓ પુન: ધર્મસન્મુખ થાય એવો ભાવ ચિતવવો તેને ભાવદયા કહેવાય. હવે તમારા પ્રશ્નનો જવાબ: દ્રવ્યદયાની અપેક્ષાએ કહીએ તો પરદયા ચિતવવી, પિતાના સુખની પરવા કર્યા વિના પરના સુખને કાજે પ્રયત્નશીલ બનવું, એટલે દ્રવ્યદયાની અપેક્ષાએ “સ્વ” એટલે પિતાની દયા ન કરતાં “પર” એટલે બીજાની દયા ચિતવવી. પણ ભાવદયાની અપેક્ષાએ તે પ્રથમ સ્વદયા ચિતવવી. સ્વદયા એટલે પિતાની દયા. પિતાનો આત્મા જે દુર્ગુણોથી ભરેલું છે તેની દયા ચિતવવી, અને એ દુર્ગુણોથી જેમ બની શકે તેમ આત્માને મુકત કરશે. આવી રીતે પ્રથમ સ્વદયા ચિતવવી અને ત્યાર પછી પરયા ચિતવવી. બીજાને પણ સન્માર્ગે ચાલવાને ઉપદેશ આપ. પણ પ્રથમ આપણે જો સીધે માર્ગે ચાલતાં હોઈએ તે અન્યને કહી શકીએ. પણ પોતે જ ખૂટે માર્ગે ચાલતો હોય, અને બીજાને સાચા માર્ગે ચાલવાને ઉપદેશ આપે, તેને કંઈ અર્થ નથી. એટલે પ્રથમ સ્વદયા ચિતવી, પિતાના આત્માને યથાશકય સ્વરછ કરો અને ત્યાર પછી પરદા ચિતવી અન્ય જનેને પણ સન્માર્ગે વાળવા.” - આ ખુલાસાથી મનનું સમાધાન થયું અને સ્વદયાના પગ સ્વની લુટીઓને અનુલક્ષીને કરવામાં આવે છે અને પરદયાને પ્રયોગ સંસારના દુ:ખી જનોની આધિ, વ્યાધિ અને ઉપાધિને અનુ- લક્ષીને કરવામાં આવે છે–એ પ્રકારની ચેખવટ અનુભવી. પરમાનંદ શૂન્યમાંથી સહસ્ત્ર , | મુંબઈમાં હું બાબુલનાથ બાજુએ રહું છું ત્યાં બાબુલનાથ મારકેટની બાજુએ એક વયોવૃદ્ધ શાકવાળાની દુકાન છે. મારી પત્ની મોટા ભાગે તેની પાસેથી જ શાક લે છે અને તેથી તેની સાથે અમારો વર્ષો જ સંબંધ ગણાય. તેને માટે દીકરો વસંત ભણતાં ભણતાં ઈજનેર થયો અને છ રૂપિયાની તેને નેકરી મળી. આ વસંત ભણતો હતો ત્યારે અવાર નવાર તેના બાપની દુકાને બેસતો અને બકાલું વેચતો. આ શાકવાળાની એક પુત્રી મેટ્રિક થઈ અને તેને પણ ૩૦૦ રૂપિયાની નોકરી મળી. પછીને પુત્ર કે પુત્રી પણ ઘરમાં માસિક રૂ. ૨૦૦ લાવતા થયા. આમ પાંચ છ વર્ષ ચલાવતાં થોડી મૂડી ભેગી થઈ એટલે વસંતે મુંબઈના પરામાં સારી રકમ આપીને ઓનરશીપનો બ્લેક લીધે. આ વસંત થોડા દિવસ પહેલાં મારે ત્યાં આવ્યો અને તરતમાં થનાર પોતાના લગ્નનું નિમંત્રણપત્ર તેણે મારા હાથમાં મૂકવું. આ જાણીને હું ખૂબ રાજી થયા અને તેને મેં પૂછ્યું કે: “વસંત, તારાં લગ્ન કરે છે એ કોણ છે? શું ભણેલી છે?” તેણે જવાબ આપ્યો કે : “તે અમારી ન્યાતવાળી છે. પણ ગ્રેજ્યુએટ છે.” આથી હું વિશેષ રાજી થશે. તેના લગ્ન સમારંભમાં અમે ગયા અને યોગ્ય વ્યવહાર કર્યો. નીચેના સ્તરના ગણાતા અનેક કુટુંબે આજે આ રીતે ઉપર આવી રહ્યા છે અને પોતાના પુરુષાર્થના બળે પિતાને અને પોતાના આખા કુટુંબને ઉદ્ધાર કરી રહ્યા છે. આ હકીકત આપણા દેશના ઉજજવળ ભાવિની આગાહી આપે છે. જામનગરથી જુનાગઢ સુધીના સંઘ પાછળ ૧૦ લાખને ધૂમાડો તા૧૨ મી માર્ચના ફલછાબમાંથી જાણવા મળે છે કે, જેનાચાર્ય શ્રી વિજયગમચંદ્ર સૂરિની પ્રેરણાથી બિકાનેરના જૈન ધનાઢય ગૃહસ્થ શ્રી હરખચંદ કાંકરિયાએ સંધપતિ પદ ગ્રહણ કરીને આજથી ૨૨ દિવસ પહેલાં જામનગરથી શરૂ કરેલે પદયાત્રીઓને સંધ જુનાગઢ પહોંચ્યો છે અને ગિરનારની યાત્રાને પ્રારંભ કર્યો છે. આ સંઘમાં ૧૭૦૦ જૈન ભાવિકો અને સાધુ-સાધ્વીઓ જોડાયા છે અને તેમણે જામનગરથી જુનાગઢ સુધી ૧૦૭ માઈલનો પ્રવાસ કર્યો છે. આ સંઘ પાછળ આશરે ૧૦ લાખનો ખર્ચ થવા સંભવ છે. આ રીતની ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી કે, ઉપધાન, વરઘોડાઓ, જમણવાર, પાછળ જૈન શ્વે. મૂસંપ્રદાયના સાધુઓ જૈન સમાજના લાખે રૂપિયાનું પાણી કરાવે છે જેમાં પાંચ પંદર દિવસ આનંદ, ખાણીપીણી, રોણક, ઝાકઝમાળ હોય છે. પણ તેમાં સમાજનું કોઈ સ્થાયી કલ્યાણ થાય અને આજની ભીંસ, મેધવારી અને હાલાકીથી પીડિત જનતાને કોઈ નક્કર રાહત મળે એવી લેજના કે પરિણામ હોતું નથી. પાલીતાણામાં શ્રી. વિજ્ય રામચંદ્ર સૂરિએ ગ ચાતુર્માસ કરેલું તે દરમિયાન પણ આવી જ રીતે લાખ રૂપિયાને દય. કરાવવાના તેઓ નિમિત્ત બન્યા છે. તેમને દુષ્કાળ પડતા નથી, માનવજાત ઉપર ઉતરી આવતી કુદરતી આફતો તેમના દિલને હલાવતી નથી, તે ક્રિયાકાંડ અને ધાર્મિક જલસાઓમાં જ રાચે છે. તેઓ ધારે તે તેમની લાગવગને જનકલ્યાણકારી ઉપયોગ કરી શકે છે. પણ જયાં દર્દ નથી ત્યાં આવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. પરમાનંદ કર્મસિદ્ધાંત (તા. ૯-૮-૬૯ની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન) ભારતીય દર્શન અને ધર્મને કોઈ સર્વમાન્ય સિદ્ધાંત હોય તે તે કર્મરિદ્ધાંત છે તેનું સામાન્ય તાત્પર્ય તે એવું છે કે જેવું કરીએ તેવું પામીએ. વેદકાળમાં દેવોને અર્થે યજ્ઞકર્મ થતું અને દેવ પ્રસન્ન થઈ ફળ આપતા. ઉપનિષદાળમાં દેવનું સ્થાન આત્મા કે છaહ્મ ' લીધું અને સારા કર્મનું સારૂં ફળ અને માઠાં કર્મનું માઠું ફળ–એવો લીધો અને સારા કર્મને સારું કળ અને માઠાં કર્મ મા સિદ્ધાંત સ્થિર થયેલ જણાય છે. પણ તે સિદ્ધાંતની કોઈ વિસ્તૃત ચર્ચા તેમાં જણાતી નથી. તે સિદ્ધાંત કોઈ ગૃહ્ય તત્વ હોય અને ખાનગીમાં ચર્ચવાની વાત હોય એવી છાપ ઊભી થાય છે. આથી જણાય છે કે તે સિદ્ધાંત ઉપનિષદના ઋષિઓ માટે નવો હતો. ભગવાન મહાવીર અને બુદ્ધના કાળમાં સંસારની ઘટમાળના કાર્યકારણ ભાવની
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy